________________
અનિત્ય :
તમારા તેની સાથે ગાઢ સંબંધ હતા. તેના પર તમારા વિશ્વાસ પણ પૂણ હતા. પરંતુ આજે તેણે તમારા સાથેના સંબંધ તોડી નાંખ્યા....વિશ્વાસભંગ ક્ય.... તેથી તમે દુઃખી બની ગયા.... તમારા ચિત્તમાં ભારે અશાન્તિ વ્યાપી ગઈ...
કેમ આમ થયું ? કેમ તમે દુઃખી બની ગયા ? શું તમે એમ માની લીધું હતું કે તેની સાથેના તમારા સંબંધ કયારેય તૂટવાના ન હતા ? એની સાથેના સ્નેહ નિત્ય હતો ?
સમજી રાખે કે ઈષ્ટ જન સાથેના સંબંધ અનિત્ય છે... એ ક્યારેક તૂટવાને જરૂર.... જે અનિત્ય છે તે પિતાના સ્વભાવને અનુસરે, તેમાં દુઃખ શાનુ ?)
રાગ-દ્વેષ :
તું જેના પર રાગ ધારણ કરે છે, તે રાગ અને જે તારા પર રાગ ધારણ કરે છે, તે રાગ, આ બન્ને રાગ અનિત્ય છે. તે તે બરાબર સમજી રાખ..
‘જે મને ચાહી રહ્યા છે, તે એક દિ’ મારા પ્રત્યે દ્વેષ કરવાના છે,” આ સમજ જે પાકી હશે તો તું દુઃખી નહિ થાય. એટલું જ નહિ પરંતુ તેઓ પ્રત્યે તને તિરસ્કાર કે ઉદ્વેગ નહિ જાગે. - રાગ-દ્વેષ અને ભાવે અનિત્ય છે. અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિ જ જીવને દુઃખી બનાવે છે.
જેઓ તને પેવે ચાહતા હતા તેઓ આજે તને ચાહતા નથી. બલકે દ્વેષવાળા બન્યા છે, તેને શું તને અનુભવ નથી ?
આત્મસંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org