Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 69
________________ સ્થાપિત કર્યા ગુર્જરીને દ્વાર રે, મધુપુરી, સ્વયં દરશન દીધાં વીર સદ્ગુરૂવર દેવને; પ્રસન્ન થયા વીર પ્રત્યક્ષ સદગુરુ દેવને; આપ્યા અણમોલાં વરદાન રે, મધુપુરી પ્રાણપ્રતિષ્ઠા કરી વિધિ વિધાન સાથે, વાસક્ષેપ પડે બુદ્ધિસાગરજીના હાથે, સંઘમાં કર્યો જેજેકાર રે, મધુપુરી, જિનવર મહાવીરના શાસનમાં પૂજાયે; પ્રતિષ્ઠા પ્રસંગે મંત્ર જાપ ક્લાયે, થાળી મંત્રી વેદિકા પર મૂકાય રે. મધુપુરી, શાન્તિ સ્નાત્રમાં પણ બન્ને બોલાયે, અષ્ટોત્તરી સ્નાત્રમાં વિધિ વિધાન થાય; સુખડીનો થાળ ધરી બેંચાય રે, મધુપુરી, સકલચંદજી ઉપાધ્યાયે પ્રતિષ્ઠા વિધિ બનાવી, તપગચ્છાધિપતિ હીરસૂરિશ્વરે અપનાવી, પરંપરા જૈનશાસનમાં પૂજાય રે, મધુપુરી, પ્રતિષ્ઠા વિધિમાં ઘંટાકર્ણ મંત્ર ગ્રહ્યો છે, પૂર્વાચાર્યોએ શાસન રક્ષક વીર કહયો છે, પૂર્વાચાર્યોનાં સિદ્ધ છે પરમાણ રે, મધુપુરી ચમત્કારી મૂરતિ દેશદેશોમાં પૂજાય છે, ઘરઘરમાં વીર તારા ગુણ ગવાય છે, સમ્યગદષ્ટિ દેવ વડો વીર રે, મધુપુરી, ડાબી બાજુ પડાપ્રભ ભગવાન છે, જમણી બાજુ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ છે; વચમાં ઘંટાકર્ણજીના રાજરે, મધુપુરી, આસો વદ ચૌદશ દિન હોમહવન થાય છે; વિધિ વિધાન સહિત ત્યાં મંત્રી બોલાય છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84