________________
ખરી વાત તો એ છે કે-શ્રી જિનની પાસે જનારાઓને મોટે ભાગે આ પ્રકારનું વિનયાચરણ કરવાનો ખ્યાલ પણ નથી. રાજા અને ભગવાન:
રાજાની અને ભગવાન શ્રી જિનેશ્વરદેવની તો સરખામણી થઇ શકે તેમ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવ તો સંસારના સર્વ યોગ્ય જીવોના ત્રણે કાળના યોગ-ક્ષેમને કરનારા નાથ છે. રાજા તો આપી આપીને પણ શું આપે ? અના રાજ્યથી વધારે આપવાની શક્તિ તો એનામાં નથી ને ? રાજા જે કોઇ એની ભાવથી સેવા કરે, તેના ઉપર, પ્રસન્ન જ થાય અને પ્રસન્ન થઇને પણ તે ઇચ્છિત આપી
એવો નિયમ નથી. તમે રાજાની ગમે તેટલા સારા ભાવથી સેવા કરી હોય, પણ રાજાના મગજમાં જો ઉંધું ભૂસું ભરાઇ જાય, તો ગમે તેવા સારા સેવકને પણ એ ચગદી નાખે. રાજા કદાચ પ્રસન્ન થાય અને કદાચ ઇચ્છિત પણ દઇ દે, તોયે તે તમારી પાસે જીંદગીભર રહેશે તેની ખાત્રી નહિ અને કદાચ તે જીંદગીભર રહે તોય તે અહીં રહે અને તમારે હાલતા થવું પડે. જ્યારે ભગવાન શ્રી. જિનેશ્વરદેવની સેવા જ ભાવપૂર્વક કરી હોય, તો તે કદી પણ નિષ્ફળ જાય નહિ. એ તારકની સેવાના પ્રતાપે ઉત્તરોત્તર અભ્યદય જ થાય. એ તારકની સેવા ભાવપૂર્વક કરનારનો આ લોક અને પરલોક ઘણો સારો હોય અને અન્ત તો એ શ્રી જિનપૂજા, શ્રી જિનસેવકને, શ્રી જિનના જેવા જ પરમ સ્વરૂપને પમાડ્યા વિના પણ રહે નહિ. અજોડ ઉપકર અને અજોડ પૂજાફલઃ
જેમનો ઉપકાર એવો છે કે બીજાનો ગમે તેવો મોટામાં મોટો ઉપકાર પણ જેની હરોલમાં આવી શકે નહિ તેમજ જેમનો ઉપકાર એવો સર્વવ્યાપક છે કે-બીજા ગમે તેવા સમર્થથી પણ એવો સર્વવ્યાપક ઉપકાર થઇ શકે નહિ અને જેમની પૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો પૂજક આ લોકમાં પણ સમાધિસુખને પામે, પરલોકમાં પણ ગૌરવપૂર્ણ ભોગોને પામે અને અને અક્ષયસુખને પામે-આવા ઉપકારી અને સેવકને આવા ફ્લની સેવકના જ સદ્યોગોથી પ્રાપ્તિ કરાવનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સર્વ આદર પૂર્વક સેવા કરવાની પ્રેરણા કોને કરવી પડે ? ભુલેચૂકે પણ એનો અનાદર થઇ જાય નહિ, એની કાળજી રાખવાનું કોને કહેવું પડે ? જે આત્માને એ તારકની પિછાન
ઇ હોય, તેને તો સ્વાભાવિક રીતિએ જ એમ થાય કે- ‘આવા ઉપકારિની મારે સંર્વાદર પૂર્વક જ સેવા કરવી જોઇએ.” એને જો કોઇ એમ કહે કે- “ભગવાન શ્રી જિનેશ્વરદેવની સેવા સવ કરવી જોઇએ.” -તો એ વાત ઝટ એને ગળે ઉતરી જાય. એને એમ જ થાય કે- “બરાબર છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવનું દર્શન, એ તારકનું પૂજન અને એ તારકને વન્દન આદિ સઘળુંય સર્વાદરપૂર્વક જ કરવું જોઇએ.” જેમનો ઉપકાર એવો છે કે આપણે જો કૃતજ્ઞ હોઇએ, એ ઉપકાર જો આપણને સમજાયો હોય અને એ ઉપકારને આપણે જો ધ્યાનમાં રાખીએ, તો આપણા ઉપરના ભગવાન શ્રી જિનેશ્વરદેવોના અનુપમ, અજોડ અને જેનો બદલો વાળી શકાય તેમ છે જ નહિ-એવા ઉપકારના સ્મરણાદિ તરીકે પણ આપણે સદરથી પૂજા કરવી જોઇએ. એ પૂજાનું આપણને કાંઇ પણ ફ્લ મળે તેમ ન હોય, તો પણ આપણે કૃતજ્ઞ હોઇએ, તો આપણે તે કર્યા વિના રહી શકીએ નહિ; જ્યારે અહીં તો પૂજાથી ફ્લ પણ અજોડ જ મળે છે, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોને માનવાનો દાવો કરનારાઓ જો પોતે ગૃહસ્થાવાસમાં હોવા છતાં પણ એ તારકોની સર્વાદરથી.
Page 106 of 197