Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 163
________________ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ૠજુગતિવાળાને પ્રથમ સમયે જ ભવાન્તરના આયુષ્ય અને આહાર હોય છે. આ ગતિમાં અણાહારીપણું હોય નહીં. વિગ્રહગતિ : ભવાંતરમાં જતા જીવને (૨) એક વક્રા - બે સમય સનાડીમાં (૧) વિદિશામાંથી દિશામાં-પ્રથમ સમય (૨) પ્રથમ વક્રા કરી ઉર્ધ્વથી અધો અથવા અધોથી ઉર્ધ્વગમન કરી ઉત્પત્તિ સ્થાનમાં જાય. ૧૪૦ - આ બે સમયવાળી એક વક્રાવાળી ગતિમાં પ્રથમ સમયે પૂર્વભવના આયુષ્ય અને આહાર હોય. પછીના સમયે નવા ભવનો આહાર અને આયુષ્ય હોય. આમાં અણાહારીપણું ન હોય. (૩) બે વક્રા ત્રણ સમય - ત્રસનાડીમાં (૧) પ્રથમ સમયે વિદિશામાંથી દિશામાં (૨) પ્રથમ વક્રા કરી ઉર્ધ્વથી અધો અથવા અધોથી ઉર્ધ્વગમન કરે (૩) બીજી વક્રા કરી દિશામાંથી વિદિશામાં ઉત્પત્તિસ્થાનમાં જાય. - આમાં મધ્યના એક સમયમાં અણાહારીપણું હોય. ચાર સમય (૪) ત્રણ વક્રા ત્રસનાડી બહાર હોય (૧) વિદિશામાંથી દિશામાં જાય (૨) બીજા સમયે ત્રસનાડીમાં આવે (૨) ત્રીજા સમયે ઉર્ધ્વ કે અધોદિશામાં જાય. (૪) ચોથા સમયે દિશામાંથી વિદિશામાં જાય. - આમાં વચ્ચેના બે સમય અણાહારીપણું હોય. (૫) ચાર વક્રા - પાંચ સમય - (૧) ત્રસનાડી બહારમાં રહેલ જીવ વિદિશામાંથી દિશામાં આવે. (૨) ત્રસનાડીમાં આવે (૩) ઉર્ધ્વથી અધો અથવા અધોથી ઉર્ધ્વ જાય. (૪) ત્રસનાડી બહાર જાય (૫) દિશામાંથી વિદિશામાં જાય. (જુઓ પ્રવચન સારોદ્વાર દ્વા૨-૨૩૩ ગાથા-૧૯)

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212