Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 106
________________ કારn instarring: Text is : htter: ====================tr:-:-: -:-treet:::::::: સંભવનાથ ભગવાનની સુંદર પ્રતિમા બિરાજમાન છે. આ જિનાલયમાં જતાં પૂર્વે માર્ગમાં આવતો સુરજકુંડ પણ શા.માનસંગે કરાવેલ છે. જૂનાગઢ ગામમાં આદિશ્વર ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા પણ તેમણે વિ.સં.૧૯૦૧ માં કરાવેલ હતી. આ જિનાલયના દર્શન કરી બહાર નીકળી મુખ્યમાર્ગ ઉપર ઉત્તરદિશા તરફ આગળ વધતાં જમણાં હાથ ઉપર વસ્તુપાલ તેજપાલની ટૂંક આવે છે. (૭) વસ્તુપાલ-તેજપાલનું જિનાલયઃ- (શ્રી શામળા પાર્શ્વનાથ-૪૩ ઇંચ) આ જિનાલયમાં એક સાથે પરસ્પર જોડાયેલાં ત્રણ મંદિરો છે. આ જિનાલયો ગુર્જરદેશના મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલ દ્વારા વિ.સં.૧૨૩૨ થી ૧૨૪૨ના કાળમાં બંધાવ્યા હતા. જેમાં હાલ મૂળનાયક તરીકે શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૩૦૬ના વૈશાખ સુદ-૩ ના શનિવારના દિવસે આ. પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબની મુખ્ય પરંપરામાં શ્રી દેવસૂરિના શિષ્ય શ્રી જયાનંદ મહારાજ સાહેબે કરી હતી. આ વચલા દેરાસરનો રંગમંડપ ૨૯ ૧/૨ ફુટ પહોળો અને પ૩ ફૂટ લાંબો છે. તથા આજુબાજુના બન્ને દેરાસરના રંગમંડપો ૩૮ ૧/૨ ફટ ચોરસ છે. આ જિનાલયમાં લગભગ છ થી સાત શિલાલેખો છે. જે વિ.સં.૧૨૮૮ના ફાગણ સુદ ૧૦ ના બુધવારના છે. જેમાંથી ચારલેખોમાં વસ્તુપાલ અને તેમના પત્ની લલીતાદેવીના શ્રેયાર્થે અજિતનાથ આદિ જિનાલયો બંધાવ્યાનો અને બે મંદિર દ્વિતીય પત્ની સોબુકાદેવીના શ્રેયાર્થે બંધાવ્યાનો ઉલ્લેખ છે. અન્યપણ લેખોમાં તેમણે વિવિધ તીર્થોમાં જુદા જુદા તીર્થકરોની પ્રતિમા તથા ચરણપાદુકા આદિ પધરાવ્યા હોવાના લેખો છે. | મુખ્ય જિનાલયની ડાબી બાજુના જિનાલયમાં ચોરસ સમવસરણમાં ચૌમુખજી ભગવાન પધરાવેલા છે, જેમાં ત્રણ પ્રતિમા શ્રી પાર્શ્વનાથ ભગવાનની વિ.સં.૧૫૫૬ની સાલના લેખવાળી તથા ચોથી શ્રી ચંદ્રપ્રભસ્વામિની પ્રતિમા વિ.સં.૧૪૮૫ની સાલના લેખવાળી છે. જમણીબાજુના જિનાલયમાં ગોળમેરૂની ઉપર ચૌમુખજી ભગવાન પધરાવેલા છે, જેમાં પશ્ચિમાભિમુખ શ્રી સુપાર્શ્વનાથ, ઉત્તર અને પૂર્વાભિમુખ શ્રી નેમિનાથ ભગવાન આ ત્રણેય પ્રતિમાઓ વિ.સં.૧૫૪૬ની સાલની છે અને દક્ષિણાભિમુખ શ્રી ચન્દ્રપ્રભસ્વામિની પ્રતિમા બિરાજમાન છે. આ મેરૂની રચના પીળા પાષાણમાંથી કરવામાં આવેલ છે. આ જિનાલયોની કોતરણી, અને કલાકૃતિયુક્ત કમાનવાળા થાંભલાઓ, જિનપ્રતિમાઓ, વિવિધ દ્રશ્યો તથા કુંભાદિની આકૃતિ મનને આનંદ આપનારી બને છે. ચૌમુખજી જિનાલયોની વિશાળતા તથા ગોઠવણી નયનરમ્ય છે. S T EEL: LET EXERT:/ETTYTIME TET TETrt: 11:13:::::::::::TTER Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128