Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 178
________________ ૧૫૫ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ સાધારણ નામકર્મ : અનંતા જીવોને એક શરીર પ્રાપ્ત થાય તે. આ કર્મ વનસ્પતિકાયમાં જ હોય અને તે કર્મના ઉદયવાળા જીવો (૧) સાધારણ વનસ્પતિકાય (૨) નિગોદ (૩) કંદમૂળ (૪) અનંતકાય કહેવાય છે. આ કર્મના ઉદયવાળા અનંત જીવો એક સાથે ઉત્પત્તિ સ્થાનમાં આવે. અનંતા જીવો સાથે મળી આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ વિગેરે સાથે બનાવે. એક શરીર બનાવે અને આયુષ્ય પૂર્ણ થયે તે અનંતા જીવ સાથે અથવા આયુષ્ય પ્રમાણે અવે. ' અર્થાત્ કોઈ જીવ વહેલો મૃત્યુ પામે, કોઈ જીવ મોટા અંતર્મુહૂર્તના આયુષ્યવાળો હોય તો પછી મૃત્યુ પામે. અર્થાત્ અનંતા જીવો ઉત્પત્તિ સ્થાનમાં સાથે આવે. આહાર ગ્રહણ કરવો, શ્વાસોશ્વાસ લેવો વિગેરે એક શરીરથી સાથે જ કરે. પરંતુ મરણ સાથે પામે એવું નહિ. સ્થિર નામકર્મ : દાંત, હાડકાદિ શરીરના અવયવોમાં નક્કરપણુંમજબુતપણું-નિશ્ચલપણું પ્રાપ્ત થાય તે સ્થિર નામકર્મ. અસ્થિર નામકર્મ ઃ પાંપણ-જીલ્લા-કર્ણ વિગેરે અવયવો ચપલ થાય તે. આ બંને પ્રતિપક્ષી કર્મ એક જીવને જુદા-જુદા અવયવોમાં સાથે જ ઉદયમાં હોય છે, કારણ કે તે ધ્રુવોદયી છે. શુભ નામકર્મ : નાભિથી ઉપરના અવયવો શુભ પ્રાપ્ત થાય તે શુભ નામકર્મ છે. મસ્તક અથવા હાથ બીજાને અડાડવાથી તે ખુશ થાય છે માટે તે અવયવો શુભ કહેવાય અને તે શુભ નામકર્મના ઉદયથી બને છે.

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212