________________
હોવો જોઇએ. સમ્યક્ત્વને પામેલા પુણ્યાત્માઓએ પણ, પોતાના સમ્યક્ત્વના સંરક્ષણની કાળજીરાખવાની સાથે, દિન-પ્રતિદિન સમ્યક્ત્વ શુદ્ધ બનતું જાય,એવો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ. વિષયની અને કષાયની અનુકૂળતાના રાગે તેમજ વિષયની અને કષાયની પ્રતિકૂળતાના દ્વેષે જ, આત્માની ખરેખરી પાયમાલી કરી છે. વિષયની અને કષાયની અનુકૂળતાનો રાગ તથા વિષયની અને કષાયની પ્રતિકૂળતાનો દ્વેષ, એ જ સુખનું કારણ છે-એમ માનવું અને એ માન્યતાને અનુસારે વર્તવું, એ જ ઘાતી કર્મોને સુદ્રઢ બનાવવાનું અને જોરદાર બનાવવાનું પ્રધાન સાધન છે. એવો રાગ-દ્વેષ જાય ત્યારની વાત તો જુદી જ છે, પણ એવો રાગ-દ્વેષ જતાં પહેલાં પણ જ્યાં ‘ એવો રાગ-દ્વેષ એ હેય જ છે, તજવા યોગ્ય જ છે, એથી આત્માને લાભ નથી પણ હાનિ જ છે.' -આવો ભાવ આત્મામાં પ્રગટે છે, તેની સાથે જ ઘાતી કર્મોની જડ હચમચી જાય છે અને ઘાતી કર્મોથી મુક્તિ પામવાનું મંડાણ મંડાઇ જાય છે. ‘એ રાગ-દ્વેષ હેય જ છે.' -એમ લાગતાં, આત્મામાં અપૂર્વકરણ એટલે કે-અપૂર્વ એવો અધ્યવસાય પ્રગટે છે; અને, એ અધ્યવસાય દ્વારાએ જ કર્મગ્રન્થિ ભેદાઇ જાય છે. આ વગેરે જે જે વાતો આ સંબંધમાં કહેવામાં આવી, તે તમને યાદ તો છે ને ?
સ. થોડી ઘણી.
એના સાર રૂપે તો બધી જ વાત યાદ છે ને ? કે પછી, સારમાં પણ ગોટાળો છે ?
21. એ વખતે તો એમ થઇ ગયેલું કે-સંસારના સુખનો રાગ ભૂંડો જ છે અને સંસારના સુખના રાગને લીધે જન્મેલો દ્વેષ પણ ભૂંડો જ છે.
એટલું પણ જો થયું હોય, તો પણ તમે ભારે નસીબદાર ગણાઓ. એ રાગ-દ્વેષને તજવાનો ઉપાય, શ્રી જિનશાસનની આરાધના કરવી-એ જ છે, એમ પણ તમને લાગે છે ને ?
24. એ તો ચોક્કસ.
તો, શ્રી જિનશાસનની આરાધના કરવાની વાતમાં જે ઉમળકો આવે, તે સંસારના સુખની બીજી કોઇ પણ વાતમાં આવે નહિ ને ? સંસારના સુખ ઉપર પણ રાગ ખરો, પણ તે રાગ તથા તેના યોગે જન્મેલો દ્વેષ તજવા લાયક જ એમ લાગે છે ને ? અને, આત્માને શ્રી વીતરાગ બનાવનારા મોક્ષના ઉપાય ઉપર પણ રાગ ખરો, પણ એ જ રાગ પોષવા જેવો છે અને એ રાગમાંથી જન્મેલો પાપનો દ્વેષ પણ પોષવા જેવો છે, એમેય લાગે છે ને ? આ વાતને વિચારીને, એ સંબંધી નિર્ણય કરવા જેવો છે. કેટલાક જીવો તો એવા હોય છે કે-અહીં સાંભળતે સાંભળતે પણ વિચારે કે- ‘એ તો મહારાજ કહ્યા કરે; બાકી ઇન્દ્રિયોના વિષયોની અને ક્રોધાદિ વિષયોની અનુકૂળતા વિનાસુખ સંભવે જ નહિ.'
મોક્ષ પ્રત્યેના દ્વેષનો આ પણ એક નમુનો છે. તમે મોક્ષના દ્વેષી તો નહિ પણ રાગી જ છો, એમ માની લઉં ને ? મોક્ષના રાગને સફ્ળ કરવાને માટે, જીવે, સમ્યક્ત્વને પામવાનો પુરુષાર્થ અવશ્ય કરવો જોઇએ; અને જે ભાગ્યશાલિઓ સમ્યગ્દર્શન ગુણનેપામ્યા હોય, તેમણે સમ્યક્ત્વને દિન-પ્રતિદિન વિશેષ ને વિશેષ નિર્મળ બનાવ્યા કરવાનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ. સમ્યગ્દર્શન ગુણનો પ્રભાત
અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં સમ્યક્ત્વની કિંમત એટલી મોટી આંકવામાં આવી છે કે-એના વિના જ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપ બનતું નથી, એના વિના ચારિત્ર પણ
Page 78 of 197