Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
પ્રભુ મહાવીરદેવ તો સર્વ જીવોના સર્વ પરિણામોને સાક્ષાત જાણતા હતા. ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રનાં પુસ્તક વગેરે પુસ્તકો વાંચ્યાં હશે તેથી કંઈ (ગુરુગમ વિના) જૈનશાસ્ત્રોના જ્ઞાની કહી શકાય નહીં,
તેમને જૈનશાસ્ત્રોમાંની કેટલીક વાતો રુચે, તેથી કંઈ જૈન કહેવાય નહીં. તેમના નીતિના આચારો સારા હોય, તેમની પેઠે તો ખ્રિસ્તી મુસલમાનો પૈકી કેટલાકના સારા નીતિવાળા આચારો હોય, તેથી તે જૈનધર્મી ગણાય નહીં અને તેથી તેવા દયા, સત્યનીતિની પ્રવૃત્તિથી પ્રભુ મહાવીરની પેઠે સત્યના પ્રકાશક પણ તે કહેવાય નહીં.
આપણે જૈનો, ગાંધીજી વગેરે સર્વ મનુષ્યો સાથે શુદ્ધ પ્રેમથી મૈત્રી રાખી શકીએ, પણ તેમના વિચારો છે તે પ્રભુ મહાવીરનાં સત્યો છે, એમ કદાપિ માની કીએ નહીં
પ્રભુ મહાવીરદેવની પટ્ટપરંપરામાં આજ સુધી અનેક ત્યાગી વૈરાગી પંચ મહાવ્રતધારી અનેક ગુણી આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ અને સાધ્વીઓ થયા છે અને હાલ વિદ્યમાન છે, તેઓએ જ પ્રભુ મહાવીરદેવના સત્યોને પ્રકાશ્યાં છે અને હાલપ્રકાશે છે તેમના અનુયાયી નો જ પ્રભુ મહાવીરનાં સત્યોને જૈનશાસ્ત્ર અનુસારે પ્રકાશી શકે છે, તેથી રૂપાંતરે બીજાં સત્યો નથી. તેથી ગાંધીજી તે જ રૂપાંતરે પ્રકાશી શકે નહીં, અને પ્રભુ મહાવીરનાં સત્યોને જ જો તેઓ પ્રકાશે છે એમ માનો છો, તો તે સત્યોને આપણા સાધુઓ દરરોજ કહે છે, તેમાં ગાંધીજી વિશેષ કહી શકવાના નથી.
ગાંધીજી જો પ્રભુ મહાવીરદેવનાં સત્યોને જ પ્રકાશે તો જૈનશાસ્ત્રોથી ભિન્ન ન હોવા જોઈએ પણ તેઓની જે હીલચાલ પ્રવૃત્તિ છે. તેમાં કઈ શ્રાવક ધર્મની અથવા સાધુધર્મની પ્રવૃત્તિ જૈનશાસ્ત્રો પ્રમાણે ઉપદેશ વગેરે દેખાતો નથી. તેથી પ્રભુ મહાવીર પ્રભુની પેઠે રૂપાંતરે ગાંધીજીએ સત્યતત્વો પ્રકાશ્યાં છે, એવું કહેવું તે સમજફેર છે.
જૈનોએ તો ગીતાર્થ ગુરૂ આચાર્યો અને સાધુઓને અને જૈનશાસ્ત્રોને અવલંબી ચાલવું જોઈએ, એમ ચાલવામાં જ જૈનોનું જૈન ધર્મરૂપ સ્વરાજ્ય જીવશે, અન્યથા તેઓ જૈનધર્મથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વી બની જશે એક વાર જો જૈનો ગીતાર્થ ગુરૂઓની શ્રદ્ધા ખોઈ બેઠાં તો તેઓ મિથ્યાત્વના કૂપમાં પડી જવાના.
પ્રભુ મહાવીરદેવની પટ્ટપરંપરાએ સર્વ સત્ય તત્ત્વો આજ દિન સુધી જૈનશાસ્ત્રના આધારે ચાલ્યાં આવે છે, તેથી આપણે સત્યોની પ્રાપ્તિ માટે અન્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org