________________
જોઇએ નહિ, એમ થાય છે ? રોજ ધર્મ કરનારે તો પોતાના આત્માને આ ખાસ પૂછવું જોઇએ કે-તને આ સુખ લાગે છે કેવું ? મેળવવા જેવું કે છોડવા જેવું ? તને જોઇએ છે સંસારનું સુખ કે મુક્તિનું સુખ ? સંસારના સુખની જે જરૂર પડે છે તે નબળાઇ છે એમ લાગે છે ? આવું કાંઇ તમે વિચારો છો ખરા ? આવું વિચારો તો શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ આવે. શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ એ અપૂર્વકરણને લાવનારો પરિણામ છે અને અપૂર્વ કરણ આવતાં ગ્રંથિ ભેદાય છે અને એ પછી આત્મામાં અનિવૃત્તિકરણ નામનો પરિણામ પેદા થાય છે, કે જે પરિણામ સમ્યક્ત્વને પ્રગટ કર્યા વિના રહેતો જ નથી. પછી એને શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની ઉપાસના સિવાયની કોઇ પણ ઉપાસના વાસ્તવિક રીતિએ કરવા જેવી લાગતી નથી. ક્રિયા જુદી ને પરિણામ જુદો:
સ સાધુપણું આવે તો સમ્યગ્દર્શન પ્રગટે ? સાધુપણાથી ગ્રંથિભેદ થાય ?
સાચું સાધુપણું તો ગ્રંથિભેદાદિ થાય, સમ્યગ્દર્શન પ્રગટે અને સર્વવિરતિનો પરિણામ પણ પ્રગટે ત્યારે આવે છે. સર્વવિરતિને ખરેખર પામેલાએ તો ગ્રંથિભેદાદિ કરેલ જ હોય. આ ક્રિયા માત્રની વાત નથી. પરિણામની વાત છે. સર્વવિરતિની ક્રિયા કરાય એ જુદી ચીજ છે અને સર્વવિરતિનો પરિણામ આવે એ જુદી ચીજ છે. શુદ્ધ ક્રિયા અને પરિણામ એકસ્વરૂપ જ હોય એવું બનાવવું જોઇએ, પણ એવું વિરલ જીવોમાં બને છે; અને, જે ક્રિયા ચાલુ હોય, તેથી તદન ઊલટો. પરિણામ અંદર વર્તતો હોય એવું ઘણું બને છે. એટલે, સર્વવિરતિની ક્રિયા હોય ને પરિણામ જુદો કે ઊલટો હોય એવું પણ બને. એમ દેશવિરતિની ક્રિયા એ જુદી ચીજ અને દેશવિરતિનો પરિણામ એ જુદી ચીજ. એ જ રીતિએ સમ્યકત્વનો પરિણામ એ પણ જુદી ચીજ. અહીં આપણે જે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ આદિ કરણોની વાત કરીએ છીએ, તે પરિણામની. વાત છે. કરણ એટલે આત્માનો પરિણામ. લોક તો સામાન્ય રીતિએ ક્રિયા જૂએ. લોક અમને આ વેષ અને આ ક્રિયા વગેરેમાં જોઇને સાધુ કહે. તમે અણુવ્રતાદિ ઉચ્ચરો એ વગેરેથી તમને લોક દેશવિરતિધર કહે. પણ ક્રિયા તો પરિણામ વગરેય આવે. સાધુપણાની કે દેશવિરતિની ક્રિયા માત્રથી સમ્યગ્દર્શન આવી જ ગયું છે અને સર્વવિરતિ કે દેશવિરતિનો પરિણામ આવી જ ગયો છે એમ મનાય નહિ. અભવ્યો અને દુર્ભવ્યો પણ સાધુપણાની અને શ્રાવકપણાની ક્રિયા કરતા હોય, એવું બને. આ લોકના સુખ અગર પરલોકના સુખની અપેક્ષાએ દીક્ષા લેવાય અને પળાય એવુંય બને. દુન્યવી સુખ માટે દેશવિરતિનાં વ્રતાદિ લેવાય અને પળાય એવુંય બને. સમ્યક્ત્વની કરણી પણ આ લોકના ને પરલોકના સુખની અપેક્ષાએ કરાય એવુંય બને. ઘણી સારી ક્રિયાઓ દેખાદેખીથી અગર સારા દેખાવા માટે થાય છે. આપણે તો એ તપાસવું જોઇએ કે-આપણે જે કાંઇ થોડીઘણી પણ ધર્મક્રિયા કરીએ છીએ, તે શા માટે કરીએ છીએ ? પરિણામને પેદા રવાય ક્રિયા થાય ?
આ બધી ધર્મક્રિયાઓ તો અમૃતવેલડી જેવી છે, પણ જીવના પરિણામનું જ ઠેકાણું હોય નહિ ત્યાં ક્રિયાઓ માત્રથી કેટલુંક નીપજે ? આ ક્રિયા કરનારે શરૂઆત ક્યાંથી કરવાની છે ?“સંસારનું સુખ, એટલે કે સંસારના સુખનો રાગ એ બહુ ખરાબ ચીજ છે અને મારે એનાથી છૂટવું જોઇએ.'
Page 49 of 197