________________
સમ્યફ ચારિત્ર રૂપ બનતું નથી અને એના વિના તપ પણ સમ્યફ તપ તરીકે ઓળખવાને અગર ઓળખાવાને લાયક બનતો નથી. જ્ઞાન ધર્મશાસ્ત્રોનું હોય; તો પણ, એ જ્ઞાનને ધરનારો આત્મા છે સમ્યકત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ શાસ્ત્રજ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી; અને એથી, એ આત્માનું એ જે શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાનની કોટિનું ગણાય છે. એ જ રીતિએ, ચારિત્ર પણ ભગવાને બતાવેલા ચારિત્રના આચારોના આચરણ રૂપ હોય, તો પણ એ ચારિત્રાચારોનું પાલન કરનારો આત્મા જો સમ્યક્ત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ ચારિત્રાચારોનું પાલન સમ્યક્રચારિત્રની કોટિનું ગણાતું નથી, પણ કાયકષ્ટાદિની ઉપમાને યોગ્ય ગણાય છે. અને, એવી જ રીતિએ તપ, તપ પણ ભગવાને બતાવેલા અનશનાદિ પ્રકારોના આસેવન રૂપ હોય, તોપણ એ અનશનાદિ તપનું આસેવન કરનારો આત્મા જો સમ્યકત્વને પામેલો ન હોય, તો એ તપ એ આત્માનાં કર્મોને તપાવનારું બનતું નથી, પણ આત્માને સંતપ્ત બનાવવા આદિ દ્વારા એ તપ એ આત્માના સંસારની વૃદ્ધિનો હેતુ બની જાય છે અને એથી એ આત્માના એ તપના આસેવનને પણ સમ્યફ કોટિના તપમાં ગણવામાં આવતું નથી. જ્યારે સમ્યકત્વનો એ પ્રભાવ છે કે-એની હયાતિમાં જ્ઞાન એવી રીતિએ આત્મામાં પરિણમે છે કે જેથી એ જ્ઞાન સમ્યજ્ઞાન ગણાય,ચારિત્રનું પાલન એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ ચારિત્રનું પાલન સમ્યક્ ચારિત્ર ગણાય અને તપ પણ એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ આત્માને વળગેલાં કર્મ તપે, કર્મની નિર્જરા થાય અને એ હેતુથી એ તપ સમ્યક તપની કોટિનું ગણાય. સખ્યત્વની સન્મુખ દશાને પામેલાને પણ જ્ઞાન-ચારિત્ર-તપથી લાભ થાય :
આ સમ્યકત્વ ગુણનો આવા પ્રકારની મહત્તા જે જીવના સાંભળવામાં આવે અને એ જીવ જો એટલું પણ માનતો અને સમજતો હોય કે- “શાએ આ કહ્યું છે ને શાસ્ત્ર કદી પણ ખોટું કહે નહિ.” તો એ જીવને સમ્યકત્વ પામવાનું મન થયા વિના રહે ખરૂં? “મારે મારા આત્મામાં આ ગુણ પ્રગટે એવું કરવું જોઇએ.” -એવું એના દિલમાં ઉગ્યા વિના રહે ખરું? હવે એવું જે જીવના મનમાં ઉગ્યું, તે જીવ સમ્યકત્વ ગુણની મહત્તાને વર્ણવનારા શાસ્ત્રનું અથવા તો એ સમ્યકત્વને પામવાના ઉપાયોને પ્રરૂપનાર જ્ઞાની ભગવન્તોએ કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન સંપાદન કરવાનો પુરુષાર્થ આદરે ને ? કેમ કે-એને સમ્યકત્વ પામવું છે; એટલે, એ સમ્યકત્વને પામવાના શાએ જે જે ઉપાય બતાવ્યા છે, તે એને જાણવા છે; અને, એ ઉપાયોને જાણીને એ ઉપાય એને આચરવા છે. આવા પ્રકારની મનોવૃત્તિથી એ જીવ જે જ્ઞાન મેળવે, તે જ્ઞાન એ જીવને સમ્યક રૂપે પરિણમવા માંડે ને ? એ જ રીતિએ, સમ્યક્ત્વ ગુણને પામવાની ભાવનાથી એ જીવ જો ચારિત્રનું પાલન કરવા માંડે અથવા તો અનશનાદિ તપનું આસેવન કરવા માંડે, તો એ ચારિત્ર અને એ તપ પણ એ જીવને ક્રમશઃ સમ્યક કોટિન લ આપનાર બને ને ? આપણે જે “સમ્યકત્વને પામવાની ઇચ્છાવાળા જીવને પણ લાભ થાય છે.” -એમ કહીએ છીએ, તે આ અપેક્ષાએ કહીએ છીએ. જ્યારે ને ત્યારે જે જીવ સમ્યકત્વ પામવાનો, તે જીવ સમ્યકત્વ પામતાં પૂર્વે મિથ્યાદ્રષ્ટિ જ હોવાનો ને? મિથ્યાદ્રષ્ટિ એવો પણ એ જીવ, પોતાને સમ્યક્ત્વ પમાડે એવા પરિણામનો સ્વામી બન્યા વિના તો સમ્યક્ત્વ પામવાનો નહિ જ ને ? એટલે, ઉપદેશાદિના શ્રવણથી અગર તો સ્વાભાવિક રીતિએ પણ જીવ સમ્યકત્વની સન્મુખ
Page 79 of 197