________________
તારંગા
: ૧૯૪ :
[ આ તીર્થને કુમારપાલપ્રબંધમાં શ્રી જિનમંડન ગણિવર આ તીર્થની સ્થાપના સંબંધી નીચે પ્રમાણે લખે છે –
મહારાજા કુમારપાલે જૈન ધર્મ સ્વીકાર્યા પહેલાં અજમેરના રાણા અર્ણોરાજ ઉપર ચઢાઈ કરી હતી. અગિયાર વાર ચઢાઈ કરવા છતાંયે અજમેર ન જીતાયું ત્યારે તેમણે પોતાના મંત્રી વાગભટને પૂછયું કે-એવા કોઈ ચમત્કારી દેવ છે કે જેને પૂજ્યાથી શત્રુ જીતી શકાય ? ત્યારે વાગૂભટે કહ્યું કે-મારા પિતાના પુણ્ય રમરથે મેં એક જિનમંદિર બનાવ્યું છે. તેની દેરીના એક ગોખલામાં શ્રી હેમચંદ્રાચાર્યપ્રતિષ્ઠિત અને શેઠ છાડાએ બેસાડેલ શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજી છે, જેને મહિમા પ્રત્યક્ષ છે. તેની વિધિપૂર્વક પૂજા કરવાથી અવશ્ય જ ફલ પ્રાપ્ત થાય છે. પછી રાજાએ વિધિપૂર્વક પૂજા કરી. બાદ રાજા શત્રુને જીતીને પાછા આવ્યા. પાછા વળતાં રસ્તામાં તેણે તારણદુર્ગ નામને અતિ સુંદર પહાડ ( ટેકરે ) જે. ત્યાંથી પછી રાજાએ ઉત્સવપૂર્વક પાટણમાં પ્રવેશ કર્યો.
જૈન ધર્મ સ્વીકાર્યા પછી એક વાર રાજા ગુરુ હેમચંદ્રાચાર્યજીને વંદના કરવા આવ્યા હતા તે વખતે ગુરુજી અજિતનાથ ભગવાનની સ્તુતિ કરતા હતા તે જોયું. તે વખતે રાજાને યાદ આવ્યું કે-અજિતનાથ ભગવાનની સ્તુતિ-પૂજા કરીને જવાથી પિતે યુધ્ધમાં જય પામ્યું હતું. બાદ રાજાએ ગુરુમહારાજ પાસે તાર ગાજીનું સ્વરૂપ પૂછ્યું. ગુરુમહારાજે કહ્યું–હ ચૌલુકયભૂપ ! આ તારણદુર્ગ ઉપર અનેક મુનિ મહાત્માઓ મોક્ષે ગયા હોવાથી સિધ્ધાચલજી ( શત્રુ જય ) તીર્થની પ્રતિકૃતિરૂપ છે. આ સાંભળી કુમારપાલે કેટીશિલા, સિધ્ધશિલા આદિથી મને રમ તારણદુર્ગ ઉપર ૨૪ હાથ ઊંચું જિનમંદિર બંધાવ્યું અને ૧૦૧ આંગુલ ઊંચા શ્રી અજિતનાથ પ્રભુના બિંબને સ્થાપિત કર્યા. એટલા માટે કહ્યું છે કે –
“ વિદ્યાર જિતઃ શ્રીમન્નક્ષચ્ચસ્થાનમાવતા | शत्रुञ्जयापरमूर्तिगिरेष न विमृश्यताम् चतुर्विंशतिहस्तोच्चप्रमाणं मन्दिरं नृपः ।।
विम्बं चैकोत्तरशताङ्गुलं तस्य न्यधापयत् ॥२॥" આ સિવાય બીજો એક પ્રશેષ છે કે-મહારાજા કુમારપાલે માંસાહારને ત્યાગ કર્યા પછી એક વાર ઘેબર ખાતાં પૂર્વે ખાધેલ માંરાહારની સ્મૃતિ થઈ આવી,
૧. પ્રભાવક ચરિત્રમાં પણ ઉલ્લેખ છે કે-રાજા કુમારપાલને અજય દુર્ગ છતાં અગીઆર વરસ થઈ ગયાં હતાં છતાં છતા ન હતા. છેવટે આ ગ્રંથમાં લખ્યા મુજબ શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિની પૂજા કરીને જવાથી વિજયી થઈને આવ્યો હતે. ( પૃ. ૩૧૩ અને ૩૧૪ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com