________________
સમયે સમયે મિથ્યાત્વના પુદગલોને ઉદયમાં લાવીને ભોગવતો જાય છે એની સાથે સાથે બીજી વચલી સ્થિતિ એક અંતર્મુહૂર્તની સત્તામાં રહેલી છે તેમાંથી જે સ્થિતિના પુગલોનો કાળ ઘટી શકે એમ હોય તે પુદ્ગલોની સ્થિતિને ઘટાડી ઘટાડીને પહેલી સ્થિતિમાં લાવી લાવીને સમયે સમયે ભોગવતો જાય છે. અને એટલા યુગલો બીજી સ્થિતિમાંથી ખાલી કરતો જાય છે. હવે વચલી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના પુદ્ગલોની સ્થિતિ ઘટીને પહેલી સ્થિતિમાં આવે એમ નથી એ પુદગલોની સ્થિતિ વધારી વધારીને પાછળની ત્રીજી સ્થિતિમાં નાખે છે એટલે એ પુગલોને વચલી સ્થિતિમાંથી ઉઠાવીને ત્રીજી સ્થિતિવાળા બનાવે છે. આ ક્રિયા જીવ સમયે સમયે કરતો જાય છે. આ ક્રિયા કરતાં કરતાં પહેલી સ્થિતિની એટલે અનિવૃત્તિકરણ કાળની બે આવલિકા કાળ બાકી રહે ત્યારે વચલી સ્થિતિ એટલે બીજી સ્થિતિમાંના મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો ખાલી કરવાના હતા તેમાંથી પાછલી ત્રીજી સ્થિતિમાં એ પુદગલો નાંખતો હતો તે હવે ત્રીજી સ્થિતિમાં નાખવા માટેના એકેય પગલો રહેતા નથી એટલે વચલી સ્થિતિમાં ત્રીજી સ્થિતિમાં જવાલાયક કર્મ હવે રહ્યું નથી. માત્ર પહેલી સ્થિતિમાં લાવી શકાય એવા મિથ્યાત્વના પૂગલો રહેલા છે. આ બે આવલિકા બાકી રહેલ કાળને જ્ઞાની ભગવંતો આગાલ વિચ્છેદ કાળ કહે છે. ત્યાર પછી સમયે સમયે પહેલી સ્થિતિમાં પદગલો લાવી લાવીને ભોગવતાં જ્યારે પહેલી સ્થિતિ એટલે અનિવૃત્તિકરણ કાળની. એક આવલિકા કાળ બાકી રહે ત્યારે વચલી બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના પગલો પહેલી સ્થિતિમાં આવતા હતા તે સંપૂર્ણ ખાલી થઇ જાય છે એટલે પહેલી સ્થિતિમાં આવવા લાયક એકેય પુદગલ રહ્યું નથી. આથી વચલી (બીજી) સ્થિતિ મિથ્યાત્વના પગલો રહીતવાળી થઇ. આ સ્થિતિ એક અંતર્મહર્ત કાળની હોવાથી એટલા કાળની સ્થિતિ મિથ્યાત્વ પુદગલ રહીત બની. આ સ્થિતિ ને અંત:કરણ સ્થિતિ કહેવાય છે. હવે પહેલી સ્થિતિમાં રહેલો જીવ એક આવલિકા કાળને પોતાના ઉદયમાં રહેલા મિથ્યાત્વના પગલોને સમયે સમયે ઉદયમાં લાવી-ભોગવીને પહેલી સ્થિતિનો કાળ પૂર્ણ કરે છે. આ પહેલી સ્થિતિના છેલ્લા સમય સુધી જીવને મિથ્યાત્વનો ઉદય અવશ્ય રહેલો હોય છે. જ્યારે પહેલી સ્થિતિ ભોગવીન પર્ણ કરે કે તરત જ એ જીવ બીજી સ્થિતિના પહેલા સમયમાં પ્રવેશ કરે છે. એટલે કે અંત:કરણ નામના અધ્યવસાયને પામે છે. આસમયમાં પ્રવેશ કરે એટલે જીવ મિથ્યાત્વગુણસ્થાનક નાશ થતાં ચોથા ગુણસ્થાનકને પામે છે અને ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરે છે. આ ઉપશમ સમકીતનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. વચલી બીજી સ્થિતિનો કાળ પણ એટલો જ હોય છે. આ ઉપશમ સમકીતની પ્રાપ્તિમાં જીવને મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધિ ચાર કષાય આ પાંચ પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ હોય છે. આ અંતઃકરણના પહેલા સમયમાં જીવ પ્રવેશ કરે એટલે ઉપશમ સમકતની પ્રાપ્તિના પહેલા સમયે જીવ સત્તામાં રહેલા ત્રીજી સ્થિતિના મિથ્યાત્વના પુદગલો જે છે તેના ત્રણ વિભાગ કરે છે. પહેલો વિભાગ એ મિથ્યાત્વના પુગલોને શુધ્ધરૂપે એટલે મિથ્યાત્વ મોહનીયના વિપાકોદય રૂપે રહેલા અને પ્રદેશો રૂપે રહેલા રસ વગરના કરે છે એટલે શુધ્ધ કહેવાય છે. આ શુધ્ધ થયેલા યુગલો બે સ્થાનીક (ઠાણીયા) રસવાળા કહેવાય છે. જે સમ્યક્ત્વ મોહનીયના નામવાળા આ યુગલો ઓળખાય છે કે જેના ઉદયકાળમાં જીવને સમકીતની શ્રધ્ધા અર્થાત હેય પદાર્થમાં હેયની-ઉપાદેય પદાર્થમાં ઉપાદેયની અને શેય પદાર્થમાં શેય રૂ૫ની યથાર્થી શ્રધ્ધા પેદા કરાવે છે. એ શ્રધ્ધાને નિર્મળ કરી ટકાવી રાખે છે. બીજા વિભાગમાં અર્ધશુધ્ધ પુદ્ગલો બનાવે છે કે જે પુદ્ગલો થોડા શુધ્ધ રૂપે અને થોડા અશુધ્ધ રૂપે બનાવે છે એટલે શુધ્ધા શુધ્ધ રૂપે
Page 45 of 197