________________
એવી એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલની સ્થિતિથી અધિક સ્થિતિ તે જીવોના કોઇ પણ કર્મની નથી. એટલું જ નહિ, પરન્તુ જ્યાં સુધી જે જીવ શ્રી જિનશાસને ફ્રમાવેલા મૃતધર્મને અને ચારિત્રધર્મને અંશે પણ આચરી શકે છે, ત્યાં સુધી તે જીવ જ્ઞાનાવરણીયાદિ જે કર્મોને સંચિત કરે છે, તે કર્મોની સ્થિતિ પણ એથી અધિક હોઇ શકતી નથી. અર્થાત-એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઉણ એવી એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલની સ્થિતિથી જરા પણ અધિક સ્થિતિવાળા. કોઇપણ કર્મને ઉપાર્જનારો એ જીવ બનતો નથી. પ્રન્થિદેશને નહિ પામેલો શ્રી નવકરનેય પામી શકે નહિ ?
પરમ ઉપકારી મહાપુરુષો ત્યાં સુધી માને છે કે જ્યાં સુધી જીવ ગ્રન્થિદેશે આવવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામતો નથી, ત્યાં સુધી તો જીવ શ્રી નવકાર મહામન્ટને અથવા તો શ્રી. નવકાર મહામત્રના “નમો અરિહંતાણં' એવા પહેલા પાકને અથવા તો “નમો અરિહંતાણં' એ પાદના “ન' ને પણ “નમો અરિહંતાણં' એ પાદના “ન' તરીકે પામી શકતો નથી. જ્ઞાનિઓના આ કથન ઉપરથી ફલિત થાય છે કે-જૈન કુળોમાં જે આત્માઓ જન્મ પામે છે, તેઓ પ્રાયઃ ગ્રન્થિદેશને પામવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા હોય છે. જે જૈન કુળો જેન આચારની અને જેના વિચારની દ્રષ્ટિએ હીનમાં હીન કોટિનાં બની જવા પામ્યાં હોય, છતાં પણ એ કુળોમાં જો શ્રી નવકાર મન્ત્રનું સ્મરણાદિ ચાલુ હોય, તો એવાં પણ કુળોમાં પ્રાયઃ એવા જ આત્માઓ જન્મને પામે, કે જે આત્માઓની કર્મસ્થિતિ ગ્રન્થિદેશને પામવા જોગી લઘુતાને પામેલી હોય. જે કોઇ જીવ “નમો અરિહંતાણં' બોલવાના આશયથી “ન' પણ બોલી શકે, એ જીવ કર્મસ્થિતિની એટલી લઘુતાને પામેલો છે, એટલું તો જ્ઞાનિઓના કથનાનુસારે નિશ્ચિતપણે કહી શકાય. ઉપરાન્ત, જ્યાં સુધી જીવ નમો અરિહંતાણં” એટલું માત્ર પણ બોલી શકે છે અગર “નમો અરિહંતાણં' બોલવાના આશયે “ન' ને પણ બોલી શકે છે, ત્યાં સુધી એ જીવ, ગમે તેટલી ઉત્કટ કોટિના પાપવિચારોમાં અને ગમે તેટલી ઉત્કટ કોટિના પાપાચારોમાં રક્ત બનેલો હોય તો પણ, તે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો પૈકીના કોઇ પણ કર્મનો એવા રૂપનો સંચય કરતો જ નથી, કે જે કર્મની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની હોય અથવા તો એથી અધિક હોય ! એનો અર્થ એ છે કે-એ જીવમાં અશુભ પરિણામો એવા તીવ્ર ભાવે પ્રગટતા જ નથી, કે જેથી એ જીવને કોઇ પણ કર્મ એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું બંધાય. શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ જૈન કુળોમાં સામાન્ય રીતેએ સુલભ ગણાય, એટલે જેન કુળમાં જન્મ પામનારા આત્માઓને અંગે વાત કહી; બાકી તો, જે કોઇને પણ શ્રી નવકાર મન્ત્રની પ્રાપ્તિ થાય, તેની કર્મસ્થિતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની હોય તો પણ, તે કર્મસ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી પણ કાંઇક ન્યૂન જ હોય; અને, એ જીવ જે જે કર્મોને ઉપાર્જ, તે તે કર્મોની પણ જો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની સ્થિતિ હોય, તોય તે સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી કાંઇક ન્યૂન જ હોય. એ જીવ એથી અધિક સ્થિતિવાળા કર્મને ત્યારે જ સંચિત કરી શકે, કે જ્યારે એ જીવ શ્રી નવકાર મન્ચના આંશિક પણ પરિચયથી સર્વથા મુક્ત બની જાય; એટલે કે-એ જીવ જ્યારે ગ્રન્વિદેશથી પાછો પડી જાય. ભાગ્યશાલિતા સફલ નીવડી ક્યારે હેવાય ?
Page 55 of 197.