________________
દીવઃ બલેજા
: ૧૩૮ :
જૈિન તીર્થોને પાળે છે. તેમનું બંધાવેલું એક સુંદર જિનમંદિર દેલવાડામાં છે. મૂળનાયક શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજી છે. વિ. સં. ૧૭૮માં આ મંદિરને જીર્ણોધ્ધાર થયાને લેખ છે.
દીવબંદર આ પ્રાચીન નગર છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ દીવબંદસ્ના સંઘના આગ્રહથી સિધ્ધાચલજીની યાત્રા કરી ચાતુર્માસ માટે અહીં ૧૬૫૦ માં પધાર્યા હતા. તે વખતે આ શહેર ઘણી જ ઉન્નત સ્થિતિમાં હતું. અહીં અત્યારે શ્રાવકનાં ઘર ઘેડા જ છે. પોર્ટુગીઝ રાજ્ય છે. નવલખા પાર્શ્વનાથજીનું સુંદર વિશાલ જિનમંદિર છે અને પાસે જ નેમિનાથજી અને શાંતિનાથનાં બે મંદિરે છે. ત્રણે મંદિરમાં કુલ ૩૨ જિનબિંબ છે. નવલખા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બહુ જ મનહર અને આકર્ષક છે. સાથે જ નવલખો હાર અને નવલખા મુગટની પણ પ્રસિધ્ધિ હતી. અત્યારે તે સમય નથી. એક ધર્મશાલા અને ઉપાશ્રય છે, જેમાં યતિજી રહે છે. તેમની પાસે પુસ્તક ભંડાર પણ સારો છે.
દીવમાં કિલ્લે, મહેલ વગેરે જોવાલાયક છે.
દીવ બંદર અજારાથી છ માઈલ દૂર છે. દેલવાડાથી પાંચ માઈલ દૂર છે. ત્યાં ઘોઘલા થઈને નાવમાં બેસી દીવબંદર જવાય છે. ઘોઘલામાં માછીમારોની વસ્તી છે. ત્યાંથી દસ મિનિટમાં સામે પાર જવાય છે. હોડીમાં બેઠા સિવાય જવાય તેમ નથી. દીવથી દેલવાડા આવી, અજારા થઈ ઉના જવાય છે. ત્યાંથી મહુવા ૨૫ કેશ દૂર છે ત્યાં પણ જાય છે અને વેરાવલ આવવું હોય તે વેરાવલ પાછું અવાય છે.
બલેજા-અરેચા પાર્શ્વનાથજી. માંગરોળથી પોરબંદરની મોટર સડકે જતાં વચમાં બાર ગાઉ ઉપર બલેજાબરેચા ગામ છે. ત્યાં બલેજા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. પ્રતિમાજી વેળુનાં બનેલા છે. ઉપર લેપ છે. એક વાર કેટલાક વ્યાપારીઓ વહાણ લઈ અરબી સમુદ્રમાં પ્રયાણ કરી રહ્યાં હતાં એવામાં એકદમ તેમનાં વ્હાણ રોકાઈ ગયાં-થંભી ગયાં. થોડા સમયમાં સમુદ્રમાંથી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી નીકળ્યાં. સાર્થવાહાએ આ પ્રતિમાજી બરેચમાં મંદિર બંધાવી પધરાવ્યાં. પ્રતિમાજી ઘણા જ પ્રાચીન, ચમત્કારી અને મને હર છે. અજેને પણ ભક્તિથી પૂજે છે. આ રસ્તે શ્રાવકના ઘર ન હોવાથી માંગરોલ અથવા પોરબંદરથી પ્રાયઃ સંઘ અવારનવાર આવે છે. બલેજા ગામ તે તદ્દન નાનું છે.
માંગરેલમાં બે મંદિરે છે. તેમાં એકમાં તે શ્રી નવપલ્લવ પાર્શ્વનાથની મનહર પ્રાચીન મૂત્તિ છે. બીજામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે. માંગરોળનું પ્રાચીન નામ “મંગળપુર” છે. આ નગર ઘણું જ પ્રાચીન છે. અહીંથી સમુદ્રકિનારે ફક્ત ત્રણ માઈલ દૂર છે. મહારાજ કુમારપાલના સમયે અહીં મંદિર બન્યું
* જુઓ હીરસોભાગ્ય કાવ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com