Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 176
________________ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ૧૫૩ (૧) લબ્ધિ અપર્યાપ્ત ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન જ કરે. ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી આયુષ્ય પૂર્ણ થઈ જાય. તેથી બાકીની પર્યાપ્તિઓ કરે નહિ. કાળ-અંતર્મુહૂર્ત : કરણ અપર્યાપ્તા ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ નથી કરી તે. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરનાર (લબ્ધિ પર્યાપ્તા) હોય અથવા સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરનાર (લબ્ધિ અપર્યાપ્ત) હોય. તે બન્ને કરણ અપર્યાપ્તા કહેવાય. અહીં કેટલાકના મતે કરણ અપર્યાપ્તા - ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત. કરણ પર્યાપ્તા - ઈન્દ્રિય પર્યાપ્તિપૂર્ણ કરેલ હોય તે કરણ પર્યાપ્તા કહેવાય. આ મત પ્રમાણે લબ્ધિ અપર્યાપ્તા પણ કરણ પર્યાપ્તા થાય, તેથી તે લબ્ધિ અપર્યાપ્તા જીવ બે પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત અને બે પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારપછી કરણ પર્યાપ્તા એમ જાણવું. પર્યાપ્તિ (શક્તિ) એક અંતર્મુહૂર્તમાં થાય છે અને તે શક્તિ દ્વારા જીવ શરીરાદિ બનાવે છે. દેવો-નારકીના જીવો લબ્ધિ પર્યાપ્તા જ હોય અને તે કરણ અપર્યાપ્તા અને કરણ પર્યાપ્તા એમ બે પ્રકારે કહેવાય. મનુષ્ય-તિર્યંચમાં ચાર ભેદ હોય. તે ચાર ભેદમાં પરસ્પર ભેદો આ પ્રમાણે -

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212