Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 124
________________ શ્રી ગિરનાર મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ શ્રી ગિરનાર મહાતીર્થ જ્યાં પૂર્વે અનંતા તીર્થંકરોના કલ્યાણક, વર્તમાન ચોવીશીના બાવીશમા બાલબ્રહ્મચારી નેમનાથ પરમાત્માના દીક્ષા- કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક દ્વારા આ પુનિતભૂમિ પાવનકારી બનેલ છે. આવતી ચોવીશીના ૨૪ તીર્થંકરો મોક્ષે જવાના આ મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ માટે શાસ્ત્રોમાં વિરોષ કોઇ ઉલ્લેખ આવતો નથી. પરંતુ પશ્ચિમ ભારતમાં તીર્થંકરના માત્ર આ ત્રણ કલ્યાણકો જ થવા પામ્યા હોવાથી તે મહાકલ્યાણકારી ભૂમિના દર્શન- પૂજન અને સ્પર્શન દ્વારા અનેક ભવ્યજનો આત્મકલ્યાણની આરાધનામાં વિરોષ વેગ લાવી શકે તે માટે પુષ્ટ આલંબન સ્વરૂપે ગિરનાર ગીરીવરની ૯૯ યાત્રાઓનું આયોજન કરાય છે. * વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને નીચે મુજબ યાત્રા કરી શકાય. * ગિરનારના પાંચ ચૈત્યવંદન તથા ૯૯ યાત્રાની સમજ : ૧) જયતળેટીમાં આદિનાથ ભગવાનના જિનાલયમાં (સિધ્ધગિરિની માફક અત્ર જયતળેટી ન હોવાથી) ૨ ) તળેટીમાં નેમિનાથ પરમાત્માની ચરણપાદુકા સન્મુખ. પછી યાત્રા કરી ઠાઠાની પ્રથમ ટુંકે ૩) મુળનાયક ૪) મૂળ દેરાસર પાછળ આદિનાથના દેરાસરે ૫) અમિઝરા પાર્શ્વનાથનું ચૈત્યવંદન કરવું. ત્યાંથી સહસાવન (દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક), અથવા જયતળેટી આવતાં પ્રથમયાત્રા પૂર્ણ થયેલ કહેવાય. પછી પાછા જયતળેટીથી અથવા સહસાવનથી ઉપર ચડતાં પૂર્વમુજબ બે ચૈત્યવંદન કરવાં. આ રીતે બેમાંથી કોઇપણ સ્થાનેથી પુનઃ દાદાની ટુંકે દર્શન ચૈત્યવંદન કરી આ બેમાંથી કોઇપણ સ્થાને નીચે ઉતરતાં બીજી યાત્રા થઇ ગણાય. ક્રમશઃ આ મુજબ ૧૦૮ વખત દાદાની ટૂંકની સ્પર્શના કરવી આવશ્યક છે. * નિત્ય આરાધના - (૧) ઉભયટંક પ્રતિક્રમણ. (૨) જિનપૂજા તથા ઓછામાં ઓછું એક વખત દાદાનું દેવવંદન. (૩) ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચક્ખાણ. (૪) ભૂમિ સંથારો. (૫) દરેક યાત્રામાં મૂળનાયકની ૩ પ્રદક્ષિણા. Jain Educa "Mary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128