Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 325
________________ ૩૦૪] * લેન્ફરન્સ હેરલ્ડ. [અકબર વખતે નામદાર ઠાકોર સાહેબ પણ ચચાર કલાક હાજરી આપતા હતા. જીવદયાના ભાષણથી ઠાકોર સાહેબે તાલુકામાં જીવ હિંસા ન થવા દેવા બનતી મહેનતે બંધ કરવા કબુલત આપી છે. વળી ચેરી બાબત કેટલીક ચર્ચા સારી રીતે કરવામાં આવતાં ઠાકોર સાહેબ તથા સર્વ જનને ઉપદેશકે ખુશી કર્યા હતા. અહીંના ઠાકોર સાહેબ પિતે બેલેલા વચનને સારી રીતે પાળે તેવા છે. ઠાકોર સાહેબ કોન્ફરન્સને ધન્યવાદ આપે છે કે આવા ઉપદેશક વધારે શોધી કાઢવા ભલામણ કરે છે. તા. ૧૭-૮-૧૬ : દધાલીઆ દરબારશ્રીને પત્ર –નં. ૧૩૮ અમને જણાવતાં ઘણી ખુશી ઉપજે છે કે ઉપદેશક મી. વાડીલાલ તથા મી. પુંજાલાલે અહીં આવીને કન્યાવિક્રય તથા બીજા હિંદુજ્ઞાતિમાં ચાલતા આવેલા કઢંગા રીવાજે ઉપર જે બોધદાયક ભાષણ આપેલાં છે તે ઘણાં પ્રસંશા પાત્ર અને શીખામણ લેવા લાયક જણાયાં છે. તેથી અમે કોન્ફરન્સના આભારી થયા છીએ. તેમજ આવા પર પકારી ધંધામાં મી. વાડીલાલભાઈનો ઉત્સાહ જોઈ અમને તેમને તરફ ઘણે પ્રેમ ઉપજે છે. તેમજ તેમની કેળવણી અને માયાળુ વર્તણુંકે અમને ઘણી રેરી અસર કરેલી છે. તેઓ બહુ બાહોશ અને મેહેનતુ પુરતી રીતે જણાયા છે તેમના આ ઉત્તમ કાર્ય માટે અમે અમારે પૂર્ણ સંતોષ જાહેર કરતાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનો તથા વાડીલાલભાઈનો ઉપકાર માનીએ છીએ અને બનતાં સુધી તેમના આપેલા બોધને સદ્દઉપયોગ કરવા ચુકીશું નહીં. તા. ૧૬-૦૮-૧૧ અમરસિંહજી ઠાકર દધાલીઆ ટીંટોઈ જતીદારનું સરટીફીકેટ-મને લખતાં આનંદ થાય છે કે આ ગામમાં જૈન કોન્ફરન્સ તરફથી ઉપદેશક મ. વાડીલાલ સાંકળચંદનાં ભાષણ વખતે પ્રમુખ તરીકે કામ કરવાને વખત મને મળ્યો હતો. તેમણે તા. ૧૮-૮-૧૧ ની રાતના લગભગ ચાર કલાક જેટલે વખત કન્યાવિક્રયના વિષય ઉપર સારાં દ્રષ્ટાંતો સાથે ઘણું જ અસરકારક ભાષણ કર્યું હતું. જેના પરિણામે કેટલાએકોએ કન્યાવિક્રય નહીં કરવા બાધા લીધી હતી. તા. ૨૦ મીની રાતે કેળવ ળીને અભાવે થતાં નુકસાન સંબંધી વિવેચન થયું હતું. તે રાતે પણ મને પ્રમુખ સ્થાનને લાભ મળ્યો હતો. તે દિવસના વિવેચનમાં ધર્મ સંબંધી પણ કેટલીક ચર્ચા થઈ હતી. કેટલીક બાઈઓએ પરદેશી બંગડી નહીં પહેરવા, ફટાણું લગ્ન પ્રસંગે ન ગાવા, રડવાકુટવા નહીં જવા પ્રતિજ્ઞાઓ કરી હતી, તેમ પુરૂષ વર્ગે પણ તમાકુ, અફીણનાં નિષેધ વ્યસન છોડી દેવા કબૂલાત આપી હતી, અને ભ્રષ્ટખાંડ નહીં વાપરવા ઈચ્છાઓ જણાવી હતી. આવા ઉપદેશકોથી સંસાર સુધારા અને સંબંધીમાં ઘણું જાણવાનું મળે છે. એ સર્વ કેમ સમજતી હોય તેવું આ ભાષણો વખતની તમામ કેમના લોકની મોટી સંખ્યામાં હાજરી હતી તે સાબીત કરી આપે છે. તા. ૨૧ મીની સભા વખતે પણ હું હાજર હતા. તે વખતના વિષયમાં પણ મી. વાડીલાલે ઘણું સારું કામ બજાવ્યું છે. જેના પરિણામે અહીંની ન કોમમાં કુસંપ હતો છતાં કોન્ફરન્સ સુકૃત ભંડારનું કામ

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412