Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 149
________________ (૩) ક્ષાયિક સમ્યકત્વ મનુષ્યગતિ સિવાય અન્યત્ર કોઇ પણ ગતિમાં સ્વભવનું હોતું જ નથી. વિશેષમાં સાત નરકો પૈકી છેલ્લી ચાર નરકના જીવોને તેમજ સંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને તથા ભવનપતિ, વ્યત્તર અને જ્યોતિર્ક-એ ત્રણ પ્રકારના દેવતાઓને ક્ષાયિક સમ્યકત્વ હોતું નથી એવો નિયમ છે. આથી કરીને પ્રથમથી ત્રણ નરકભૂમિના જીવોનું તેમજ વૈમાનિક દેવનું ક્ષાયિક સમ્યક્ત્વ પરભવનું સમજવું. અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને તેમજ તેવા તિર્યંચોને પણ પરભવનુંજ ક્ષાયિક સમ્યકત્વ હોય છે એવો નિયમ છે. આથી સંખ્યય વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોને સ્વભાવનું અને પરભવનું-એમ બન્ને પ્રકારનું ક્ષાયિક સમ્યક્ત્વ સંભવે છે. ક્ષાયિક સમ્યવી કઇ ગતિમાં જાય ? પ્રસંગોપાત એ વાત વિચારવામાં આવે છે કે-ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કર્યા પછી તે મનુષ્ય કઇ ગતિમાં જાય છે ? આ પ્રગ્નનો વિચાર કરતાં પહેલાં એ જાણવું આવશ્યક છે કે-ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, તે પૂર્વે આગામી ભવનું આયુષ્ય બંધાઇ ગયું છે કે નહિ ? જો આવું આયુષ્ય બંધાઇ ગયું હોયતો તો જે ગતિના આયુષ્ય સંબંધી બંધ થયો હોય તે ગતિમાં જવું જ પડે, અને તે પણ બીજી કોઇ ગતિ નહિ પણ ત્રણ નરક, વૈમાનિક દેવગતિ અને અસંખેય આયુષ્યવાળી મનુષ્ય-તિર્યંચ ગતિમાંનીજ કોઇ પણ ગતિ સમજવી અને જો પરભવનું આયુષ્ય ન બંધાયું હોય, તો તો ક્ષાયિક સમ્યકત્વધારી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-એ ચારે ગતિઓને સદાને માટે જલાંજલિ આપીને સર્વોત્કૃષ્ટ પંચમગતિને અર્થાત તેજ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરે. ક્ષાયિક સખ્યત્વી કેટલા ભવમાં મોક્ષે જાય ? આપણે ઉપર જોઇ ગયા તેમ જ પરભવના આયુષ્યનો બંધ થયો ન હોય, તો તો તેજ ભવમાં ક્ષાયિક સમ્યકત્વધારી મોક્ષે જાય, નહિ તો જે ભવમાં આ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય, તે ભવથી ઘણુંખરૂં તો ત્રીજે ચોથે ભવે જરૂરજ મોક્ષે જાય અને કવચિત્ પાંચમે ભવે પણ જાય, પરંતુ આથી વિશેષ ભવો તો તેને નજ કરવા પડે એ નિ:સંદેહ વાત છે. છેક પાંચમે ભવે મુક્તિ-રમણીને વરનારા તરીકે શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ વાસુદેવ અને દુષ્પસહ સૂરિજીના બે ઉદાહરણો મોજુદ છે. દુપ્રસહસૂરિના પાંચ ભવોઃ એતો જાણીતી વાત છે કે- દુષ્ણસહસૂરિ પૂર્વભવીય ક્ષાયિક સમ્યકત્વ યુક્ત આ વર્તમાન પંચમ આરાના અંતમાં દેવલોકમાંથી ચ્યવીને અત્ર ઉત્પન્ન થનારા છે અને અહીંથી કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં અને ત્યાંથી પાછા મનુષ્ય તરીકે ઉત્પન્ન થઇ મોક્ષે જનાર છે. વિશેષમાં આપણે જોઇ ગયા તેમ મનુષ્યભવમાં જ આ ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ સંભવે છે, તો દેવલોકમાંથી ચ્યવીને દુષ્પહસૂરિ તરીકે જન્મ લેનારા તે આચાર્યો, દેવલોકમાં ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિ નહિ હોવાને લીધે તે ભવની પૂર્વેના ભવમાં અને તે પણ મનુષ્ય તરીકેનાજ ભવમાં ઉપાર્જન કરવું હોવું જોઇએ : અર્થાત (૧) આ મનુષ્ય તરીકેનો ભવ, ત્યાર બાદ (૨) દેવ તરીકેનો, ત્યાર પછી (૩) મનુષ્યનો (૪) પછીથી દેવનો અને અંતમાં (૫) મનુષ્યનો એમ તેમના પાંચ ભવો છે. શ્રી કૃષ્ણ વાસુદેવના પાંચ ભવો : Page 149 of 197

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197