Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 72
________________ કેવા બનવું છે ? શિલ્પી પથ્થર પર ટાંકણું મારવા તૈયાર થાય છે, તે પૂવે તેના ચિત્તમાં એક કલ્પના-આકૃતિ સ્પષ્ટ હોય છે. અને તે ક૯૫ના આકૃતિને ઉપસાવવા... પ્રગટાવવા માટે ઢાંકણાથી પથ્થરને કારે જાય છે. આપણે આપણા આત્માનું કેવું ઘડતર કરવું છે? આપણી ક૯૫ના સૃષ્ટિમાં આત્માનું કેવું સ્વરૂપ આપણને ગમે છે ? તે મુજબ તપ, ત્યાગ, દયાન, જ્ઞાન વગેરેના ઢાંકણાં પડવાનાં ! આત્માની કલ્પના-આકૃતિના ભાન વિના જેમ તેમ ટાંકણાં મારવા જઇશુ તો એક કઢ’ગી અને જેવીય ન ગમે તેવી આકૃતિ ઘડાઈ જશે.... . કેવા બનવું છે? એ સ્પષ્ટ કરી ! | ગુપ્તભંડાર તું જે બહાર શોધે છે, તેને તારી પાસે શોધી જોયું ? જે તારી પાસે હશે તે બીજે કયાંથી મળશે ? બીજે શોધવા જતાં તો કેવળ ખેદ-કુલેશ અને સંતાપ જ પામીશ. તારે તારે ગુપ્તભંડાર તપાસવા પડશે. એ ગુપ્તભંડારના માર્ગો પણ તારે શોધી કાઢવા પડશે. એ માર્ગો અટપટા અને મૂંઝવી દેનારા હશે ! પરંતુ જો તું જરાય નિરાશાને સ્થાન આપ્યા વિના આગળ પુરૂષાર્થ કરતા જ રહીશ તે એ ગુપ્તભંડારમાં પહોંચી જઈશ. - પછી તો તારા આનંદની સીમા નહિ રહે. એ ગુપ્ત ભંડારમાં જ તને એવું બધું મળી જશે કે પછી બહાર જવાની કે બહાર જવાની એક ક્ષણુની પણ ઈચ્છા નહિ થાય. બહારનું પરિભ્રમણ હવે બંધ કર. અને તારા આંતરપ્રદેશ તરફ વળ. એ પ્રદેશ અનંત છે. આહલાદક છે. એ પ્રદેશ શોધી કાઢવામાં જ મુકેલી છે. પછી તે આનંદ, આનદ ને આનંદ છે. આત્મસ વેદન Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134