Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
કાબાઓએ લૂંટયા.અર્જુન બાણાવળી ગણાતો હતો તો પણ તેનું બાણ કાર્ય કરી શક્યું નહીં અને ગોપીઓએ કહ્યું કે દ્રૌપદી અર્જુન વગેરેને સહાય કરનાર કૃષ્ણાસહાયે આવીપણકૃષ્ણ આવ્યા નહીં અને ગોપીઓને કાબા પોતાના ઘરમાં લઈ ગયા.
હિંદ વિ.સં.૧૯૭૮માં ગાંધીજીનું રાગી હતું, તો પણ સરકારે ગાંધીજીને અશુભ કર્મના ઉદયથી કેદમાં નાખ્યા અને શુભ કર્મોદય થયો ત્યારે કેદમાંથી છૂટયા, તેમાં શુભાશુભકર્મોદય સુખદુઃખ ફળમાં દેવો,મનુષ્યો વગેરે જીવો નિમિત્ત હેતુ થાય છે.
એવા કર્મના સનાતન સિદ્ધાંતને જૈન, હિંદુઓ, બૌદ્ધો માન્ય કરે છે.તે પ્રમાણે ચારનિકાય દેવો પણ અન્ય જીવોને સુખદુઃખમાં નિમિત્ત કારણ બને છે. એમ જણાવીને હવે દેવો ભક્તોને ભક્તોના કર્માનુસારે સહાય કરનાર થાય છે, તે વાત જૈનશાસ્ત્રોના આધારે જણાવું છું.
ત્રિષષ્ટીશલાકાપુરુષ ચરિત્રમાં જુઓ,શ્રી કૃષ્ણ અઠ્ઠમતપ કરીને દેવની આરાધના કરી અને દેવપ્રત્યક્ષ થયો. ભરત ચક્રવર્તીએ અઠ્ઠમતપ કરીદેવપ્રત્યક્ષ કર્યો.
રાવણે વિદ્યાની સાધના કરી ને તેને વિદ્યાઓ સિદ્ધ થઈ. પૂર્વભવના રાગથી વજસ્વામીને તેના મિત્રદેવેવિદ્યાઓ આપી. શ્રી હેમચંદ્રાચાર્યેગિરનારમાં દેવીની આરાધના કરી તે દેવીએ વરદાન આપ્યું.
શ્રી વિમળશાહ દંડનાયકે કુંભારીયામાં અંબિકાદેવીની આરાધના કરી અને વિમળશાહને અંબિકાદેવીએ રાજ્ય કરવામાં તથા દેરાસર બંધાવવામાં સહાય કરી.
શ્રી પ્રિયગુસૂરિએ બોકડામાં અંબિકાદેવીને ઉતારી બોલાવી પશુયશ બંધ કર્યો. શ્રીકૃષ્ણને દેવે રોગ હરનારી ભેરી આપી.
શ્રી ત્રેવીસમા તીર્થંકર પાવૅનાથ ભગવાનને કમઠ - મેદમાલદેવે ઉપસર્ગ કર્યો, ત્યારે ધરણેન્દ્રદેવે અને પદ્માવતીએ આવીને સહાય કરી; એમ કલ્પસૂત્રમાં જણાવ્યું છે.
હિરવિજયસૂરિને શાસનદેવોની સહાય હતી. શ્રી જિનદત્તસૂરિને શાસનદેવોની સહાય હતી.
ઉત્તરાધ્યયન સૂત્રમાં હરિકેશી ચંડાલ સાધુ થયા, તેમને યજ્ઞશાળામાં ભીખ માગતાં બ્રાહ્મણો મારવા ઉઠયા. ત્યારે યક્ષે પ્રગટ થઈને હરિકેશીને સહાય કરી.
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org