Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 77
________________ ચાર જેને તીર્થો શ્રીઆદીશ્વર ભવની પ્રતિમા પ્રાચીન અને સુંદર છે. મૂળનાયક સહિત આરસની ૫ પ્રતિમાઓ છે. આરસની એકલતીથી ૨ છે, તેમાં એક શ્રી પાર્શ્વનાથની છે અને બીજી કાઉસગિયા પ્રતિમા છે. આચાર્યની આરસ મૂર્તિ ૧ ફૂટ ઊંચી છે. ગરદન પાછળ એ અને હાથમાં મુહપત્તિ છે. બીજા હાથમાં પુસ્તક છે. તેમના પગ પાસે બંને બાજુએ એકેક સાધુ હાથ જેડીને બેઠેલા છે. આચાર્યની મૂતિ ઉપર એક તીર્થકર. મૂર્તિ છે. ગભારા બહાર ગોખલામાં ૧૫ ફૂટ ઊંચી શ્રીચકેશ્વરીદેવીની મૂર્તિ છે, દેવીના મસ્તક ઉપર ભગવાનની મૂતિ છે, આરસને ચોવીશીને એક સુંદર પટ્ટ છે. વીશે ભગવાન, નીચે નામે લખેલાં છે. ગઈચવીશીના તીર્થકર હશે એમ લાગે છે. પટ્ટ નીચે આ પ્રકારે લેખ છે. " संवत् १३४९ वर्षे ज्येष्ठ शुदि १४ बुधे श्रीनागेंद्रगच्छचैत्ये प्राग्वाटज्ञातीय ठ० पृथ्वीपालसुत बीदा भार्या चांपल सुत वीरम भार्या संसारदेवि सुत आनीकनिग देवसींह अभयसींह प्रभृतिभिर्माता(तृ)पिता ()-યોર્થ વતુર્વરાતિપઃ વારિતઃ પ્રતિષ્ઠિત શ્રીમતેશ્વરસૂરિશિષ્યશ્રીગામરેવસૂરિમિઃ | ગુમ મરંતુ ” નીચે ભોંયરું છે. અહીં ત્રણ ગભારા છે, મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ૦ની મૂર્તિ છે. આદીશ્વર ભ૦ની અલૌકિક પ્રતિમા છે અને જમણી તરફ પાર્શ્વનાથ ભ૦ છે. ગભારા બહારની સામી ભીંતના ગોખલામાં શ્રાવકની મૂર્તિ છે. શ્રાવક હાથ જોડીને ઊભા છે. તેમના પગ પાસે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90