Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 59
________________ * 6 ૭ = = = $ * * * * * * * * * * * * * * * * જૈનાચાર્ય શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિજી કૃત શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજા અને જૈનવિધિ x = = = • = ૮ ૬ ૪ ૪ ૦ ૪ ૦ ૪ ૧ ૨ ૩ ૪ ૬ ૪ ૪ : શ્રી શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર તથા પ્રતિષ્ઠા પ્રસંગે પૂર્વાચાર્યો મુનિઓએ શ્રી ઘંટાકર્ણ મહાવીર મંત્રયંત્રની થાળી સ્થાપવાનું જણાવ્યું છે. અને તે પ્રમાણે વર્તમાનમાં પ્રવૃત્તિ થાય છે. તથા દેવ-પ્રતિષ્ઠા શાંતિ- સ્નાત્ર પ્રસંગે શ્રી ઘંટાકર્ણ મહાવીરના મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને સુખડી સહિત મંત્રની થાળી બાંધી સ્થાપવામાં આવે છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરની મહુડી (મધુપુરી) ગામમાં પદ્મપ્રભ જિનમંદિરની બહાર પ્રસાદ છે. તેમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ સ્થાપવામાં આવી છે. ઘણા ભક્તોના આગ્રહથી વીરની પૂજા તથા આરતી રચવામાં આવી છે. ગુરુગમપૂર્વક પૂજા ભણાવવી અને કરવી. શાસન રક્ષક વીર તરીકે પૂર્વાચાર્યોએ શ્રી ઘંટાકર્ણ મહાવીર મંત્ર કલ્પ બે ત્રણ જાતિના રચેલાં છે. કલિકાલમાં શાસન પ્રભાવક વીરના અનેક ચમત્કારો થાય છે. સમદ્રષ્ટિ વીર તેની સમ્યગૂદ્રષ્ટિઓને સ્વધર્મી તરીકે ભક્તિ કરવા યોગ્ય છે. પરમાત્મા મહાવીર દેવના ભક્ત રાગી વીરને સ્વધર્મ તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સહાય ઈચ્છવાની જેઓની ઇચ્છા હોય તેઓએ શ્રી ઘંટાકર્ણ મહાવીરની પૂજા આદિથી આરાધના કરવી. મિથ્યાત્વી દેવદેવીની સહાય ઈચ્છવા કરતાં સમ્યગ્દષ્ટિ સ્વધર્મી દેવ વીરની સહાય ઇચ્છવી તે વિશેષ ઉત્તમ ગીતાર્થ આચાર્ય મુનિ મંત્ર જ્ઞાતાઓની પાસે રહી મંત્ર, વિદ્યા, દેવોપાસના વગેરેનું રહસ્ય સમજવું. જેઓને ચાર નિકાયના સ્વધર્મી દેવાદિની સહાયાદિની ઈચ્છા ન હોય, તેઓને માટે તો વીરાદિનું પૂજન નથી ઈત્યાદિ સર્વ બાબત ગરુગમથી સમજવી. ૫૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84