Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
પ્રશ્ન-મરીચિએ ત્રિદંડીનો વેષ ધારણ ર્યો,તેણે ઋષભદેવ પાસે સાધુઓ કરવાને મનુષ્યો મોકલ્યા. પણ જ્યારે તે માંદો પડયો. ત્યારે તેની કોઈ સાધુએ સેવા કરી નહીં અને શ્રાવકોએ પણ સેવા કરી નહીં તેથી મરીચિએ કપિલને દીક્ષા આપી. તેમાં શ્રી ઋષભદેવના સાધુઓએ અને શ્રાવકોએ મરીચિની સેવા નહીં કરી તેથી તેઓની અવિવેક્તા ગણાય કે નહીં?
ઉત્તર - શ્રી 22ષભદેવ વીતરાગ સર્વજ્ઞ હતા, તેથી તે મરીચિની સેવા કરે નહીં. સાધુઓ પણ મરીચિથી ન્યારા રહેતા હતા અને વિહાર કરતા હતા તથા તે સાધુ - દીક્ષા સંયમી હતા અને મરીચિ સંયમથી પડી ગયા હતા.
મરીચિએ વર્ણશંકર વેષાચાર સ્થાપ્યો, તેથી સંઘને તે ગમ્યું નહીં, સાધુઓ વગેરે તેથી તેમની પાસે રહી સેવા કરી શકે નહીં તેમજ તેઓને દૂર રહેવાથી મરીચિની માંદગીની ખબર પણ ન હોય.
મરીચિએ સેવા કરાવવા માટે માંગણી ન કરી હોય, તથા મરીચિએ વનમાં રહેતા હતા અને તેમને આહાર પાણી લાવી આપવા તેતો સાધુ જેવાનું કાર્ય હોય છે, તેથી ગૃહસ્થ જૈનો આહાર વહોરાવી શકે પણ ભિક્ષા માગીને લાવી ન આપી શકે, તેથી શ્રાવકોનો અવિવેક ગણાય નહીં.
તે વખતના સાધુ અને શ્રાવકો ત્રજુ - સરલ અને જડ હતા અને પ્રભુ મહાવીરના સાધુઓ વક્ર અને જડ હતા. તેથી ઋષભદેવના સાધુઓ જુદાં વેષધારીની ખબર ન લેવા જાય, તેમાં તેનું પતિતપણું જાણી લક્ષ્ય ન આપે, તો તેથી કંઈ સાધુઓનો દોષ નથી તેમજ પ્રભુના ઉપદેશની ખામી નથી, તેથી તેવી ચર્ચાનો કંઈ અર્થ જ નથી.
પ્રશ્ન - હાલમાં કેટલાક સુધારક નામધારી શંકિત જૈનો, સાધુઓની જાહેર તેમજ ખાનગીમાં ગુપ્ત નામેનિંદા છાપે છે, છપાવે છે, અને ધર્મશાસ્ત્રોમાં શંકા ઉઠાવે છે, તેનું શું કારણ છે?
ઉત્તર - જૈનધર્મની બાબતમાં ધર્મગુરુઓ મુખ્ય હોય છે. ધર્મગુરુઓ જૂઠા સુધારા, વગેરે બાબતોમાં આડા આવે છે. નાસ્તિકોના નાસ્તિક વિચારોનું ખંડન કરે છે દારૂ, માંસ વાપરવાનો નિષેધ કરે છે ભંગીઓની સાથે ખાવાનું નહીં એમ ઉપદેશ આપે છે, તેથી વિરૂદ્ધ પ્રવત્તિવાળાઓ ધર્મગુરૂના દુમનો બની જાય છે અને તેઓની ઉપર જુઠાં આળ ચઢાવે છે તેઓ જાણે છે, કે સાધુઓ કોર્ટમાં જવાના નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org