Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 159
________________ ૧૩૬ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ઘણા જીવોના શરીરમાં અને લોહીમાં મીઠાશ હોય તેથી શુદ્ર જંતુઓ પીવા આવે. એટલે કરડે છે. અને ઘણા જીવોના શરીરમાં કડવો રસ હોય તે ડંખ દેનાર જંતુ પણ મરી જાય છે. અને ફરી કરડતું નથી. સ્પર્શ નામકર્મ ઃ (૧) મૃતે નેન તિ પર્ણ: (૨) ત્વચા (ચામડી) દ્વારા જે અનુભવાય તે સ્પર્શ. સ્પર્શ ૮ છે તે નીચે મુજબ છે. (૧) ગુરુ સ્પર્શ નામકર્મ : (૧) જીવોના શરીરમાં અથવા અવયવોમાં લોખંડ જેવા ભારે સ્પર્શની પ્રાપ્તિ થાય તે. (૨) અધોગમનના સ્વભાવવાળો સ્પર્શ, તે જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે ગુરુ સ્પર્શ નામકર્મ. (૨) લઘુ સ્પર્શ નામકર્મ : (૧) જીવોના શરીરમાં અને અવયવોમાં આકડાના રૂ જેવા હલકા સ્પર્શની પ્રાપ્તિ થાય તે અથવા (૨) તીર્જી-ઉર્ધ્વગમનના સ્વભાવવાળો સ્પર્શ તે. (૩) મૃદુસ્પર્શ નામકર્મ : જીવોના શરીરમાં અને અવયવોમાં માખણ જેવાં કોમળ સ્પર્શની પ્રાપ્તિ થાય તેને મૃદુસ્પર્શ નામકર્મ કહે છે. (૪) કર્કશ સ્પર્શ નામકર્મ : જીવોના શરીરમાં અને અવયવોમાં પત્થર જેવાં કર્કશ સ્પર્શની પ્રાપ્તિ થાય તે કર્કશ સ્પર્શ નામકર્મ છે.

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212