Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
પૂર્વાચાર્યો મોટા ભાગે મંત્રશાસ્ત્રોનો ભાગ તો ગુપ્ત રાખતા હતા. અને સ્વશિષ્યોને પણ લાયક જાણીને તેઓને ખાનગીમાં મંત્રનું હસ્ય આપતા હતા. મંત્ર શાસ્ત્રોને ભંડારમાં ગોઠવી રાખતા હતા કે જેથી તેનો અધિકાર પુરુષ તેનો ઉપયોગ કરી શકે.
સર્વદર્શનધર્મ શાસ્ત્રોમાં મંત્રશાસ્ત્ર વિભાગ છે. અને તેને સર્વ દર્શનધર્મવાળાઓ શ્રદ્ધાથી માન્ય કરે છે. જૈનો જૈનમંત્ર શાસ્ત્રોને અને શાસનદેવોના મંત્રોને માન્ય કરે છે અને જૈનશાસનના અધિષ્ઠાયકવીરદેવ, યક્ષ વગેરેને માને છે, પૂજે છે, કારણ તે સમ્યગૃષ્ટિ જૈન ધર્મી દેવતાઓ છે; તેથી તેઓને જૈનો સાધર્મિકબંધુ દેવ તરીકે માને છે.
જૈનોના સર્વ જૈનમંદિરો જુઓ. તેમાં શ્રી સિદ્ધસેનસૂરિકૃતિ પ્રવચનસારોદ્ધાર આદિ ગ્રંથોના આધારે મૂળનાયક તીર્થંકરના યક્ષયક્ષિણી વગેરેનું સ્થાપન હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે. બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારનાં શસ્ત્રધારક યલયહિણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલ હોય છે, આવો પ્રચાર પ્રાચીનકાળથી શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે.
ચક્રેશ્વરી, પખાવતી, અંબિકા, કાલી, માણિભદ્રવીર, ઘંટાકર્ણવીર, વિમલેશ્વર યક્ષ વગેરે નામો તો જૈનોનાં નાના બાળકો પણ જાણી શકે છે.
જૈનધર્મમહાપ્રભાવકસહસ્ત્રાવધાની શ્રી મુનિચંદ્રસૂરિએ સંતિકરની રચના કરી છે અને તેમાં દેવોની અને દેવિઓની સિદ્ધિ કરી છે. દેવો જો અને દેવિઓ સહાય ન કરતા હોય તો શ્રી ભદ્રબાહુ સ્વામી જેવા ઉવસગ્ગહર ના સ્તોત્રની રચના કરત જ નહીં.
શ્રી મહાવીર પ્રભુનમુનિદશામાં ઇન્દ્ર સહાય આપવા જણાવી હતી. હવે તે સહાય લેવી યા ન લેવીતે મરજી પર આધાર રાખે છે. સિદ્ધાર્થ વ્યંતરોએ મહાવીર પ્રભુનો મહિમા વધારવા પ્રવૃત્તિ કરી હતી.
શ્રીપાલરાજાએ સિદ્ધચક્ર મંત્રમંત્રની આરાધના કરી હતી, તેથી તેમને દેવોએ સહાય કરી હતી.
મંત્રમાં મેમેરિઝમ, હિપ્રોટીઝમ જેવી શકિત છે અને તે મંત્રના પ્રેય દેવો આવે છે અને સહાય કરે છે.
પૂર્વાચાર્યોની સ્થવિરાવલી કે પટ્ટાવલી કલ્પસૂત્રના પ્રાંત ભાગમાં છે. તેમાં પણ પૂર્વાચાર્યોએ અનેક શાસનદેવોની મદદથી અનેક ચમત્કારો બતાવ્યાના દૃષ્ટાંતો મોજુદ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org