SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ રીતિએ, જીવ, આપણે વિચારી આવ્યા તેમ, અન્તર કરણના કાળમાં સત્તાગત મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ કરી નાખે છે. એટલામાં તો અન્તર કરણનું એ અન્તર્મુહૂર્ત પૂર્ણ થઇ જાય છે. એ અન્તર્મુહૂર્ત પુરૂં થતાંની સાથે જ, અન્તર કરણના બળે જીવે મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના જે ત્રણ પંજ કર્યા હોય છે, તેમાંનો કોઇ પણ એક પુંજ ઉદયમાં આવે છે. કોઇને સમ્યક્ત્વ મોહનીયનો પુંજ ઉદયમાં આવે, કોઇને મિશ્ર મોહનીયનો પંજ ઉદયમાં આવે અને કોઇને મિથ્યાત્વ મોહનીયનો પંજ ઉદયમાં આવે. એ વખતે જીવનો પરિણામ કેવા બળવાળો છે અને કેવા પ્રકારનો છે, એના ઉપર એનો આધાર. અન્તર કરણના અન્તર્મહત્ત પછીથી જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય તે શુદ્ધ થયાં છે કે નહિ, શુદ્વાશુદ્ધ થયાં છે કે નહિ અગર અશુદ્ધ રહ્યાં હોય તો તેમ, પણ એ, સિવાય જ્ઞાની કોઇ કહી શકે નહિ. એ તો વ્યક્તિગત અસર છે ને ? શાસ્ત્ર તો કહે છે કે-અન્તર કરણનું અન્તર્મુહૂર્ત પુરૂં થતાંની સાથે જ, એ અન્તર કરણના કાળમાં જીવે મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના જે ત્રણ પંજ કર્યા હોય છે, તે ત્રણમાંથી કોઇ પણ એક પંજનાં દળિયાં ઉદયમાં આવી જાય છે. સમ્યક્ત મોહનીયનાં દળિયાંનો ઉદયાળ એ ક્ષાયોપથમિક સભ્યત્ત્વનો કળ: આમ, ઔપથમિક સમ્યકત્વના અન્તર્મુહૂર્તને અત્તે જીવને જો મિથ્યાત્વ મોહનીયના પંજમાંનાં દળિયાં ઉદયમાં આવી જાય છે, તો તે જીવ સમ્યકત્વને વમી નાખે છે અને પ્રથમ ગુણસ્થાનકવર્તી બની જાય છે; પણ મિથ્યાત્વ મોહનીયના પંજમાંનાં દળિયાં ઉદયમાં આવવાને બદલે એ જીવને જો મિશ્ર મોહનીયના પંજમાંનાં દળિયાં આવી જાય છે, તો તે જીવ ચતુર્થી ગુણસ્થાનકવર્તી મટી જઇને તૃતીય ગુણસ્થાનકવર્તી બની જાય છે. એ તૃતીય ગુણસ્થાનકવર્તી બનેલો જીવ, તે પછી પહેલે ગુણઠાણે ચાલ્યો જાય એવું પણ બને અને ચોથે ગુણઠાણે પાછો આવે એવું પણ બને. હવે જે જીવને નથી તો ઉદયમાં આવતાં મિથ્યાત્વ મોહનીયના પંજમાંનાં દળિયાં એમ નથી તો ઉદયમાં આવતાં મિશ્ર મોહનીયના પંજમાંનાં દળિયાં, પણ જે જીવને સમ્યકત્વ મોહનીયના પંજમાંનાં દળિયાં ઉદયમાં આવે છે, તે જીવ ઔપથમિક સમ્યકત્વમાંથી ક્ષાયોપથમિક સમ્યકત્વને પામ્યો એમ કહેવાય છે. આ રીતિએ અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો જે જીવ, પહેલી વાર જે સમ્યકત્વને પામે છે, તે ઓપશમિક સમ્યકત્વ પામે છે અને એ પછી જ એ જીવ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ એ વખતે પામે છે તો પામે છે, નહિ તો કાળાન્તરે પામે છે. આ સંબંધમાં એક શાસ્ત્રીય મત એવો પણ છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ પથમિક સમ્યકત્વને પામ્યા વિના પણ સીધો જ ક્ષાયોપથમિક સમ્યકત્વને પામી શકે છે. એટલે કે-એ જીવ અનિવૃત્તિકરણને અન્ત અનિવૃત્તિ કરણના કાળમાં જ ત્રણ પંજ કરીને એમાંના શુદ્ધ પુજના ઉદયને પામે છે અને એમ શુદ્ધ પુજના ઉદયને પામીને એ જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વના પરિણામનો સ્વામી બને છે. આ શાસ્ત્રીય માન્યતા મુજબ જીવ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ અનિવૃત્તિ કરણથી કરે. દર્શનમોહનીયની સાત પ્રકૃતિઓને ક્ષીણ ક્રીને અટકી જનારની શ્રેણિને ખંડ ક્ષપદ્મણિ કહેવાય? હવે જે જીવ ઔપથમિક સમ્યકત્વને પામીને અગર તો પથમિક સમ્યકત્વને પામ્યા વિના Page 71 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy