Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 161
________________ ઘનસમયને આપવામાં આવેલાં પાંચ વિશેષણોમાંથી પહેલું વિશેષણ એમ સૂચવે છે કે-સુમુનિ, એ રાગના પ્રસરને હણનારા હોય છે. સુમુનિ રાગના પ્રસ૨ને હણનારા હોય, એ વાત શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં તો સુપ્રસિદ્ધ જ છે. રાગના પ્રસરને હણવો, એનું જ નામ સાચા અર્થમાં વૈરાગ્ય છે અને વૈરાગ્ય વિના સુમુનિપણું સંભવતું નથી એ નિર્વિવાદ વાત છે એટલે વૈરાગ્યથી ભરેલા સુમુનિ રાગના પ્રસરને હણનારા હોય, એ વાતમાં શંકાને અવકાશ જ નથી. સુમુનિ અને રાગનો સેવક અથવા તો રાગનો પ્રસર વધે એવી પ્રવૃત્તિ કરનાર, એ વાત સંગત જ નથી. રાગમાં રમનારો મુનિવેષમાં હોય એ હજુ સંભવિત છે, પણ રાગમાં રમનારો સુમુનિ હોય એ વાત સંભવિત નથી જ. સુમુનિ તો રાગના પ્રસરને હણનારા જ હોય. રાગ, એ આત્માનો કારમો શત્રુ છે. રાગ જાય એટલે દ્વેષ રહી શકતો જ નથી અને જ્યાં રાગ-દ્વેષ ગયા એટલે જોતજોતામાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય છે. આથી કલ્યાણના અર્થિઆએ રાગને કાઢી વીતરાગતા પ્રાપ્ત કરવાને માટે, રાગના પ્રસરને હણવાના કાર્યમાં તત્પર બનવું જોઇએ. રાગના પ્રસરને હણનારા આત્માઓ પ્રયત્ન કરતે કરતે વીતરાગતાને, સર્વજ્ઞતાને અને છેવટ પરિપૂર્ણ મુક્તતાને પણ પામી શકે છે : જ્યારે રાગની આધીનતામાં ફસાએલા આત્માઓને માટે તો સંસારમાં જ રૂલવાનું હોય છે. આમ પહેલું વિશેષણ સુમુનિને જેમ ‘રાગના પ્રસરને હણનાર’ તરીકે જણાવનારૂં છે, તેમ ઘનસમયને ‘રાજયાત્રાને અટકાવનાર’ તરીકે સૂચવનારૂં છે. વર્ષાસમયે રાજયાત્રા બંધ રાખવી પડે તે સ્વાભાવિક છે ઃ કારણ કે-રાજાઓ પણ વર્ષાને અટકાવવાને માટે શક્તિમાન બની શકતા નથી. હતરાગપ્રસર અને હતરાજપ્રસર-એમ બે અર્થોને સૂચવીને અહીં કેવી સુન્દર રીતિએ સુમુનિનું અને વર્ષાસમયનું વર્ણન કરવામાં આવ્યું છે ? બહુ સુન્દર વાત કહી. સ. એવી જ રીતિએ બાકીનાં ચાર વિશેષણો દ્વારા પણ સુમુનિ અને ઘનસમય-ઉભયનું એકી સાથે વર્ણન કરવામાં આવ્યું છે. રજને શમિત નાર : બીજું વિશેષણ એવું છે કે-તે રજને શમિત કરનાર હોય છે. વરસાદ ધૂળને શમાવે છે અથવા દબાવે છે, એ વાત તો તમને સમજાવવી પડે તેમ છે નહિ. હવે એ વાત સુમુનિને કેવી રીતિએ ઘટે છે એ જોઇએ. સુમુનિને અંગે આ વાત કર્મને આશ્રયીને વિચારણીય છે. બધ્યમાન કર્મને, બ કર્મન અથવા તો એર્યાપથ કર્મને રજ કહેવાય છે. રાગના પ્રસરને હણનાર સુમુનિ, આ પ્રકારની રજને યોગ્યતા અને શક્યતાના પ્રમાણમાં મિત કરનાર હોય એ સહજ છે. વૈરાગ્ય રસમાં ઝીલતા મુનિવરો અશુભ કર્મોને બાંધે નહિ અને પૂર્વબદ્ધ અનેક કર્મોને ખપાવે, એમાં નવાઇ પામવા જેવું કાંઇ છે જ નહિ. વીતરાગ એવા પણ મુનિ ખપાવવા લાયકને ખપાવે છે. આત્માને પા૫૨જથી બચાવવાની અને પૂર્વે લાગેલ પાપરાજથી મુક્ત બનાવવાની સુમુનિઓની કાળજી હોય જ છે, એટલે સુમુનિઓને ‘રજને મિત કરનારા’ તરીકે પણ યથાર્થપણે જ વર્ણવી શકાય તેમ છે. સુમુનિઓ મલિન વસ્ત્રોવાળા હોય છે અને ઘનસમય મલિન આકાશવાળો હોય છે ઃ સુમુનિ જેમ પાપરજને મિત કરનાર હોય છે, તેમ ઘનસમય માર્ગની ધૂળને શમાવનાર હોય છે-એ Page 161 of 197

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197