________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય બૌદ્ધ ધર્મ અહીં મૌર્યકાલથી અનુમૈત્રકકાલ સુધી સારી રીતે પ્રચલિત થયો હતા. તેમાં બુદ્ધો, બોધિસત્વ અને તારાઓની ઉપાસના થતી. જૈન ધર્મ મૌર્ય. કાલથી પ્રચલિત થયે. તે અદ્યાપિ પર્યંત લોકપ્રિય રહ્યો છે. એમાં તીર્થકરોનાં દેરાસર બંધાયાં છે. તેમાં તીર્થકરોની સાથે યક્ષ-યક્ષિણીઓની પ્રતિમાઓ પણ મુકાય છે. ગુજરાતમાં જૈન ધર્મમાં દિગબર, શ્વેતાંબર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે સંપ્રદાયો પ્રચલિત છે.
અનશૈત્રકકાલથી અહીં ઈરાનના જરથોસ્તીઓ આવી વસ્યા. તેઓ પારસી તરીકે ઓળખાય છે. તેમની અગિયારીઓ ઠેકઠેકાણે બંધાઈ છે. | મુસ્લિમોની વસ્તી અહીં અનુમૈત્રકકાલથી શરૂ થઈ. ગુજરાતમાં તેઓની સારી વસ્તી છે. અહીં શિયા, સુન્ની વગેરે સંપ્રદાય પ્રચલિત છે. અનેક ઠેકાણે મસિજદ બંધાઈ છે.
યહૂદીઓ અને ખ્રિસ્તીઓની સંખ્યા સારા પ્રમાણમાં અહીં જોવા મળે છે. અહીંના યહૂદીઓ મહારાષ્ટ્રમાંથી આવેલા છે. અમદાવાદમાં એમનું સિનેગેગ છે. ખ્રિસ્તીઓની મિશનરીઓ ગુજરાતમાં અનેક ઠેકાણે જોવા મળે છે. તેમાં કૅથલિક અને પ્રોટેસ્ટંટ એમ બે સંપ્રદાય વધારે લોકપ્રિય છે. બંને સંપ્રદાયનાં દેવળો અનેક ઠેકાણે બંધાયાં છે.
હિંદુ ધર્મને અર્વાચીન સુધારક સંપ્રદાયમાં, આર્યસમાજ ઠીક ઠીક પ્રચલિત થયા છે. પ્રાર્થનાસમાજ પણ ઠીક ઠીક પ્રચલિત થયેલે, પરંતુ હવે એની લોકપ્રિયતા રહી નથી. તાજેતરમાં સંતોષી માતા તથા ગાયત્રી માતાની ઉપાસના વધતી જાય છે. '
આધુનિક યુગમાં અહીં આંબેડકરની પ્રેરણાથી નવા બૌદ્ધોને સંપ્રદાય પણ પ્રચલિત થતા જાય છે.
ગુજરાતમાં જુદા જુદા સમયે અનેક પ્રજાઓ આવીને સ્થિર થઈ છે. આ વિદેશી પ્રજાઓમાંથી કેટલીક ભારતીય ધર્મો સ્વીકાર્યા હોવાથી આપણી સંસ્કૃતિ પર તેમના આચારવિચાર, પહેરવેશ, તથા જીવનમૂલ્યોની અસર સારા પ્રમાણમાં થઈ છે, તેનાથી આપણામાં વિવિધતામાં એકતાની ભાવના વિકસી છે.
પ્રાચીનકાળથી ગુજરાતમાં ધર્મનાં બે અંગ જોવા મળે છેઃ (૧) ઈષ્ટ ધર્મ, (૨) પૂર્ત ધર્મ. શ્રુતિ, સ્મૃતિ, પુરાણુ વગેરે ધર્મગ્રંથોમાં શ્રદ્ધા રાખવી તેમજ અગ્નિહોત્ર, તપ, વ્રત, જપ વગેરે ક્રિયા કરવી, એ ઈષ્ટ ધર્મ છે. કહિતાર્થે વાવ, કૂવા, સરોવર, દેવાલય, તળાવ, ફૂડ, ધર્મશાળા, રૂલ પરબડી, ઘાટ