Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 45
________________ આસ્વાદનને અનુભવતાં સમતા સાગરમાં નિમગ્ન બની કોઇપણ પીડા રહિત મૃત્યુ પામે છે. ઉપશમરસમાં ડૂબેલો, મહાતીર્થ અને પરમાત્માના ધ્યાનમાં લીન એવો ગોમેધ મહાઋદ્ધિમાન દેવપણાને પામીને યક્ષોના નાયકપણાને પામે છે. મુનિભગવંતના મુખકમલથી નીકળેલા અમૃતવચનના શ્રવણમાત્રથી તે અનેકવિધ દિવ્યદૃષ્ટિનો સ્વામી બન્યો સાથે સાથે પરમાત્માના અસંખ્ય ગુણોનું સ્તવન કરવા માટે ત્રણ મુખને ધારણ કરનાર, શાસનના અનેકવિધ કાર્યો કરવા માટે સમર્થ બનવા માટે છ ભુજાઓને ધારણ કરનાર, જેમાં ડાબા ત્રણ હાથમાં શક્તિ, શૂલ અને નકુલ તથા જમણા ત્રણ હાથમાં ચક્ર, પરશુ અને બીજોરું ધારણ કરનાર, દેહ ઉપર જનોઇ અને વાહન તરીકે પુરૂષને ધારણ કરનાર ગોમેધ નામે યક્ષ થઈને શાસન અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની માફક અને સેવકોથી પરિવરેલો દેવિમાનમાં આરૂઢ થઇ તે જ સમયે રૈવતગિરિ તીર્થ ઉપર આવી પરમાત્માને વંદન કરે છે. પૂર્વભવમાં પ્રભુના નામસ્મરણ માત્રથી થયેલા ઉપકારનું સ્મરણ કરતો તે ગદ્ગદ્ સ્વરે પ્રભુની સ્તવના કરે છે. તે સમયે ઇન્દ્ર મહારાજા પણ તેને પરમાત્માનો પરમભક્ત જાણી શ્રી નેમિપ્રભુના શાસનના અધિષ્ઠાયકદેવ તરીકે સ્થાપન કરે છે. Jain Ed ૩ ary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128