________________
પેદા થાય તેના કારણે આ કાર્યથી આટલું નુક્શાન થશે એમ પણ જાણતો હોય છતાં અયોગ્ય સમજીને અથવા આપણો અધિકાર નથી એમ સમજીને કહે નહિ પણ ઉપેક્ષા ભાવ સેવે તા તે આ પહેલી માધ્યસ્થ ભાવનાનું લક્ષણ કહેવાય છે. જેમ કે દાખલા તરીકે કોઇ જીવ દેવની ભક્તિ કરે છે. એ સેવા પૂજા જે રીતે કરવી જોઇએ એ રીતે કરતો ન હોય, આપણે જોઇએ છીએ પણ કોઇ પરિચયમાં એ ભાઇ નથી તો તે વખતે મૌન ધારણ કરવું. ઉપેક્ષા ભાવ સેવવો તે આ ભાવનામાં આવે. (૨) અનુબંધા લોચારી ઉપેક્ષાઃ
ભવિષ્યમાં શું પરિણામ થવું સંભવિત છે એમ વિચારી કોઇ અમુક પ્રવૃત્તિ કરે તેને અટકાવવામાં યત્ન ન કરતાં જેમ કરે તે કરવા દે તે.
કોઇ જીવોની કોઇ કોઇ પ્રવૃત્તિ જોતાં એ પ્રવૃત્તિ પૂર્ણ થયે શું પરિણામ આવવાનું છે. એ જાણતો હોય, કેટલીકવાર સારું પરિણામ પણ આવવાનું હોય અને કેટલીક વાર ખરાબ પરિણામ આવવાનું હોય તેમાં આ પ્રવૃત્તિથી ખરાબ પરિણામ આવવાનું છે એમ ખબર હોય છતાંય, એ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયત્ન ન કરે અને ઉપેક્ષા કરે બોલે જ નહિ અને જેમ બનવાનું હોય તેમ બનવા દે તે આ બીજી ઉપેક્ષા ભાગરૂપે માધ્યસ્થ ભાવનું લક્ષણ (ભેદ) કહેવાય છે. એવી જ રીતે જીવો ભૌતિક સુખની સામગ્રીમાં મજાથી આનંદ ચમન કરતાં હોય એના પરિણામને એટલે એનાથી દુ:ખની પરંપરા સર્જાશે એમ જાણતા હોય છતાં યોગ્યતા ન લાગે માટે ઉપેક્ષા સેવે તે પણ આ ભાવનાના ભેદમાં આવે છે. (3) નિર્વેદ જન્ય ઉપેક્ષા :
સર્વ સુખ ભોગવી શકે તેવા સંયોગમાં હોય છતાં નિર્વેદથી તેનું પરિણામ જોઇ શકે અને તે સુખની ઉપેક્ષા કરે છે. આમાં પણ જીવને નિર્વેદ એટલે સુખમય સંસારથી ભાગી છૂટવાનું મન હોય છે કારણકે એસુખની સામગ્રી એને જેલ જેવી લાગે છે. આથી આવી જેલથી ક્યારે છૂટાય એવી ભાવનામાં રહેતો હોય છે એના કારણે જે જીવોને આવી જેલમાં રહેલા જૂએ છે એટલે તેમના અજ્ઞાનના કારણે કરૂણા એટલે દયા આવે છે તે દયાના કારણે એ જીવોને છોડાવવાનું મન થાય છે છતાં પણ યોગ્યતા ન જોવાથી ઉપેક્ષા ભાવ પેદા કરીને મૌન રહે છે એ આ બીજા લક્ષણમાં આવે છે. (૪) તત્વસારા ઉપેક્ષા :
સુખ-દુ:ખ કેવી રીતે થાય છે તેનો વિચાર કરી પોતાથી અન્ય સર્વ પ્રાણીઓને કાંઇપણ સુખ દુઃખ ન થાઓ એવી ઇચ્છાથી થયેલી ભાવના તે ચોથી કહેવાય છે.
અપુનબંધક દશાના પરિણામને પામેલો જીવ નિર્ભયતા ગુણને પેદા કરીને એની સ્થિરતાથી. મૈત્રી-પ્રમોદ-કારૂણ્ય ભાવના પેદા કરી માધ્યસ્થ ભાવનામાં હવે એને આંશિક સાચા સુખની અનુભૂતિ થયેલી છે એના કારણે વિચાર કરે છે કે જગતમાં સુખ અને દુઃખ આપનાર કોઇ નથી સુખ અને દુ:ખ જીવોને પોતાના કર્મના અનુસાર પેદા થાય છે. આપણે કોઇ જીવને નિમિત્ત ભૂતા થઇએ તો તેનાથી સામા જીવને સુખ દુઃખ થાય છે. કોઇ કોઇના નિમિત્તોથી જીવો સુખી અને દુ:ખી
Page 28 of 197