________________
ચાર જૈન તીર્થો જવાય છે. દરવાજા ઉપર તીર્થકરની મંગળમૂર્તિ છે. મૂળનાયક શ્રીસુમતિનાથપ્રભુ ઉત્તર સન્મુખ બિરાજમાન છે. તેમની આજુબાજુએ ત્રણ-ત્રણ મૂર્તિઓ છે. મૂળનાયક સહિત કુલ ૭ મૂર્તિઓ છે, મૂળનાયક ઉપર પરિકરને ભાગ છે; મૂળનાયક અને બીજી બે મૂર્તિઓ ઉપર સં. ૧૮૯૩ માં શ્રીજિનેન્દ્રસૂરિએ અંજનશલાકા કર્યાના લેખે છે. ધાતુની પંચતીર્થી ૪ અને એકલમૂર્તિઓ ૬ છે.
સભામંડપમાં પૂર્વ દિશા તરફ બે ઓરડીઓ છે. એક ઓરડીમાં આરસની ૬ ફૂટ ઊંચી મનહર અને પ્રાચીન કાઉસગ્ગિયા–પ્રતિમા છે. તેમના ઢીંચણ પાસે બંને બાજુએ એકેક ઈંદ્ર છે અને પગ પાસે એક તરફ શ્રાવક અને બીજી તરફ શ્રાવિકા હાથ જોડીને ઊભાં હોય એવાં બતાવ્યાં છે.. કાઉસગિયા-પ્રતિમાની બંને બાજુએ થઈને પાંચ-પાંચ જિનેશ્વરની મૂર્તિઓ છે. એક મૂર્તિ કાઉસયાના ઉપરના ભાગમાં બિરાજમાન છે. આ સંતે ગણતાં કુલ ૧૨ પ્રતિમાઓ યુક્ત આ કાઉસગિયા મૂર્તિ છે. આવી બીજી કાઉ સઝિયા મૂર્તિ હોવી જોઈએ, જે એક જ શ્રાવકે બનાવેલી હોય, પણ તે અહીં નથી. ઉપર્યુક્ત કાઉસગિયા પ્રતિમાની ડાબી બાજુએ શ્રીમુનિસુવ્રતસ્વામીની શ્યામવર્ણની બીજી કાઉસગિયા પ્રતિમા છે પણ આ પ્રતિમા કઈ પરિકરમાંથી અલગ પડી ગયેલી હોય એમ જણાય છે.
કાઉસગિયાની ડાબી બાજુએ વીશીને આરસને પટ્ટ અતિમનહર છે. પટ્ટની વચ્ચે ભગવાનની મૂર્તિ ૧ ફૂટ ઉચી છે. બાજુએ એકેક ચામરધર છે અને ચારે બાજુએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org