Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 22
________________ માતર દરમિયાન આપી દીધી હતી. વણકર પાસેથી શેઠ બેચરદાસને ત્યાં મૂર્તિ હોવાના સમાચાર મેળવી બે શ્રાવકે તરત જ ખાંટી જવા ઊપડ્યા. માતરવાળાઓએ શેઠને જણાવ્યું કે, “જે તમારે દેરાસર કરાવીને મૂર્તિ બિરાજમાન કરવી હોય તે ભલે એ મૂર્તિ રાખે, નહિતર શેઠ બેચરદાસ મેતીલાલનાં વિધવા પત્ની ઊજમણું કરવાનાં છે, તે પ્રસંગે તેઓ માતરના દેશસરમાં ગોખલ કરાવી એ મૂર્તિ બિરાજમાન કરાવવાનાં છે, માટે આ મૂર્તિ આપો.” શેઠે તરત જ એ મૂર્તિ માતરવાળા ભાઈઓને સુપ્રત કરી. સં. ૧૯૬૦ ના મહા સુદિ ૧૪ ના રોજ બપોરે બી. સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને જેને ખરાંટીથી વારસંગ લાવી માતર લઈ આવ્યા અને ધામધૂમથી એ પ્રતિમાને પ્રવેશોત્સવ કર્યો. એ જ સાલમાં વૈશાખ સુદિ ૧૫ ના રોજ એ મૂતિને ગેખમાં પધરાવી પ્રતિષ્ઠિત કરાવી. આ રીતે મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાન અને તેમની આસપાસની બે મૂર્તિઓ તેમજ આ શ્રીસુપાર્શ્વ નાથની મૂર્તિ મળીને કુલ ચાર મૂર્તિઓ જમીનમાંથી નીકળી આવેલી, તે આ મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલી છે. આ મૂતિઓ સંબંધે અનેક ચમત્કારી પ્રસંગે લોકેએ જોયા અને સાંભળ્યા છે. એને વિસ્તાર કરે ઉચિત નથી પરંતુ એટલું અવશ્ય કહી શકાય કે, આ મૂતિઓના કારણે આ તીર્થને મહિમા વિસ્તાર પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90