________________
ઈતિહાસ ]
:૪૩ :
શ્રી શત્રુંજય તે કટુમ્બના વડા થી ખુશાલચંદ શેઠને સઘળા વેપારીઓએ મળીને નગરશેઠ તરીકેનું માન આપેલું. આ પછી તેમાં શહેરના આગેવાન અને જનસંઘના વડા ગણાવા લાગ્યા. શ્રી ખુશાલચંદ શેઠથી શરૂ થયેલી આ નગરશેઠાઈ અત્યારસુધી વંશપરંપરાગત ચાલુ છે. ગાયકવાડે એ પણ પાલખી, છત્રી, મસાલ ને વર્ષે રૂા. હજાર એટલે તેમને હકક કરી આપે (ગુજરાત સર્વ સંગ્રહ). ખુશાલચંદ શેઠને નષ્ણુશા, જેઠમલ અને વખતચંદ એ ત્રણ પુત્રો થયા. વખતચંદ શેઠ પ્રતાપી હતા. x x x વિ. સં. ૧૮૬૪ માં પોતે શત્રુંજયને સંઘ કાઢયો. અને ત્યાં કેટલીક પ્રતિષ્ઠા કરી. વિ સં. ૧૮૬૮ માં આ નગરશેઠની આગેવાની નીચે અમલાવાદના શહેરીઓએ સરકારને અરજ કરતાં સરકાર તરફથી એ હુકમ થયો કે માત્ર કન્યા મૂકી કેઈ પણ ગુજરી જાય. તે તેની મિલકતમાં ડખલ ન કરતાં તે કન્યાને, જ્યાં સુધી સંતાન થાય ત્યાં સુધી વારસદાર ગણવી. આ બાબતનો ગુજરાતી ભાષામાં કરેલો હકમ અમદાવાદના ત્રણ દરવાજા પરના શિલાલેખમાં કતરેલો છે. વખતચંદ્ર શેઠને ગાયકવાડ સાથે ઘણે ગાઢ સંબંધ હતે. ૧૮૮૭ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમના પુત્ર હેમાભાઈએ ઘણી સાર્વજનિક સખાવત કરી. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, હેમાભાઈ ઈન્સ્ટિટયુટ નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અને એક હોસ્પીટલ વગેરે પ્રજા ઉપયોગી કામો તેમની સહાયથી થયાં છે. સં. ૧૯૦૪ માં જન્મ પામેલ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીને પણ તેમણે સારી મદદ આપી હતી. ગુજરાત કોલેજ શરૂ કરવામાં દશ હજાર રૂા. આપ્યા. ત્યાંની શહેર-સુધરાઈ માટે સારો પરિશ્રમ લીધે. શત્રુંજય ઉપર સવા લાખ ખરચી ઉજમબાઈની ટુંકનંદીશ્વરદીપની ટુંક બંધાવી. પોતાની ટુંક વિ. સં. ૧૮૮૨ માં ત્યાં બંધાવી અને તેની વિ. સં. ૧૮૮૬ માં પ્રતિષ્ઠા કરાવી. ઘણે ઠેકાણે ધર્મશાળા બંધાવી. ગાયકવાડે રાંચરડી ગામ બક્ષીસ કર્યું, તેની ઉપજેમાંથી અમુક રકમ ખેડા હેર અથે કાઢેલી છે, ને તે ગામ તેમના વંશજોના તાબામાં હજી સુધી છે. વિ. સં. ૧૯૧૪ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમના પુત્ર પ્રેમાભાઈ પણ એક પ્રખ્યાત વ્યક્તિ હતા. તેમણે વિ. સં. ૧૯૦૫ શત્રુંજયને સંઘ કાઢયો હતો. તેમણે અમને દાવાદની હઠીસિંગ પ્રેમાભાઈ હે સ્પીટલ (સીવીલ હોસ્પીટલમાં) બાવીશ હજાર દેહ, હેમાભાઈ ઇન્સ્ટિટયુટના મકાનમાં સાત હજાર પચાસ; ગુજરાત કોલેજમાં, મુંબઈની ગ્રાન્ડ મેડીકલ કેલેજમાં, વિકટોરીયા મ્યુઝીયમમાં, મુંબઈ વિકટોરીયા ગાર્ડસ, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી વગેરે સાર્વજનિક સંસ્થાઓમાં હજારો રૂપિયાનું દાન કર્યું છે. ૧૯૩૪ નાં દુકાળમાં તથા છ સ્થળે ધર્મશાળા બંધાવવામાં
* આ શિલાલેખે અંગ્રેજી ભાષાંતર સહિત મુંબઈ જે. એ. સે.ના જનલ . ૧૯૨ એ. ૫૩ સને ૧૮૯૭ પૃ. ૩૪૮ માં પ્રગટ થાય છે. ગુજરાતનું પાટનગર અમદાવાદ નામના પુસ્તકમાં પણ પ્રગટ થએલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com