________________
માનદ અનો
| તમારી પાસે એક મણ ઘઉ' પડયા છે. તમારે તે કેાઈ કારણસર કાઢી નાખવા છે, તે તમે શું કરવાના ? તમારી પાસે જે આવશે તેને ઘઉં આપવાનું તમે લક્ષ રાખવાના. કોઈ તમને આપવા આવે તેવી અભિલાષા નહિ જ રાખવાના અને કોઈ તમને આપવા આવશે તે તમે નહિ જ લેવાના !
એમ જે આપણે “માન”ની અનંત રાશી આપણા આત્મામાંથી કાઢી નાંખવી છે, તે આપણે શું કરવું જોઈએ ? જે કે આપણી પાસે આવે અથવા આપણે જેની પાસે જઇએ તેને “માન આપવાનું લક્ષ રાખવાના ને ? કોઈ આપણને “માન” આપે તેવી અભિલાષા તો સ્વપ્નમાં પણ ન જાગે ને ? અને જો કોઈના માનદાનની આપણે અભિલાષાવાળા છીએ તો એ ફલિત થાય છે કે આપણે આપણી પાસે પડેલા માન”ની અનત રાશી કાઢી નાખવી નથી ! રાખવી છે.... વધારવી છે !
મનુષ્ય “માનદ’ બનવાની જરૂર છે. આપણે જો માન... અભિમાન કાઢી જ નાંખવું છે તે માનને પાત્ર અન્ય જીવને માનનું દાન કરવું જોઈએ.
પી, કોઈ આપણને “માન ન આપે તેને ખેદ તે રહે ક્યાંથી ! બલકે કયારેક કોઈના સત્યાગ્રહથી લેવું પડે તે ખેદ થાય ! “અરે, મારે જે કાઢી નાંખવું છે, તે વળી કયાં ગળે વળગ્યું...?” આવો બળાપ થાય.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.or