Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ ચાર જૈન તીર્થો ગામની પ્રાચીનતા આ ગામ ક્યારે વસ્યું ને કોણે વસાવ્યું એ જાણવાનું કંઈ સાધન મળ્યું નથી, છતાં જૈન પ્રતિમાઓ ઉપરથી સં. ૧૫૭૩, સં. ૧૫૫ અને સં. ૧૫૯૧ ના લેખે મળી આવે છે, જેમાં માતર ગામને સ્પષ્ટ ઉલ્લેખ કરે છેઃ (જે લેખે અમે આગળ દર્શાવ્યા છે) એથી આ ગામ ૧૬ મા સૈકા કરતાં જૂનું તે છે જ. સોળમા સૈકાથી લઈને આજ સુધી જૈન મુનિએ આ સ્થળે વિહાર કરતા આવતા અને ચતુર્માસ નિમિત્તે પણ અહીં રહેતા એવા પ્રમાણે મળે છે. સં. ૧૫૮૧ માં શ્રીધનસાગરજી નામના મુનિએ માતર માં રહીને જ “ સિવારની પ્રતિ લખી હતી. સં.૧૯૩૪ માં વિમઇ પ્રવં જાની પ્રતિ અને સં. ૧૬૪૭ ના આ સુદિમાં શ્રી ચતુરસાગરજીના શિષ્ય ક્ષીરસાગર મુનિએ “નવ વાતાઝની અને “હુતિ રોપાની પ્રતિઓ અહીં જ લખી હતી. અકબર બાદશાહના આમંત્રણને માન આપી શ્રીહીરવિજયસૂરિજી સં. ૧૬૩૯ માં ગંધારથી ફતેપુરસીકી જતાં રસ્તામાં આવતા માતર ગામમાં થઈને ગયા હતા. વળી, સં. ૧૭૪૬ માં “તીર્થમાની રચના કરનાર પં. શીલવિજયજીએ માતર તીર્થને ઉલ્લેખ કર્યો છે. તેમજ સં. ૧૭૭૭ ના કાર્તિક સુદિ ૧૩ ને શનિવારે “કુમશ્રી સની પ્રતિ પણ આ ગામમાં લખાઈ હતી; એમ તે તે પ્રતિઓની પ્રશસ્તિપુષ્યિકાથી જાણવા મળે છે. આ ઉલ્લેખ ઉપરથી સહેજે સ્પષ્ટ થાય છે, કે માતર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90