Book Title: Choud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 71
________________ રીતિએ, જીવ, આપણે વિચારી આવ્યા તેમ, અન્તર કરણના કાળમાં સત્તાગત મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ કરી નાખે છે. એટલામાં તો અન્તર કરણનું એ અન્તર્મુહૂર્ત પૂર્ણ થઇ જાય છે. એ અન્તર્મુહૂર્ત પુરૂં થતાંની સાથે જ, અન્તર કરણના બળે જીવે મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના જે ત્રણ પંજ કર્યા હોય છે, તેમાંનો કોઇ પણ એક પુંજ ઉદયમાં આવે છે. કોઇને સમ્યક્ત્વ મોહનીયનો પુંજ ઉદયમાં આવે, કોઇને મિશ્ર મોહનીયનો પંજ ઉદયમાં આવે અને કોઇને મિથ્યાત્વ મોહનીયનો પંજ ઉદયમાં આવે. એ વખતે જીવનો પરિણામ કેવા બળવાળો છે અને કેવા પ્રકારનો છે, એના ઉપર એનો આધાર. અન્તર કરણના અન્તર્મહત્ત પછીથી જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય તે શુદ્ધ થયાં છે કે નહિ, શુદ્વાશુદ્ધ થયાં છે કે નહિ અગર અશુદ્ધ રહ્યાં હોય તો તેમ, પણ એ, સિવાય જ્ઞાની કોઇ કહી શકે નહિ. એ તો વ્યક્તિગત અસર છે ને ? શાસ્ત્ર તો કહે છે કે-અન્તર કરણનું અન્તર્મુહૂર્ત પુરૂં થતાંની સાથે જ, એ અન્તર કરણના કાળમાં જીવે મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના જે ત્રણ પંજ કર્યા હોય છે, તે ત્રણમાંથી કોઇ પણ એક પંજનાં દળિયાં ઉદયમાં આવી જાય છે. સમ્યક્ત મોહનીયનાં દળિયાંનો ઉદયાળ એ ક્ષાયોપથમિક સભ્યત્ત્વનો કળ: આમ, ઔપથમિક સમ્યકત્વના અન્તર્મુહૂર્તને અત્તે જીવને જો મિથ્યાત્વ મોહનીયના પંજમાંનાં દળિયાં ઉદયમાં આવી જાય છે, તો તે જીવ સમ્યકત્વને વમી નાખે છે અને પ્રથમ ગુણસ્થાનકવર્તી બની જાય છે; પણ મિથ્યાત્વ મોહનીયના પંજમાંનાં દળિયાં ઉદયમાં આવવાને બદલે એ જીવને જો મિશ્ર મોહનીયના પંજમાંનાં દળિયાં આવી જાય છે, તો તે જીવ ચતુર્થી ગુણસ્થાનકવર્તી મટી જઇને તૃતીય ગુણસ્થાનકવર્તી બની જાય છે. એ તૃતીય ગુણસ્થાનકવર્તી બનેલો જીવ, તે પછી પહેલે ગુણઠાણે ચાલ્યો જાય એવું પણ બને અને ચોથે ગુણઠાણે પાછો આવે એવું પણ બને. હવે જે જીવને નથી તો ઉદયમાં આવતાં મિથ્યાત્વ મોહનીયના પંજમાંનાં દળિયાં એમ નથી તો ઉદયમાં આવતાં મિશ્ર મોહનીયના પંજમાંનાં દળિયાં, પણ જે જીવને સમ્યકત્વ મોહનીયના પંજમાંનાં દળિયાં ઉદયમાં આવે છે, તે જીવ ઔપથમિક સમ્યકત્વમાંથી ક્ષાયોપથમિક સમ્યકત્વને પામ્યો એમ કહેવાય છે. આ રીતિએ અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો જે જીવ, પહેલી વાર જે સમ્યકત્વને પામે છે, તે ઓપશમિક સમ્યકત્વ પામે છે અને એ પછી જ એ જીવ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ એ વખતે પામે છે તો પામે છે, નહિ તો કાળાન્તરે પામે છે. આ સંબંધમાં એક શાસ્ત્રીય મત એવો પણ છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ પથમિક સમ્યકત્વને પામ્યા વિના પણ સીધો જ ક્ષાયોપથમિક સમ્યકત્વને પામી શકે છે. એટલે કે-એ જીવ અનિવૃત્તિકરણને અન્ત અનિવૃત્તિ કરણના કાળમાં જ ત્રણ પંજ કરીને એમાંના શુદ્ધ પુજના ઉદયને પામે છે અને એમ શુદ્ધ પુજના ઉદયને પામીને એ જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વના પરિણામનો સ્વામી બને છે. આ શાસ્ત્રીય માન્યતા મુજબ જીવ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ અનિવૃત્તિ કરણથી કરે. દર્શનમોહનીયની સાત પ્રકૃતિઓને ક્ષીણ ક્રીને અટકી જનારની શ્રેણિને ખંડ ક્ષપદ્મણિ કહેવાય? હવે જે જીવ ઔપથમિક સમ્યકત્વને પામીને અગર તો પથમિક સમ્યકત્વને પામ્યા વિના Page 71 of 197

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197