________________
ગયાં. એથી મૂર્તિપૂજક સંપ્રદાયના યતિવર્ગમાં ભય પેઠે અને દેરાસર વગેરેને ટકાવી રાખવા માટે તપગચ્છની એકસઠમી પાટે થએલા શ્રી વિજયસિંહ સ્વામીના સમયમાં સંવત ૧૭૦૦ની લગભગમાં યતિવર્ગમાંથી કે ઢીલા સાધુ સમાજમાંથી અલગ થઈને શ્રી સત્યવિજયગણિ સ્વામીએ કિદ્ધાર કર્યો. હાલમાં તપગચ્છમાં એમની પરંપરાના વિજય શાખાના પીળા કપડાવાલા સાધુઓ મેજુદ છે. સત્યવિજય પછી પુરવિજય, ક્ષમાવિજય, જિનવિજય, ઉત્તમવિજય, અમીવિજય, કસ્તુરવિજય, મણિવિજય વગેરેની પરંપરા ચાલુ છે. ઓગણસાઠમી પાટે થએલા વિજયસેન સ્વામીના ગુરૂભાઈ સહજસાગર સ્વામીની પરંપરામાં અડસઠમી પાટે મયાસાગર સ્વામી થયા એમણે પણ શિથિલાચારમાંથી નીકળી કિદ્વાર કર્યો. એમની “સાગર” શાખા ચાલુ છે હમણાં તપગચ્છમાં મુખ્યત્વે “વિજય”, “વિમલ” અને “સાગર” શાખાના પીળા કપડાવાલા સાધુઓ વિચારે છે. તેઓ સાધુતા પાળવામાં અગાઉ કરતાં ઘણું જ ઢીલા થઈ ગયા છે.
ધર્મ સંશોધક શ્રી લંકા મહેતા અને એમને પ્રથમ હરેક રીતે ટેકો આપનાર શ્રી લખમશી મહેતાએ લેકને સં. ૧૫૩૧માં જાહેર કર્યું કે પિસ્તાલીશ આગમો કે સૂત્રમાંથી માત્ર બત્રીસ સૂત્રેના મૂળ પાઠજ વીતરાગ દેવની વાણી સ્વરૂપ છે. આ સૂત્રેના મૂળ પાઠમાં કઈ પણ સ્થળે વીતરાગ દેવે જીન પ્રતિમા પૂજવાની કેઈને માટે સ્પષ્ટ આજ્ઞા ફરમાવી નથી. તેમજ જીન