________________
દર્શનાવરણીયકર્મ
(૩) અવધિદર્શનાવરણીય કર્મ :
પાંચ ઈન્દ્રિય અને મન વિના મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યોનો આત્મસાક્ષાત્કારે થતો સામાન્ય બોધ જે કર્મના ઉદયથી ન થાય તેને અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય. અર્થાત્ આત્મસાક્ષાત્ રૂપી પદાર્થના સામાન્ય બોધને આવરે તે.
અહીં કર્મગ્રંથકાર અવિરત સમ્યગ્દષ્ટિગુણથી ક્ષયોપશમ હોઈ શકે એમ માને છે. એટલે અવધિજ્ઞાનીને જ અવધિદર્શનાવરણનો ક્ષયોપશમ હોય એમ માને છે.
સિદ્ધાંતકાર વિભંગજ્ઞાની મિથ્યાત્વીને પણ અવધિદર્શન હોય એમ માને છે એટલે ૧ થી ૧૨ ગુણ. સુધી હોય.
(૪) કેવળદર્શનાવરણીય કર્મ :
૬૧
એક સમયમાં ત્રણે લોકના ત્રણે કાળના સર્વ દ્રવ્યોના સર્વપર્યાયોના એકી સાથે થતા સામાન્ય અવબોધને અટકાવનાર કર્મને કેવળદર્શનાવરણીય કર્મ કહે છે.
આ કર્મનો ઉદય ૧ થી ૧૨ ગુણ. સુધી હોય.
દર્શનના ઉત્તરભેદનું યંત્ર
ઈન્દ્રિયદર્શન
ચક્ષુદર્શન
અચક્ષુદર્શન
અવધિદર્શન
કેવળદર્શન
સ્પર્શદર્શન રસનદર્શન પ્રાણદર્શન શ્રોત્રદર્શન મનોદર્શન