Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 11
________________ માને છે. જૈનશાસ્ત્રોમાં પરંપરાગમ છે, તેને જો ન માનવામાં આવે, તો જૈનધર્મની ઘણી માન્યતાઓ નાશ થઈ જાય. પૂર્વાચાર્યોએ મંત્રપ્રવાદ પૂર્વમાંથી અનેક મંત્રોનો અનેવિદ્યાઓનો ઉદ્ધાર કરી, મંત્રકલ્પશાસ્ત્રોની રચના કરી છે. મંત્રપ્રવાદ અને વિદ્યાપ્રવાદ પૂર્વના અભ્યાસી એવા પૂર્વાચાર્યોએ અનેકદેવોના મંત્રોને બનાવ્યા છે અને તેથી તેમણે અનેક મંત્રકલ્પો રચ્યાં છે. હાલમાં જૈનશાસ્ત્રોમાં નવકાર મંત્રકલ્પ અનેક પ્રકારના મોજુદ છે. ઉવસગ્ગહરં મંત્રનો પણ કલ્પ હાલ મોજુદ છે.નાની શાંતિનો મંત્રકલ્પપણ મોજુદ છે. મોટી શાન્તીનો મંત્ર કલ્પ છે. સંતિકનો મંત્ર છે. તિજયપહરનમિઉણ અને ભક્તામરનો મંત્ર-યંત્રકલ્પ મોજુદ છે. શ્વેતાંબર અને દિગંબર જૈનો બંને ઋષિમંડલ મંત્રકલ્પને માને છે. જૈનાચાર્યો સૂરિ મંત્રની આરાધના કરે છે અને સૂરિમંત્રના યંત્રને પૂજે છે. ઉપાધ્યાયો વર્ધમાનવિદ્યાની આરાધના કરે છે. શ્રાવકો અષિમંડલ મંત્રની આરાધના કરે છે. અષ્ટોત્તરી શાંતિનાત્ર અને લધુશાંતિસ્નાત્ર કે જેની રચના તપાગચ્છના આચાર્યોએ શ્રી હીરવિજયસૂરિના સમયમાં કરી છે અને શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય, કે જે સારભેદી પૂજ, બાર ભાવના અને પ્રતિષ્ઠાકલ્પ, ધ્યાનદીપિકા આદિ ગ્રન્થોના રચયિતા છે, તેમણે પ્રતિષ્ઠાકલ્પમાં ઘંટાકર્ણ મંત્રને ગ્રહ્યો છે; તે પૂર્વ પરંપરાથી જાણવું તથા અન્ય તેમના ગુરુઓ- જગતગુરુ શ્રી હીરવિજયસૂરિ વગેરેના સમયમાં શાંતિસ્નાત્ર અષ્ટોત્તરી સ્નાત્રની રચનાની વ્યવસ્થા થઈ છે અને તેમાં નવગ્રહ પૂજન દશદિપાલપૂજન ચોવીશ તીર્થકરોના યક્ષ-યક્ષિણીઓના મંત્ર તથા તેઓનું પૂજન છે અને નવગ્રહાદિકને નૈવેદ્ય ધરવા વગેરેની વ્યાખ્યા છે અને પ્રતિષ્ટિત મંત્રકલ્પમાં ઘંટાકર્ણવીરની મંત્રયંત્રવાળી થાળી અને તેને સુખડી ધરાવવાની વિધિની પ્રકિયા આજ સુધી તપાગચ્છ જૈનોમાં પ્રવર્તે છે. *ઘંટાકર્ણકલ્પ-પાટણના ત્રીજા નંબરના ભંડારમાં ઠા. ફોકલીયા પાડાના આગલી શેરીનો ભંડારશા. હાલાભાઈની દેખરેખમાં છે. તેમાં તથા પુનાડેક્કન કોલેજના (એ.સોના જર્નલમાં) તથા સુરત જૈન આનંદ પુસ્તકાલયનાલીસ્ટમાં નંબર ૫૯૫-૧૯૯પુર્વાચાર્યોના લખેલાતૈયારપડયા છે. તપાગચ્છમાં દરેક પ્રતિષ્ઠામાં ઘંટાકર્ણયંત્રસ્થાપવામાં આવે છે. અમારા પૂર્વાચાર્યોએ, મુનિવરોએપ્રતિષ્ઠાકલ્પમાંઘંટાકર્ણવીરનીસહાયતા તથા માન્યતાને સ્વીકારેલી છે. તેથી અમો પણ અમારા પૂર્વાચાર્યોના પરંપરાગમને. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84