Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 123
________________ ભવવૈરાગ્ય સવ" ગુણો અને સવ" ધમ ભવવૈરાગ્ય પર રહેલા છે. એટલે જીવનમાં સૌ પ્રથમ “ભવવૈરાગ્ય કેળવવાના પુરૂષાર્થ કરવાના છે. ભવવૈરાગ્ય કેળવવા માટે ચાર વાતો પર લક્ષ કેન્દ્રીત કરવું પડે. (૧) ભવસ્વરૂપનું ચિંતન. (૨) કમવિપાકનો વિચાર. (૩) આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન. (૪) પરમાત્માની આજ્ઞા પ્રત્યે બહુમાન. આ ચાર વાતો મનમાં રમણ કરતી થઈ ગઈ એટલે ભવવૈરાગ્ય આખ્યા સમજવા. પછી બીજ ગુણા કે ધર્મો માટે મહેનત કરવી નહિ પડે. સહજપણે જ ગુણ આવશે અને ધમ તરફ વળાશે. . હતી , છે B વરાગી વૈરાગ્ય એટલે સંસાર પર દ્વેષ, એવા અથ" ન કરશા ! વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષની લાગણીઓ મંદ થઈ જવી. - જે આત્માઓને વિષા પ્રત્યે રાગ અને દ્વેષ હોય તેના પ્રત્યે વૈરાગી તો કરૂણાસભર હોય. “હું” એ આત્માએને કેવી રીતે રાગ-દ્વેષમાંથી બચાવી લઉં.” જે વૈરાગીને બીજા જીવા પ્રત્યે દ્વેષ થાય છે, તે ઊંડે ઊંડે પણ વિષય પ્રત્યે રાગ રહેલો છે, એમ સમજવું. - DAS વૈરાગીમાં દ્વેષ ન હોવા જોઈએ. ૧૧૮ આત્મસ વેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrar o

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134