________________
મહેસાણા
: ૧૦૦ ?
[જૈન તીર્થને જીએ લંછન ઉપરથી જણાવ્યું કે આ તે જનોના ૧૯મા તીર્થકર શ્રી મલ્લિનાથજી છે. શ્રાવકેને ખબર પડી બધા આવ્યા. કડી અને કુકાવાવના શ્રાવકેની ઈચ્છા હતી કે પ્રતિમાજીને અમે લઈ જઈએ. ભોયણીવાળાની ઈચ્છા હતી કે પ્રતિમા ભેટ
માં જ રહે. વિવાદને અને એમ કહ્યું કે પ્રતિમાજીને ગાડામાં બિરાજમાન કરો. ગાર્ડ જેદિશામાં જાય ત્યાં પ્રભુજી રહે. કહે છે કે ગાડું જોયણી તરફ ગયું. ભાયણના પટેલ અમથા રવજીના મકાનમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. સં. ૧૯૩૦ મહા શુદિ ૧૫ ને શુક્રવારે ( કેટલાક વિશાખ કહે છે ) પ્રતિમાજી નીકળ્યાં. થોડા સમય પછી પ્રભુજીને એક સ્વતંત્ર ઓરડામાં બિરાજમાન કર્યા.
પ્રતિમાજી મહાન ચમત્કારી અને અદ્ભુત છે. શ્રી સંઘે ભેચણીમાં વિશાલ ભવ્ય જિનમંદિર બનાવ્યું અને ૧૯૪૩ ના મહા શુદિ દશમે પ્રતિષ્ઠા થઈ. બાદ ત્યાં ભવ્ય ધર્મશાળાઓ પણ બંધાઈ છે. દર સાલ મહા શુદિ દશમે મોટે મેળે ભરાય છે. શેઠ જમનાભાઈ તરફથી નવકારશી થાય છે. દર પૂર્ણિમાએ યાત્રીઓ આવે છે.
અહીં આવનાર યાત્રીઓની માભિલાષા પરિપૂર્ણ થાય છે. અહીંની પેઢીને વહીવટ શેઠ જમનાભાઈ ભગુભાઈ કરે છે. અહીં ભેજનશાળા બહુ સારી ચાલે છે. યાત્રિકને બધી સગવડ મલે છે. - વીરમગામથી મહેસાણા જતી લાઈનમાં ઘેલડા સ્ટેશનથી ૩ માઈલ દૂર ભોયણીજી તીર્થ છે તથા અમદાવાદથી કલેલ થઈ બહેચરાજી જીતી લાઈનમાં ભોયણજી સ્ટેશન છે. અહીં પોષ્ટ અને તાર ઓફિસ બંને છે.
પાનસર કલેલથી મહેસાણે જતાં પાનસર વચમાં જ આવે છે. સંવત ૧૯૬૯ માં રાવળ જલા તેજાના ઘરની દીવાલમાંથી શ્રા. શુ. ૯ ને રવિવારે પ્રતિમાજી નીક
વ્યા. ભગવાન મહાવીર સ્વામીની પરમ તેજસ્વી પ્રતિમાજી છે. શરૂઆતમાં તે પાનસરના દેરાસરજીમાં જ પ્રભુજી બિરાજમાન કર્યા હતા. બાદ ગામ બહાર શિખરબંધ ભવ્ય જિનમંદિર બનાવ્યું અને ૧૯૭૪ ના વૈશાખ શુ. ૬ના રોજ ત્યાં પ્રતિષ્ઠા થઈ.
પાનસર ગામ તો નાનું છે પરંતુ જ્યાં મંદિર બન્યું છે ત્યાં ભવ્ય ગગનચુંબી મંદિર, ભવ્ય ધર્મશાલાઓ, ઉપાશ્રય વગેરે બન્યાં છે. અહીંના હવાપાણી ઘણાં સારાં છે. અમદાવાદના ઘણાં શ્રાવકે અહીંઆ હવાફેર માટે આવે છે.
મહેસાણું અહીં સુંદર પાંચ મોટાં મંદિરો અને પાંચ નાનાં મળી કુલ દસ જિનમંદિર છે. શ્રી યશોવિજયજી કોન પાઠશાળા, શ્રેયસ્કર મંડલ-સંસ્કૃત પાઠશાળા વગેરે સારી રીતે ચાલે છે. આ સંસ્થાઓનું લક્ષ ખાસ કરીને ધાર્મિક અને
૧. લેલમાં એક જૈન મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા અને જૈનોનાં ઘર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com