________________
વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ સદહતું તે સમ્યગદર્શન છે. એ સમ્યગદર્શન બે પ્રકારે શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશ્ય છે. એક ઉપદેશાદિ બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય તે નિસર્ગજ અર્થાત સ્વાભાવિક સમ્યગદર્શન અને બીજું ઉપદેશાદિ બાહ્ય નિમિત્તપૂર્વક પ્રગટ થાય તે અધિગમજ અર્થાત્ નૈમિત્તિક સમ્યગદર્શન કર્યું છે : અથવા તે સભ્યશ્રદ્ધાન ત્રણ પ્રકારે પણ કહ્યું છે.દર્શનમોહ પ્રકૃતિના ઉપશમથી થાય તે પથમિક, ક્ષયથી થાય તે ક્ષાયિક અને ક્ષયોપશમથી થાય તે ક્ષાયોપથમિક સમ્યગદર્શન છે : અથવા તે સભ્યશ્રદ્વાન દશ પ્રકારે પણ કહ્યું છે. તે દશ પ્રકાર આગળ કહીશું. દેવમૂઢતા, શાસ્ત્રસમૂહતા અને લોકમૂઢતા-એ ત્રણ મૂઢતા : જાતિ, કુલ, રૂપ, બળ, જ્ઞાન, પૂજા, તપ અને ઐશ્વર્ય-એ આઠ મદ : શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મુઢદ્રષ્ટિ, અનુપગુહન, અસ્થિરિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના એ આઠ દોષ : અને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર એ ત્રણ તથા એ ત્રણને ધારણ કરવાવાળા છ અનાયતન, (બીજી રીતે છ અનાયતન આ પ્રમાણે પણ ગણાય. ૧- અસર્વજ્ઞ, ૨- અસર્વજ્ઞનું જ્ઞાન, ૩- અસર્વજ્ઞનું સ્થાન, ૪- અસર્વજ્ઞના. જ્ઞાન સહિત પુરૂષ, ૫- અસર્વજ્ઞનું આચરણ, ૬- અસર્વજ્ઞના આચરણ સહિત પુરૂષ-એ પણ છ અનાયતન છે.) એ રીતે ત્રણ મૂઢતા, આઠ મદ, આઠ દોષ અને છ અનાયતન એ પચીસ દોષી આત્માની સમ્યકશ્રદ્ધામાં વિઘ્ન કરનાર દોષો છે. એ પચીસ દોષથી રહિત યથાતથ્ય નિર્મળ શ્રદ્ધાના જે આત્માને છે તેજ સમ્યગદ્રષ્ટિ' છે. એ દોષો સમ્યક્ત્વનો કાં તો નાશ કરે છે અથવા તેને મલિન કરે છે. ઉપર સમ્યકત્વના બે, ત્રણ અને દશ આદિ ભેદ વર્ણવ્યા છે, પણ તે કારણોના ભેદને લઇને છે. વાસ્તવ તો સમ્યકત્વ એકજ પ્રકારે છે. (યથા-dqીર્થ શ્રદ્ધાન સભ્યDર્શનમ્) શમ, સંવેગાદિ ગુણોના નિર્મળપણાથી તે સભ્યશ્રદ્વાન વર્ધમાન થાય છે અથવા તે સમ્યકશ્રદ્ધાનથી શમ, સંવેગાદિ નિર્મળતા વધે છે. કુમતિ, કુશ્રુતિ અને વિભંગાવધિ-એ ત્રણ જીવના અનાદિ અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનમાં શુદ્ધતા પ્રગટાવનાર એ સમ્યગદર્શન છે. અર્થાત સમ્યકત્વ પ્રગટ થતાં વેંતજ પ્રથમનું સંસારના કારણરૂપ અને ભવના બીજરૂપ એવું જે કુજ્ઞાન, તેજ પલટાઇને આત્માને પરમ દુ:ખના કારણ રૂપે એવા સર્વ પ્રતિબંધથી રહિત મુક્ત થવામાં હેતુરૂપ થાય છે અર્થાત્ સમ્યકપણે પરિણમે છે. જે જ્ઞાનમાં અનંતકાળથી મિથ્યાપણું વર્તતું હતું, તે અનાદિ એવા ઉપરોક્ત પચીસ દોષા જવાથી નિર્મળ શ્રદ્ધાન થઇ સમ્યપણું-ચથાર્થપણું પ્રાપ્ત કરાવે છે.
જીવ, અજીવ, આશ્રવ (પુણ્ય-પાપ), બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોનો યથાવત્ નિશ્ચય આત્મામાં તેનો વાસ્તવિક પ્રતિભાસ તેજ સમ્યગદર્શન’ છે. પંડિત અને બુદ્ધિમાન મુમુક્ષને મોક્ષ સ્વરૂપ પરમ સુખસ્થાને નિર્વિઘ્ન પહોંચાડવામાં એ પ્રથમ પગથીયારૂપ છે. અર્થાત મોક્ષ મહાલયની નીસરણીનું ખાસ પગથીયું સમ્યગદર્શન છે. જ્ઞાન, ચારિત્ર અને તપ-એ ત્રણે સમ્યક્ત્વ સહિત હોય તોજ મોક્ષને માટે સરળ છે, વંદનીય છે, કાર્યગત છે: અન્યથા તેજ (જ્ઞાન, ચારિત્ર અને તપ) સંસારના કારણરૂપ પણેજ પરિણમે જાય છે. ટુંકામાં સમ્યકત્વ રહિત જ્ઞાન તેજ અજ્ઞાન, સમ્યકત્વ રહિત ચારિત્ર તેજ કષાય અને સમ્યકત્વ વિનાનું તપ તેજ કાયકલેશ છે. જ્ઞાન, ચારિત્ર અને તપ-એ ત્રણે ગુણોને ઉજ્વળ કરનાર એવી એ સભ્યશ્રદ્વા પ્રધાન આરાધના છે, બાકીની ત્રણ આરાધના એક સભ્યત્વના વિધમાનપણામાંજ આરાધકભાવે પ્રવર્તે છે. એ પ્રકારે સમ્યક્ત્વનો કોઇ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી, તે કલ્યાણ મૂર્તિરૂપ સમ્યગદર્શનને આ અનંતા અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે સમયે સમયે આરાધવા યોગ્ય છે.
Page 155 of 197