Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧] કુશન સમયના બ્રાહ્મી,લિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખા. [૨૩૯
તિલા......હરિ નન્દિની ભગિનીની આજ્ઞાથી સુતાર શ્રાવક અને શ્રાવિકા જિનદાસી રૂદ્રદેવા, દાત્તા ગાલા (ગામ)ની
રૂદ્રદેવસામી, રૂદ્ર.........ગ્રહમિત્ર.........કુમારશિર વમદાસી ( વામદાસી ), હસ્તિસેના, ગ્રહશિરી ( ગ્રહશ્રી ), રૂદ્રદત્તા, જયદાસી, મિત્રશિરિ......બિમ્બ ભરાવ્યું. આ લેખમાં કાટિગણુ, બ્રહ્મદસીય કુલ અને ઉચ્છનગરી શ!ખાના આ પુશિલની શિષ્યાની આજ્ઞાથી સુતાર શ્રાવિકાએએ બિમ્બ ભરાવ્યું.
કુશન સંવત ૪૮ની સાલની સંભવનાથની મૂર્તિ.
લકનાના સંગ્રહસ્થાનમાં આ મૂર્તિ જોવામાં આવી હતી. ઋધનનાથ, નેમિનાથ પાર્શ્વનાથ, મહાવીરસ્વામિ વિગેરેની મૂર્તિએ મથુરાના પ્રદેશમાંથી એક કરતાં વધુ સંખ્યામાં જડી આવી છે. પરંતુ સંભવનાથની આ એકજ મુર્તિ જડી આવી છે. સ્કાઇથીઅન સમયની મૂર્તિઓના સંબંધમાં ખાસ નેાંધ લેવા જેવુ એ છે કે તે મૂર્તિએ ઉપર લાંછન હતાં નથી તેથી એ લેખમાં આપ્યું હેય તેજ અમુક મૂર્તિ અમુક ભગવાનની છે એ કહી શકાય. અન્યથા તેના નિર્ણય કરવા અશકય છે. ચિન્હાયુકત મૂર્તિઓ કરવાની પ્રવૃતિ ઘણુ ંખરું કુશન સમય પછી થઇ હેાય એવું ભાસે છે.
અત્યાર સુધી કુશન સમયની જે મૂર્તિએ મલી આવી છે તે સર્વથા લાંછન વિરહિતજ છે. ચિન્હ સમેત જુનામાં જીની મૂર્તિ મા. સ્મીથને મળી આવી એજ છે. લેખ વિનાની તે મૂર્તિ છે, પરંતુ તેની રચના વિગેરે ઉપરથી તે ચતુર્થ અથવા પંચમ શતકની હાય એવું ધરાય છે. આ મૂર્તિના હસ્ત અને મસ્તક ખંડિત છે; સ્મૃતિ ધ્યાન મુદ્રામાં છે અને.બંને બાજુએ સિ હાથી ઉત્તભિત ગાદી ઉપર બીરાજેલી છે. મધ્યમાં ત્રિરત્નનુ ચિન્હ છે. આ ત્રિરત્નના ચિન્હની નીચે બે નાનાં ચક્રે આવેલાં છે અને ખતે બાજુએ એક હસ્તમાં પુષ્પ અને એક હસ્તમાં ચક્ર એમ ! અને પુરુષ ઉભેલાં છે. લેખ નીચે પ્રમાણે છે,
महाराजस्य हुवष्कस्य संबचरे ४०८ व. २ दि १०७ ए तस्यपुवायं कोट्टिये. (ગળે) નમવા
सीये कुले पञ्च नगरिये शाखाये धुजवलस्य शिशिनिये धुजशिरिये नि
वतना
बुधुकस्य वधुये शवत्रन (?) पोत्रिये यशायें दन संभवस्य प्रोतिमाप्र
तिस्तापिता
મહારાજ હવષ્ણુના ૪૮ વર્ષે વર્ષાં રૂતુના બીજા માસમાં ૧૭ મે દિવસે (ઉપર કહેલે દિવસે) શવત્રનની પોત્રી અને ખુષુકની વધુ યશાએ કાટ્ટિયગણુ બ્રહ્મદાસીયકુલ અને વજ્ર નગરી જ્ઞાખાની ધ્રુજવલની શિષ્યા ધ્રુજ શિરીની આજ્ઞાથી સભવનાથની મૂર્તિ બેસાડી. કાટ્ટિયગણુ, બ્રહ્મદાસીયકુલ અને વજ્ર નગરી શાખાની જશિરીએ આ પ્રતિમા યશા પાસે સંભવનાથની ખેસડાવી.