Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004674/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત અનિબંધકદ્વામિશિના શબ્દશઃ વિવેચન ચૌદમી બત્રીશી 'વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા, Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાત્રિંશદ્વાત્રિંશિકા અંતર્ગત અપુનર્બંધકદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન * મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષગ્દર્શનવેત્તા પ્રાવચનિક પ્રતિભાધારક સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ * વિવેચનકાર * પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ♦ સંકલન-સંશોધનકારિકા ૦ ૫. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી : HSIRIS : તાર્થ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ અપુનઃબંધકદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન * વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૩ * વિ. સં. ૨૦૬૩ આવૃત્તિ : પ્રથમ * નકલ : ૫૦૦ મૂલ્ય રૂ. ૪૫-૦૦ આર્થિક સહયોગ 卐 મોતીલાલ જીવરાજભાઈ મહેતા – મુંબઈ હ. નિકુંજભાઈ ભંડારી : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાથી ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન ઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ ૭૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ : પ્રાપ્તિસ્થાન * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગ૨વારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. ૬(૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. * (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ * સુરત ઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. TM (૦૨૬૧) ૩૦૧૩૨૪૪ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (0) 22875262, (R) 22259925 :: શ્રી નટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩, ૧ (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. ૧ (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. - (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. જ (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકાશકીય વન “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાનું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચતો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. - તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા (સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર ગુજરાતી વ્યાખ્યાનકાર :- ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદૃષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કણિકા ૩. સદ્ગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી (ભાગ-૧) ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો Page #7 -------------------------------------------------------------------------- ________________ dis :- प. पू. गविर्य श्री युगभूषाविश्य (नाना पंडित) म. सा. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? हिन्दी व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी लेखक :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? | । संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ENGLISH Lecturer : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Status of religion in modern Nation State theory Author : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? Page #8 -------------------------------------------------------------------------- ________________ છે =ક ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત s વિવેચનના ગ્રંથો (ગુજરાતી) વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચના ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૃપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાન દ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા–૧૮ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૫. યોગવિવેકદ્વાત્રિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્વાત્રિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાત્રિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સજ્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. ‘Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંક્લનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ** ૧. ધર્મતીર્થ ભાગ-૧ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો * Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ ગ્રંથની ‘અપુનર્બંધકદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચન સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨-૩૨ અર્થગંભી૨ શ્લોકોથી કરેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા’ નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. અપુનર્બંધકદ્વાત્રિંશિકા આ ગ્રંથનું ૧૪મું પ્રકરણ છે. પૂર્વની ‘મુક્તિઅદ્વેષદ્વાત્રિંશિકા'માં કહ્યું કે પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય છે; કેમ કે મુક્તિઅદ્વેષના ક્રમથી યોગના અધિકારીપણાની પ્રાપ્તિ થાય છે, તેથી ‘અપુનર્બંધકદ્વાત્રિંશિકા'માં યોગમાર્ગના આદ્ય અધિકારી અપુનર્બંધકનું વર્ણન કરેલ છે. અનાદિકાળથી સંસારસુખના રસિયા, સંસારના પૌદ્ગલિક સુખોમાં મજા માણનારા, સંસારના પૌદ્ગલિક સુખથી ભિન્ન એવા આત્મિક સુખની કલ્પના પણ નહીં કરનારા, ધર્મક્રિયા પણ અર્થ-કામના એટલે કે સંસારના રસથી જ કરનારા ભવાભિનંદી જીવોને, દર્શનમોહનીયકર્મ મંદ થવાથી અને સંસારનો negative approach-નકારાત્મક અભિગમ થવાથી જ્યારે પૌદ્ગલિક સુખમાં સ્વરૂપથી દુઃખરૂપતાનું ભાન થાય, અને એ સુખ, સુખ નથી પણ સુખાભાસ છે, દુઃખનો પ્રતિકારમાત્ર છે એવી સમજણ આવે, અને તેમાં દુઃખરૂપતાની અનુભૂતિ થવા માંડે ત્યારે તેમને તાત્ત્વિક વૈરાગ્યની પ્રાપ્તિ થઈ, એમ કહેવામાં આવે છે; અને જીવની આ અવસ્થાને ‘અપુનર્બંધક અવસ્થા' કહેવામાં આવે છે. અહીંથી જ ધર્મની, યોગની અને મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ અપુનાબંધકદ્વાત્રિશિકા/પ્રસ્તાવના ૭૦ કોટાકોટી પ્રમાણ મોહનીયકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને જે જીવ હવે ફરી ભવિષ્યમાં ક્યારેય બાંધવાનો નથી તે અપુનબંધક જીવ કહેવાય અર્થાત્ આ જીવે હવે કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની યોગ્યતાને તોડી નાખવારૂપ મહાસિદ્ધિને પ્રાપ્ત કરી છે. તાત્ત્વિક ધર્મના પ્રારંભબિંદુ સમાન ગણાતી આ અપુનબંધક અવસ્થા ચરમાવર્તમાં પ્રવેશ કરેલા જીવને પુરુષાર્થશીલતાથી પ્રાપ્ત થાય છે. અહીં જીવને મુક્તિનો તાત્ત્વિક અદ્વેષ પ્રગટે છે, તેથી તે યોગમાર્ગનો આદ્ય અધિકારી બને છે અને તેની ગુરુ આદિની પૂજારૂપ ઉચિત પ્રવૃત્તિ કલ્યાણની પરંપરાનું કારણ બને છે. ચરમાવર્તમાં યોગમાર્ગની પાયાની ભૂમિકા-ground work હતી, પણ તે યોગમાર્ગ નથી, અને અપુનબંધક અવસ્થામાં યોગમાર્ગની પ્રાપ્તિ છે. અપુનબંધક જીવોનો ધર્મરસ સંસારરસ કરતાં તીવ્ર છે, તેથી તેમને પ્રધાનદ્રવ્યક્રિયા છે. હવે અંદરની સુષુપ્ત શુદ્ધ ચેતના જાગી છે, તેથી સંસારરસનો force-બળ તૂટી ગયો, ગુણ-દોષનો વિવેક કરવા લાગ્યો, મોહનો અધિકાર ગયો અને શુભ અનુબંધની શરૂઆત થઈ. જેમ બીજનો ચંદ્ર એક એક કળાની વૃદ્ધિથી પૂનમના દિવસે સોળે કળાએ પૂર્ણ ખીલે છે, તેમ અપુનબંધક જીવોને યોગ્ય સામગ્રી મળતાં ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણો ખીલેલી અવસ્થાવાળા થાય છે. તેમની પ્રકૃતિ શાંત અને ઉદાત્ત હોય છે. વળી આ જીવો સંસારની અને સંસારના વિયોગવિષયક વિચારણા હેતુ, સ્વરૂપ અને ફળથી કરે છે, જે સમ્યક્ત્વની પ્રાપ્તિ માટેની પાયાની ભૂમિકા તૈયાર કરે છે, છતાં હજુ મિથ્યાત્વમોહનીયકર્મની વિદ્યમાનતા હોવાને કારણે દૃષ્ટિ પૂર્ણ ખીલેલી નથી, તેથી અજ્ઞાનજન્ય ભૂલો પણ થાય છે, તેઓની સદા યોગમાર્ગે પ્રવૃત્તિ નથી, પણ યોગમાર્ગને અભિમુખ ઉચિત આચરણા હોવાથી શાસ્ત્રકારોએ તેમને દ્રવ્યાંગ કહ્યો છે. વળી આ જીવો જે વિષયશુદ્ધ કે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કરે છે તે ઉચિત જન્મની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે. આ કાર્નાિશિકામાં ગ્રંથકારશ્રીએ અપુનબંધકના દ્રવ્યયોગનો સ્પષ્ટ બોધ થાય તેના માટે સમ્યગ્દષ્ટિને ભાવયોગ કેમ છે ? અને તે કેવો છે ? તે જણાવેલ છે, અને તેમના અનુષ્ઠાનની વિશિષ્ટતા બતાવેલ છે, અને વિષયશુદ્ધ આદિ ત્રણ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવેલ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિશિકા/પ્રસ્તાવના અપુનબંધક જીવો સંસારનો અને સંસારના પાર્થક્યનો હેતુ, સ્વરૂપ અને ફળથી ઊહ કરે છે, તેથી તેવો ઊહ કરવા દ્વારા તેમને “સુખ પુલમાં નથી, અંતરાત્મામાં જ છે, તેથી હવે તેને મેળવવા પ્રયત્ન કરું,” એવો અભિલાષ જાગે છે. તમને સંસારના સુખમાં પીડાનું સંવેદન થાય, સ્વનો અનુભવ સાક્ષી આપે અને હૃદયથી પ્રામાણિક રીતે telly કરી શકો તો તમે અપુનબંધક અવસ્થા પામ્યા છો કે નહીં ? તેનો નિર્ણય કરી શકો. જો તમને ધર્મમાં કષ્ટનું વેદન થતું હોય અને પૌદ્ગલિક પદાર્થોમાં સુખનું વદન થતું હોય તો હજુ અપુનબંધક દશાની અપ્રાપ્તિ છે, એમ સહેજે સમજી શકાય. માટે યોગમાર્ગની પ્રારંભિક ભૂમિકારૂપ અપુનબંધક દશાને પ્રાપ્ત કરવી હોય તો જીવનમાં અપુનબંધક જીવે કેળવેલા શાંત-ઉદાત્તાદિ ગુણો કેળવવા પડશે, તો ક્રમસર વિકાસ પામી મોક્ષમાર્ગે આગળ વધી શકાશે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી અને યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ. પ.પૂ. શ્રી મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા.ના તથા પ. પૂ. યશોવિજયજી મ. સા.ના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો, અને સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા, જે જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમના દ્વારા કરાયેલા ગ્રંથોના વિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કાર્ય કરેલ છે. આ “અપુનબંધકઢાત્રિશિકા'ના ગુજરાતી લેખનના પ્રૂફસંશોધનાદિ કાર્યમાં હૃતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે તથા સાવંત મુફસંશોધનાદિ કાર્યમાં સહાધ્યાયી તત્ત્વજિજ્ઞાસુ સા. ચંદનબાલાશ્રીનો, સા. દૃષ્ટિરત્નાશ્રીનો અને સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/પ્રસ્તાવના આ ધાર્નિંશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છમસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “ મિચ્છા મિ દુક્કડ” માંગું છું. પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપરઉપકારક બને અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી હું પણ યોગીનાથ પરમાત્માએ બતાવેલ યોગમાર્ગની પ્રથમ ભૂમિકા સ્વરૂપ અપુનબંધક અવસ્થાને પ્રાપ્ત કરી શુદ્ધ આત્મચેતનાનું સંવેદન કરું, આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું અને ક્રમસર આગળ આગળની સમ્યક્ત્વાદિ ભૂમિકાને પ્રાપ્ત કરું; ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામો એ જ અંતરની અભ્યર્થના. – “છત્યાગમતુ સર્વગીવાનામ' - વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ.પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ.પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ.સા.ના શિષ્યા તપસ્વીરના, સ્વાધ્યાયપ્રિયા પ.પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી * F Page #14 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/સંકલના ‘દ્વાચિંશદ્વાત્રિશિકા' ગ્રંથની ૧૪મી “અપુનબંધકદ્વાચિંશિકા' ના પદાર્થોની સંકલના છે યોગમાર્ગની આધ ભૂમિકાના અધિકારી અપુનબંધક જીવનું સ્વરૂપ : મુક્તિઅષપ્રાધાન્યદ્વાત્રિશિકા'-૧૩માં કહ્યું કે મુક્તિઅદ્વેષના ક્રમથી યોગમાર્ગના અધિકારીપણાની પ્રાપ્તિ થાય છે, તેથી અપુનબંધકદ્વાáિશિકામાં યોગમાર્ગની આદ્ય ભૂમિકાના અધિકારી એવા અપુનબંધક જીવનું સ્વરૂપ બતાવે છે. અપુનર્ભધક અવસ્થાની પ્રાપ્તિ ક્યારે ? ભવાભિનંદીપણાના ક્ષુદ્રાદિ દોષો જવાથી અને તેના વિરોધી ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણો પ્રગટ થવાથી જીવ અપુનબંધક બને છે, અને આવા અપુનબંધક જીવો યોગસામગ્રી મળતાં બીજના ચંદ્રની જેમ, પ્રવર્ધમાન ગુણોવાળા બને છે. યોગમાર્ગનો પ્રારંભ સમ્યગ્દષ્ટિથી થાય છે અને તેની પૂર્વસેવા અપુનબંધકથી થાય છે. તેથી અપુનબંધક જીવને મુખ્ય પૂર્વસેવા છે, એમ શાસ્ત્રકારો કહે છે, અને માર્ગપતિત અને માર્ગાભિમુખ એ બે અપુનબંધકની અવસ્થાવિશેષ છે. આનાથી એ ફલિત થાય કે જીવ અપુનબંધક થયા પછી ગુણોની વૃદ્ધિ કરે તો ક્રમસર માર્ગાભિમુખ બને છે અને પછી માર્ગપતિત બને છે, અને પછી ક્રમે કરીને સમ્યગ્દષ્ટિ બને છે. તેથી અપુનબંધક જીવની (૧) અપુનબંધક અવસ્થા, (૨) માર્માભિમુખ અવસ્થા અને (૩) માર્ગપતિત અવસ્થા, એ ત્રણે અવસ્થાઓમાં મુખ્ય પૂર્વસેવા હોય છે, જે પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ છે. કેટલાક આચાર્યો માર્ગપતિત અને માર્ગાભિમુખ અવસ્થાને અપુનબંધકથી પૂર્વની અવસ્થારૂપે પણ સ્વીકારે છે. અપુનર્બધક અને સકુબંધકની પૂર્વસેવામાં તફાવત : સકૃબંધકાદિમાં ઉપચારથી પૂર્વસેવા હોય છે, કેમ કે તેઓમાં ઉત્કટ ભાવમળ. છે. આનાથી એ ફલિત થાય કે સબંધકાદિ જીવો ગુર્વાદિપૂજન કરતા હોય તોપણ તેઓની એ પ્રવૃત્તિ યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ નથી, અર્થાત્ અપુનબંધકની આચરણા સદશ આચરણા હોવાથી પૂર્વસેવા કહેવાય છે, વસ્તુતઃ પૂર્વસેવા Page #15 -------------------------------------------------------------------------- ________________ અપુનર્ભધકદ્વાત્રિશિકા/સંકલના નથી. વળી, અપુનબંધક જીવોની ગુર્વાદિપૂજારૂપ પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ છે; કેમ કે અપુનબંધક જીવોમાં તીવ્ર ભાવમળનો ક્ષય થયેલો હોવાથી ભવનો આસંગ અલ્પ થયેલો છે, તેથી ગુર્વાદિપૂજા કરીને તેઓ યોગમાર્ગની પ્રાપ્તિ કરે છે. અપુનાબંધક જીવની પ્રકૃતિ : અપુનબંધક જીવની પ્રકૃતિનું સ્વરૂપ શ્લોક-૭માં બતાવતાં કહે છે કે અપુનબંધક જીવો પ્રકૃતિથી શાંત હોય છે અને ઉચ્ચ ઉચ્ચતર આચરણામાં બદ્ધ ચિત્તવાળા હોય છે, તેથી તેઓની પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. અપુનર્ભધક જીવનો ઊહ - અપુનબંધક જીવો શાંત, ઉદાત્ત આશયવાળા હોવાથી સંસારવિષયક હેતુ, સ્વરૂપ અને ફળનો ઊહ કરે છે, તેના કારણે તેઓને સંસારના વાસ્તવિક સ્વરૂપનું દર્શન થાય છે. વળી, જેમ અપુનબંધક જીવો ભવનું સ્વરૂપ હેતુ, સ્વરૂપ અને ફળથી વિચારે છે, તેમ ભવના વિયોગનું સ્વરૂપ પણ હેતુ, સ્વરૂપ અને ફળથી વિચારે છે. આ પ્રકારનો ઉજ્વળ ઊહાપોહ અપુનબંધક જીવ માટે સમ્યકત્વની પ્રાપ્તિનું પ્રબળ કારણ બને છે. અપુનબંધક જીવમાં દ્રવ્યથી યોગ : “મોક્ષે યોગનાથી =“મોક્ષની સાથે યોજન કરે તે યોગ” આવું યોગનું લક્ષણ શાસ્ત્રકારો કહે છે. આત્મા ઉપરથી કર્મનો કંઈક અધિકાર જાય ત્યારે આવું યોગનું લક્ષણ પ્રગટે છે. આવો યોગ અપુનર્બલકમાં દ્રવ્યથી પ્રગટેલો છે અને પ્રગટ થયેલો આ દ્રવ્યયોગ ભાવથી યોગની પ્રાપ્તિનું કારણ છે. આનાથી એ ફલિત થાય છે કે અપુનબંધક જીવો જે સદાચારાદિ સેવે છે, તે દ્રિવ્યયોગ છે, અને આ સદાચારાદિના સેવનરૂપ દ્રવ્યયોગ ભાવયોગની પ્રાપ્તિનું કારણ છે. અપુનબંધક જીવોને તત્ત્વને જોવાનો કંઈક ઊહ પ્રગટ્યો છે, તોપણ હજુ રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિનો ભેદ નહીં થયેલો હોવાના કારણે, તત્ત્વને જોવાની પરમ મધ્યસ્થ દૃષ્ટિ નહીં પ્રગટેલી હોવાથી ભવનો રાગ હજુ વિદ્યમાન છે. તેથી ભાવથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ નથી, તોપણ યોગમાર્ગને અભિમુખ કંઈક ઉચિત ક્રિયાઓ કરે છે, તે અપેક્ષાએ તેઓમાં દ્રવ્યથી યોગ માન્યો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બધકદ્વાચિંશિકા/સંકલના પૂર્વમાં કહ્યું કે અપુનબંધકની પૂર્વસેવા મુખ્ય છે, અને ત્યારપછી શ્લોક-૧૬માં ગ્રંથકારશ્રી કહે છે કે અપુનબંધકનો ક્રિયાયોગ દ્રવ્યયોગ છે. વસ્તુતઃ અપુનબંધકની પૂર્વસેવા અને અપુનબંધકનો દ્રવ્યયોગમાર્ગ એક છે. અહીં અપુનબંધક જીવનું સ્વરૂપ કહેવા માટે પ્રારંભ કર્યો, ત્યાં સબંધક કરતાં અપુનબંધકની શું વિશેષતા છે ? તે બતાવવા માટે સક્રબંધકની પૂર્વસેવા મુખ્ય પૂર્વસેવા નથી તેમ બતાવ્યું. હવે સમ્યગ્દષ્ટિને ભાવથી યોગમાર્ગ છે, તેના જેવો યોગમાર્ગ અપુનબંધક જીવોને નથી; પરંતુ ભાવથી યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવો દ્રવ્યયોગમાર્ગ છે, તે બતાવવા માટે સમ્યગ્દષ્ટિનો ભાવયોગમાર્ગ કેવો છે? તેનો બોધ કરાવે છે, જેથી તેના કારણભૂત અપુનબંધકના દ્રવ્યયોગમાર્ગનો સ્પષ્ટ બોધ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવમાં ભાવથી યોગ - જેમણે રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિનો ભેદ કર્યો છે અને તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટ કરી છે, તેવા સમ્યગ્દષ્ટિ જીવોને ભાવથી યોગમાર્ગની પ્રાપ્તિ છે; કેમ કે યોગમાર્ગ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ છે અને સમ્યગ્દષ્ટિ જીવોમાં સમ્યજ્ઞાન છે, સમ્યગ્દર્શન છે અને અનંતાનુબંધી કષાયોના વિગમનથી કંઈક સમ્મચારિત્ર પણ છે, તેને આશ્રયીને તેમને ભાવથી યોગ છે. આશય એ છે કે તત્ત્વને જોવાની પરમમાધ્યય્યરૂપ માર્ગાનુસારી પ્રજ્ઞાના બળથી સમ્યગ્દષ્ટિ જીવો સર્વજ્ઞના વચનાનુસાર અતીન્દ્રિય પદાર્થોને જોનારા હોય છે, અને સર્વજ્ઞના વચનાનુસાર જોનારી નિર્મળ દૃષ્ટિના બળથી તેઓને સદા મોક્ષની આકાંક્ષા જીવંત હોય છે, તેથી તેઓમાં રત્નત્રયીરૂપ યોગમાર્ગ સદા અમ્બલિત વર્તે છે; કેમ કે તેઓ સર્વજ્ઞના વચનાનુસાર સંસારનું સ્વરૂપ જુએ છે, તે બોધને અનુરૂપ તેઓને તત્ત્વની રુચિ છે અને અનંતાનુબંધી કષાયના વિગમનને કારણે સ્વશક્તિ અનુસાર યોગમાર્ગનું સેવન છે, તેથી રત્નત્રયીની પરિણતિ અખ્ખલિત વર્તે છે, માટે તેઓને સદા ભાવથી યોગ વર્તે છે. સમ્યગ્દષ્ટિ જીવનો યોગમાર્ગ કુટુંબચિંતાદિ વ્યાપારકાળમાં પણ સ્કૂલના પામતો નથી; કેમ કે બાહ્ય પ્રવૃત્તિ પ્રમાણે કર્મબંધ કે નિર્જરા થતી નથી, પરંતુ આશય પ્રમાણે કર્મબંધ કે નિર્જરા થાય છે; અને વિવેકી એવા સમ્યગ્દષ્ટિ જીવો Page #17 -------------------------------------------------------------------------- ________________ અપુનઃબંધક દ્વાત્રિંશિકા/સંકલના મોક્ષમાં બળવાન અભિલાષાવાળા હોવાના કા૨ણે પોતાની શક્તિને અનુરૂપ અપ્રમાદભાવથી સર્વ ઉચિત ક્રિયા કરનારા હોય છે, તેથી પોતાની શક્તિ અનુસાર શુશ્રુષાદિ ક્રિયા કરનારા હોય છે ત્યારે પણ યોગમાર્ગ વર્તે છે, અને જ્યારે કુટુંબાદિ વ્યાપાર કરે છે, ત્યારે પણ મોક્ષનું વિસ્મરણ થાય તે રીતે પ્રવૃત્તિ કરતા નથી; પરંતુ મોક્ષને અનુકૂળ શક્તિસંચય થાય અને મોક્ષને અનુકૂળ પોતાની શક્તિનો નાશ ન થાય તે રીતે કુટુંબાદિ વ્યાપાર કરે છે, માટે સંસારની પ્રવૃત્તિ કરતાં પણ તેઓનો યોગમાર્ગ હણાતો નથી અર્થાત્ સમ્યગ્દષ્ટિને સાર્વદિક યોગ હોય છે. સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ કેમ છે ? તે સ્પષ્ટ કરવા માટે શ્લોક-૧૯માં બતાવ્યું કે (૧) સમ્યગ્દષ્ટિ જીવો દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોય છે, તેથી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે શાસ્ત્રવચનનું સમાલોચન કરીને કરે છે. વળી (૨) સમ્યગ્દષ્ટિ જીવો વિષયાદિ ત્રણે પ્રકારની શુદ્ધિથી અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, અને (૩) સમ્યગ્દષ્ટિ જીવો જે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ હોય તેનો નિર્ણય કરીને, આત્માદિ ત્રણ પ્રત્યયો દ્વારા આ અનુષ્ઠાન સ્વકૃતિસાધ્ય છે કે નહીં ? ઇત્યાદિનો અભ્રાંત નિર્ણય કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી તેઓનું અનુષ્ઠાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે તેવું છે, આથી સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે. આનાથી એ ફલિત થાય કે ગુરુલાઘવનું આલોચન કરીને ત્રણે પ્રકારની શુદ્ધિવાળું અનુષ્ઠાન સમ્યગ્દષ્ટિ જીવો શાસ્ત્રમતિથી કરે છે, તેથી પોતાને જે અનુષ્ઠાન કર્તવ્ય જણાય તેનો પણ આત્માદિ ત્રણે પ્રત્યય દ્વારા યથાર્થ નિર્ણય કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી તે અનુષ્ઠાન અવશ્ય ઉત્તરના અનુષ્ઠાનનું કારણ બને છે, પરંતુ ક્યારેય પણ પાતનું કારણ બનતું નથી. અપુનબંધક જીવોનું અનુષ્ઠાન : અપુનર્બંધક જીવો મોક્ષના અર્થી હોવા છતાં પણ વિષયશુદ્ધ કે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સેવનારા હોય છે; પરંતુ સમ્યગ્દષ્ટિ જીવોની જેમ વિષયદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ એવું ત્રણે શુદ્ધિથી પૂર્ણ શુદ્ધ અનુષ્ઠાન સેવનારા હોતા નથી, Page #18 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિશિકા/સંકલના તેથી અપુનબંધક જીવોનું ધર્માનુષ્ઠાન પણ પૂર્ણ શુદ્ધિવાળું નહીં હોવાથી ઉત્તરોત્તર વૃદ્ધિનું નિયમનું કારણ બને તેવો નિયમ નથી, આમ છતાં કંઈક માર્ગાનુસારી પ્રજ્ઞા હોવાથી અને ભવથી કંઈક વિમુખ થયેલા હોવાને કારણે તેઓનું માત્ર વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ ઉચિત જન્મની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે; અને જે અપુનબંધક જીવો વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સેવે છે, તેમાં પણ પૂર્ણ વિવેક નહીં હોવાથી એકાંત સાનુબંધ યોગની પ્રાપ્તિનું કારણ બને તેવું તેઓનું અનુષ્ઠાન થતું નથી, આમ છતાં કંઈક તત્ત્વને અભિમુખ ભાવ હોવાથી ક્રમે કરીને યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ પણ બને છે. અપુનબંધક અને સમ્યગ્દષ્ટિના અનુષ્ઠાન અંગે દ્વાચિંશિકામાં કરેલ કથનો : અપુનબંધકના “વિષયશુદ્ધ અનુષ્ઠાન'ને “સાવદ્ય અનુષ્ઠાન” કહીને તેની નિંદા પણ કરી છે અને ઉચિત જન્મની પ્રાપ્તિનું કારણ” કહીને તેની પ્રશંસા પણ કરી છે. વળી તેના સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનને સાનુવૃત્તિ દોષવાળું કહીને અને “કુત્સિત રાજાથી અધિષ્ઠિત નગરના કિલ્લા જેવું' કહીને તેની નિંદા કરી, અને “પ્રધાનદ્રવ્યયોગ છે અને મુખ્ય પૂર્વસેવા છે” તેથી યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ છે' એમ કહીને પ્રશંસા પણ કરી. અને સમ્યગ્દષ્ટિનું અનુષ્ઠાન પૂર્ણ વિવેકથી યુક્ત હોવાને કારણે લેશ પણ તેની નિંદા કરી નથી, પરંતુ “એકાંતે કલ્યાણનું કારણ છે અને સાનુબંધ ગુણવૃદ્ધિનું કારણ છે' તેમ કહીને સમ્યગ્દષ્ટિના અનુષ્ઠાનની એકાંતે પ્રશંસા કરી છે. વળી “ગૃહની આદ્યભૂમિકા' જેવું કહીને પણ સમ્યગ્દષ્ટિનું અનુષ્ઠાન અત્યંત વિવેકયુક્ત છે તેમ બતાવેલ છે. જેમ કોઈક પુરુષ મકાનના પાયાને મજબૂત કરીને ઉપરનું ચણતર કરે તો તેની વિવેકમૂલક પ્રવૃત્તિ છે તેમ કહેવાય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવ પણ પોતાની ભૂમિકાને અનુરૂપ અનુષ્ઠાન સેવીને ઉત્તરની ભૂમિકાની પ્રાપ્તિમાં પ્રતિબંધક દોષોનો નાશ કરે છે; અને જેમ જેમ ઉત્તરની ભૂમિકાની પ્રાપ્તિના પ્રતિબંધક દોષોનો નાશ થાય છે, તેમ તેમ ઉત્તર ઉત્તરની ભૂમિકાનાં અનુષ્ઠાનોનો સ્વીકાર કરે છે, જેથી નાશ પામેલા દોષોનું ફરી આગમન થતું નથી. તેથી જેમ ઘરનો પાયો મજબૂત હોય તો તે ઘર Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અપુનબંધકદ્વાત્રિંશિકા/સંકલના દીર્ઘકાળ ટકે છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવો દોષોના નાશરૂપ પાયાને મજબૂત કરીને ઉત્તરના દોષનાશ માટે ઉદ્યમ કરે છે, તેથી ઉત્તરોત્તર દોષોના નાશ દ્વારા ઈષ્ટફળને પ્રાપ્ત કરે છે માટે તેઓનું અનુષ્ઠાન એકાંતે શ્લાઘ્ય છે. સમ્યગ્દષ્ટિ જીવોનું ત્રિવિધ પ્રત્યયપૂર્વકનું અનુષ્ઠાન : સમ્યગ્દષ્ટિ જીવો અત્યંત વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય છે, તેથી પોતાને કયું અનુષ્ઠાન કરવું જોઈએ કે જેથી અવશ્ય સિદ્ધિ થાય, તેના માટે (૧) સ્વશક્તિનું સમાલોચન કરે છે, અને જે અનુષ્ઠાન સ્વકૃતિથી સાધ્ય જણાય તે અનુષ્ઠાનને (૨) ગુરુના વચન દ્વારા પણ નિર્ણય કરે છે; અને ગુરુ પણ તેને તે અનુષ્ઠાન સેવવાનું કહે ત્યારે તે અનુષ્ઠાન સેવવા માટે તેઓ ઉત્સાહિત થાય છે; અને તેમના પ્રબળ પુણ્યને કારણે (૩) સિદ્ધિસૂચક લિંગોની પ્રાપ્તિ થાય છે ત્યારે તેમને દઢ વિશ્વાસ થાય છે કે ‘આ અનુષ્ઠાન દ્વારા હું અવશ્ય મારા દોષોનો નાશ કરીને ઉત્તરના યોગને પામીશ.’ આ રીતે આત્માદિ ત્રણે પ્રત્યય દ્વારા ઉચિત અનુષ્ઠાનનો નિર્ણય કરીને સમ્યગ્દષ્ટિ જીવ તે અનુષ્ઠાનનો સ્વીકાર કરે છે, અને સ્વીકારાયેલા તે અનુષ્ઠાનને શાસ્ત્રાનુસારે સેવીને સ્થિર કરે છે; અને જ્યારે તે અનુષ્ઠાનના સેવનથી ઉત્તરના અનુષ્ઠાનને સેવવાને અનુકૂળ શક્તિનો સંચય થાય છે, ત્યારે ઉત્તરના અનુષ્ઠાનને સેવવા માટેનો અભિલાષ કરે છે; અને તે અનુષ્ઠાન પણ આત્માદિ ત્રણ પ્રત્યય દ્વારા નિર્ણય ક૨ીને સેવે છે, જેથી તે ઉત્તરના અનુષ્ઠાન દ્વારા પણ અવશ્ય કાર્યની સિદ્ધિ થાય છે. આ રીતે ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનને સેવીને ક્રમે કરીને સર્વવિરતિ યાવત્ અસંગભાવને પ્રાપ્ત કરે છે; કેમ કે આત્માદિ ત્રણ પ્રત્યયપૂર્વક કરાયેલા અનુષ્ઠાનથી યોગની સિદ્ધિ સાનુબંધ થાય છે, પરંતુ પાતનું કારણ બનતી નથી. સમ્યગ્દષ્ટિ જીવો સદ્યોગના આરંભક છે, તેથી હંમેશાં શાસ્ત્રસિદ્ધ એવા આત્માદિ ત્રણ પ્રત્યયનું અવલંબન લઈને યત્ન કરનારા હોય છે, પરંતુ હાઠિકોની જેમ, કે અવિચા૨કની જેમ, ભાવાવેશમાં આવીને જે તે અનુષ્ઠાન સ્વીકારવા માટે તત્પર થતા નથી; પરંતુ જે જીવોમાં સમ્યગ્દષ્ટિ જીવો જેવો વિવેક પ્રગટ્યો નથી, તેઓ કલ્યાણના અર્થે શક્તિનું ઉલ્લંઘન કરીને જે તે અનુષ્ઠાન સ્વીકારે તો તેઓ તે અનુષ્ઠાનના ફળને તો પ્રાપ્ત કરતા નથી, પરંતુ પાતને પણ પામે Page #20 -------------------------------------------------------------------------- ________________ અપુનઃબંધકદ્વાત્રિંશિકા/સંકલના ૧૧ છે. જ્યારે સદ્યોગારંભક એવા સમ્યગ્દષ્ટિ જીવો તો જાત્યમયૂરની જેમ સદા જુદા પ્રકારના હોય છે, જેથી શાસ્ત્રનું સમાલોચન કરીને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ ક૨ના૨ા હોય છે, આથી સમ્યગ્દષ્ટિના અનુષ્ઠાનને સર્વોત્તમ અનુષ્ઠાન કહેલ છે અને ફળથી ભરાયેલા ન્યગ્રોધાદિ વૃક્ષના બીજના પ્રરોહ જેવું કહેલ છે. આથી સમ્યગ્દષ્ટિ જીવોનું અનુષ્ઠાન એકાંતે શ્લાઘ્ય છે, જ્યારે અપુનબંધક જીવોનું અનુષ્ઠાન કંઈક વિવેકવાળું હોવાથી તે તે દર્શનમાં રહેલા એવા મુમુક્ષુજનને યોગ્ય એવું અનુષ્ઠાન અસગ્રહની નિવૃત્તિ દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ છે. છદ્મસ્થતાને કા૨ણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં’ માંગું છું. fa. zi. 2093, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. 5 Lif - પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #21 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બધકદ્વાચિંશિકા/અનુક્રમણિકા જ અનુક્રમણિકા બ્લોક નં. વિષય પાના નં. ૭- ૮ અપુનબંધકનું સ્વરૂપ. ૧-૩ (i) અપુનબંધકને મુખ્ય પૂર્વસેવા, સફબંધકાદિને ઉપચારથી પૂર્વસેવા. ૩-૭ (ii) માર્માભિમુખ અને માર્ગપતિત એ અપુનબંધકની સમ્યકત્વને અભિમુખ વિશેષ અવસ્થાઓ. ૩-૭ અન્ય દૃષ્ટિકોણથી માર્ગપતિત અને માર્ગાભિમુખ એ અપુનબંધકની પૂર્વની અવસ્થાઓ. ૪-૫. સકબંધકની ઉપચારથી પૂર્વસેવા કઈ અપેક્ષાએ છે ? તેનું સ્પષ્ટીકરણ. ૧૦-૧૭ નજીકમાં કલ્યાણની પ્રાપ્તિવાળા અપુનબંધકમાં પૂર્વસેવાદિ ઉચિત આચરણા. ૧૭-૧૯ અપુનબંધકની શાંત-ઉદાત્ત પ્રકૃતિનું સ્વરૂપ. | ૧૯-૨૨ શાંત-ઉદાત્ત પ્રકૃતિવાળા જીવોનાં જ ધર્માનુષ્ઠાનો કલ્યાણનાં કારણ, અન્યનાં નહીં, તેની યુક્તિ. ૨૨-૨૪ ૯. શાંત-ઉદાત્ત પ્રકૃતિવાળા અપનબંધક જીવનું સ્વરૂપ.. ૨પ-૨૩ ૧૦-૧૧-૧૨. અપુનબંધકની સંસારવિષયક હેતુ, સ્વરૂપ અને ફળથી વિચારણા. ૨૬-૩૭ ૧૩. અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક હેતુ, સ્વરૂપ અને ફળથી વિચારણા. ૩૮-૪) ૧૪-૧પ. અપુનબંધકમાં યોગના લક્ષણના સંભવની યુક્તિ. (i) અપુનર્બલકમાં દ્રવ્યથી યોગની યુક્તિ અને સમ્યગ્દષ્ટિમાં ભાવથી યોગની યુક્તિ. ૪૩-૪૯ (ii) પ્રધાનદ્રવ્યયોગ અને ભાવયોગનું સ્વરૂપ. ૪૧-૪૩ ૧ ૩. ૪૬-૪૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ પાના નં.] ૪૯-૫૨ ૧૮. પ૨-૬૪ પર-૬૪ ૬૪-૬૮ ૩૪-૩૮ ૨૦. અપુનબંધકદ્વાિિશકા/અનુક્રમણિકા ( શ્લોક નં. વિષય ૧૭. વિવેકી એવા સમ્યગ્દષ્ટિની સંસારની ક્રિયાથી પણ કર્મબંધના અભાવની યુક્તિ. (i) સમ્યગ્દષ્ટિની આશયશુદ્ધિના કારણે સંસારની ક્રિયાના કાળમાં પણ યોગમાર્ગના અવિચ્છેદની યુક્તિ. (ii) અવિરત સમ્યગ્દષ્ટિની શુશ્રુષાદિ શુદ્ધ ક્રિયાનું સ્વરૂપ. | (i) સમ્યગ્દષ્ટિને પરમાર્થથી ભાવયોગ સ્વીકારવામાં યુક્તિ. (ii) સમ્યગ્દષ્ટિની અત્યંત વિવેકપૂર્વકની પ્રવૃત્તિનું સ્વરૂપ. સમ્યગ્દષ્ટિને શાસ્ત્રસંજ્ઞાવાળા સ્વીકારવાની યુક્તિ. | વિષયશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ. ૨૨. સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ. (i) અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ. (ii) વિષયશુદ્ધ અનુષ્ઠાનનું ફળ. (i) વિષયશુદ્ધ અનુષ્ઠાન અપેક્ષાએ પ્રશંસનીય, અપેક્ષાએ નિંદનીય. (ii) અપુનબંધકનું વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ પરંપરાએ મોક્ષનું કારણ. (iii) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અપેક્ષાએ નિંદનીય. (i) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અપેક્ષાએ નિંદનીય. (ii) અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન એકાંતે પ્રશંસનીય. (i) અનુબંધશુદ્ધ અનુષ્ઠાન ધરની આઘભૂમિકા તુલ્ય. (ii) તત્ત્વસંવેદનથી અનુગત અનુબંધશુદ્ધ અનુષ્ઠાનથી ઉત્તરોત્તર દોષનો વિગમ. ૬૮-૭૫ ૭૫-૭૭ ૨૧ , ૭૮-૮૧ ૨૩. ૮૧-૮૩ ૮૧-૮૯ ૮૭-૮૯ ૮૭-૯૦ ૮૭-૯૦ ૯૦-૯૩ ૯૦-૯૩ ૨૫. ૨ ૩. ૯૩-૯૬ ૯૩-૯૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્લોક નં. ૨૭. ૨૮. અપુનબંધકાત્રિશિકા/અનુક્રમણિકા વિષય પાના નં.) સંપૂર્ણ સિદ્ધિના ઉપાયભૂત ત્રણ પ્રત્યયોનું સ્વરૂપ. | ૯૭-૧૦૦ ત્રણ પ્રત્યયોનો વિચાર કર્યા વિના સ્વીકારેલા અનુષ્ઠાનથી કાર્યની સિદ્ધિનો અભાવ. ૧૦૧-૧૦૬ સાનુબંધ યોગના આરંભક જીવો હંમેશાં આત્માદિ ત્રણ પ્રત્યયપૂર્વક જ પ્રવૃત્તિ કરે તેમાં યુક્તિ. ૧૦૬-૧૦૮ સાનુબંધ યોગના આરંભક જીવોની માતાના ગર્ભયોગમાં પણ ઉચિત ક્રિયા. સમ્યગ્દષ્ટિના સાનુબંધ યોગના આરંભનું સ્વરૂ૫. ૧૧૨-૧૧૫ અપુનબંધક જીવોનાં વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનો પણ પ્રશાંતવાહિતાનું કારણ. ૧૧૬-૧૧૮ ૧૦૮-૧૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीँ श्रीशङ्खधरपार्श्वनाथाय नमः । છે નમ: | નમ: - न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचित स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत अपुनर्बन्धकद्वात्रिंशिका-१४ પૂર્વની મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા સાથે સંબંધ - मुक्त्यद्वेषक्रमेणाधिकारित्वप्राप्तिर्भवतीति प्रागुक्तं तत्र पूर्वमपुनर्बन्धकमेव થfથરિનાદ - અર્થ : મુક્તિઅદ્વેષતા ક્રમથી અધિકારીપણાની પ્રાપ્તિ થાય છે યોગમાર્ગના અધિકારીપણાની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે પૂર્વે કહેલ પૂર્વે મુક્તિઅષપ્રાધાન્યાવિંશિકાના શ્લોક-૩૨માં કહેલ, ત્યાં યોગમાર્ગના અધિકારીપણામાં, ધર્માધિકારી એવા અપુનબંધકને જ પ્રથમ કહે છે – ભાવાર્થ: મુક્તિઅદ્વેષ, મનાગુ મુક્તિરાગ, અત્યંત મુક્તિરાગ ઇત્યાદિ ક્રમથી જીવો યોગમાર્ગના અધિકારી અપુનબંધકાદિરૂપ થાય છે, તે વાત પૂર્વની મુક્તિઅષપ્રાધાન્યદ્વાáિશિકામાં કરી, તેથી એ પ્રાપ્ત થાય કે યોગમાર્ગની આદ્ય ભૂમિકાનો Page #25 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧ અધિકારી મુક્તિઅષવાળો અથવા મનાગૂ મુક્તિરાગવાળો જીવ છે, અને તે અપુનબંધક છે, તેથી ધર્માધિકારી એવા અપુનબંધકનું સ્વરૂપ પ્રસ્તુત કાત્રિશિકામાં બતાવે છે – અવતરણિકા - અપુનબંધક જીવનું સ્વરૂપ બતાવે છે - શ્લોક : शुक्लपक्षेन्दुवत्प्रायो वर्धमानगुणः स्मृतः । भवाभिनन्दिदोषाणामपुनर्बन्धको व्यये ।।१।। અન્વયાર્થ : ભવામિનનિષા વ્યવે=ભવાભિનંદીના દોષોનો વ્યય થયે છતે રાવપક્ષેનુવ–શુક્લપક્ષના ચંદ્રમાની જેમ પ્રાણી=બાહુલ્યથી વર્ધમાનપુE= વર્ધમાન ગુણવાળો પુનર્જન્ય:અપુતબંધક મૃત કહેવાયો છે. ll૧ાા શ્લોકાર્ચ - ભવાભિનંદીના દોષોનો વ્યય થયે છતે શુક્લપક્ષના ચંદ્રમાની જેમ બાહુલ્યથી વર્ધમાન ગુણવાળો અપુનબંધક કહેવાયો છે. ll૧] ટીકા : शुक्लेति-शुक्लपक्षेन्दुव=उज्ज्वलपक्षचन्द्रवत्, प्रायो बाहुल्येन, वर्धमाना:= प्रतिकलमुल्लसन्तो, गुणा औदार्य-दाक्षिण्यादयो यस्य, भवाभिनन्दिदोषाणां प्रागुक्तानां क्षुद्रत्वादीनां, व्यये अपगमे सति, अपुनर्बन्धका स्मृतः ।।१।। ટીકાર્ય : સુવત્તપક્ષેન્ડવત્ ..... મૃત: પૂર્વમાં કહેવાયેલા ભવાભિનંદીના સુત્વાદિ દોષોનો વ્યય થયે છતે, શુક્લપક્ષના ચંદ્રમાની જેમ=ઉજ્જવળ પક્ષના ચંદ્રમાની જેમ, પ્રાય:=બાહુલ્યથી, વર્ધમાન ગુણવાળો–પ્રતિ કલાએ ઉલ્લાસ પામતા ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણવાળો, અપુનબંધક કહેવાયો છે. [૧] Page #26 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧-૨ ભાવાર્થ :-- અપુનબંધકનું સ્વરૂપ : અનાદિકાળથી સંસારના કારણભૂત ક્ષુદ્રત્વાદિ દોષો જીવમાં વર્તે છે અને સંસારનો ગાઢ રાગ ઓછો થાય ત્યારે જીવમાં ઔદાર્ય-દાક્ષિણ્યાદિ ગુણો પ્રગટે છે; વળી શુક્લપક્ષનો ચંદ્ર પ્રતિદિવસ જેમ વૃદ્ધિને પામે છે, તેમ ઉત્તમ પુરુષોનો યોગ થતાં અપુનર્બંધક જીવમાં પ્રાયઃ ઔદાર્યાદિ ગુણો વૃદ્ધિ પામે છે. અહીં પ્રાયઃ કહેવાથી એ પ્રાપ્ત થાય કે અપુનર્બંધક જીવને પણ તેવી વિપરીત સામગ્રી મળે તો ઔદાર્યાદિ ગુણોને બદલે ક્ષુદ્રત્વાદિ ભાવો પણ ફરી પ્રગટ થાય છે. II શ્લોક ઃ अस्यैव पूर्वसेवोक्ता मुख्याऽन्यस्योपचारत: । अस्यावस्थान्तरं मार्गपतिताभिमुखौ पुनः ।।२।। 3 અન્વયાર્થ: : અર્થવ=આની જ=અપુનબંધકની જ, પૂર્વસેવા મુખ્યા વસ્તા=પૂર્વસેવા મુખ્ય કહેવાઈ છે, અન્યT=અન્યને=અપુનબંધક સિવાયના સમૃબંધકાદિને ૩૫ચારત=ઉપચારથી છે=પૂર્વસેવા ઉપચારથી છે. પુનઃ=વળી માર્ગપતિતામિમુલો માર્ગપતિત અને માર્ગાભિમુખ ગT=આનાં=અપુનર્બંધકનાં અવસ્થાન્તર= અવસ્થાન્તર છે=દશાવિશેષ છે. રા શ્લોકાર્થ : આની જ=અપુનબંધકની જ, પૂર્વસેવા મુખ્ય કહેવાઈ છે, અન્યની ઉપચારથી છે. વળી માર્ગપતિત અને માર્ગાભિમુખ આનાં= અપુનબંધનાં, અવસ્થાન્તર છે. ચા ટીકા : अस्यैवेति- अस्यैव - अपुनर्बन्धकस्यैव, उक्ता गुर्वादिपूजालक्षणा पूर्वसेवा मुख्या= कल्याणाशययोगेन निरुपचरिता, अन्यस्य = अपुनर्बन्धकातिरिक्तस्य सकृद्बन्ध Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪ અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૨ कादे:, पुन: उपचारत: सा, तथाविधभववैराग्याभावात् । मार्गपतितमार्गाभिमुखौ पुनः अस्य = अपुनर्बन्धकस्य, अवस्थान्तरं दशाविशेषरूपौ । मार्गों हि चेतसोऽवक्रगमनं भुजङ्गमनलिकायामतुल्यो (भुजङ्गमगमननलिकायामतुल्यो) विशिष्ट गुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः, तत्र प्रविष्टो मार्गपतितः, मार्गप्रवेशयोग्यभावापन्नश्च मार्गाभिमुख इति । न ह्येतावपुनर्बन्धकावस्थायाः परतरावस्थाभाजी, भगवदाज्ञावगमयोग्यतया पञ्चसूत्रकवृत्तावनयोહવત્ ।। ટીકાર્ય ઃ अस्यैव જીવન્તત્વાન્ ।। આની જ=અપુનબંધકની જ, કહેવાયેલી= પૂર્વમાં કહેવાયેલી, ગુર્વાદિપૂજાસ્વરૂપ પૂર્વસેવા મુખ્ય છે=કલ્યાણઆશયયોગને કારણે નિરુપચરિત છે-તત્ત્વના અભિમુખભાવરૂપ કલ્યાણઆશયયોગને કારણે નિરુપચરિત છે. અન્યને=અપુનર્બંધકથી અતિરિક્ત એવા સત્કૃબંધકાદિને, તે=પૂર્વસેવા, ઉપચારથી છે; કેમ કે તેવા પ્રકારના ભવવૈરાગ્યનો અભાવ છે=ભવના ઉત્કટ રાગના અભાવને કારણે ભવથી ઇષદ્ વિમુખભાવરૂપ અપુનબંધકને જેવો ભવવૈરાગ્ય થાય છે તેવા પ્રકારના ભવવૈરાગ્યનો અભાવ છે. માર્ગપતિત અને માર્ગાભિમુખ વળી આનાં=અપુનર્બંધકતાં, અવસ્થાન્તર છે=દશાવિશેષરૂપ છે. ..... માર્ગપતિત અને માર્ગાભિમુખનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે પ્રથમ માર્ગનું સ્વરૂપ બતાવે છે. ― માર્ગ એ ચિત્તના અવક્રગમનરૂપ, ભુજંગમના=સર્પના,ગમતની નલિકાના આયામતુલ્ય વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રગુણ=સમર્થ, સ્વરસવાહી ક્ષયોપશમવિશેષ છે.તેમાં=માર્ગમાં,પ્રવેશ પામેલા માર્ગપતિત છેઅને માર્ગપ્રવેશતા યોગ્ય ભાવને પામેલા માર્ગાભિમુખ છે. ‘તિ’ શબ્દમાર્ગપતિત અને માર્ગાભિમુખતા સ્વરૂપકથનની સમાપ્તિમાં છે. આમાર્ગપતિત અને માર્ણાભિમુખ,અપુનબંધક અવસ્થાથી પરતર=પાછળની, અવસ્થાને ભજવાવાળા નથી=અપુનબંધકની નીચેની અવસ્થાવાળા નથી; કેમ કે ‘પંચસૂત્ર'ની વૃત્તિમાં આ બન્નેને ભગવાનની આજ્ઞાના બોધને યોગ્યપણારૂપે કહેલ છે. ૨।। Page #28 -------------------------------------------------------------------------- ________________ અપુનઃબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૨ * અહીં ટીકામાં ‘મુનડ્ડામનતિાયામતુલ્યો' પાઠ છે તેના સ્થાને ‘લલિતવિસ્તરા’ ગ્રંથમાં ‘મુનક્ામગમનનિાયામતુલ્યો' પાઠ છે. તેથી અહીં મધ્યમપદલોપી સમાસથી ‘ગમન’ પદનું ગ્રહણ કર્યું છે. ભાવાર્થ:પૂર્વસેવા એટલે શું ? જેમ વિદ્યાને સિદ્ધ કરવા માટે બેસનારા વિદ્યાસાધક વિદ્યાસિદ્ધિ માટે બેસતાં પૂર્વે જે આચરણા કરે છે તેને પૂર્વસેવા કહેવાય છે, તેમ મોક્ષની સિદ્ધિ માટે યોગમાર્ગમાં પ્રયત્ન કરતા સાધકો યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રવેશ કરતાં પૂર્વે જે આચરણા કરે તે પૂર્વસેવા કહેવાય અર્થાત્ જેમ સાધક વિદ્યાની સિદ્ધિ કરવા અર્થે બેસે તેની પૂર્વે પૂર્વસેવા કરે છે, તેમ યોગમાર્ગના સાધક જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ ક૨વા પૂર્વે પૂર્વસેવારૂપ ગુર્વાદિપૂજારૂપ ક્રિયાઓ કરે છે. અપુનબંધકની જ મુખ્ય પૂર્વસેવા અને સમૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા ઃપૂર્વસેવા નામની ૧૨મી દ્વાત્રિંશિકામાં ગુર્વાદિપૂજારૂપ ચાર પ્રકારે પૂર્વસેવા બતાવી છે. પ એ પૂર્વસેવા અપુનર્બંધકને મુખ્ય છે; કેમ કે તત્ત્વને અભિમુખભાવવાળા એવા અપુનર્બંધકને કલ્યાણના આશયનો યોગ છે, તેથી અપુનર્બંધકની પૂર્વસેવા યોગમાર્ગમાં પ્રવેશનું કારણ છે, માટે નિરુપચરિત છે. વળી, અપુનર્બંધક સિવાયના સમૃદ્ધધકાદિની પૂર્વસેવા યોગમાર્ગમાં પ્રવેશનું કારણ નથી, પરંતુ યોગમાર્ગના પ્રવેશનું કારણ એવી જે મુખ્ય પૂર્વસેવા અપુનર્બંધકને કહેલ છે, તેનું કારણ એવી પૂર્વસેવા સમૃબંધકાદિની છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમૃબંધકાદિની પૂર્વસેવાને પૂર્વસેવા કહી શકાય અથવા તદર્થાલોચનાદિ કરે તેવા પ્રકારના ભવવૈરાગ્યનો સમૃદ્ધધકાદિમાં અભાવ હોવાને કારણે સમૃબંધકાદિની પૂર્વસેવા યોગમાર્ગના પ્રવેશનું કારણ નથી, ફક્ત અપુનર્બંધકની પૂર્વસેવા સદશ સમૃદ્ધ્ધકની બાહ્ય આચરણા હોવાથી તેની પૂર્વસેવાને ઉપચારથી પૂર્વસેવા કહેવાય. વળી, માર્ગપતિત અને માર્ગાભિમુખ એ બે અવસ્થાઓ પણ અપુનર્બંધકની જ દાવિશેષ છે અર્થાત્ આદ્યભૂમિકાવાળા અપુનર્બંધક જીવો મુક્તિઅદ્વેષવાળા Page #29 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિંશિકા/મ્લોક-૨ હોય છે, અને તેઓ કંઈક મુક્તિરાગવાળા થાય છે ત્યારે માર્ગપતિત અને માભિમુખ બને છે, તેથી માર્ગપતિત અને માર્ગાભિમુખ એ બંને અપુનર્બંધકની જ અવસ્થાવિશેષ છે. h માર્ગપતિત અને માર્ગાભિમુખનું સ્વરૂપ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી માર્ગનું સ્વરૂપ બતાવે છે માર્ગ એટલે તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ચિત્તનું અવક્રગમન. ચિત્તના અવક્રગમનનું સ્વરૂપ દૃષ્ટાંતથી બતાવે છે જેમ સાપ સહજ પ્રકૃતિથી વક્રગમનના સ્વભાવવાળો છે, તેમ સંસારી જીવો સહજ પ્રકૃતિથી તત્ત્વના માર્ગમાં વક્રગમનના સ્વભાવવાળા છે. વળી, જેમ વક્રગમનના સ્વભાવવાળો સાપ કોઈ સીધી નલિકામાં પ્રવેશ કરે તો તે નલિકામાં સાપનું ગમન વક્ર થતું નથી, પરંતુ સીધું થાય છે; તેમ સંસારી જીવોનું ચિત્ત અનાદિકાળથી કર્મને વશ તત્ત્વાતત્ત્વના વિભાગમાં વક્રગમનવાળું છે, તોપણ જે જીવો આપ્તપુરુષોના વચનને અવલંબીને તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ યત્ન કરે છે, અને તેઓના કર્મની કંઈક અલ્પતા થયેલી હોય, તો તેઓનું ચિત્ત તત્ત્વને અભિમુખ ગમન કરે છે, અને ક્રમસર તત્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે. તે વખતે તેમનામાં વર્તતો તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ એવો ક્ષયોપશમવિશેષ ભુજંગની નલિકાના આયામ=લંબાઈ જેવો છે, અને તેને માર્ગ કહેવાય છે; અને ચિત્તના અવક્રગમનરૂપ આ માર્ગ વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ છે, તેથી આ માર્ગમાં ચાલીને જીવ યત્ન કરે તો ગ્રંથિનો ભેદ કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ આદિ વિશિષ્ટ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. વળી ચિત્તનું આ અવક્રગમન જીવના પોતાના સ્વરસને વહન કરનારું છે અર્થાત્ જીવનો મૂળ સ્વભાવ અવક્રગમનનો છે, અને જીવના અવક્રગમનરૂપ સ્વરસને વહન કરનાર આ માર્ગ છે; અને આ માર્ગ જીવના મતિજ્ઞાનના ક્ષયોપશમવિશેષરૂપ છે, અને આવા ક્ષયોપશવિશેષરૂપ માર્ગમાં પ્રવેશ પામેલા જીવો માર્ગપતિત છે. ‘લલિતવિસ્તરા’ ગ્રંથમાં ‘મગંદયાણં’નું સ્વરૂપ બતાવતાં ભગવાનને ‘માર્ગ દેનારા' કહ્યા, તે માર્ગમાં રહેલા જીવો માર્ગપતિત છે, જે યોગની ત્રીજી-ચોથી - Page #30 -------------------------------------------------------------------------- ________________ અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૨-૩ દૃષ્ટિરૂપ છે; અને માર્ગપ્રવેશના યોગ્ય ભાવને પ્રાપ્ત થયેલા જીવો માભિમુખ છે, આ ‘ચક્કુદયાણં' રૂપ યોગની બીજી દૃષ્ટિરૂપ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે યોગની પ્રથમ દૃષ્ટિમાં આવ્યા પછી જીવ બીજી દૃષ્ટિમાં આવે ત્યારે માર્ગમાં પ્રવેશ ક૨વાને યોગ્ય એવી ચક્ષુ મળે છે, તેથી તત્ત્વની જિજ્ઞાસા પ્રગટે છે. આવો માર્ગાભિમુખ થયેલો જીવ તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ સમ્યક્ યત્ન કરે છે ત્યારે માર્ગપ્રવિષ્ટ=માર્ગપતિત બને છે, અને આ માર્ગપ્રવેશ વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ છે. અહીં કોઈક માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવોને મોક્ષમાર્ગની અપેક્ષાએ અપુનર્બંધકથી દૂરવર્તી જીવો તરીકે ગ્રહણ કરે છે, તે રીતે ગ્રહણ કરવાના નથી, તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવો અપુનર્બંધક અવસ્થાથી દૂરતર અવસ્થાવાળા જીવો નથી; કેમ કે ‘પંચસૂત્ર’ની વૃત્તિમાં ભગવાનની આજ્ઞાનો બોધ ક૨વા માટે યોગ્ય તરીકે માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવોને ગ્રહણ કર્યા છે, તેથી એ ફલિત થાય કે અપુનર્બંધકની વિશેષ અવસ્થારૂપે માર્ગપતિત અને માભિમુખ જીવો છે, પરંતુ અપુનર્બંધક કરતાં યોગમાર્ગમાં દૂરની અવસ્થાવાળા માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવો નથી. IIII ૭ અવતરણિકા : શ્લોક-૨માં બતાવ્યું કે માર્ગપતિત અને માર્ગાભિમુખ અપુનબંધકની અવસ્થાન્તર છે. તેનાથી અન્ય મતવાળા અભયદેવસૂરીશ્વરજી મહારાજ માર્ગપતિત અને માર્ગાભિમુખને અપુનર્બંધકનાં અવસ્થાન્તર સ્વીકારતા નથી; પરંતુ અપુનબંધકથી દૂરવર્તી અવસ્થા તરીકે સ્વીકારે છે. તે બતાવવા અર્થે કહે છે શ્લોક ઃ --- योग्यत्वेऽपि व्यवहितौ परे त्वेतौ पृथग् जगुः । अन्यत्राप्युपचारस्तु सामीप्ये बह्वभेदतः ||३|| ।।३।। Page #31 -------------------------------------------------------------------------- ________________ . અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૩ અન્વયાર્થઃ તુ=વળી યોખ્યત્વેઽપિ=યોગ્યપણું હોવા છતાં પણ હતો તો= અપુનર્બંધકની અપેક્ષાએ મોક્ષમાર્ગથી દૂર રહેલા એવા આમને=માર્ગપતિત અને માર્ગાભિમુખતે પૃથક્=અપુનબંધકથી ભિન્ન પરેઃ નવુઃ=બીજા કહે છે= અભયદેવસૂરીશ્વરજી મહારાજ કહે છે. તુ=વળી અન્યત્રાપિ=અન્યત્ર પણ= સમૃબંધકાદિમાં પણ, સામીપ્લે=સામીપ્ય હોવાને કારણે=અપુનબંધકની નજીક હોવાને કારણે વમેવતઃ=બહુ અભેદ હોવાથી ઉપચાર:=ઉપચાર છે-પૂર્વસેવાનો ઉપચાર છે. II૩।। શ્લોકાર્થ : વળી યોગ્યપણું હોવા છતાં પણ અપુનર્બંધની અપેક્ષાએ મોક્ષમાર્ગથી દૂર રહેલા આમને=માર્ગપતિત અને માર્ગાભિમુખને, અપુનર્બંધકથી ભિન્ન બીજા કહે છે. વળી અન્યત્ર પણ=સકૃબંધકાદિમાં પણ, અપુનર્બંધથી સામીપ્ય હોવાને કારણે બહુ અભેદ હોવાથી પૂર્વસેવાનો ઉપચાર છે. II3II ટીકા ઃ योग्यत्वेऽपीति - परे त्वेतौ=मार्गपतितमार्गाभिमुखौ, योग्यत्वेऽपि व्यवहितौ = अपुनर्बन्धकापेक्षा दूरस्थाविति पृथक् = अपुनर्बन्धकाद् भिन्नो, जगुः, अन्यत्रापि सकृद्बन्धकादावपि, उपचारस्तु पूर्वसेवायाः सामीप्ये अपुनर्बन्धकसन्निधानलक्षणे સતિ, વમેવતા=અતિભેદ્દામાવાત્ ।।રૂ|| ટીકાર્ય - परे त्वेतौ અતિખેવામાવાત્ ।। પરે=વળી બીજા=અભયદેવસૂરીશ્વરજી મહારાજ, આમને=માર્ગપતિત અને માર્ગાભિમુખતે, યોગ્યપણું હોવા છતાં પણ વ્યવધાનવાળા=અપુનબંધકની અપેક્ષાએ દૂર રહેલા, પૃથક્અપુનબંધકથી ભિન્ન કહે છે. અન્યત્ર પણ=સમૃદ્ધ્ધકાદિમાં પણ, પૂર્વસેવાનો ઉપચાર છે; કેમ કે સામીપ્ય હોતે છતે=અપુનબંધકના સંનિધાનરૂપ સામીપ્ય હોતે છતે, બહુ અભેદ છે=અતિભેદનો અભાવ છે=અપુનર્બંધકથી અતિભેદનો અભાવ છે. II3II Page #32 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩ ક યોગ્યત્વેડ'િ અહીં ‘પ’ થી એ કહેવું છે કે સબંધકાદિ અયોગ્ય હોવાને કારણે અપુનબંધકથી વ્યવધાનવાળા છે, પરંતુ માર્ગપતિત અને માર્ગાભિમુખ ભગવદ્ આજ્ઞાના અવગમને યોગ્ય હોવા છતાં પણ અપુનબંધકની અપેક્ષાએ વ્યવધાનવાળા છે. ‘કન્યત્રપિ'=સર્વત્થાવાવ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અપુનબંધકમાં તો પૂર્વસેવા છે પણ સબંધકમાં પણ પૂર્વસેવાનો ઉપચાર છે, અને સર્વત્થાવાવા'માં “આદિ' થી દ્વિબંધકનું ગ્રહણ કરવું. ભાવાર્થ :અન્ય દષ્ટિકોણથી માર્ગપતિત અને માર્ગાભિમુખ એ અપુનબંધકની પૂર્વની અવસ્થાઓ - શ્લોક-રમાં માર્ગપતિત અને માર્ગાભિમુખને અપુનબંધકની અવસ્થાવિશેષરૂપે સ્વીકાર્યા અને તે કથન ‘પંચસૂત્ર'ના વૃત્તિકાર પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના વચનથી કરેલ. હવે કેટલાક મહાત્માઓ માર્ગપતિત અને માર્ગાભિમુખને ભગવદ્ આજ્ઞાના અવગમને યોગ્ય સ્વીકારે છે, પરંતુ અપુનબંધકની અવસ્થાવિશેષરૂપે સ્વીકારતા નથી, પણ કહે છે કે માર્ગપતિત અને માર્ગાભિમુખ અપુનબંધકની અપેક્ષાએ દૂર રહેલા જીવો છે. તેથી માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવો અપુનબંધકથી ભિન્ન છે, પરંતુ અપુનબંધકની અવસ્થાવિશેષરૂપ નથી. આ કથનથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના માર્ગને સમજવાને યોગ્ય આદ્ય ભૂમિકાવાળા માર્ગાભિમુખ જીવો છે, બીજી ભૂમિકાવાળા માર્ગપતિત જીવો છે અને ત્રીજી ભૂમિકાવાળાઅપુનબંધક જીવો છે. વળી સફબંધકાદિ જીવો જે પૂર્વસેવાનું આચરણ કરે છે તે પૂર્વસેવા મુખ્ય પૂર્વસેવા નથી, પરંતુ કારણમાં કાર્યનો ઉપચાર કરીને સફબંધકાદિની આચરણાને પૂર્વસેવા કહેવાઈ છે; કેમ કે અપુનબંધકની અતિ નજીકની અવસ્થા સફદ્ભધકાદિની છે, તેથી અપુનબંધકની અપેક્ષાએ સફદ્ભધકાદિનો અતિભેદ નથી. આનાથી એ ફલિત થાય કે સકૃબંધકાદિની પૂર્વસેવાની આચરણા સાક્ષાત્ યોગમાર્ગનું કારણ નથી, પરંતુ યોગમાર્ગના કારણભૂત એવી અપુનબંધકની પૂર્વસેવાનું કારણ છે, તેથી મુખ્ય પૂર્વસેવાનું કારણ સબંધકાદિની પૂર્વસેવા હોવાથી ઉપચારથી સબંધકાદિની પૂર્વસેવાને પણ પૂર્વસેવા કહેવાય.IIકા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અવતરણિકા : શ્લોક-૨માં કહેલ કે સમૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા છે. ત્યાં પ્રશ્ન થાય કે સમૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા છે, તેનું તાત્પર્ય શું છે ? તેથી કે શ્લોક-૩ના ઉત્તરાર્ધમાં અપુનર્બંધકની નજીકની અવસ્થા હોવાને કારણે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમૃદ્ધ્ધકાદિની પૂર્વસેવા ઉપચારથી છે, તેમ કહેલ છે; અને હવે સમૃબંધકાદિની પૂર્વસેવા, કારણમાં કાર્યના ઉપચારરૂપે કઈ રીતે સંગત છે ? તે શ્લોકના પૂર્વાર્ધથી બતાવે છે, અને સમૃબંધકાદિની પૂર્વસેવામાં ઉપચારવિષયક અન્યમતને શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે શ્લોક ઃ - અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૪ परिणामिनि कार्याद्धि सर्वथा नास्ति भिन्नता । तत्प्रकृत्या विनाप्यूहमन्यत्रैनां परे जगुः ||४ | અન્વયાર્થ : પરિમિનિ=પરિણામીમાં=સકૃબંધકાદિરૂપ પરિણામીમાં હ્રાર્થાત્ દિ= કાર્યથી=અપુનબંધકાદિરૂપ કાર્યથી સર્વથા મિત્રતા=સર્વથા ભિન્નતા નાસ્તિ=નથી; તન્ત્રત્યા=તત્પ્રકૃતિ હોવાથી=તીવ્ર સંક્લેશવાળી પ્રકૃતિ હોવાથી મ્ વિનાવિ= ઊહ વિના પણ=ભવસ્વરૂપનિર્ણાયક ઊહ વિના પણ અન્યત્ર=સકૃબંધકાદિમાં નાં=આને=ઉપચરિત પૂર્વસેવાને પરે નવુ=પર=અન્ય આચાર્યો કહે છે. II૪ શ્લોકાર્થ : સમૃદ્ધંધકાદિરૂપ પરિણામીમાં અપુનર્બંધકાદિરૂપ કાર્યથી સર્વથા ભિન્નતા નથી; તત્પ્રકૃતિ હોવાથી=તીવ્ર સંક્લેશવાળી પ્રકૃતિ હોવાથી, ઊહ વિના પણ સમૃદ્ધંધકાદિમાં ઉપચરિત પૂર્વસેવાને પર=અન્ય આચાર્યો કહે છે. [૪]] * ‘ન્હેં વિનાવિ’ અહીં ‘પ’ થી એ કહેવું છે કે પરિણામી એવા સમૃદ્ધધકાદિમાં અપુનર્બંધકરૂપ કાર્યથી સર્વથા ભિન્નતા નથી, તે અપેક્ષાએ તો કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઉપચરિત પૂર્વસેવા છે; પરંતુ ઊહ વિના પણ સમૃદ્ધંધકાદિમાં ઉપચરિત પૂર્વસેવા છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૪ ટીકા : परिणामिनीति-कार्यात् हि परिणामिनि सर्वथा भिन्नता नास्ति, यथा घटादेम॒त्पिण्डादौ । एवमपुनर्बन्धकादेरपि सकृद्बन्धकादौ न सर्वथा भिन्नतेति भावनीयं । तदुक्तं - “कृतश्चास्या उपन्यास: शेषापेक्षोऽपि कार्यतः। नासन्नोऽप्यस्य बाहुल्यान्नान्यथेति प्रदर्शकः (बाहुल्यादन्यथैतत्प्रदर्शक:)" ।। (યો વિવું . ૨૮૦ ) परे पुनरन्यत्र=सकृबन्धकादौ, अनालोचनगर्भत्वाद्=भवस्वरूपनिर्णायकोहापोहाद्यभावसङ्गतत्वाद्, एनाम्-उपचरितां पूर्वसेवां, जगुः प्राहुः । प्राचि पक्षे कारणे कार्योपचारः, अत्र त्वनालोचनद्वाराऽमुख्यत्वरूप उपचार इति विशेषः ।।४।। ટીકાર્ચ - વત્ દિ... વિશેષ: II કાર્યથી પરિણામમાં સર્વથા ભિન્નતા નથી, જે પ્રમાણે ઘટાદિથી ઘટાદિ કાર્યથી, મૃતિંડાદિમાંકમૃપિંડાદિ પરિણામી કારણમાં, સર્વથા ભિન્નતા નથી, એમ અવય છે. એ રીતે પૂર્વમાં ઘટાદિ કાર્યથી મૃપિંડાદિમાં સર્વથા ભિન્નતા નથી એમ બતાવ્યું એ રીતે, અપુતબંધકાદિથી પણ અપુતબંધકાદિરૂપ કાર્યથી પણ, સકૃબંધકાદિમાં= સકૃબંધકાદિરૂ૫ પરિણામી કારણમાં, સર્વથા ભિન્નતા નથી, એ પ્રમાણે ભાવન કરવું. તે કહેવાયું છે ‘કાર્યથી પરિણામી કારણની સર્વથા ભિન્નતા નથી' તે યોગબિંદુ શ્લોક-૧૮૦માં કહેવાયું છે – શેષની અપેક્ષાએ પણ અપુનબંધકભાવની આસન્ન રહેલા શેષની અપેક્ષાએ પણ અપુનર્બલકભાવની આસન્ન રહેલા સકૃબંધકાદિ જીવોની અપેક્ષાએ પણ, કાર્યથી= ભાવિમાં થનારા પૂર્વસેવારૂપ કાર્યથી, આનો ઉપન્યાસ કરાયો છે સકૃબંધકાદિમાં પૂર્વસેવાનો ઉપવાસ કરાયો છે. જે કારણથી) આની=અપુનબંધકભાવની આસન્ન પણ જીવ બહુલતાથી અન્યથા નથી જ=અપુનબંધકની આચરણાથી વિલક્ષણ વર્તે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૪ એ પ્રમાણે નથી જ, એ અર્થનો પ્રદર્શક છે સકૃબંધકાદિમાં પૂર્વસેવાનો કરાયેલો ઉપચાસ આ અર્થને બતાવનાર છે.” (યોગબિંદુ શ્લોક-૧૮૦) વળી બીજા અન્યત્ર=સકૃબંધકાદિમાં, અનાલોચતગર્ભપણું હોવાના કારણે=ભવસ્વરૂપનિર્ણાયક ઊહાપોહાદિના અભાવથી યુક્તપણું હોવાને કારણે, આને=ઉપચરિત પૂર્વસેવાને, કહે છે. પૂર્વના પક્ષમાં કાર્યથી પરિણામી કારણને સર્વથા ભિન્ન નહીં સ્વીકારનાર પક્ષમાં, કારણમાં કાર્યનો ઉપચાર છે. વળી અહીં=શ્લોકના ઉત્તરાર્ધમાં બતાવેલ બીજા પક્ષમાં, અનાલોચન દ્વારા અમુખ્યત્વરૂપ ઉપચાર છેઆભાસિક પૂર્વસેવા છે, એ પ્રકારનો વિશેષ છે એ પ્રકારનો ભેદ છે. જા નોંધ :- ટીકામાં આપેલ યોગબિંદુના ઉદ્ધરણમાં વાદુન્યત્રીન્યક્તિ પ્રદર્શ' ના સ્થાને ‘વહુન્યચિત~ર્શ:' એ પાઠ યોગબિંદુ શ્લોક-૧૮૦ પ્રમાણે જોઈએ. ભાવાર્થ :સબંધકની ઉપચારથી પૂર્વસેવા કઈ અપેક્ષાએ છે, તેનું સ્પષ્ટીકરણ : શ્લોક-૩ના ઉત્તરાર્ધમાં કહેલ કે સકૃબંધકાદિ અપુનબંધકની આસગ્નવર્તી જીવો છે, તેથી અપુનર્ધધક કરતાં સબંધકાદિનો અતિભેદ નથી, માટે સફબંધકાદિમાં પૂર્વસેવાનો ઉપચાર છે. તે ઉપચાર કઈ અપેક્ષાએ છે તે આ શ્લોકના પૂર્વાર્ધથી સ્પષ્ટ કરે છે – કાર્યથી પરિણામી કારણ સર્વથા ભિન્ન નથી, જેમ ઘટાદિરૂપ કાર્યથી મૃપિંડાદિ પરિણામી કારણ સર્વથા ભિન્ન નથી; કેમ કે મૃપિંડમાં ઘટની યોગ્યતા છે અને તે યોગ્યતાને કારણે મૃપિંડ ઘટરૂપે પરિણમન પામે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઉપાદાનકારણમાં કાર્યરૂપે થવાની નજીકની ભૂમિકા છે, તેથી ઉપાદાનકારણ કાર્યથી સર્વથા ભિન્ન નથી. એ રીતે અપુનબંધકાદિ જીવોથી સકૃબંધકાદિ જીવોમાં પણ સર્વથા ભિન્નતા નથી; કેમ કે સફબંધકાદિ જીવો જ અપુનબંધકાદિરૂપ થાય છે. આનાથી એ ફલિત થાય કે અપુનબંધકની ગુર્વાદિપૂજારૂપ આચરણા અને સફબંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણા કથંચિત્ ભિન્ન હોવા છતાં સર્વથા ભિન્ન નથી; કેમ કે સબંધકાદિ જીવો ગુર્વાદિપૂજારૂપ આચરણાને સેવી Page #36 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૪ ૧૩ સેવીને ક્રમે કરીને અપુનબઁધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણાને પ્રાપ્ત કરશે ત્યારે તેઓની ગુર્વાદિપૂજારૂપ આચરણા પૂર્વસેવા બનશે, તેથી આ પક્ષમાં સબંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણા અપુનર્બંધકની ગુર્વાદિપૂજારૂપ આચરણાનું કારણ છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમૃબંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણાને પૂર્વસેવા કહેલ છે. અહીં વિશેષ એ છે કે સમૃબંધકાદિ જીવો પણ ગુર્વાદિપૂજારૂપ આચરણાઓ કરે છે અને અપુનબંધકાદિ જીવો પણ ગુર્વાદિપૂજારૂપ આચરણાઓ કરે છે. બંનેની આચરણા સમાન હોવા છતાં અપુનર્બંધક જીવોમાં અતત્ત્વનો રાગ અનિવર્તનીય નથી, તેથી અપુનર્બંધકમાં તત્ત્વનો અભિમુખભાવ છે, માટે તેઓની ગુર્વાદિપૂજારૂપ આચરણા પૂર્વસેવા બને છે; અને સમૃબંધકાદિ જીવોમાં અતત્ત્વનો રાગ અનિવર્તનીય છે, આમ છતાં અત્યંત અનિવર્તનીય નથી, તેથી જ્યારે અતત્ત્વનો રાગ નિવર્તનીય બનશે ત્યારે અપુનર્બંધકદશા પ્રાપ્ત થશે, માટે સફ઼બંધકાદિ જીવો અપુનર્બંધકની આસન્ન છે, તેથી સમૃદ્ધંધકાદિ જીવોની ગુર્વાદિપૂજારૂપ આચરણાને મુખ્ય પૂર્વસેવા ન કહેતાં ઉપચારથી પૂર્વસેવા કહી; કેમ કે અપુનર્બંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણા યોગમાર્ગના પ્રવેશનું કારણ હોવાથી પૂર્વસેવા છે. તેવી સમૃબંધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણા યોગમાર્ગના પ્રવેશનું કારણ નથી, પરંતુ અપુનર્બંધકની પૂર્વસેવાનું કારણ છે, તેથી સમૃદ્ધ્ધકાદિની ગુર્વાદિપૂજારૂપ આચરણાને ઉપચારથી પૂર્વસેવા કહેલ છે. શ્લોકના ઉત્તરાર્ધથી સમૃદ્ધધકાદિની પૂર્વસેવાના ઉપચારનું તાત્પર્ય અન્ય રીતે સ્પષ્ટ કરે છે અન્ય આચાર્યો કહે છે કે સમૃદ્ધધકાદિ જીવોમાં તત્ત્વનું આલોચન હોતું નથી, તેથી ભવસ્વરૂપનો નિર્ણય ક૨ાવનાર એવો ઊહ-અપોહ તેઓમાં નથી. માટે તેઓ ગુર્વાદિપૂજારૂપ આચરણાઓ કરે છે, તે આચરણાઓ પૂર્વસેવા નથી; પરંતુ અપુનર્બંધક જીવો ગુર્વાદિપૂજારૂપ આચરણા કરે છે, તત્સદશ બાહ્યથી સમૃબંધકાદિની આચરણા છે, તેથી તેને ઉપચારથી પૂર્વસેવા કહી શકાય. આ પક્ષ પ્રમાણે અમુખ્યત્વરૂપ ઉપચાર છે. આનાથી એ ફલિત થાય કે સમૃદ્ધ્ધકાદિ જીવો ગુર્વાદિપૂજારૂપ આચરણા કરે છે, તે વસ્તુતઃ પૂર્વસેવા નથી, પરંતુ પૂર્વસેવા સદશ બાહ્ય આચરણાને કારણે પૂર્વસેવાનો આભાસ છે. I૪ll Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અવતરણિકા : શ્લોક-૪ના ઉત્તરાર્ધથી કહ્યું કે અન્ય આચાર્યો સમૃદ્ધ્ધકાદિમાં ભવસ્વરૂપના નિર્ણાયક ઊહના અભાવને કારણે અમુખ્ય પૂર્વસેવા સ્વીકારે છે. તે કથન યુક્ત છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૫ શ્લોક ઃ युक्तं चेतन्मले तीव्रे भवासङ्गो न हीयते । सङ्क्लेशायोगतो मुख्या सान्यथा नेति हि स्थितिः ।।५ ।। અન્વયાર્થ : તત્ત્વ=ઞા પણ=શ્ર્લોક-૪ના ઉત્તરાર્ધમાં અન્ય આચાર્યનો મત બતાવ્યો એ પા યુĒ=યુક્ત છે, =િજે કારણથી તીવ્રમત્તે–તીવ્ર મળ હોતે છતે, મવાસ= ભવતો નાસંગ ભવનો પ્રતિબંધ નીયતે=ઓછો થતો નથી.સંજ્ઞેશાયોતઃ= સંક્લેશન અયોગળી-અતિ તીવ્ર સંક્લેશના અયોગથી સા=પૂર્વસેવા મુલ્યા= મુખ્ય છે, અન્યથા અતિ તીવ્ર સંક્લેશના અયોગવિના 7=તથી=પૂર્વસેવા મુખ્ય નથી, કૃતિ=એ પ્રકારની સ્થિતિઃ સ્થિતિ છે-શાસ્ત્રમર્યાદા છે. ।।૫।। = - શ્લોકાર્થ : આ પણ=શ્લોક-૪ના ઉત્તરાર્ધમાં અન્ય આચાર્યનો મત બતાવ્યો એ પણ, યુક્ત છે, જે કારણથી તીવ્ર મળ હોતે છતે ભવનો પ્રતિબંધ ઓછો થતો નથી. અતિ તીવ્ર સંક્લેશના અયોગથી પૂર્વસેવા મુખ્ય છે, અન્યથા પૂર્વસેવા મુખ્ય નથી, એ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે. IIT * ‘તત્ત્વ’=‘તપ’ શ્લોકમાં આ ‘’ કાર ‘પ’ અર્થમાં છે અને ‘પ્’ થી એ કહેવું છે કે ‘કાર્યથી પરિણામી કારણની સર્વથા ભિન્નતા નથી,' એ મત પ્રમાણે કારણમાં કાર્યનો ઉપચાર સ્વીકારીને સમૃદ્ધધકાદિની પૂર્વસેવા સ્વીકારી તે તો યુક્ત છે, પરંતુ અન્ય આચાર્યના મતે અમુખ્યત્વરૂપ ઉપચારથી સબંધકાદિમાં પૂર્વસેવા સ્વીકારી તે પણ યુક્ત છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૫ યુત્તમિતિ-તત્ત્વ=તવૃત્તિ યુ, તીવ્ર=અત્યન્તમુટે, મતે ર્મવન્ય ક્ષળે, (ર્મવન્ધયો વતાલક્ષળે) મવાસક્=સંસારપ્રતિવન્ધ:, ન દીવસે શેષનન્તો:, मनागपि हि तन्निवृत्तौ तस्यापुनर्बन्धकत्वमेव स्यादिति सङ्क्लेशायोगतः = पुनरतितीव्रसङ्क्लेशाप्राप्ती, सा= पूर्वसेवा, मुख्या, उत्तरोत्तरभववैराग्यादिकल्याणनिमित्तभावात्, अन्यथा नेति हि स्थितिः शास्त्रमर्यादा ।।५ ।। ટીકા : ટીકાર્ય : एतच्च = एतदपि કેમ યુક્ત છે ? તેમાં હેતુ કહે છે તીવ્ર=અત્યંત ઉત્કટ, કર્મબંધયોગ્યતારૂપ મળ હોતે છતે ભવનો આસંગ=સંસારનો પ્રતિબંધ, શેષ જંતુને=સકૃબંધકાદિ જીવોને અલ્પ થતો નથી, =િજે કારણથી થોડા પણ તેની નિવૃત્તિમાં=તીવ્ર સંક્લેશની નિવૃત્તિમાં, તેનું=જીવવું, અપુનર્બંધકપણું જથાય. કૃતિ=એથી, સંક્લેશના અયોગથી=અતિ તીવ્ર સંક્લેશની અપ્રાપ્તિમાં, વળી તે=પૂર્વસેવા, મુખ્ય થાય; કેમ કે ઉત્તરોત્તર ભવવૈરાગ્યાદિ કલ્યાણનો નિમિત્તભાવ છે. અન્યથા નથી-અતિ તીવ્ર સંક્લેશની અપ્રાપ્તિના અભાવમાં મુખ્ય પૂર્વસેવા નથી, એ પ્રમાણે સ્થિતિ છે=શાસ્ત્રમર્યાદા છે. પા ..... શાસ્ત્રમર્યાદ્દા ।। આ પણ યુક્ત છે. ૧૫ * ‘મનપ’ અહીં ‘પ' થી એ કહેવું છે કે ભવનો આસંગ ઘણો નિવૃત્ત થાય તો અપુનર્બંધક થાય જ, પણ થોડો પણ નિવૃત્ત થાય તોપણ અપુનર્બંધક થાય. * ‘ઉત્તરોત્તરમવવેરાવિન્ત્યાનિમિત્તમાવાત્' અહીં ‘વિ’ થી ભવના ઉચ્છેદની પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. નોંધ :- ટીકામાં ‘મને જર્મવન્વલક્ષને’ પાઠ છે, તેના સ્થાને યોગબિંદુ અનુસાર ‘મલેર્મવયોયતાનક્ષળે' એવો પાઠ છે. તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ : સફ઼બંધકની ઉપચારથી પૂર્વસેવા કઈ અપેક્ષાએ છે, તેનું સ્પષ્ટીકરણ : શ્લોક-૪ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સમૃદ્ધધકાદિ જીવોને ભવસ્વરૂપનો નિર્ણાયક ઊહ-અપોહ આદિનો અભાવ હોવાને કારણે અમુખ્ય Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-પ પૂર્વસેવા છે, તે કથન પણ યુક્ત છે; કેમ કે જીવમાં કર્મબંધની યોગ્યતારૂપ ઉત્કટ મળ વર્તતો હોય ત્યારે સકૃબંધકાદિ જીવોને સંસારનો પ્રતિબંધ નિવર્તન પામતો નથી, અને સંસારનો પ્રતિબંધ થોડો પણ નિવર્તન પામે તો તે જીવ અપુનબંધક જ થાય. આશય એ છે કે જીવમાં રાગ, દ્વેષ અને મોહના પરિણામરૂપ કર્મબંધની યોગ્યતાસ્વરૂપ ભાવમળ વર્તે છે, અને આ ભાવમળ જેટલો ઉત્કટ તેટલો દીર્ઘ સંસાર ચાલે છે; કેમ કે દૂરદૂરના પુદ્ગલપરાવર્તામાં ભાવમળ ઘણો હોય છે, અને પ્રતિ પુદ્ગલપરાવર્તનમાં ભવ્ય જીવોનો ભાવમળ ઘટે છે. આમ છતાં ઉપદેશાદિથી અસહ નિવર્તન પામે તેવો ભાવમળ અલ્પ ન થાય ત્યાં સુધીનો ભાવમળ તીવ્ર ભાવમળ છે, અને તેનાથી પૂર્વપૂર્વના પુદ્ગલ પરાવર્તનમાં તીવ્રતર તીવ્રતમ ભાવમળ છે; અને સબંધકાદિમાં પણ આ ભાવમળ દૂરના પુદ્ગલપરાવર્તન કરતાં ઓછો હોવા છતાં હજી અતત્ત્વનો રાગ નિવર્તન પામે તેવો નથી, તેથી ઉત્કટ ભાવમળ છે; અને આવો ઉત્કટ ભાવમળ જ્યાં સુધી જીવમાં વર્તે છે, ત્યાં સુધી સંસારનો પ્રતિબંધ ઘટતો નથી, તેથી આવા જીવો સંસારના કારણભૂત એવા અતત્ત્વ પ્રત્યેના રાગવાળા હોય છે, અને થોડોક પણ ભાવમળ ઘટે તો જીવને સંસારના કારણભૂત અતત્ત્વનો રાગ અનિવર્તનીય રહેતો નથી, અને તેવા જીવો અપુનબંધક થાય છે, આથી અપુનબંધક જીવોને ઉપદેશાદિની સામગ્રી મળે તો અતત્ત્વનો રાગ ક્રમસર નિવર્તન પામતો જાય છે અને કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે. આનાથી એ ફલિત થાય કે અતિ તીવ્ર સંક્લેશની અપ્રાપ્તિમાં ગુરુપૂજનાદિ અનુષ્ઠાનરૂપ પૂર્વસેવા મુખ્ય બને છે અર્થાત્ યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે; તેથી અતિ તીવ્ર સંક્લેશ વિનાના જીવો પૂર્વસેવાની આચરણા કરે તે આચરણા ઉત્તરોત્તર ભવવૈરાગ્યાદિ કલ્યાણનું નિમિત્ત બને છે, તેથી તે પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે, માટે મુખ્ય છે. વળી જે જીવોનો અતિ તીવ્ર સંક્લેશ નિવર્તન પામ્યો નથી, તેઓ પૂર્વસેવાની આચરણા કરે છે, તોપણ તેઓની પૂર્વસેવાની આચરણા ઉત્તરોત્તર ભવવૈરાગ્યાદિ કલ્યાણનું નિમિત્ત બનતી નથી, માટે તેઓની પૂર્વસેવા અમુખ્ય છે, એ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે, તેથી બીજા આચાર્ય કહે છે કે ભવસ્વરૂપના નિર્ણાયક ઊહના અભાવને કારણે સકૃબંધકાદિમાં અમુખ્ય પૂર્વસેવા છે, તે વચન યુક્ત છે. આપણા Page #40 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાäિશિકા/શ્લોક-૧ અવતરણિકા - શ્લોક-રમાં કહ્યું કે સકૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા છે. ત્યાર પછી શ્લોક-૩ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૪માં સકૃબંધકાદિની ઉપચારથી પૂર્વસેવા કેવા પ્રકારની છે, તે બે મત પ્રમાણે સ્પષ્ટ કરી. હવે બંને મત પ્રમાણે સ્વીકારાયેલી પૂર્વસેવા ઉપચારથી કેમ યુક્ત છે ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : एष्यद्भद्रां समाश्रित्य पुंसः प्रकृतिमीदृशीम् । व्यवहारः स्थितः शास्त्रे युक्तमुक्तं ततो ह्यदः ।।६।। અન્વયાર્થ :પુ=પુરુષની શી—આવા પ્રકારની પૂર્વશ્લોકમાં બતાવી એવા પ્રકારની, મદ્રાં-એષ્યદ્ભદ્રવાળી=નજીકમાં કલ્યાણફળવાળી, પ્રવૃતિ સમગ્ર પ્રકૃતિને આશ્રયીને શાત્રે શાસ્ત્રમાં યોગગ્રંથમાં વ્યવહાર: સ્થિત વ્યવહાર સ્થિત છે=પૂર્વસેવાદિ રૂપ આચાર છે. તો દિ તેથી જ =આનપૂર્વમાં કહ્યું કે સકૃબંધકાદિની પૂર્વસેવા ઉપચારથી છે એ, યુવતમુવતંત્રયુક્ત કહેવાયું છે. list શ્લોકાર્ચ - પુરુષની આવા પ્રકારની=પૂર્વશ્લોકમાં બતાવી એવા પ્રકારની, નજીકમાં કલ્યાણફળવાળી પ્રકૃતિને આશ્રયીને યોગગ્રંથમાં પૂર્વસેવાદિરૂપ આચાર છે. તેથી આ સકૃબંધકાદિની પૂર્વસેવા, ઉપચારથી છે, એ યુક્ત જ કહેવાયું છે. llll. ટીકા :___ एष्यद्भद्रामिति-ईदृशीं-सङ्क्लेशायोगविशिष्टां, एष्यद्भद्रां कल्याणानुबन्धिनी, पुंसः प्रकृति समाश्रित्य, व्यवहारः पूर्वसेवादिरूपः स्थित: प्रसिद्धः, शास्त्रे=योगग्रन्थे, ततो ह्यदः एतद्, युक्तमुक्तं, यदुतान्यत्रोपचारत एव પૂર્વસેવેતિ ચાદ્દા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અપુનર્બધકદ્વાત્રિશિકા/શ્લોક-૧ ટીકાર્ય : શ.... પૂર્વસેવેતિ શા આવા પ્રકારની સંક્લેશઅયોગવિશિષ્ટ પ્રકારની, એ ધ્યભદ્રવાળી=કલ્યાણના ફળવાળી, પુરુષની પ્રકૃતિને આશ્રયીને પૂર્વસેવાદરૂપ વ્યવહાર, શાસ્ત્રમાં યોગગ્રંથમાં, રહેલો છેપ્રસિદ્ધ છે. તેથી જ આ, યુક્ત કહેવાયું છે; અને તે ‘દુર થી સ્પષ્ટ કરે છે – અન્યત્ર ઉપચારથી જ પૂર્વસેવા છે' એ યુક્ત કહેવાયું છે. એમ અન્વય છે. ill ભાવાર્થ : નજીકમાં કલ્યાણની પ્રાપ્તિવાળા અપુનબંધકમાં પૂર્વસેવાદિ ઉચિત આચરણા : જીવમાં ભાવમળ કંઈક ઓછો થાય છે ત્યારે તીવ્ર સંક્લેશનો અયોગ થાય છે, અને તે વખતે જીવને તત્ત્વ સાંભળવાની સામગ્રી મળે તો તત્ત્વ પ્રત્યે વલણ થાય તેવા પ્રકારની પ્રકૃતિ હોય છે, તેથી તે પ્રકૃતિ સંક્લેશઅયોગથી વિશિષ્ટ અને કલ્યાણના ફળવાળી કહેવાય છે, અને આવી પ્રકૃતિને આશ્રયીને શાસ્ત્રકારોએ પૂર્વસેવાદિ વ્યવહાર કહ્યો છે. તેથી એ ફલિત થાય કે આવી પ્રકૃતિવાળા જીવો પૂર્વસેવાદિની આચરણા કરે તો તેઓની મુખ્ય પૂર્વસેવા બને, અને જેઓમાં આવા પ્રકારની ઉત્તમ પ્રકૃતિ નથી, તેઓ પૂર્વસેવાની આચરણા કરતા હોય તોપણ તે પૂર્વસેવા નથી, તેથી પૂર્વમાં કહ્યું કે “સબંધકાદિમાં ઉપચારથી પૂર્વસેવા છે' તે વચન યુક્ત છે. આનાથી એ પ્રાપ્ત થાય કેસકૃબંધકાદિમાં કારણમાં કાર્યના ઉપચારથી પૂર્વસેવા છે અથવા અનાલોચન દ્વારા અમુખ્યત્વરૂપ ઉપચારથી પૂર્વસેવા છે, તે બંને મત યુક્ત છે; કેમ કે અપુનબંધક સિવાયના જીવોની પૂર્વસેવાની આચરણા પૂર્વસેવાનું કાર્ય કરતી નથી, માટે વસ્તુતઃ પૂર્વસેવા નથી, પરંતુ ઉપચારથી પૂર્વસેવા છે. વિશેષ એ છે કે જે જીવોમાં તીવ્ર સંક્લેશનો અયોગ છે અર્થાત્ તત્ત્વ પ્રત્યેના વલણમાં પ્રતિબંધક એવો ઉત્કટ વિપર્યાસનો પરિણામ જેમનો ગયો છે, તેવા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૬-૭ જીવો કદાચ સામગ્રી ન મળી હોય તો હિંસક, ઘાતકી આદિ પણ હોઈ શકે; આમ છતાં સામગ્રી મળે તો તેઓ તત્ત્વ તરફ વળે એવા હોય છે, તેઓની ધર્મક્રિયા કલ્યાણનું કારણ બને છે, જેમ ચિલાતિપુત્ર, વંકચૂલ, દૃઢપ્રહારી આદિ જીવો. વળી, જે જીવોને અંતત્ત્વ પ્રત્યેનું વલણ તીવ્ર છે, તેથી ઉપદેશાદિની સામગ્રી મળે તો પણ અતત્ત્વથી ચિત્ત નિવર્તન પામે તેવું નથી, તેવા જીવો કદાચ પ્રકૃતિથી દયાળ આદિ ગુણવાળા હોય તોપણ તેઓમાં તીવ્રમળ ઉત્કટ છે, માટે તેઓની ધર્મક્રિયા કલ્યાણની પરંપરાનું કારણ બનતી નથી. IIકા અવતરણિકા - શ્લોક-૬માં કહ્યું કે સંક્લેશઅયોગવિશિષ્ટ કલ્યાણના ફળવાળી એવી પ્રકૃતિને આશ્રયીને પૂર્વસેવાદરૂપ વ્યવહાર છે. તે વાતને દઢ કરવા માટે કહે છે – શ્લોક : शान्तोदात्तस्तयैव स्यादाश्रयः शुभचेतसः । धन्यो भोगसुखस्येव वित्ताढ्यो रूपवान् युवा ।।७।। અન્યથાર્થ : તવ તેનાથી જ અપુતબંધકને ઉચિત ભાવી કલ્યાણવાળી પ્રકૃતિથી જ શાન્તાવાત્ત: શાંત, ઉદાત્ત એવો જીવ ગુમાવેતસ: શુભ ચિત્તનો આશ્રય સ્થાન્કિઆશ્રય થાય છે. ફર્વ=જેમ ઘર=ધચ=સૌભાગ્યાદિ ભાવવાળો વિજ્ઞાચ =વૈભવવાળો રૂપવા–રૂપવાળો યુવા=યુવાન ભોગસુવચ=ભોગસુખનો આશ્રય થાય છે. liા. શ્લોકાર્ચ - તેનાથી જ અપુનબંધકને ઉચિત ભાવી કલ્યાણવાળી પ્રકૃતિથી જ, શાંત, ઉદાત્ત એવો જીવ શુભચિત્તનો આશ્રય થાય છે, જેમ ધન્યત્ર સૌભાગ્યાદિ ભાવવાળો, વૈભવવાળો, રૂપવાળો યુવાન ભોગસુખનો આશ્રય થાય છે. Il૭ી. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૭ ટીકા : शान्तोदात्त इति-तयैव=अपुनर्बन्धकोचितैष्यद्भद्रप्रकृत्यैव, शान्तोदात्त: स्यात्, शान्त:-तथाविधेन्द्रियकषायविकारविकलः, उदात्ता-उच्चोच्चतराद्याचरणबद्धचित्तः, ततः कर्मधारयः, तथा शुभचेतसः-शुद्धचित्तपरिणामस्य, आश्रया= स्थानं, धन्या सौभाग्यादेयतादिना धनार्हः, भोगसुखस्येव शब्दरूपरसगन्धस्पर्शसेवालक्षणस्य यथाश्रयः, वित्ताढ्यो-विभवनायकः, रूपवान् शुभशरीरसंस्थान:, યુવાવરુ જુમાન્ II૭ના ટીકાર્ચ - તર્યવ=પુનર્વથ ..... જુમાના તેનાથી જ=અપુનબંધકને ઉચિત ભાવી કલ્યાણવાળી પ્રકૃતિથી જ, શાંત-ઉદાત્ત એવો જીવ શુભ ચિત્તનો=શુદ્ધ ચિરપરિણામતો, આશ્રય =સ્થાન થાય છે. અહીં શાંત-ઉદાત્તનો અર્થ કરીને સમાસ બતાવે છે – શાંત તથાવિધ ઇન્દ્રિય અને કષાયના વિકારથી વિકલકતત્વની વિચારણામાં વ્યાઘાત કરે તેવા પ્રકારના ઈન્દ્રિય અને કષાયતા વિકારથી રહિત; અને ઉદાત=ઉચ્ચ ઉચ્ચતર આદિ આચરણમાં બદ્ધ ચિત્તવાળો. તતઃ વઘારવ=તેનાથી શાંત અને ઉદાત્ત શબ્દથી કર્મધારય સમાસ કરવો. અર્થાત્ શાન્તશ્વાસ સાશ્વ શાન્તોદ્દાત્ત: એ પ્રમાણે કર્મધારય સમાસ છે, જે પ્રમાણે ધન્ય સૌભાગ્ય, આદેતાદિપ ધનયુક્ત એવો ધન્ય, વિરથી આય=વિભવતો નાયક=સમૃદ્ધિનો નાયક, રૂપવાન=શુભ શરીરના સંસ્થાનવાળો, યુવાન તરુણ, પુરુષ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શતા સેવન સ્વરૂપ ભોગ-સુખનો આશ્રય થાય છે; તે પ્રમાણે શાંત, ઉદાત્ત થયેલો જીવ શુભ ચિરપરિણામનો આશ્રય છે= સ્થાન છે. મૂળ શ્લોકમાં ‘મો સુસ્વસ્થવ' શબ્દમાં રહેલા ‘વ’ નો જ અર્થ ટીકામાં ‘થા ગાશ્રય તથા શુમત: ઉમાશ્રય:' એમ બતાવવા માટે ટીકામાં ‘થા તથા' નો પ્રયોગ કરેલ છે. ગા Page #44 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બધકદ્વાત્રિશિકા/શ્લોક-૭ ભાવાર્થ :અપુનર્બલકની શાંત-ઉદાત્ત પ્રકૃતિનું સ્વરૂપ : ઉત્કટ ભાવમળના વિગમનને કારણે કોઈ જીવમાં ગાઢ મિથ્યાત્વ મંદ થયેલ હોય, આમ છતાં ઉપદેશાદિની સામગ્રી ન મળેલી હોય તો સંસારના અત્યંત આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરતો પણ હોય અને ન પણ કરતો હોય. વળી આ બંને પ્રકારના જીવોમાંથી જે જીવો અત્યંત હિંસાદિ આરંભની પ્રવૃત્તિ કરનારા છે, તેઓ પણ ઉપદેશાદિની સામગ્રી મળે તો હિંસાદિના આરંભથી નિવર્તન પામે તેવા હોય છે. ઉત્કટ ભાવમળના વિગમનને કારણે આવા મંદ મિથ્યાષ્ટિ જીવોમાં તત્ત્વ પ્રત્યેનું વલણ થવામાં બાધક એવા સંક્લેશનો અયોગ છે, એટલે કે એવો સંક્લેશ નાશ પામેલો છે, અને તેવા સંક્લેશઅયોગથી વિશિષ્ટ, કલ્યાણના ફળવાળી એવી તેઓની પ્રકૃતિ છે. જેમ – શ્રીપાળ મહારાજા પૂર્વભવમાં શ્રીકાંત રાજા હતા ત્યારે શિકારાદિ કરનારા હતા અને સાધુને કનડગત કરે તેવી પ્રવૃત્તિવાળા હતા, આમ છતાં શ્રીમતી રાણીની પ્રેરણાથી શ્રાવક બન્યા. આવા જીવોમાં અતત્ત્વ પ્રત્યેની ગાઢ પરિણતિ મંદ થયેલી હોવાના કારણે સંક્લેશનો અયોગ થાય તેવી, અને ભવિષ્યમાં વિશિષ્ટ કલ્યાણને પ્રાપ્ત કરે તેવી યોગ્યતા હોય છે, તેવા જીવો અપુનબંધકને ઉચિત ભાવી કલ્યાણની પ્રકૃતિવાળા છે. આવી પ્રકૃતિને કારણે ઉપદેશાદિની સામગ્રીને પામીને તેઓ શાંત અને ઉદાત્ત થાય છે ત્યારે તેઓના ઇન્દ્રિય અને કષાયોના વિકારો ઉત્કટ રહેતા નથી, પરંતુ તત્ત્વ તરફ જવામાં અતિ બાધક બને તેવા ઇન્દ્રિયના વિકારો અને કષાયો શાંત થાય છે, તેથી પોતે જે ભૂમિકામાં છે, તેનાથી ઉચ્ચ ઉચ્ચતર યોગમાર્ગના સેવન પ્રત્યે બદ્ધચિત્તવાળા થાય છે, તેથી આવા જીવોની પૂર્વસેવાની આચરણા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે, માટે યોગશાસ્ત્રમાં આવા જીવોની પ્રકૃતિને આશ્રયીને પૂર્વસેવાદિરૂપ વ્યવહાર કહેલ છે, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. “આવા જીવો શુભ ચિત્તના આશ્રય છે” એમ પૂર્વમાં કહ્યું. તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ સંસારમાં કોઈ જીવ સૌભાગ્ય, આદેય આદિવાળો હોય, ધનથી યુક્ત હોય, રૂપવાળો હોય અને તરુણ હોય તો તે જીવ શબ્દ, રૂપ, રસ, ગંધ અને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અપુનબંધકાચિંશિકા/શ્લોક-૭-૮ સ્પર્શના સેવનરૂપ ભોગસુખનો આશ્રય બને છે, પરંતુ જે આવા ગુણોવાળો નથી, તે ભોગસુખનો આશ્રય બનતા નથી; તેમ અપુનબંધકને ઉચિત એવી પ્રકૃતિને કારણે જે શાંત અને ઉદાત્ત થયા છે, તેઓ શુભ ચિત્તના આશ્રય બને છે, માટે તેની પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ છે; અને તે સિવાયના સબંધકાદિ જીવો શુભ ચિત્તના આશ્રય નથી, માટે તેઓની પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ નથી. IIળા અવતરણિકા - શ્લોક-૬માં કહેલ કે સકૃબંધકાદિ જીવોની પૂર્વસેવા ઉપચારથી યુક્ત છે. તે યુક્ત કેમ છે ? તે સ્પષ્ટ કરવા માટે શ્લોક-૭માં કહ્યું કે ભાવિભદ્રક પ્રકૃતિવાળા જીવોનજીકમાં કલ્યાણને પ્રાપ્ત કરે તેવી પ્રકૃતિવાળા જીવો, શાંત-ઉદાત્ત થાય છે, અને તેઓ શુભ ચિત્તના આશ્રયવાળા થાય છે. હવે જે આવા શુભ ચિત્તના આશ્રયવાળા નથી, તેઓની ક્રિયા અતાત્વિક છે. તેથી સકૃબંધકાદિ જીવોની પૂર્વસેવા અતાત્વિક છે, તે સિદ્ધ થાય. તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : अङ्गाभावे यथा भोगोऽतात्त्विको मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा ।।८।। અન્વયાર્થ : યથા જે રીતે સમાવે=અંગોના અભાવમાંeભોગના અંગોના અભાવમાં, માનહાનિત =માનહાનિને કારણે મોડતાત્ત્વિ:=ભોગ અતાત્વિક છેઅપારમાર્થિક છે, પર્વ એ રીતે શાન્તીવાત્તત્વવિદે શાંત-ઉદાતપણાના વિરહમાં ક્રિયાપક્રિયા પણ=ગુવદિપૂજારૂપ ક્રિયા પણ વિજ્યના=વિપર્યાસજડિત છે. ૮. શ્લોકાર્ચ - જે રીતે ભોગના અંગોના અભાવમાં માનહાનિને કારણે ભોગ અતાવિક છે, એ રીતે શાંત-ઉદાત્તપણાના વિરહમાં ક્રિયા પણ= ગુર્વાદિપૂજારૂપ ક્રિયા પણ, વિપર્યાસજનિત છે. llcil Page #46 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૮ ટીકા : अङ्गाभाव इति-अङ्गानाम् भोगागानां रूपवयोवित्ताढ्यत्वादीनां वात्स्यायनोक्तानाम्, अभावे सति यथा भोगोऽतात्त्विक: अपारमार्थिकः, मानहानित: “अहं सुखी" इत्येवंविधप्रतिपत्तिलक्षणमानापगमादपूर्यमाणेच्छत्वेन तदनुत्थानाच्च, शान्तोदात्तत्वविरहे सति, एवं क्रियापि गुर्वादिपूजनारूपा, विकल्पजा विपर्यासजनिता, न तु तात्त्विकी, अन्त:सुखप्रवाहानुत्थानात् । ત – "मिथ्याविकल्परूपं तु द्वयोर्द्वयमपि स्थितम् । स्वबुद्धिकल्पनाशिल्पिनिर्मितं न तु तत्त्वतः" ।। (योगबिन्दु १८९) ।।८।। ટીકાર્ય : સનાં ..... તત્ત્વતિ:” | અંગોનો વાસ્યાયન વડે કહેવાયેલાં રૂપ, વય, ધનાઢ્યપણું આદિ ભોગનાં અંગોનો, અભાવ હોતે છતે, જે રીતે માનહાનિને કારણે= હું સુખી છું એવા પ્રકારના બોધસ્વરૂપ માનતો અપગમ હોવાને કારણે, અને અપૂર્યમાણ ઈચ્છાપણું હોવાથી માન અનુત્થાન હોવાને કારણે હીન ભોગસામગ્રી વડે ભોગસામગ્રીની ઈચ્છા પૂરી નહીં થતી હોવાથી હું સુખી છું, તેવી બુદ્ધિનું અનુત્થાન હોવાને કારણે, ભોગ અતાત્વિક છે=અપારમાર્થિક છે; એ રીતે શાંત-ઉદાત્તપણાનો વિરહ હોતે છતે, ગુવદિપૂજનારૂપ ક્રિયા પણ વિકલ્પથી થનારી છે વિપર્યાસથી જનિત છે, પરંતુ તાત્વિકી નથી; કેમ કે અંતઃસુખના પ્રવાહનું અનુત્થાન છેઃક્રિયાથી યોગમાર્ગને અનુકૂળ એવા ઉપશાંત પરિણામરૂપ અંતઃસુખના પ્રવાહનું અનુત્થાન છે. તે કહેવાયું છે=અંગોના અભાવમાં જેમ ભોગ અતાત્વિક છે, તેમ શાંતઉદાતપણાના અભાવમાં ક્રિયા અતાવિક છે, એમ પૂર્વમાં કહ્યું તે યોગબિંદુ. શ્લોક-૧૮૯માં કહેવાયું છે – બંનેનું ભોગાંગવિકલ એવા ભોગી અને શાંત-ઉદાત્તવિકલ એવા ધાર્મિક બંનેનું. બંને પણ ભોગસુખ અને ધર્માનુષ્ઠાન બંને પણ, મથ્યાવિકલ્પરૂપ, સ્વબુદ્ધિકલ્પના Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ શિલ્પીથી નિર્મિત છે, પરંતુ તત્ત્વથી નથી પરમાર્થથી તે ભોગસુખ અને ધર્માનુષ્ઠાન નથી.” (યોગબિંદુ શ્લોક-૧૮૯) in૮L ભાવાર્થ :શાંત-ઉદાત્ત પ્રકૃતિવાળા જીવોનાં ધર્માનુષ્ઠાનો કલ્યાણનાં કારણ, અન્યનાં નહીં તેની યુક્તિ : વાસ્યાયને કહેલા ભોગોના અંગરૂપ રૂપ, વય, ધન આદિ ન હોય તેવા જીવો જે ભોગો કરે છે તે તાત્વિક નથી; કેમ કે હું સુખી છું' એવા પ્રકારના અધ્યવસાયનો અભાવ છે. વળી ભોગસામગ્રી અધૂરી હોવાને કારણે તેઓની ઇચ્છા પુરાતી નથી. તેથી મારી બધી ઇચ્છાઓ પુરાય છે માટે હું સુખી છું એ પ્રકારનો પરિણામ ઉસ્થિત થતો નથી, માટે ભોગના અંગવિકલવાળા જીવોના ભોગો જેમ પારમાર્થિક નથી, એ પ્રમાણે જે જીવોની પ્રકૃતિ શાંત-ઉદાત્ત થઈ નથી, તે જીવો પૂર્વસેવાના અંગભૂત ગુર્વાદિપૂજન કરે તે ક્રિયા વિપર્યાસરૂપ છે, પરંતુ તાત્ત્વિક નથી; કેમ કે તે ક્રિયાઓથી ઉપશમના સુખનો પ્રવાહ પ્રગટ થતો નથી. આશય એ છે કે ભોગસામગ્રીથી યુક્ત જીવો ભોગ કરે છે ત્યારે હું સુખી છું' એ પ્રકારનો માનસિક આનંદ ઉત્પન્ન થાય છે. તેમ જે જીવોની શાંત પ્રકૃતિ છે અને ઉચ્ચ ઉચ્ચતર ભૂમિકામાં જવા માટેની મનોવૃત્તિ છે, તેવા જીવો ગુર્વાદિપૂજન કરે તેનાથી શાંતરસ ઉત્પન્ન થાય છે, જેથી તેઓની ગુર્વાદિપૂજનરૂપ ક્રિયા કષાયોના વિગમન દ્વારા અંતઃસુખને ઉત્પન્ન કરે છે; પરંતુ જેમનું ચિત્ત ક્રિયાઓમાંથી ઉપશમ ઉત્પન્ન કરી શકે તેવું શાંત નથી, અને તેથી ઉપર ઉપરના શાંતરસને પ્રગટ કરવા માટે ચિત્ત ઉલ્લસિત થયું નથી, તેવા જીવો ગુર્વાદિપૂજનરૂપ ક્રિયાઓ કરે તો તે ક્રિયાઓથી તેમને કોઈ સુખ થતું નથી; માત્ર “મેં આ ક્રિયાઓ કરી છે તેવા વિકલ્પવાળી તે ક્રિયાઓ થાય છે, પરંતુ મોક્ષને અનુકૂળ ભાવ ઉત્પન્ન કરવા માટે સમર્થ એવી તે ગુર્નાદિપૂજનની ક્રિયા થતી નથી, માટે તે ક્રિયા વિપર્યાસથી જનિત છે. IIkI અવતરણિકા - શ્લોક-૭માં કહ્યું કે ભાવિભદ્રક પ્રકૃતિને કારણે શાંત-ઉદાત્ત થયેલ જીવ શુભ ચિત્તનો આશ્રય છે, અને શાંત-ઉદાત્તભાવથી રહિત જીવોની ક્રિયા Page #48 -------------------------------------------------------------------------- ________________ અપુનાબંધકદ્વાચિંશિકા/શ્લોક-૯ ૨૫ અતાવિક છે, એમ શ્લોક-૮માં કહ્યું. હવે શાંત-ઉદાત્ત પ્રકૃતિવાળા અપુનબંધક કેવા હોય છે ? અને શું વિચારે છે ? તે બતાવે છે – શ્લોક : क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । बीजं रूपं फलं चायमूहते भवगोचरम् ।।९।। અન્વયાર્થ : થાદ વાણિત: ક્રોધાદિથી અબાધિત શાંત શાંત છે, તુવળી મહાશય =મહાઆશયવાળા ઉદાત્ત છે, ઘંઆ શાંત-ઉદાત્ત એવો આ અપુતબંધક મવથરસંસારવિષયક વીન=કારણને રૂપં સ્વરૂપને ચ=અને તંત્રફળને દરે=વિચારે છે. ICI શ્લોકાર્ચ - ક્રોધાદિથી અબાધિત શાંત છે, વળી મહાઆશયવાળો ઉદાત છે, આ શાંત-ઉદાત એવો આ અપુનર્બધક, સંસારવિષયક કારણને, સ્વરૂપને અને ફળને વિચારે છે. llclu. ટીકા - ___ क्रोधादीति-पूर्वार्धं गतार्थं, अयं च=शान्तोदात्त:, भवगोचरं संसारविषयं, વીનં=ાર, રૂપં સ્વરૂપ, પન્ન =ાર્ય, મદતે વિચારયતિ ટીકાર્ય : પૂર્વાર્થ ... વિચારતિ | શ્લોકનો પૂર્વાર્ધ ગતાર્થ છે=સ્પષ્ટાર્થ છે, અને આEશાંત-ઉદાત્ત એવો અપુતળંધક જીવ, ભવગોચર=સંસારવિષયક, બીજને કારણને, રૂપને=સ્વરૂપને અને ફળને=કાર્યને કહતે=વિચારે છે. પલા ભાવાર્થ :શાંત-ઉદાત્ત પ્રકૃતિવાળા અપુનર્બધક જીવનું સ્વરૂપ : સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાને અભિમુખ થવામાં બાધ કરે તેવા ક્રોધ, માન, માયા અને લોભ અપુનબંધક જીવોને નથી, તેથી અપુનબંધક જીવોને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અપુનર્બંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૯-૧૦ શાંત કહેવાય છે. વળી અપુનબંધક જીવો સંસારના વાસ્તવિક સ્વરૂપને કંઈક જોનારા છે, તેથી સંસારના ઉચ્છેદ માટેના ઉપાયોને સેવવા વિષયક મહાઆશયવાળા છે. તે માટે તેઓ યોગીઓ પાસે જઈને સંસારના ઉચ્છેદના ઉપાયોને જાણવા અને જીવનમાં ઉતારવા માટે યત્નવાળા હોય છે, અને આવા અપુનર્બંધક જીવો સંસારનું સ્વરૂપ હેતુ આદિથી વિચારે છે, જે ગ્રંથકારશ્રી આગળ બતાવે છે. IIGII અવતરણિકા : तथाहि - અવતરણિકાર્ય :તે આ પ્રમાણે શ્લોક : ભાવાર્થ : પૂર્વબ્લોક-૯માં કહ્યું કે અપુનર્બંધક જીવ હેતુ, સ્વરૂપ અને ફળથી સંસારનું સ્વરૂપ વિચારે છે. તે કઈ રીતે વિચારે છે તે ‘તથાન્તિ’ થી શ્લોક-૧૦ થી ૧૨માં બતાવે છે - भेदे हि प्रकृतेनैक्यमभेदे च न भिन्नता । आत्मनां स्यात्स्वभावस्याप्येवं शबलतोचिता ।।१०।। અન્વયાર્થ : પ્રીતે: સ્વમાવસ્થાપિ મેરે દિ=પ્રકૃતિનો (અને) સ્વભાવનો પણ ભેદ હોતે છતે માત્મનાં=આત્માઓનું વચમ્ ન સ્વાત્=ઐક્ય ન થાય=સંસારી જીવોનું કથંચિત્ સાદશ્યરૂપ ઐક્ય ન થાય; ==અને અમેરે=અભેદ હોતે છતે મિત્રતા ન-ભિન્નતા ન થાય-આત્માઓની ભિન્નતા ન થાય=સંસારી આત્માઓની પરસ્પર નરકાદિરૂપ ભિન્નતા ન થાય. વં=એ રીતે-પૂર્વમાં કહ્યું કે પ્રકૃતિ અને સ્વભાવના એકાંત ભેદમાં અને એકાંત અભેદમાં દૃષ્ટવ્યવસ્થા સંગત નથી એ રીતે, શવતતોચિતા=શબલતા ઉચિત છે= અનેકાંતતા ઉચિત છે. ।।૧૦।। Page #50 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ શ્લોકાર્થ : પ્રકૃતિનો અને સ્વભાવનો પણ ભેદ હોતે છતે આત્માઓનું ઐક્ય ન થાય, અને અભેદ હોતે છતે ભિન્નતા ન થાય, એ રીતે શબલતા અનેકાંતતા, ઉચિત છે. ।।૧૦।I ૐ ‘સ્વમાવપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પ્રકૃતિનો તો એકાંતે ભેદ અને એકાંતે અભેદ સ્વીકારીએ તો દોષ છે, પરંતુ સ્વભાવનો પણ એકાંતે ભેદ અને એકાંતે અભેદ સ્વીકારવામાં દોષ છે. ટીકા : भेदे हीति भेदे ह्येकान्ततोऽभ्युपगम्यमाने, प्रकृतेः सत्त्वरजस्तमोलक्षणाया ज्ञानावरणादिकर्मरूपाया वा नैक्यं आत्मनां संसारिणां स्यात्, तथा चैकजातीयसंसारफलोपलम्भबाध इति भावः । अभेदे च = एकान्ताभेदे च न भिन्नता स्यात् तेषां तथा च नरकतिर्यग्मनुष्यदेवादिभेदोपलम्भबाध इति भावः । स्वभावस्याप्यन्तरङ्गहेतुभूतस्य भेदाभेदयोरेकान्तयोरेतदेव दूषणं । एवमेकान्तपक्षे उभयतः पाशरज्जुसद्भावात् शबलता कथञ्चिद्भेदाभेदरूपा, उचिता = न्याय्या, इति तयैव सकलव्यवहारोपपत्ते:, हेतूहनमेतत् ।।१०।। ટીકાર્ય : ૨૭ भेदेकान्ततो દૈતૂનમેતત્ ।। પ્રકૃતિનો=સત્ત્વ, રજસ્ અને તમસ્ રૂપ પ્રકૃતિનો અથવા જ્ઞાનાવરણાદિકર્મરૂપ પ્રકૃતિનો, ભેદ હોતે છતે=એકાંતથી ભેદ સ્વીકારાયે છતે, આત્માઓનું=સંસારી આત્માઓનું, ઐક્ય ન થાય; અને તે રીતે=કર્મપ્રકૃતિઓનો એકાંત ભેદ સ્વીકારાયે છતે સંસારી આત્માઓનું ઐક્ય ન થાય તે રીતે, એકજાતીય સંસારળના ઉપલંભનો બાધ થાય= સંસારી જીવોમાં આ બધા મનુષ્યો એક મનુષ્યજાતિવાળા છે, તે પ્રકારના સંસારળની પ્રત્યક્ષથી પ્રાપ્તિ છે, તે સંગત ન થાય, એ પ્રકારનો ભાવ છે=પ્રકૃતિનો એકાંત ભેદ સ્વીકારવામાં સંસારી આત્માઓનું ઐક્ય ન થાય, એ કથનનો એકજાતીય સંસારળ ઉપલંભનો બાધ થાય, એ પ્રકારનો ભાવ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અપુનાબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અને અભેદ હોતે છતે એકાંત અભેદ હોતે છતે, તેઓની=સંસારી આત્માઓની, ભિન્નતા ન થાય, અને તે રીતે-કર્મપ્રકૃતિઓનો એકાંત અભેદ સ્વીકારાયે છતે સંસારી આત્માઓની ભિન્નતા ન થાય તે રીતે, તરક, તિર્યંચ, મનુષ્ય, દેવાદિ ભેદના ઉપલંભનો બાધ છે કેટલાક જીવો વરકરૂપે છે, કેટલાક જીવો તિર્યંચરૂપે છે, કેટલાક મનુષ્યરૂપે છે અને કેટલાક દેવરૂપે છે ઈત્યાદિ પરસ્પર જીવોનો ભેદ દેખાય છે, તે ભેદતો બાધ થાય, એ પ્રકારનો ભાવ છે=પ્રકૃતિનો એકાંત અભેદ સ્વીકારાયે છતે આત્માઓની ભિન્નતા ન થાય એ પ્રકારના કથનનો તરક, તિર્યંચ, મનુષ્ય અને દેવાદિ ભેદના ઉપલંભનો બાધ છે, એ પ્રકારનો ભાવ છે. અંતરંગ હેતુભૂત એવા સ્વભાવના પણ એકાંત ભેદભેદમાં=એકાંત ભેદ અને એકાંત અભેદ સ્વીકારવામાં એ જ દૂષણ છે=પ્રકૃતિના એકાંત ભેદ અને એકાંત અભેદમાં જે દૂષણ ઉપર બતાવ્યું એ જ દૂષણ છે. એ રીતે= પ્રકૃતિના અને સ્વભાવના એકાંત ભેદ અને એકાંત અભેદ પક્ષમાં પૂર્વમાં બતાવ્યું એવું દૂષણ છે એ રીતે, એકાંત પક્ષમાં ઉભયથી પાશારજ્જનો સદ્ભાવ હોવાને કારણે શબલતા કથંચિત્ ભેદભેદરૂપ શબલતા, ઉચિત છે=વ્યાપ્ય છે. “તિ' શબ્દ શ્લોકસ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે. અહીં પ્રશ્ન થાય કે કથંચિત્ ભેદભેદરૂપ શબલતા ઉચિત કેમ છે ? તેમાં હતુ કહે છે -- તેનાથી જ=શબળતાથી જ, સકલ વ્યવહારની ઉપપત્તિ છે. આ=પ્રસ્તુત શ્લોકમાં જે બતાવ્યું એ, હેતુનું ઊહત છે=ભવવિષયક હેતુની વિચારણા છે. ૧૦૫. ‘નરવતર્યમનુષ્યદેવવિપેપHવધ:' અહીં ‘વ’ થી એકેન્દ્રિયાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :અપુનબંધક જીવની સંસારવિષયક હેતુથી વિચારણા - શ્લોક-૯માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે શાંત અને ઉદાત્ત આશયવાળા અપનબંધક જીવ સંસારવિષયક કારણની, સ્વરૂપની અને ફળની વિચારણા કરે છે. તેમાંથી પ્રસ્તુત શ્લોકમાં સંસારવિષયક બીજન=કારણની, વિચારણા કઈ રીતે કરે છે ? તે બતાવે છે – Page #52 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ૨૯ સંસારનાં કારણ બે છેઃ (૧) જીવની કર્મપ્રકૃતિ અને (૨) જીવનો સ્વભાવ. પ્રકૃતિ એ ભવનું બહિરંગ કારણ છે અને સ્વભાવ એ ભવનું અંતરંગ કારણ છે. સંસારનાં કારણ. જીવની કર્મપ્રકૃતિ જીવનો સ્વભાવ (બહિરંગ કારણ) (અંતરંગ કારણ) પ્રકૃતિને સાંખ્યદર્શનવાળા સત્ત્વ, રજસ અને તમસરૂપ કહે છે અને જૈનદર્શન જ્ઞાનાવરણાદિરૂપ કર્મો કહે છે. પ્રકૃતિના વિષયમાં અપુનબંધક જીવની વિચારણા - પ્રકૃતિના વિષયમાં અપુનબંધક જીવ કઈ રીતે વિચારણા કરે છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – (૧) પ્રકૃતિના એકાંત ભેદપક્ષમાં આવતાં દૂષણો :- જીવની કર્મપ્રકૃતિ દરેક જીવની એકાંત ભિન્ન હોય તો સંસારી જીવોમાં એકસરખું ફળ દેખાય છે, તે ઘટે નહીં; કેમ કે બધા જીવોની કર્મની પ્રકૃતિ જુદી જુદી હોય તો તેનું કાર્ય પણ પરસ્પર જુદું થવું જોઈએ. વસ્તુતઃ કર્મની પ્રકૃતિ તે તે જીવમાં વિશ્રાંત છે, તે અપેક્ષાએ જુદી હોવા છતાં દરેક જીવની કર્મપ્રકૃતિ કંઈક સાદશ્યવાળી પણ છે, તે અપેક્ષાએ સર્વ જીવોની પ્રકૃતિમાં ભેદ નથી, પરંતુ અભેદ છે. આમ છતાં કર્મપ્રકૃતિનો અભેદ ન સ્વીકારવામાં આવે અને એકાંત ભેદ સ્વીકારવામાં આવે તો સર્વ જીવોમાં દેખાતું એકજાતીય કાર્ય સંગત થાય નહીં. જેમ મનુષ્યોમાં સર્વ મનુષ્યોનાં શરીર મનુષ્યાકારરૂપે સમાન દેખાય છે, તેથી સર્વ મનુષ્યોની કર્મપ્રકૃતિ તેવા પ્રકારના શરીરના સમાન આકારના કારણરૂપે સમાન છે, તેથી તે અપેક્ષાએ સર્વ જીવોની કર્મપ્રકૃતિઓનો અભેદ છે, આમ છતાં તે કર્મપ્રકૃતિઓનો અભેદ ન સ્વીકારવામાં આવે અને એકાંત ભેદ સ્વીકારવામાં આવે તો સર્વ મનુષ્યોમાં મનુષ્યપણાના સમાન આકારરૂપ સમાન કાર્ય દેખાય છે, તે સંગત થાય નહીં. માટે સર્વ જીવોમાં વર્તતી કર્મપ્રકૃતિનો એકાંત ભેદ સ્વીકારવો ઉચિત નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૦ (૨) પ્રકૃતિના એકાંત અમેદપક્ષમાં આવતાં દૂષણો :- કર્મની પ્રકૃતિ સર્વ જીવોની એકાંત અભિન્ન હોય તો સંસારવર્તી જીવોમાં જેઓ કેટલાક નરકરૂપે છે, કેટલાક મનુષ્યરૂપે છે, કેટલાક તિર્યંચરૂપે છે તો કેટલાક દેવરૂપે છે, તેઓમાં દેખાતી પરસ્પર ભિન્નતા સંગત થાય નહીં; કેમ કે સર્વ જીવોમાં વર્તતી પ્રકૃતિનો સર્વથા અભેદ હોય તો તે પ્રકૃતિનું કાર્ય બધા જીવોને સમાન પ્રાપ્ત થવું જોઈએ, પરંતુ બધા જીવોને ભિન્ન ભિન્ન કાર્યની પ્રાપ્તિ દેખાય છે, તેથી સર્વ જીવોની કર્મની પ્રકૃતિ કથંચિત્ ભિન્ન છે. આનાથી એ ફલિત થયું કે સર્વ જીવોની કર્મની પ્રકૃતિમાં કંઈક અંશથી સંદેશ કાર્ય કરવાનો સ્વભાવ છે અને તે અપેક્ષાએ દરેક જીવની કર્મની પ્રકૃતિમાં અભેદ છે, અને કંઈક અંશથી વિસદશ કાર્ય કરવાનો સ્વભાવ છે, તે અપેક્ષાએ દરેક જીવની કર્મની પ્રકૃતિમાં પરસ્પર ભેદ છે. સ્વભાવના વિષયમાં અપુનબંધક જીવની વિચારણા - જેમ કર્મબંધનું કારણ જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિ છે, તેમ કર્મબંધનું કારણ કર્મબંધને અનુકૂળ એવો રાગ, દ્વેષ અને મોહના પરિણામરૂપ જીવનો સ્વભાવ પણ છે, તેથી સર્વ જીવોમાં વર્તતો કર્મબંધને અનુકૂળ એવો સ્વભાવ પણ પરસ્પર કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. (૧) સ્વભાવના એકાંત ભેદપક્ષમાં આવતાં દૂષણો - સ્વભાવનો સર્વથા ભેદ સ્વીકારવામાં આવે તો તેના ફળરૂપ સંસારની પ્રાપ્તિ પણ સર્વથા ભિન્નરૂપે થવી જોઈએ, પરંતુ જીવોમાં કથંચિત્ સમાનરૂપ પણ ફળ દેખાય છે, તેથી એ સમાનતાના કારણભૂત સ્વભાવમાં પણ કથંચિત્ સમાનતા છે. જેમ સર્વ સંસારી જીવો સમાન રીતે મોહના પરિણામવાળા છે, તેથી તે પ્રકારનો સર્વ જીવોનો સમાન સ્વભાવ છે, વળી કેટલાક જીવો સમાન કર્મ પણ બાંધે છે, તે રીતનો તેમનો સમાન સ્વભાવ છે, માટે જીવોના સ્વભાવમાં કથંચિત્ અભેદ છે. તેથી સ્વભાવમાં પણ એકાંત ભેદ નથી. (૨) સ્વભાવના એકાંત અભેદપક્ષમાં આવતાં દૂષણો :- સ્વભાવનો સર્વથા અભેદ સ્વીકારવામાં આવે તો તે સ્વભાવના ફળરૂપ સમાન કર્મબંધ અને તેના ફળરૂપ સમાન સંસારની પ્રાપ્તિ થવી જોઈએ; પરંતુ સંસારી જીવોમાં કથંચિત્ વિષમતા દેખાય છે, તેથી તેના કારણભૂત જેમ વિષમ કર્મો છે, તેમ વિષમ Page #54 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિશિકા/બ્લોક-૧૦ ૩૧ સ્વભાવ પણ છે. માટે સર્વ જીવોના સ્વભાવમાં સર્વથા અભેદ નથી, પરંતુ કથંચિત્ ભેદ છે અને કથંચિત્ અભેદ પણ છે. પદાર્થને શબલ-અનેકાંત સ્વીકારવાથી દષ્ટવ્યવસ્થાની સંગતિ : ઉપર જણાવ્યું એ રીતે એકાંત પક્ષમાં દૃષ્ટવ્યવસ્થા સંગત થતી નથી, માટે જીવની કર્મપ્રકૃતિ અને જીવના સ્વભાવમાં કથંચિત્ ભેદભેદરૂપ શબલતા ઉચિત છે, અને આ શબલતા=અનેકાંતતા, સ્વીકારવાથી સકલ વ્યવહારની ઉપપત્તિ થાય છે અર્થાત્ જીવની પ્રકૃતિને શબલ સ્વીકારવાથી અને જીવના સ્વભાવને શબલ સ્વીકારવાથી જેમ સંસારી જીવોની કથંચિત્ સમાનતા અને કથંચિત્ અસમાનતા સંગત થાય છે, તેમ સંસારમાં દેખાતા સર્વ અનુભવો પદાર્થને શબલ=અનેકાંત, સ્વીકારવાથી સંગત થાય છે. આ રીતે અપુનબંધક જીવ સંસારવિષયક હેતુનો સમ્યફ ઊહ કરીને સ્યાદ્વાદની પ્રાપ્તિ કરે, અને સ્યાદ્વાદ પ્રત્યે દૃઢ પક્ષપાતી બને, તો સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અહીં વિશેષ એ છે કે આ રીતે જીવોની કર્મપ્રકૃતિના ભેદભેદને અને જીવોના સ્વભાવના ભેદભેદને વિચારીને સંસારના સ્વરૂપને વિચારી શકે તેવા સમર્થ બધા અપુનબંધક હોતા નથી, પરંતુ અપુનબંધક જીવો શાંત અને ઉદાત્ત આશયવાળા હોવાથી તત્ત્વને જાણવા માટે યોગીઓ પાસે જતા હોય છે; અને તેઓને ગુણમાત્રનો રાગ વર્તતો હોય છે, તેથી જ્યાં સુધી વિશિષ્ટ બુદ્ધિ પ્રગટ ન થઈ હોય ત્યાં સુધી સર્વ દર્શનના યોગીઓ પાસેથી યોગમાર્ગના પરમાર્થને જાણવા પ્રયત્ન કરતા હોય છે; અને જ્યારે યોગીઓના પરિચયથી કંઈક પ્રજ્ઞા વિકસે છે, ત્યારે તેઓને પદાર્થના પારમાર્થિક સ્વરૂપને જવાને અભિમુખ ઊહ પ્રગટે છે, તે વખતે સંસારના બાહ્ય કારણભૂત એવી પ્રકૃતિ અને સંસારના અંતરંગ કારણભૂત એવા સ્વભાવના વિષયમાં સમ્યક ઊહ પ્રવર્તે છે, જે ઊહના બળથી સ્યાદ્વાદની પારમાર્થિક સ્થિર રુચિ થાય તો સમ્યત્વની પ્રાપ્તિ થાય છે, તેથી સમ્યકત્વને અભિમુખ એવા અપુનર્ધધક કઈ રીતે સંસારનું સ્વરૂપ જુએ છે, તે બતાવવા માટે અહીં પ્રયત્ન કરેલ છે. તેમાં સૌ પ્રથમ ભવનાં બે કારણોનું સ્વરૂપ કઈ રીતે જુએ છે, તે બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે અપુનબંધક જીવો ભવના સ્વરૂપને વાસ્તવિક રીતે જોઈને પોતાની માર્ગાનુસારી બુદ્ધિને વિકસાવે છે. ll૧૦ના Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૧૧ અવતરણિકા : શ્લોક-૯માં કહ્યું કે અપુનબંધક જીવો સંસારવિષયક કારણ, સ્વરૂપ અને ફળનો વિચાર કરે છે. તેમાંથી સંસારવિષયક કારણની વિચારણા અપુનર્ધધક જીવો કઈ રીતે કરે છે, તે શ્લોક-૧૦માં બતાવ્યું. હવે અપુનબંધક જીવો સંસારનું સ્વરૂપ કઈ રીતે વિચારે છે ? તે બતાવે છે – શ્લોક : भवोऽयं दुःखगहनो जन्ममृत्युजरामयः । अनादिरप्युपायेन पृथग्भवितुमर्हति ।।११।। અન્વયાર્થ : માં મવા આ સંસાર ફુદિન: દુઃખથી ઘેરાયેલો, મૃત્યુનરામય: જન્મ, મૃત્યુ અને જરાથી વ્યાપ્ત, અનારિપિ=અનાદિ હોવા છતાં પણ ૩૫થેન= ઉપાયથી પૃથ–પૃથ વિતુર્દતિ થવાને યોગ્ય છે. ૧૧૫ શ્લોકાર્ચ - આ સંસાર દુઃખથી ઘેરાયેલો, જન્મ-મૃત્યુ અને જરાથી વ્યાપ્ત, અનાદિ હોવા છતાં પણ ઉપાયથી પૃથક થવાને યોગ્ય છે. ||૧૧|| ટીકા : भवोऽयमिति-अयं प्रत्यक्षोपलभ्यमानो, भव:-संसारः, दुःखगहन:= शारीरमानसानेकदुःखशतैराच्छन्नः, जन्म मातृकुक्षिनिष्क्रमणलक्षणं, मरणं प्रतिनियतायुःकर्मक्षयः, जरा वयोहानिलक्षणा, तन्मय:-तत्प्राचुर्यवान्, अनादिरपि उपायेन ज्ञानदर्शनचारित्ररूपेण पृथग् भवितुमर्हति काञ्चनमलवदिति, સ્વરૂપોદનતત્ સારા ટીકાર્ય - માં ...... સ્વરૂપોદનતત્ ા પ્રત્યક્ષથી દેખાતો એવો આ ભવ-સંસાર, દુઃખગહન છે શરીર સંબંધી અને મન સંબંધી અનેક સેંકડો દુઃખોથી વ્યાપ્ત છે. વળી આ ભવ માતૃકુક્ષિમાંથી નિષ્ક્રમણરૂપ જન્મ, પ્રતિનિયત આયુષ્યકર્મના Page #56 -------------------------------------------------------------------------- ________________ અપુનઃબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ ક્ષયરૂપ મરણ, વયની હાતિરૂપ જરા, તન્મય છે=જન્મ, મૃત્યુ, જરાવા પ્રાચર્યવાળો છે. વળી અનાદિ પણ આ ભવ ઉપાય દ્વારા= જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ઉપાય દ્વારા, કાંચનમળની જેમ=સુવર્ણના મળની જેમ, પૃથક્ થવા યોગ્ય છે. કૃતિ શબ્દ શ્લોક સ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે. આ=ભવનું સ્વરૂપ બતાવ્યું એ, સ્વરૂપનું ઊહન છે=અપુનબંધક જીવતી ભવવિષયક સ્વરૂપની વિચારણા છે. ।।૧૧। ભાવાર્થ ઃ અપુનર્બંધક જીવની સંસારવિષયક સ્વરૂપથી વિચારણા : અપુનર્બંધક જીવમાં પદાર્થને જોવાની માર્ગાનુસારી પ્રજ્ઞા ખીલે છે ત્યારે, જેમ ભવના કારણીભૂત જીવોની કર્મપ્રકૃતિ અને જીવોના સ્વભાવનો સમ્યગ્ ઊહ કરે છે, તેમ અનુભવાતા ભવનો=સંસારનો પણ સમ્યગ્ ઊહ કરે છે અને વિચારે છે કે (૧) “પ્રત્યક્ષથી દેખાતો આ સંસાર દુઃખગહન છે; કેમ કે આ સંસાર શારીરિક અને માનસિક સેંકડો દુ:ખોથી ઘેરાયેલો છે, (૨) વળી આ સંસાર જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત છે, માટે અસાર છે. (૩) વળી આ સંસાર અનાદિનો છે તોપણ રત્નત્રયીરૂપ ઉપાય દ્વારા તેનો નાશ થઈ શકે છે. જેમ ખાણમાંથી નીકળેલ સુવર્ણ અનાદિથી મળવાળું છે, છતાં શુદ્ધિના ઉપાયથી તેનું શોધન થાય છે, તેમ આ ભવના ઉપાયનું શોધન થઈ શકે તેમ છે.’ 33 અહીં વિશેષ એ છે કે તત્ત્વને જોવાની નિર્મળ પ્રજ્ઞાવાળા અપુનર્બંધકને દેખાય છે કે સંસારનું બીજ રાગ, દ્વેષ અને મોહની પરિણતિરૂપ જીવનો સ્વભાવ છે અને જીવ પ્રયત્ન કરીને સ્વભાવનું પરિવર્તન કરી શકે છે, આર્થ જો સમ્યક્ પ્રકારે શાસ્ત્રવચનાનુસાર યત્ન કરવામાં આવે તો પોતાનામાં વર્તતા રાગ, દ્વેષ અને મોહની પરિણતિ ક્રમસર ઘટી શકે છે, અને સમ્યક્ પ્રકારે રત્નત્રયીમાં યત્ન કરીને સંસારના બીજભૂત એવા સ્વભાવનો ઉચ્છેદ થઈ શકે છે, માટે અનાદિ એવો પણ ભવ ઉપાયથી પૃથક્ થઈ શકે છે, તેથી ‘હું પણ સમ્યક્ યત્ન કરીને આ ભવનો અંત કરું.' આ પ્રકારની બુદ્ધિથી અપુનર્બંધક જીવ ભવના સ્વરૂપનું સમાલોચન કરે છે. ||૧૧|| Page #57 -------------------------------------------------------------------------- ________________ ३४ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૧૨ मपतरशिs: અપુનબંધક જીવ સંસારના ફળની કાર્યની, વિચારણા કઈ રીતે કરે छ ? ते बतावे छ - Pटोs : फलं भवस्य विपुल: क्लेश एव विजृम्भते । न्यग्भाव्यात्मस्वभावं हि पयो निम्बरसो यथा ।।१२।। मन्वयार्थ : यथा पयो निम्बरसो तुम दूधना स्वभावQ तिरोधान शिने सीमानो २स टुरस 2 ४३ छ, (तेम) आत्मस्वभावं न्यग्भाव्य-मात्मस्वभाव तिरोधान शिने भवस्य-संसार फलं- आर्य विपुलः क्लेश एव विपुल इलेश ४ विजृम्भतेवत छ. ।।१२।। लोहार्थ : જેમ દૂધના સ્વભાવનું તિરોધાન કરીને લીમડાનો રસ કટુરસ પ્રગટ 5रे छ, (तेम) मात्मस्वभाव, तिरोधान रीने संसारमुंडार्य, विपुल लेश १ वर्ते छ. ।।१२।। टी : फलमिति-भवस्य-संसारस्य, फलं कार्यं विपुल: अनुबन्धसंतत्या विस्तीर्णः, क्लेश एव विजृम्भते, नात्र सुखलवोऽप्यस्तीत्येवकारार्थः । आत्मन्येव सुखस्वभावे सति कथं क्लेशो विजृम्भत इत्यत आह-आत्मस्वभावं न्यग्भाव्यतिरोभाव्य, यथा पयस्तिरोभाव्य निम्बरसो विजृम्भते, भवति हि महता प्रतिपन्थिनाऽल्पस्याभिभव इति । यदा त्वात्मस्वभाव एव भूयान् भवति तदा तेनापि क्लेशाभिभवः कर्तुं शक्यत इति, न संसारदशायां क्लेशेनात्माभिभवानुपपत्तिरिति भावः, फलोहनमेतत् ।।१२।। टीमार्थ : भवस्य-संसारस्य ..... फलोहनमेतत् ।। सव=संसार ५५ , विपुल Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અપુનબંધકદ્વાત્રિશિકા/બ્લોક-૧૨ અનુબંધસંતતિથી વિસ્તીર્ણ ક્લેશ જ વર્તે છે. અહીં=સંસારમાં, સુખનો લેશ પણ નથી, એ “વકારનો જ કારનો અર્થ છે. આત્માનો જ સુખસ્વભાવ હોતે છતે આત્મામાં ક્લેશ કેવી રીતે વર્તે છે ? એથી કહે છે -- આત્મસ્વભાવને વ્યકતિરોધાન કરીને, ફ્લેશ વર્તે છે, એમ અન્વય છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ દૂધને તિરોધાન કરીને દૂધના મધુર સ્વભાવને તિરોધાન કરીને લીમડાનો રસ વિકૃતે પોતાના કટુ સ્વભાવને દેખાડે છે. અહીં પ્રશ્ન થાય કે લીમડાનો કડવો સ્વભાવ છે અને દૂધનો મધુર સ્વભાવ છે, અને બંનેના મિશ્રણમાં દૂધના મધુર સ્વભાવથી લીમડાના કટુ રસનું તિરોધાન ન થયું, અને લીમડાના કટુ રસથી દૂધના મધુર રસનું તિરોધાન થયું, એમ કેમ થાય છે ? તેથી કહે છે – મોટા પ્રતિપંથી વડે અલ્પનો અભિભવ થાય છે, એથી મોટા પ્રતિપંથી એવા લીમડાના કટુ રસથી અલ્પ એવા દૂધના મધુર રસનો અભિભવ થાય છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. વળી, જ્યારે આત્મસ્વભાવ જ ઘણો થાય છે, ત્યારે તેના વડે પણ= આત્મસ્વભાવ વડે પણ, ક્લેશનો અભિભવ કરવો શક્ય છે, એથી સંસારદશામાં ક્લેશ દ્વારા આત્માના અભિભાવની અનુપપત્તિ નથી-આત્માના અફ્લેશ સ્વભાવના અભિભવની અનુપપત્તિ નથી એ પ્રમાણે ભાવ છે. આ= પ્રસ્તુત શ્લોકમાં કહ્યું એ, ફળનું ઊહત છે=અપુતબંધક જીવની ભવવિષયક ફળથી વિચારણા છે. ll૧૨ા ભાવાર્થ : અપુનબંધક જીવમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રવર્તતી હોય ત્યારે જેમ ભવના હેતુની સમ્ય વિચારણા કરે છે અને ભવના સ્વરૂપની સમ્યગુ વિચારણા કરે છે, તેમ ભવના ફળની પણ સમ્યગુ વિચારણા કરે છે. તે વિચારણા કઈ રીતે કરે છે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે – Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ ભવની સ્વરૂપથી વિચારણા અને ભવની ફળથી વિચારણા વચ્ચે ભેદ :ભવના સ્વરૂપની વિચારણા અને ભવના ફળની વિચારણા વચ્ચે ભેદ આ પ્રમાણે છે જન્મ, જરા, મૃત્યુ અને શારીરિક, માનસિક આદિ અનેક જાતના રોગોથી આકુળ એવો આ ભવ છે. વ્યવહારદૃષ્ટિથી પ્રસિદ્ધ એવાં સર્વ દુઃખો ભવના સ્વરૂપમાં દુઃખરૂપે બતાવાયાં છે, પરંતુ પુણ્યના ઉદયવાળા જીવો શારીરિક, માનસિક સુખને અનુભવે છે, તેને અહીં દુઃખરૂપે કહેલ નથી. વળી જીવ શરીર સાથે સંબંધવાળા ભવને પામે, તેના કારણે રાગાદિથી અનાકુળ એવા આત્માના મૂળ સ્વભાવનું તિરોધાન થાય છે અને રાગાદિથી આકુળ ચેતના પ્રગટ થાય છે, જે ક્લેશરૂપ છે, અને આ ક્લેશ ભવનું ફળ છે; કેમ કે જો જીવ ભવમાં ન હોય તો આ ક્લેશ પ્રાપ્ત થાય નહીં. તેથી ભવની પ્રાપ્તિથી આ ક્લેશની પ્રાપ્તિ થઈ, માટે ભવનું ફળ ક્લેશ છે, એમ કહેલ છે. અપુનબંધક જીવની સંસારવિષયક ફળથી વિચારણા : અપુનર્બંધક જીવ વિચારે છે કે ‘ભવમાં વર્તતા જીવો અનુબંધથી, પ્રવાહથી વિસ્તીર્ણ ક્લેશને પામે છે, માટે ભવમાં સુખનો લેશ પણ નથી.’ આનાથી એ પ્રાપ્ત થાય કે સંસારમાં પુણ્યના ઉદયવાળા જીવો શારીરિક, માનસિક શાતાને અનુભવતા હોય ત્યારે દુ:ખથી ગહન એવો ભવ તેમના માટે અલ્પકાળ માટે દુ:ખગહન નથી; પરંતુ લાંબા કાળે તો દુ:ખગહન જ છે. વળી, અપુનર્બંધક જીવ ફળથી સંસારનું સ્વરૂપ વિચારે છે કે ભવનું ફળ આત્માના અક્લેશસ્વભાવનું તિરોધાન કરીને ક્લેશસ્વભાવને પ્રગટ કરે છે, તે અપેક્ષાએ પુણ્યના ઉદયવાળા જીવો માટે પણ ભવ ક્લેશરૂપ બને છે, તેથી ભવમાં સુખ લેશ પણ નથી એમ કહેલ છે; કેમ કે પુણ્યના ઉદયવાળા જીવોને પણ રાગાદિના કે ક્લેશનો અભાવ નથી, તેથી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલું સુખ પણ રાગાદિ ક્લેશને કારણે પરમાર્થ દૃષ્ટિએ ક્લેશથી હણાયેલું છે. અહીં પ્રશ્ન થાય કે આત્માનો સુખસ્વભાવ હોવા છતાં આત્મામાં ક્લેશ કેમ પ્રગટ થયો? તેથી કહે છે ➖➖ Page #60 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બંધકદ્વાત્રિંશિકા/મ્લોક-૧૨-૧૩ ૩૭ જેમ દૂધનો મધુર સ્વભાવ છે તોપણ લીમડાનો રસ તેમાં નાખવામાં આવે તો દૂધનો મધુર સ્વભાવ તિરોધાન થાય છે અને લીમડાનો કટુ સ્વભાવ પ્રગટ થાય છે, તેમ આત્માનો અક્લેશસ્વભાવ છે, પરંતુ ભવને કારણે આત્મસ્વભાવનું તિરોધાન થવાથી આત્મામાં ક્લેશસ્વભાવ પ્રગટ થાય છે. અહીં પ્રશ્ન થાય કે જેમ લીમડામાં કટુ સ્વભાવ છે, તેમ દૂધમાં મધુર સ્વભાવ છે, તેથી દૂધના મધુર સ્વભાવથી લીમડાનો કટુ સ્વભાવ કેમ તિરોધાન ન થયો ? તેની સ્પષ્ટતા કરતાં કહે છે - મોટા પ્રતિપંથી એવા લીમડાના કટુ સ્વભાવથી=ઘણા પ્રમાણમાં નંખાયેલા લીમડાના રસથી, અલ્પ એવા દૂધનો મધુર સ્વભાવ અભિભવ પામે છે; તેમ મોટા એવા ભવના ક્લેશસ્વભાવથી આત્માનો અક્લેશસ્વભાવ અભિભવ પામે છે અને ક્લેશસ્વભાવ આવિર્ભાવ પામે છે; પરંતુ આત્મા યોગમાર્ગની સાધનામાં પ્રવૃત્ત થાય છે ત્યારે ઘણો આત્મસ્વભાવ પ્રગટ થાય છે, અને તેનાથી ભવના ક્લેશસ્વભાવનો અભિભવ પણ થાય છે, આથી ભવમાં વર્તતા યોગીઓ યોગસાધનાના બળથી ઘણા આત્મસ્વભાવને પ્રગટ કરે છે ત્યારે, તેઓમાં ક્લેશનો અભિભવ દેખાય છે; અને સંસારી જીવોમાં ભવનો ક્લેશસ્વભાવ બળવાન હોવાને કારણે આત્માના અક્લેશસ્વભાવના અભિભવની અનુપત્તિ નથી, અર્થાત્ સંસાર અવસ્થામાં ક્લેશસ્વભાવ પ્રગટે છે, એ પ્રકારે માર્ગાનુસારી પ્રજ્ઞાથી અપુનર્બંધક જીવો સંસારની ફળથી વિચારણા કરે છે. ૧૨૨ા અવતરણિકા : શ્લોક-૯માં કહ્યું કે અપુનર્બંધક જીવ ભવવિષયક હેતુ, સ્વરૂપ અને ફળની વિચારણા કરે છે, ત્યાર પછી તે ભવતી વિચારણા કઈ રીતે કરે છે તે શ્લોક૧૦ થી ૧૨માં બતાવ્યું. હવે ભવના આવા સ્વરૂપને જાણીને અપુનબંધક જીવ ભવના ઉચ્છેદની વિચારણા કઈ રીતે કરે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક : तद्वियोगाश्रयोऽप्येवं सम्यगूहोऽस्य जायते । तत्तत्तन्त्रनयज्ञाने विशेषापेक्षयोज्ज्वलः ।। १३ ।। Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અપુનબંધકદ્વાચિંશિકા/બ્લોક-૧૩ અન્વયાર્થ: વં એ રીતે જે રીતે હેતુ, સ્વરૂપ અને ફળથી અપુતબંધક જીવ ભવનું સ્વરૂપ વિચારે છે એ રીતે, તત્તત્તનયાને તે તે તંત્રતા તયોનું જ્ઞાન થયે છતે વિષાપેક્ષયોāતા=વિશેષ પ્રકારની અપેક્ષાથી ઉજ્જવળ એવો વિશ્રવ=તપ્રિયોગના આશ્રયવાળો ભવના વિયોગના આશ્રયવાળો સરદ=સમ્યમ્ ઊહ સ્થઆને=શાંત, ઉદાત્ત એવા અપુનબંધકને નાતે= થાય છે. ll૧૩! શ્લોકાર્ચ - એ રીતે તે તે તંત્રના નયોનું જ્ઞાન થયે છતે વિશેષ અપેક્ષાથી ઉજ્વળ, તદ્ધિયોગના આશ્રયવાળો-ભવના વિયોગના આશ્રયવાળો, સભ્ય ઊહ, આને શાંત, ઉદાત એવા અપુનર્બધકને, થાય છે. ll૧all “ર્તાયો TAોડપ' અહીં “ઘ' થી એ કહેવું છે કે અપુનબંધક જીવ ભવના સ્વરૂપનો તો ઊહ કરે, પરંતુ ભવના વિયોગના આશ્રયવાળો પણ ઊહ કરે. ટીકા : तदिति-तद्वियोगाश्रयः भववियोगाश्रयोऽप्येवं हेतुस्वरूपफलद्वारेण सम्यगृह:समीचीनविचार:, अस्य-शान्तोदात्तस्य, जायते, तेषां तेषां तन्त्राणां षष्टितन्त्रादीनां, नयानां ज्ञाने सति, विशेषापेक्षयेतरांशजिज्ञासालक्षणया, उज्ज्वल:= शुद्धनिश्चयानुसारी ।।१३।। ટીકાર્ય : તદ્વયાશ્રયો ..... ગુનિયાનુસારી એ રીતે=જે રીતે ભવના સ્વરૂપનો હેતુ, સ્વરૂપ અને ફળથી ઊહ કરે છે એ રીતે, હેતુ, સ્વરૂપ અને ફળ દ્વારા, તેના વિયોગનો આશ્રય એવોભવના વિયોગનો આશ્રય એવો, સમ્યમ્ ઊહ સમીચીત વિચાર, આને શાંત, ઉદાત્ત એવા અપુતબંધકને, થાય છે. અપુનબંધક જીવને ભવવિયોગના આશ્રયવાળો ઊહ ક્યારે થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – તે તે તંત્રોના ષષ્ટિમંત્રાદિના, નયોનું જ્ઞાન થયે છતે, ભવવિયોગનો આશ્રય એવો ઊહ પ્રવર્તે છે, એમ અવય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ ૩૯ કેવા પ્રકારનો ભવના વિયોગના આશ્રયવાળો ઊહ અપુનર્બંધકને થાય છે ? તે સ્પષ્ટ કરે છે. ઇતરાંશની જિજ્ઞાસારૂપ વિશેષ અપેક્ષાથી ઉજ્જ્વળ=શુદ્ધ નિશ્ચયને અનુસરનારો=શુદ્ધ નિર્ણયને અનુસરનારો, ભવના વિયોગના આશ્રયવાળો ઊહ થાય છે. ||૧૩૪/ ભાવાર્થ : અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક હેતુ, સ્વરૂપ અને ફળથી વિચારણા : અપુનર્બંધક જીવો પ્રકૃતિથી શાંત હોય છે અને ઉચ્ચ ઉચ્ચતર યોગમાર્ગની ભૂમિકામાં જવા માટે બદ્ધ આશયવાળા હોય છે. આવા અપુનર્બંધક જીવોને યોગીઓનો સંયોગ થાય ત્યારે તેઓ પાસેથી તેમને યોગમાર્ગને જાણવાની જિજ્ઞાસા થાય છે, અને યોગીઓના સંપર્કથી તે તે દર્શનોનાં શાસ્ત્રોનો બોધ થાય ત્યારે, ભવના વિયોગના આશ્રયવાળો હેતુ, સ્વરૂપ અને ફળથી સમ્યગ્ ઊહ પ્રવર્તે છે, અને તે સમ્યગ્ ઊહ જે જે દર્શનકારોના ગ્રંથોથી પોતાને બોધ થયો છે, તેનાથી ઇતર અંશને જાણવાની જિજ્ઞાસાથી યુક્ત હોય છે અને આવી જિજ્ઞાસાને કારણે શુદ્ધ નિર્ણયને અભિમુખ એવો ઊહ અપુનર્બંધક જીવોને પ્રવર્તે છે, તેથી ક્રમે કરીને ભવના વિયોગના આશ્રયનો યથાર્થ નિર્ણય પ્રાપ્ત થાય છે. અહીં વિશેષ એ છે કે અપુનર્બંધક જીવ પ્રથમ ભવના સ્વરૂપનો સમ્યગ્ ઊહ કરે છે, અને ભવનું સ્વરૂપ પૂર્વમાં વર્ણન કર્યું તેવું વિષમ દેખાવાથી અપુનબંધક જીવ ભવના વિયોગના ઉપાયને જાણવાનો અર્થી બને છે, તેથી સંસારના ઉચ્છેદમાં યત્ન કરનારા યોગીઓ પાસેથી તેના ઉપાયને જાણવા માટે યત્ન કરે છે, અને યોગીઓ પાસેથી તે તે દર્શનમાં બતાવાયેલા ભવના ઉચ્છેદના ઉપાયોનું સમ્યજ્ઞાન થાય ત્યારે તેને વિશેષ પ્રકારની જિજ્ઞાસા થાય છે, જે જિજ્ઞાસા યથાર્થ નિર્ણય કરીને વિશ્રાંત થાય તેવી નિર્મળ કોટિની હોય છે. અપુનર્બંધક જીવ ભવના વિયોગવિષયક હેતુ, સ્વરૂપ અને ફળથી આ રીતે વિચારણા કરે છે – ―― Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૧૩-૧૪ અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક હેતુથી વિચારણા : ભવના કારણભૂત એવા સંક્લેશનો ઉચ્છેદ=બાહ્ય પદાર્થ સાથે સંગ કરવાની વૃત્તિરૂપ સંક્લેશનો ઉચ્છદ, ભવના વિયોગનો હેતુ છે. અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક સ્વરૂપથી વિચારણા :કર્માદિના સંયોગ વગરના શુદ્ધ આત્માની પ્રાપ્તિ એ ભવના વિયોગનું સ્વરૂપ છે. અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક ફળથી વિચારણા :સર્વ ઉપદ્રવથી રહિત ચૈતન્યમય આત્મા હોવાથી સુખમય અવસ્થાની પ્રાપ્તિ ભવના વિયોગનું ફળ છે. સારાંશ - અપુનબંધક જીવની ભવના વિયોગવિષયક વિચારણા હેતુથી સ્વરૂપથી ફળથી ભવના કારણભૂત સર્વ ઉપદ્રવરહિત સુખમય સંક્લેશનો ઉચ્છેદ અવસ્થાની પ્રાપ્તિ ભવવિયોગનો કર્યાદિના સંયોગ વગરના ભવવિયોગનું ફળ છે. હેતુ છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ તે ભવવિયોગનું સ્વરૂપ છે. ll૧૩ અવતરણિકા : શ્લોક-૧૩માં કહ્યું કે અપુનર્ધધક જીવને ભવના વિયોગના આશ્રયવાળો ઊહ પ્રવર્તે છે. આમ હોતે છતે શું સિદ્ધ થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે – નોંધ :- આ અવતરણિકા યોગબિંદુ શ્લોક-૨૦૦ અને શ્લોક-૨૦૧ના આધારે કરેલ છે. શ્લોક : योजनाद्योग इत्युक्तो मोक्षेण मुनिसत्तमैः । स निवृत्ताधिकारायां प्रकृतौ लेशतो ध्रुवः ।।१४।। Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૪ અન્વયાર્થ : મોક્ષે યોનના–મોક્ષની સાથે યોજત કરનાર છે, (મોક્ષનું કારણ છે) રૂતિ એ હેતુથી મુનિસત્ત: મુનિસામો વડે ઋષિપંગવો વડે ચા=યોગ ૩વત્ત કહેવાયો છે. તે યોગ નિવૃત્તવિવારીયા પ્રતો નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે નૈતિ=લેશથી=અંશથી ધ્રુવ =નિશ્ચિત છે. ll૧૪ બ્લોકાર્થ : “મોક્ષની સાથે યોજન કરનાર છે,” (મોક્ષનું કારણ છે) એ હેતુથી મુનિસામો વડે યોગ કહેવાયો છે. તે ચોગ, નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે લેશથી નિશ્ચિત છે. II૧૪ll. ટીકા - योजनादिति-योजनात्-घटनात् मोक्षेण, इति-अस्माद्धेतोः, मुनिसत्तमैः= ऋषिपुङ्गवैः, योग उक्तः, स निवृत्ताधिकारायां व्यावृत्तपुरुषाभिभवायां, प्रकृतौ सत्यां लेशतः किञ्चिद्वृत्त्या, ध्रुवो निश्चितः ।।१४।। ટીકાર્ય : યોજના ..... નિશ્ચિત મોક્ષની સાથે યોજન કરનાર છે'=જોડનાર છે. (મોક્ષનું કારણ છે) કૃતિ એ હેતુથી, મુનિસામો વડે ઋષિપુંગવો વડે, યોગ કહેવાયો છે. નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે વ્યાવૃત્તપુરુષઅભિભવવાળી પ્રકૃતિ હોતે છતે અર્થાત્ કંઈક અંશથી નિવૃત્ત થયો છે પુરુષનો અભિભવ જેમાં એવી પ્રકૃતિ હોતે છતે, લેશથી=કંઈક વૃત્તિથીકંઈક અંશથી, તે યોગ, ધ્રુવ=નિશ્ચિત છે. ૧૪માં ભાવાર્થ :અપુનબંધક જીવમાં ચોગના લક્ષણના સંભવની યુક્તિ : શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અપુનર્બધક જીવ ભવના વિયોગના આશ્રયવાળો ઊહ કરે છે. તેનાથી તેને શું પ્રાપ્ત થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ “ોનના દ્યો' એ પ્રકારની યોગ' શબ્દની વ્યુત્પત્તિ છે અર્થાત્ “મોક્ષની સાથે આત્માનું જે યોજન કરે તે યોગ કહેવાય.” યોગની આવા પ્રકારની વ્યુત્પત્તિ હોવાને કારણે ઋષિઓએ મોક્ષમાર્ગની પ્રવૃત્તિને યોગ કહેલ છે; અને જીવ ઉપર પ્રકૃતિનો અધિકાર કંઈક ઓછો થાય ત્યારે, આ યોગ કંઈક અંશથી નક્કી પ્રગટ થાય છે. અપુનબંધક જીવ પૂર્વસેવાની આચરણા કરે છે ત્યારે, હજુ ભવના સ્વરૂપનો હેતુ, સ્વરૂપ અને ફળથી પણ ઊહ કરતો નથી, અને ભવના વિયોગના આશ્રયવાળો ઊહ પણ હજુ કરતો નથી, તોપણ પૂર્વસેવાકાળમાં તેના ઉપરથી પ્રકૃતિનો કંઈક અધિકાર ગયેલો છે, તેથી કંઈક અંશથી મોક્ષની સાથે યોજન કરે તેવો યોગ તેનામાં પ્રગટેલો છે; અને અપુનબંધક જીવ હેતુ, સ્વરૂપ અને ફળથી સંસારનો ઊહ કરે છે ત્યારે તે યોગ વિશેષ પ્રગટે છે, અને સંસારના સ્વરૂપનો ઊહ કર્યા પછી ભવના ઉચ્છેદનો અર્થ એવો તે ષષ્ટિમંત્રાદિ શાસ્ત્રોનું જ્ઞાન કરીને ભવના ઉચ્છેદનો વિશેષથી ઊહ કરે છે ત્યારે, પૂર્વ કરતાં કંઈક અધિક એવો યોગમાર્ગ અપનબંધક જીવમાં પ્રગટે છે. આ વર્ણન “યોગબિંદુ' ગ્રંથ શ્લોક-૨૦૦-૨૦૧ના આધારે કરેલ છે. I/૧૪ અવતરણિકા - શ્લોક-૧૪માં કહ્યું કે પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત થયે છતે લેશથી નિશ્ચિત યોગ છે, તે કથન ગોપેન્દ્ર ઋષિનું છે. તે વચનથી અપુતબંધક જીવને યોગની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક : गोपेन्द्रवचनादस्मादेवलक्षणशालिनः । परैरस्येष्यते योग: प्रतिस्रोतोऽनुगत्वतः ।।१५।। અન્વયાર્થ : સ્થ પ્રતિસ્ત્રોતોડનુર્વિત: આનું પ્રતિસ્રોતાનુગપણું હોવાને કારણે= અપુનબંધકની પ્રતિસ્રોતને અનુસરનારી ક્રિયા હોવાને કારણે વ્રતક્ષાશનિન =આવા લક્ષણવાળાનું શાંત-ઉદાત્તવાદિ ગુણયુક્ત અપુનબંધકને સ્મા પેવરના આ ગોપેન્દ્રના વચનથી=પૂર્વશ્લોકમાં કહ્યું કે નિવૃત્ત. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અધિકારવાળી પ્રવૃત્તિ હોતે છતે લેશથી ધ્રુવ યોગ છે' એ ગોપેન્દ્ર વચનથી, પ:=પર વડેeતીર્થોત્તરીયો વડે યો? 3ષ્યતે યોગ ઈચ્છાય છે. II૧પ. શ્લોકાર્ચ - આનું અપુનર્બલકનું, પ્રતિસ્રોતઅનુગપણું હોવાને કારણે આવા લક્ષણવાળાનું શાંત-ઉદાત્તત્વાદિ લક્ષણવાળાનું, આ ગોપેન્દ્રના વચનથી= ‘નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે લેશથી ધ્રુવયોગ છે' એ ગોપેન્દ્રના વચનથી, તીર્થાન્તરીયો વડે યોગ ઈચ્છાય છે. II૧૫ll ટીકા : गोपेन्द्रेति-अस्माद् गोपेन्द्रवचनात् एवंलक्षणशालिना=शान्तोदात्तत्वादिगुणयुक्तस्यापुनर्बन्धकस्य, परैस्तीर्थान्तरीयैः योग उच्यते, प्रतिस्रोतोऽनुगच्छति यः स प्रतिस्रोतोनुगस्तद्भावस्तत्त्वं ततः । इन्द्रियकषायानुकूला हि वृत्तिरनुश्रोतः, तत्प्रतिकूला तु प्रतिस्रोत इति । इत्थं हि प्रत्यहं शुभपरिणामवृद्धिः, सा च योगफलमित्यस्य योगौचित्यं । तदाह - “वेलावलनवन्नद्यास्तदापूरोपसंहतेः । પ્રતિસ્ત્રોતોનાલ્વન પ્રત્યતં વૃદ્ધિસંયુતા” | (ચોવિન્ ૨૦૨) તિ પાપ ટીકાર્ય : મસ્મોપેન્દ્રવનાત્ ..... તિ | આ ગોપેન્દ્રના વચનથી=પૂર્વશ્લોકમાં બતાવ્યું એ ગોપેન્દ્રનું વચન છે, તેનાથી, આવા લક્ષણવાળા=શાંત, ઉદાત્તત્વાદિ ગુણયુક્ત એવા અપુનબંધક, પર વડે તીર્થોત્તરીયો વડે, યોગ કહેવાયો છે; કેમ કે આનું અપુનબંધકનું, પ્રતિસ્રોતાનુગપણું છે. પ્રતિસ્રોતાનુગપણાની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે – પ્રતિસોતને જે અનુસરે છે તે પ્રતિસ્રોતાનુગ પ્રતિસ્રોતને અનુસરનાર. તેનો ભાવ પ્રતિસોતાનુગત્વ=પ્રતિસ્રોતાનુગામીપણું, તેના કારણે પ્રતિસ્રોતાતુગામીપણું હોવાને કારણે, પર વડે તીર્થોત્તરીયો વડે, અપુનબંધકને યોગ ઈચ્છાય છે, એમ અવય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અહીં પ્રતિસ્રોત શું છે ? તે સ્પષ્ટતા કરે છે -- ઇન્દ્રિય અને કષાયને અનુકૂળ વૃત્તિ અનુસ્રોત છે. વળી તેને પ્રતિકૂળ= ઈન્દ્રિય અને કષાયને પ્રતિકૂળ, પ્રતિસ્ત્રોત છે. રૂતિ' શબ્દ પ્રતિસ્રોતના તાત્પર્યની સમાપ્તિમાં છે. આ રીતે અપુતબંધક પ્રતિસ્રોતાનુગામી છે એ રીતે, પ્રતિ દિવસ શુભ પરિણામની વૃદ્ધિ છે, અને તે શુભ પરિણામની વૃદ્ધિ, યોગનું ફળ છે= અપુનબંધકના પ્રાથમિક ભૂમિકામાં પ્રગટેલા યોગનું કાર્ય છેઃવિશેષ પ્રકારનો યોગ છે, એથી આને=અપુનર્બધકને, યોગનું ઉચિતપણું છે બીજા વડે અપુનર્બલકમાં યોગ સ્વીકાર્યો છે, એ ઉચિત છે. તેને કહે છે અપુનબંધકને પ્રતિસ્રોતાનુગામીપણું હોય છે, તેને યોગબિંદુ શ્લોક-૨૦૨માં કહે છે – તવાપુર પસંહૃતે =તેના આપૂરણની ઉપસંહતિ હોવાથી=મહાસમુદ્રના ક્ષોભ દ્વારા નદીનું જે આપૂરણ થતું હતું, તેનો ઉપસંહાર હોવાથી અર્થાત્ તેનું ઘટવાપણું હોવાથી, નડ્યા: વૈનીવર્તનવ=નદીની વેલાના વલનની જેમ=નદીની જલવૃદ્ધિના વલનની જેમ પ્રતિસ્ત્રોતોનુરત્વેન=પ્રતિસ્રોતનું અનુગપણું હોવાને કારણે અપુનબંધકનું પ્રતિસ્રોતાનુગામીપણું હોવાને કારણે પ્રત્યુદં=પ્રતિદિવસ વૃદ્ધિસંયુત =વૃદ્ધિસંયુક્ત યોગ છે.” (યોગબિંદુ-૨૦૨) રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. I૧પા ભાવાર્થ - અપુનર્બલકમાં યોગના લક્ષણના સંભવની યુતિ:અપુનબંધકનું પ્રતિસ્ત્રોતગમન : શ્લોક-૧૪માં કહ્યું એ પ્રકારે નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોય તો લેશથી યોગ હોય છે. આ પ્રકારના ગોપેન્દ્રના વચનથી તીર્થાન્તરીયો-ગોપેન્દ્રના મતવાળા, શાંત-ઉદાત્તત્વાદિ ગુણયુક્ત અપુનબંધકને યોગ કહે છે; કેમ કે અપુનબંધક જીવો પ્રતિસ્રોતમાં જનાર હોય છે. આનાથી એ ફલિત થાય કે અનાદિકાળથી જીવ અનુસ્રોતગામી છે, તેથી અનાદિકાળનો સંસાર હજુ સુધી વિદ્યમાન છે; અને જીવ ઉપરથી કર્મનો Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અધિકાર કંઈક ઓછો થાય છે, ત્યારે જીવ શાંત-ઉદાત્ત થાય છે અને પ્રતિસ્રોતગમન કરે છે, અને આ પ્રતિસ્રોતગમનને કારણે જીવમાં શુભ પરિણામની વૃદ્ધિ થાય છે, માટે ગોપેન્દ્રએ અપુનબંધકને યોગ સ્વીકારેલ છે, તે ઉચિત છે. પ્રતિસોતગમન શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ઇન્દ્રિય અને કષાયને અનુકૂળ વૃત્તિ તે અનુસ્રોતગમન છે અને ઇન્દ્રિય અને કષાયને પ્રતિકૂળ વૃત્તિ તે પ્રતિસ્ત્રોતગમન છે. સામાન્ય રીતે અપુનબંધક જીવો સંસારની પ્રવૃત્તિ છોડીને કેવળ આત્મહિત માટે પ્રવૃત્તિ કરનારા હોતા નથી, તેથી ઇન્દ્રિયોના વિષયોનું સેવન પણ કરે છે અને ભોગાદિની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે કષાયના ભાવો પણ કરે છે. આમ છતાં અત્યાર સુધી ઇન્દ્રિયોના ભાવો પ્રત્યેનું જે ગાઢ આકર્ષણ હતું અને પોતાને ઇષ્ટ પદાર્થોમાં રાગ અને અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ અનિવર્તનીયરૂપે વર્તતો હતો, તે કંઈક મંદ થયો છે, તેથી ઇન્દ્રિયોની આધીનતામાં અસારતા અને કષાયોમાં સંક્લેશતા અપુનબંધક જીવોને કંઈક દેખાય છે, માટે ઇન્દ્રિયોની આધીનતા અને કષાયોમાં થતી સંક્લેશતાથી પર એવી જીવની અવસ્થાને અભિમુખ અપુનબંધક જીવ થાય છે, તેથી સંસારમાં ભોગાદિ કરતા હોય તોપણ ગાઢ રાગ પ્રવર્તતો નથી, માટે અપનબંધક જીવો સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. આ તેઓની ઇન્દ્રિયો અને કષાયોને પ્રતિકૂળ પ્રવૃત્તિ છે. અહીં વિશેષ એ છે કે નિર્લેપ મુનિઓ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરીને અને કષાયોના સ્કુરણનો નિરોધ કરીને નિષ્કષાય અવસ્થા તરફ જવાના ઉદ્યમવાળા હોય છે, તે તેઓનું પ્રતિસ્રોતગમન રુચિથી અને પ્રવૃત્તિથી હોય છે. અપુનબંધક જીવો તપ-ત્યાગાદિ કરતા હોય કે શાસ્ત્રના તત્ત્વનું ચિંતન કરતા હોય ત્યારે તેઓની ઇન્દ્રિય અને કષાયની વિરુદ્ધ પ્રવૃત્તિ છે, તોપણ ભોગાદિની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ઇન્દ્રિયોને અનુકૂળ પ્રવૃત્તિ કરતા હોય છે અને વિષયોમાં કંઈક રાગ પણ હોય છે, તેથી કષાયોને અનુકૂળ પ્રવૃત્તિ પણ વર્તે છે. આમ છતાં વિષયોની અસારતા અને કષાયોની સંક્લેશતા સમજી શકે તેવી નિર્મળતા અપુનબંધક જીવોમાં છે, તેથી સંસારમાં ઉચિત પ્રવૃત્તિ કરીને પણ ઇન્દ્રિયોની વૃત્તિઓ અને કષાયોની વૃત્તિઓ કંઈક ક્ષણ કરે છે, તેથી અપુનબંધકને પ્રતિસ્રોતગામી કહેલ છે. આપણા Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૬ અવતરણિકા : શ્લોક-૧૫માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રતિસ્રોતનું અનુસરણ કરનાર હોવાથી અપુનર્બલકને પર વડે યોગ ઈચ્છાય છે. ત્યાં પ્રશ્ન થાય કે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિથી યોગની પ્રાપ્તિ છે, તેથી મિથ્યાત્વ અવસ્થાવાળા એવા અપુનબંધકમાં યોગ કઈ રીતે સંભવે ? માટે અપુતબંધકમાં યોગને સ્વીકારનાર ગોપેન્દ્રનું વચન કઈ રીતે સંગત છે ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : तत्क्रियायोगहेतुत्वाद्योग इत्युचितं वचः । मोक्षेऽतिदृढचित्तस्य भिन्नग्रन्थेस्तु भावतः ।।१६।। અન્વયાર્થ : ક્રિયાયોગહેતુત્વ=ક્રિયાયોગનું હેતુપણું હોવાથી સદાચારરૂપ ક્રિયાયોગનું ભાવયોગ પ્રત્યે હેતુપણું હોવાથી વા યોગ છે. રૂત્તિ એ રીતે તદા તે વચન=ગોપેન્દ્રએ અપુનર્બધકને યોગ છે, એમ સ્વીકાર્યું તે વચન વિતંત્ર ઉચિત છે. તુ વળી મોક્ષેડતિવૃવત્તસ્થ મિત્રજોઃમોક્ષમાં અતિ દઢ ચિતવાળા ભિન્નગ્રંથિને અર્થાત્ સમ્યગ્દષ્ટિને માવતિ=ભાવથી યોગ છે. ૧૬ શ્લોકાર્ચ - ક્રિયાયોગનું હેતુપણું હોવાથી=સદાચારરૂપ ક્રિયાયોગનું ભાવયોગ પ્રત્યે હેતુપણું હોવાથી, યોગ છે, એ પ્રમાણે તે વયન ગોપેન્દ્રએ અપુનબંધકને યોગ છે એમ સ્વીકાર્યું તે વચન, ઉચિત છે. વળી મોક્ષમાં અતિ દટ ચિત્તવાળા ભિન્નગ્રંથિને ભાવથી યોગ છે. ll૧૬ll ટીકા : तदिति-तद्वचः क्रियायोगस्य सदाचारलक्षणस्य, हेतुत्वात् योग इत्येवमुचितं, अस्य द्रव्ययोगवत्त्वात्, मोक्षे निर्वाणे, अतिदृढचित्तस्य-एकधारालग्नहृदयस्य, भिन्नग्रन्थे:-विदारितातितीव्ररागद्वेषपरिणामस्य, तु भावतो योगः सम्भवति, सम्यग्दृष्टेहि मोक्षाकाङ्क्षाक्षणिकचित्तस्य या या चेष्टा सा सा मोक्षप्राप्ति Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૬ पर्यवसानफलिकेति तस्यैव भावतोऽयम्, अपुनर्बन्धकस्य तु न सार्वदिकस्तथापरिणाम इति द्रव्यत एवेति । तदुक्तं - “भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । તસ્થતત્સર્વવેદ યોmયોનો હિ માવત:” (યો વિવુસ્સોવ-ર૬) રૂતિ વાદ્દા ટીકાર્ય : તથા રૂતિ | સદાચારરૂપ ક્રિયાયોગનું હેતુપણું હોવાથી= સદાચારરૂપ ક્રિયાયોગનું “મોક્ષની સાથે આત્માનું યોજન કરે તે યોગ’ એ પ્રકારના પારમાર્થિક યોગનું હેતુપણું હોવાથી, યોગ છે, નિ=ä એ રીતે તે વચન=. ગોપેન્દ્રએ અપુતબંધકને યોગ છે એમ સ્વીકાર્યું તે વચન, ઉચિત છે; કેમ કે આનું દ્રવ્યયોગવત્વ છે સદાચારરૂપ ક્રિયાયોગનું દ્રવ્યયોગવાનપણું છે અર્થાત્ અપુતબંધકનો સદાચારરૂપ ક્રિયાયોગ દ્રવ્યયોગ છે. વળી, મોક્ષમાં નિર્વાણમાં, અતિ દૃઢ ચિતવાળા=એકધારા લગ્નહદયવાળા એવા ભિન્નગ્રંથિનેવિદારિત અતિ તીવ્ર રાગ-દ્વેષના પરિણામવાળા એવા ભિન્નગ્રંથિને, ભાવથી યોગ સંભવે છે, દિ=સ્મા=જે કારણથી મોક્ષની આકાંક્ષામાં અક્ષણિક ચિત્તવાળા એવા સમ્યગ્દષ્ટિની જે જે ચેષ્ટા તે તે મોક્ષપ્રાપ્તિ પર્યવસાવલિકા છે. એથી તેને જ સમ્યગ્દષ્ટિને જ, ભાવથી આ યોગ, છે. વળી અપુનબંધકને સાર્વદિક=સર્વદા તેવો પરિણામ નથી=સમ્યગ્દષ્ટિ જેવો પરિણામ નથી, એથી દ્રવ્યથી જ યોગ છે. તિ” શબ્દ સમ્યગ્દષ્ટિ અને અપુનબંધકતા યોગના કથનની સમાપ્તિમાં છે. તે કહેવાયું છેઃભિન્નગ્રંથિને ભાવથી યોગ છે, તે યોગબિંદુ-૨૦૩માં કહેવાયું છે – જે કારણથી ભિન્નગ્રંથિને પ્રાયઃ મોક્ષમાં ચિત્ત અને સંસારમાં શરીર છે, તે કારણથી અહીંયોગની આચરણામાં, તેનો=સમ્યગ્દષ્ટિનો, સર્વ જ યોગ=ધર્મ, અર્થ અને કામનો વ્યાપાર, ભાવથી યોગ છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૩) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ભાવાર્થ :(i) અપુનબંધકમાં દ્રવ્યથી યોગ અને સમ્યગ્દષ્ટિમાં ભાવથી યોગની યુક્તિ:(i) પ્રધાન દ્રવ્યયોગ અને ભાવયોગનું સ્વરૂપ : શ્લોક-૧૫માં સ્થાપન કર્યું કે પ્રતિસોતાનુગામીપણું હોવાને કારણે અપુનબંધકને યોગ છે, એમ જે ગોપેન્દ્ર કહે છે તે ઉચિત વચન છે. ત્યાં પ્રશ્ન થાય કે જીવમાં જ્યારે સમ્યક્ત્વ પ્રગટે છે ત્યારે સંસારનું પારમાર્થિક સ્વરૂપ દેખાય છે અને મોક્ષનું પારમાર્થિક સ્વરૂપ દેખાય છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવ પારમાર્થિક એવા મોક્ષનો અર્થી બને છે, માટે સમ્યગ્દષ્ટિને યોગ છે એમ કહેવું ઉચિત છે, પરંતુ જેનામાં હજુ વિપર્યાય ગયો નથી તેવા અપુનબંધકમાં મોક્ષના કારણભૂત એવો યોગ છે, તેમ કઈ રીતે કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – અપુનબંધક જીવો સદાચારનું પાલન કરે છે, તે રૂપ ક્રિયાનો વ્યાપાર, આત્માનું મોક્ષની સાથે યોજન કરે તે રૂપ પારમાર્થિક યોગનો હેતુ છે, તેથી ભાવથી યોગનું કારણ એવો દ્રવ્યયોગ અપુનર્બલકમાં છે, તેને આશ્રયીને ગોપેન્દ્ર અપુનબંધકમાં યોગ સ્વીકારે છે, તે ઉચિત વચન છે; અને મોક્ષની સાથે આત્માનું યોજન કરે એવો પારમાર્થિક યોગ સમ્યગ્દષ્ટિને હોય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષને જીવની પૂર્ણ આરોગ્ય અવસ્થારૂપે જુએ છે અને ભવને જીવની રોગવાળી અવસ્થારૂપે જુએ છે, તેથી જેમ રોગી માણસને આરોગ્યમાં એકધારું લગ્ન હૃદય હોય છે, પરંતુ ક્યારેય પણ રોગ અવસ્થામાં પ્રીતિ થતી નથી, તેમ સમ્યગ્દષ્ટિને જીવની આરોગ્યવાળી અવસ્થારૂપ મોક્ષમાં એકધારું લગ્ન હૃદય હોય છે, પરંતુ ક્યારેય પણ રોગવાળી અવસ્થારૂપ ભવમાં પ્રીતિ થતી નથી. આવા સમ્યગ્દષ્ટિ જીવોએ તત્ત્વને જોવામાં બાધ કરે તેવા તીવ્ર રાગ-દ્વેષનો નાશ કરેલો હોય છે, તેથી તેઓને ભાવથી યોગ હોય છે; કેમ કે મોક્ષની આકાંક્ષામાં સતત ચિત્ત છે જેનું એવા સમ્યગ્દષ્ટિની જે જે ચેષ્ટાઓ છે=પ્રવૃત્તિઓ છે, તે સર્વ મોક્ષપ્રાપ્તિરૂપ ફળમાં પર્યવસાન પામનાર છે, માટે સમ્યગ્દષ્ટિને પારમાર્થિક યોગ છે, અને અપુનબંધકને સાર્વદિક તેવો પરિણામ નથી=સમ્યગ્દષ્ટિની જેમ ભવને રોગરૂપે અને મોક્ષને આરોગ્યરૂપે જુએ તેવો પરિણામ નથી; તોપણ ગાઢ સંસારનો રાગ કંઈક મંદ થયેલો છે, તેથી સદાચારનું Page #72 -------------------------------------------------------------------------- ________________ અપુનઃબંધકદ્વાત્રિંશિકા/મ્લોક-૧૬-૧૭ ૪૯ સેવન કરે છે, જે સદાચારનું સેવન કર્મના વિગમન દ્વારા સમ્યકૃત્વની પ્રાપ્તિનું કારણ બનશે, માટે અપુનર્બંધકને દ્રવ્યથી યોગ છે. યોગ દ્રવ્યયોગ ↓ સદાચારનું પાલન કરનારા અપુનર્બંધક જીવોને હોય છે. ભાવયોગ મોક્ષમાં બદ્ધચિત્તવાળા સમ્યગ્દષ્ટિને હોય છે. ॥૧૬॥ અવતરણિકા : શ્લોક-૧૬માં સ્થાપન કર્યું કે સમ્યગ્દષ્ટિની ધર્મ, અર્થ, કામની સર્વ પ્રવૃત્તિ ભાવથી યોગ છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે ભગવાનની ભક્તિ આદિ ધર્માનુષ્ઠાનને યોગ કહી શકાય, પરંતુ અર્થોપાર્જનની ક્રિયા અને ભોગની ક્રિયાને યોગ=મોક્ષનું કારણ, કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – શ્લોક ઃ अन्यसक्तस्त्रियो भर्तृयोगोऽप्यश्रेयसे यथा । तथाऽमुष्य कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् ।।१७।। અન્વયાર્થ : યથા=જે પ્રમાણે અન્યસવત્તસ્ત્રિયઃ=અન્યમાં આસક્ત સ્ત્રીનો, મયોનોઽપિ= પતિનો શુશ્રુષાદિ વ્યાપાર પણ, શ્રેયસે=અશ્રેય માટે છે, તથા=તે પ્રમાણે અમુલ્ય=આનો=સમ્યગ્દષ્ટિનો ટુમ્બાવિવ્યાપારોઽપિ=કુટુંબાદિ વ્યાપાર પણ વન્યત્ ન=બંધને કરનારો નથી. ।।૧૭।। શ્લોકાર્થ : જે પ્રમાણે અન્યમાં આસક્ત સ્ત્રીનો, પતિનો શુશ્રુષાદિ વ્યાપાર પણ અશ્રેય માટે છે, તે પ્રમાણે આનો-સમ્યગ્દષ્ટિનો કુટુંબાદિ વ્યાપાર પણ બંધને કરનારો નથી. II૧૭II Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અપુનર્બંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭ જૈ યોનોઽપ અહીં ‘ર્ઝાપ’ થી એ કહેવું છે કે અન્યમાં આસક્ત સ્ત્રીનો, પરપુરુષનો શુશ્રુષાદિ વ્યાપાર તો અશ્રેય માટે છે, પણ સ્વપતિનો શુશ્રુષાદિ વ્યાપાર પણ અશ્રેય માટે છે. * ટુવ્યિાપારોઽપિ અહીં ‘વિ’ થી દેહના વ્યાપારનું ગ્રહણ કરવું અને ‘વિ’થી એ કહેવું છે કે ધર્મનો વ્યાપાર તો બંધને કરનારો નથી, પણ કુટુંબાદિ વ્યાપાર પણ બંધને કરનારો નથી. ટીકા : अन्येति-अन्यस्मिन्=स्वभर्तृव्यतिरिक्ते पुंसिः, सक्ताया:, अनुपरतरिरंसायाः, स्त्रियः = योषितः, भर्तृयोगोऽपि = पतिशुश्रूषणादिव्यापारोऽपि यथाऽ श्रेयसे= पापकर्मबन्धाय, तथाऽमुष्य = भिन्नग्रन्थे:, कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत्, पुण्ययोगेऽपि पापपरिणामेन पापस्यैव बन्धवदशुभकुटुम्बचिन्तनादियोगेऽपि शुद्धपरिणामेन सदनुबन्धस्यैवोपपत्तेः । तदुक्तं "नार्या यथाऽन्यसक्तायास्तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् " ।। (योगबिन्दु श्लो. २०४ ) "न चेह ग्रन्थिभेदेन पश्यतो भावमुत्तमम् । ફતરાનાપિ તંત્ર વિત્ત ન ખાયતે” ।। (યોવિન્દુ હ્તો. ૨૦૧) ।।૨૭।। ટીકાર્ય : अन्यस्मिन् . ન નાવતે ।। અન્યમાં=સ્વભર્તાથી વ્યતિરિક્ત=અન્ય એવા પુરુષમાં આસક્ત=અનુપરત, ભોગની ઇચ્છાવાળી સ્ત્રીનો ભતૃયોગ પણ= પતિનો શુશ્રુષાદિ વ્યાપાર પણ, જે પ્રમાણે અશ્રેય માટે છે=પાપકર્મબંધ માટે છે; તેમ આનો=ભિન્નગ્રંથિનો, કુટુંબાદિ વ્યાપાર પણ બંધને કરનાર નથી; કેમ કે પુણ્યના યોગમાં પણ=સંસારી જીવોને વૈભવાદિ પ્રાપ્ત કરાવે તેવા પુણ્યના યોગમાં પણ, પાપના પરિણામથી-અતિ આરંભ-સમારંભની પ્રવૃત્તિમાં ઉત્સાહિત કરે તેવા પાપના પરિણામથી, પાપનો જબંધ થાય છે; તેમ અશુભ કુટુંબચિંતનાદિના યોગમાં પણ=સમ્યગ્દષ્ટિના અશુભ ક્રિયારૂપ કુટુંબચિંતનાદિના વ્યાપારમાં પણ, શુદ્ધ પરિણામને કારણે=મોક્ષની પ્રવૃત્તિને . Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૧ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૭ સારરૂપે જુએ અને સંસારની પ્રવૃત્તિને અસાર રૂપે જુએ તેવા શુદ્ધ પરિણામને કારણે, સદનુબંધની જ ઉપપત્તિ છે=સંસારના અર્થ-કામના વ્યાપારકાળમાં પણ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય તેવા પુણ્યાનુબંધી પુણ્યની જ ઉપપત્તિ છે. તે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે ‘યોગબિંદુ શ્લોક-૨૦૪, ૨૦પમાં કહેવાયું છે – જે પ્રમાણે અન્યમાં આસક્ત એવી સ્ત્રીનો સદા ત્યાં અન્ય પુરુષમાં, ભાવ હોતે છd=ચિત્તનો પ્રતિબંધ હોતે છતે, તેમાં યોગ છે સ્વભર્તાનો શુશ્રુષાદિ વ્યાપાર પરપુરુષમાં છે અને પાપબંધ છે, તે પ્રમાણે આનો=સમ્યગ્દષ્ટિનો, કુટુંબચિતનાદિ પણ વ્યાપાર મોક્ષના વિષયમાં જાણવા=યોગ અને નિર્જરાફળવાળો જાણવો.” (યોગબિંદુ શ્લોક-૨૦૪) “અહીં=જગતમાં, ઈતરથી આકુળ પણ પુત્ર, સ્ત્રી આદિના પ્રતિબંધાદિ ભાવથી આકુળ પણ. ગ્રંથિભેદ વડે ઉત્તમ ભાવને જોનારા એવા સમ્યગ્દષ્ટિને ત્યાં મોક્ષમાં, ચિત્ત જતું નથી, એમ નહિ, અર્થાત્ મોક્ષમાં ચિત્ત જાય છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૫) ૧૭ના ભાવાર્થ - સમ્યગ્દષ્ટિની ધર્મ, અર્થ, કામરૂપ સર્વ પ્રવૃત્તિ યોગરૂપ – સામાન્ય રીતે ધર્મ, અર્થ અને કામની પ્રવૃત્તિઓમાં ધર્મની પ્રવૃત્તિને મોક્ષનું કારણ કહેવાય છે, તેમ વ્યવહારનય પણ સમ્યગ્દષ્ટિની ધર્મની પ્રવૃત્તિને મોક્ષનું કારણ કહે છે, પરંતુ અર્થ, કામની પ્રવૃત્તિને મોક્ષનું કારણ કહેતો નથી. આમ છતાં તત્ત્વને બતાવનાર નિશ્ચયનયની સૂક્ષ્મદષ્ટિથી અહીં સમ્યગ્દષ્ટિની ધર્મ, અર્થ અને કામની ત્રણે પ્રવૃત્તિને યોગરૂપે કહેલ છે અર્થાત્ મોક્ષના કારણરૂપે કહેલ છે. તેમાં દૃષ્ટાંત આપતાં કહે છે કે જેમ કોઈ સ્ત્રી અન્ય પુરુષમાં આસક્ત હોય અને તથાવિધ સંયોગને કારણે પતિની શુશ્રુષાદિ કરતી હોય તો પણ તેનું ચિત્ત પતિમાં નથી, પરંતુ પરપુરુષના ચિંતવનમાં પ્રવર્તે છે, તેથી તેવી સ્ત્રીની પતિની સેવાની ક્રિયા પણ શ્રેય માટે નથી; તેમ સમ્યગ્દષ્ટિનું ચિત્ત પણ સદા પૂર્ણ આરોગ્યવાળી અવસ્થારૂપ મોક્ષમાં રહેલું છે, તેથી રોગિષ્ઠ અવસ્થારૂપ સંસારની અવસ્થામાં રોગને પરતંત્ર થઈને કુટુંબચિંતાદિ કરતા હોય તોપણ પારમાર્થિક બુદ્ધિ તો રોગના ઉચ્છેદમાં રહેલી છે. તેથી કુટુંબની Page #75 -------------------------------------------------------------------------- ________________ પર અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૭-૧૮ ચિંતાદિ પ્રવૃત્તિ પણ કર્મબંધનું કારણ બનતી નથી, પરંતુ ત્યારે પણ મોક્ષને અનુકૂળ ચિત્તનો પ્રવાહ વર્તે છે, તેથી કુટુંબની ચિંતાના સમયે પણ બંધાતાં કર્મો મોક્ષની પ્રાપ્તિમાં સહાયક થાય તેવાં બંધાય છે. વળી મોક્ષ પ્રત્યેનું અત્યંત વલણ હોવાને કારણે તે પ્રવૃત્તિથી બંધાયેલું કર્મ ફરી મોક્ષ પ્રત્યેનું વલણ ઉત્પન્ન કરશે અને પૂર્વ કરતાં અધિક શક્તિથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવશે. માટે સમ્યગ્દષ્ટિની ધર્મની પ્રવૃત્તિને તો નિશ્ચયનય યોગ સ્વીકારે છે, પરંતુ કુટુંબાદિના વ્યાપારને પણ યોગ સ્વીકારે છે. અહીં દૃષ્ટાન્ત-દાષ્ટ્રત્તિકભાવ આ પ્રમાણે છે – સામાન્ય રીતે સ્ત્રીનો પતિની શુશ્રુષાનો વ્યાપાર શ્રેય માટે કહેવાય છે, પરંતુ શ્રેય માટે થતો એવો પણ પતિશુશ્રષાનો વ્યાપાર અન્યમાં આસક્ત સ્ત્રીને શ્રેય માટે થતો નથી; તેમ સામાન્ય રીતે કુટુંબાદિનો વ્યાપાર કર્મબંધનું કારણ થાય છે, પરંતુ મોક્ષમાં બદ્ધચિત્તવાળા એવા સમ્યગ્દષ્ટિનો કુટુંબાદિ વ્યાપાર પણ કર્મબંધને કરનારો થતો નથી. વળી અવતરણિકા – શ્લોક-૧૭માં દષ્ટાંતથી સ્થાપન કર્યું કે સમ્યગ્દષ્ટિનો કુટુંબાદિ વ્યાપાર પણ બંધને કરનારો નથી. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને ભાવઆરોગ્યરૂ૫ મોક્ષ પ્રત્યે બળવાન ઈચ્છા હોય તે રૂ૫ શુભભાવથી ભલે શુભ કર્મબંધ થાય, પરંતુ અર્થ-કામની પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિ તો શુભ નથી, માટે તે અશુભ પ્રવૃત્તિકૃત અનર્થ પ્રાપ્ત થશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : निजाशयविशुद्धौ हि बाह्यो हेतुरकारणम् । शुश्रूषादिक्रियाऽप्यस्य शुद्धा श्रद्धानुसारिणी ।।१८।। અન્વયાર્થ : નિનાવિશુદ્ધો દિપોતાના આશયની વિશુદ્ધિ હોતે છતે વઢિો હેતુ: બાહ્ય હેતુ-કુટુંબચિંતનાદિ વ્યાપાર વાર=અકારણ છેઃકર્મબંધ પ્રત્યે અકારણ Page #76 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકાત્રિશિકા/બ્લોક-૧૮ 43 छ. अस्य-मानी सभ्यष्टिनी श्रद्धानुसारिणीवियनना प्रामायने अनुसरनारी श्रद्धानुसारी शुश्रूषादिक्रियाऽपि-शुश्रूषा या पतत्याने समजवानी 6c82 29३५ जिया पाएशुद्धाशुद्ध छे. ॥१८॥ लोार्थ : પોતાના આશયની વિશુદ્ધિ હોતે છતે, બાહ્ય હેતુ-કુટુંબચિંતનાદિ વ્યાપાર, કર્મબંધ પ્રત્યે અકારણ છે. આની=સમ્યગ્દષ્ટિની, શ્રદ્ધાનુસારી શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ છે. ll૧૮|| * 'शुश्रूषादिक्रियाऽपि' ही अपि' थी. मे ४ छ सभ्यष्टिनो नि४ भाशय તો શુદ્ધ છે, પરંતુ શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ છે. टी। : निजेति-निजाशयविशुद्धौ हि सत्यां बाह्यो हेतु: कुटुम्बचिन्तनादिव्यापार:, अकारणं कर्मबन्धं प्रति, भवहेतूनामेव परिणामविशेषेण मोक्षहेतुत्वेन परिणमनात्, "जे जत्तिया य हेऊ भवस्स ते तत्तिआ य मुक्खस्स" इति वचनप्रामाण्यात् । ननु किमेकेन शुभपरिणामेन ? क्रियाया अपि मोक्षकारणत्वात्तदभावे तस्याकिञ्चित्करत्वादित्यत आह-शुश्रूषादिक्रियाऽप्यस्य-सम्यग्दृशः, शुद्धश्रद्धानुसारिणी जिनवचनप्रामाण्यप्रतिपत्त्यनुगामिनी, परिशुद्धोहापोहयोगस्य हि प्रकृतेरप्रवृत्तिविरोधिप्रकृतियोगाभ्यां सम्यगनुष्ठानावन्ध्यकारणत्वात्तेनैव तदाक्षिप्यत इति भावः । तदुक्तं - "चारु वैतद्यतो ह्यस्य तथोहः सम्प्रवर्तते । एतद्वियोगविषयः शुद्धानुष्ठानभाक् स यत्" ।। (योगबिन्दु श्लोक-२०६) प्रकृतेरा यतश्चैव नाप्रवृत्त्यादिधर्मताम् । तथा विहाय घटते ऊहोऽस्य विमलं मनः" ।। (योगबिन्दु श्लोक-२०७) सति चास्मिन् स्फुरद्रत्नकल्पे सत्त्वोल्बणत्वत: । भावस्तैमित्यतः शुद्धमनुष्ठानं सदैव हि" ।। (योगबिन्दु श्लोक-२०८) Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૪ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ટીકાર્ચ - નિનાશવિશુદ્ધો દિ ... વ દિશા પોતાના આશયની વિશુદ્ધિ હોતે છતે જ, બાહ્ય હેતુ-કુટુંબચિંતનાદિ વ્યાપાર, અકારણ છે કર્મબંધ પ્રત્યે અકારણ છે; કેમ કે ભવના હેતુઓનું જ પરિણામવિશેષથી મોક્ષહેતુપણારૂપે પરિણમન છે. અહીં પ્રશ્ન થાય કે “ભવન હેતુઓ છે' એમ કહીએ તો “મોક્ષના હેતુઓ નથી' એમ અર્થથી નક્કી થાય. તેથી ભવના હેતુઓ મોક્ષના હેતુઓ કઈ રીતે બની શકે ? તેમાં હેતુ કહે છે – જે જેટલા જ ભવના હેતુ છે, તે તેટલા જ મોક્ષના હેતુ છે” એ પ્રકારનું વચનનું પ્રામાણ્ય છે. શ્લોકના પૂર્વાર્ધથી સ્થાપન કર્યું કે સમ્યગ્દષ્ટિનો નિજાશય વિશુદ્ધ હોવાને કારણે કુટુંબચિંતનાદિ વ્યાપાર મોક્ષનું કારણ છે, પરંતુ કર્મબંધનું કારણ નથી. ત્યાં શંકા ઉભાવન કરીને શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે -- એકલા શુભ પરિણામથી શું ? મોક્ષ પ્રત્યે એકલો શુભ પરિણામ કારણ નથી; કેમ કે ક્રિયા પણ મોક્ષનું કારણ હોવાથી તેના અભાવમાં ક્રિયાના અભાવમાં, તેનું શુભ પરિણામનું, અકિંચિત્કરપણું છે. એથી કહે છે=શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – આવી=સમ્યગ્દષ્ટિની, શ્રદ્ધાને અનુસરનારી-જિનવચનના પ્રામાણ્યના સ્વીકારને અનુસરનારી, શુશ્રષાદિ ક્રિયા પણ શુદ્ધ છે. સમ્યગ્દષ્ટિને ભગવાનના વચનના પ્રામાણ્યની પ્રતિપત્તિને અનુસરનારી શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – પ્રકૃતિની અપ્રવૃત્તિ અને વિરોધી પ્રકૃતિના વ્યાપાર દ્વારા કર્મપ્રકૃતિની અપ્રવૃત્તિ અને મોક્ષને અનુકૂળ એવી પ્રશસ્ત પ્રકૃતિના વ્યાપાર દ્વારા, પરિશુદ્ધ ઊહાપોહના વ્યાપારનું સમ્યમ્ અનુષ્ઠાનનું અવધ્યકારણપણું હોવાને કારણે તેના વડે જ=પરિશુદ્ધ ઊહાપોહ વડે જ, તે સમ્યગું અનુષ્ઠાન, આક્ષેપ કરાય છે, એ પ્રકારનો ભાવ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ અપુનઃબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ તે કહેવાયું છે=શ્લોકમાં કહેવાયું તે ‘યોગબિંદુ' શ્લોક-૨૦૬-૨૦૭૨૦૮માં કહેવાયું છે – - “આ=અભિલાષરૂપ મોક્ષચિત્ત, સુંદર જ છે, જે કારણથી આને= સમ્યગ્દષ્ટિને, આના વિયોગના વિષયવાળો=ભવપાર્થક્યના વિષયવાળો, તે પ્રકારે ઊહ=જે પ્રકારે ભવપાર્થક્યના ઉપાયમાં શક્તિના પ્રકર્ષથી યત્ન ઉત્પન્ન થાય તે પ્રકારે ઊહ, સ્વયં જ પ્રવર્તે છે, જે કારણથી તે=સમ્યગ્દષ્ટિ જીવ, શુદ્ધ અનુષ્ઠાનને ભજનારો છેપરિશુદ્ધ શુશ્રુષા, ધર્મરાગાદિ સદાચારને સેવનારો છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૬) “જે કારણથી જ પ્રકૃતિની અપ્રવૃત્યાદિ ધર્મતાને છોડીને આઅર્વા=પૂર્વમાં તથા નતે પ્રકારે નથી—તે પ્રકારે ઊહ નથી, અર્થાત્ સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે કર્મની પ્રકૃતિ જીવ ઉપર સ્વકાર્ય કરવા અપ્રવૃત્ત થતી નથી માટે જીવની સ્વભાવભૂત પ્રકૃતિ પ્રવર્તતી નથી. તેથી તે પ્રકારનો ઊહ નથી. તે કારણથી આને=સમ્યગ્દષ્ટિને, વિમલ મનવાળો ઊહ ઘટે છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૭) ૫૫ “અને સ્ફુરાયમાન રત્ન જેવો આ હોતે છતે=વિમલ મનરૂપ ઊહ હોતે છતે, સત્ત્વના ઉત્ખણને કારણે=વીર્યના ઉત્કટપણાને કારણે, ભાવÔમિત્ય છે. આથી સદા જ શુદ્ધ અનુષ્ઠાન=અનવદ્ય ધર્મશાસ્ત્રવિષયક શુશ્રુષાદિ અનુષ્ઠાન, થાય છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૮) ભાવાર્થ : સમ્યગ્દષ્ટિની આશયશુદ્ધિના કારણે સંસારની ક્રિયાના કાળમાં પણ યોગમાર્ગના અવિચ્છેદની યુક્તિ સમ્યગ્દષ્ટિનો સાર્વદિક યોગ : -: શ્લોક-૧૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સમ્યગ્દષ્ટિનો કુટુંબચિંતાદિનો વ્યાપાર બંધને કરનાર નથી. ત્યાં પ્રશ્ન થાય કે કુટુંબચિંતાદિ તો કર્મબંધનું કારણ છે; આમ છતાં સમ્યગ્દષ્ટિને કર્મબંધનું કારણ કેમ નથી ? તેથી કહે છે – સમ્યગ્દષ્ટિને સમ્યગ્બોધ છે અને સમ્યગ્બોધને કારણે આત્મકલ્યાણની બળવાન ઇચ્છા છે. તેથી સમ્યગ્દષ્ટિનો આશય વિશુદ્ધ છે અને વિશુદ્ધ આશય હોવાને કારણે બાહ્ય કુટુંબચિંતાદિનો વ્યાપાર કર્મબંધ પ્રત્યે કારણ નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૬ અપુનર્ધધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ જીવ કુટુંબચિંતાદિ વ્યાપારરૂપ ભવના હેતુઓને જ પરિણામવિશેષથી મોક્ષના હતુરૂપે પરિણમન પમાડે છે. અહીં પ્રશ્ન થાય કે કુટુંબચિંતાદિ વ્યાપાર ભવનો હેતુ છે, તે મોક્ષનો હેતુ કઈ રીતે બને ? તેથી ગ્રંથકારશ્રી કહે છે -- જે જેટલા ભવના હેતુ છે તે સર્વ તેટલા જ મોક્ષના હેતુ છે આ પ્રકારના વચનનું પ્રમાણપણું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે “આ અનુષ્ઠાનો ભવના હેતુ છે” અને “આ અનુષ્ઠાનો મોક્ષના હેતુ છે”, એવો નિયત વિભાગ નથી; પરંતુ કોઈપણ અનુષ્ઠાન જીવના પરિણામથી ભવનો હેતુ બને છે અને તેનું તે જ અનુષ્ઠાન જીવના પરિણામથી મોક્ષનો હેતુ બને છે. તેથી સ્થૂલ વ્યવહારથી કુટુંબચિંતાદિ વ્યાપાર ભવનો હેતુ હોવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ સ્વપરિણામના બળથી તે ભવના હેતુઓને મોક્ષના હેતુરૂપે પરિણમન પમાડે છે, માટે સમ્યગ્દષ્ટિનો કુટુંબચિંતાદિ વ્યાપાર યોગ છે. અહીં વિશેષ એ છે કે સમ્યગ્દષ્ટિ જીવોમાં પારમાર્થિક દૃષ્ટિનો ઉઘાડ થયેલો છે, તેથી સર્વકર્મરહિત અવસ્થા તેમને સાર લાગે છે અને ભવની અવસ્થા અસાર લાગે છે. વળી સમ્યગ્દષ્ટિને સર્વકર્મરહિત અવસ્થાની પ્રાપ્તિની બળવાન રૂચિ છે, અને માર્ગાનુસારી પ્રજ્ઞા હોવાને કારણે સંસારના ઉચ્છેદનો ઉપાય ભગવાનના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિ છે, એવો સ્થિર નિર્ણય છે; અને ભગવાનનું વચન “દરેક જીવને સ્વશક્તિ પ્રમાણે મોક્ષને અનુકૂળ ઉચિત અનુષ્ઠાન કરવાનું કહે છે, જ્યાં શક્તિ નથી તે અનુષ્ઠાન પ્રત્યે બળવાન ઇચ્છા રાખવાનું કહે છે અને શક્તિ અનુસાર અનુષ્ઠાન સેવીને ઉપરના અનુષ્ઠાનની શક્તિને પ્રગટ કરવાનું કહે છે, પરંતુ સ્વશક્તિનું સમાલોચન કર્યા વગર અનુષ્ઠાન કરવાનું કહેતું નથી.” તેથી સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં પોતાની શક્તિ છે, ત્યાં ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરે છે, જ્યાં શક્તિ નથી ત્યાં પ્રવૃત્તિ કરતા નથી પરંતુ બળવાન ઇચ્છા રાખે છે અને સંસારની પ્રવૃત્તિ પણ ભગવાનના વચનનું સ્મરણ કરીને વિવેકપૂર્વક કરે છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવને કામની ઇચ્છા થાય ત્યારે તેનામાં રહેલો વિવેક તેને ભગવાનના વચનનું સ્મરણ કરાવે છે; અને ભગવાને ‘સન્ત માં વિર્સ IT' ઇત્યાદિ દ્વારા ભોગોની નિંદા કરેલ છે, તેથી Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૭ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ભગવાનના આ વચનના સ્મરણથી ભોગની ઇચ્છા નિવર્તન પામતી હોય તો સમ્યગ્દષ્ટિને ભોગ પ્રત્યેનું વલણ રહેતું નથી; આમ છતાં, બળવાન કર્મ હોય તો “સત્સં વમ' ઇત્યાદિ ભગવાનના વચન દ્વારા પણ ભોગની ઇચ્છા શમે નહીં ત્યારે ભગવાને શું કરવાનું કહ્યું છે, તેનું સ્મરણ કરીને સમ્યગ્દષ્ટિ જીવ ભોગની ઇચ્છાના શમનના ઉપાયભૂત ભોગમાં તે રીતે પ્રવૃત્તિ કરે કે જેથી ભોગની ઇચ્છાથી આકુળ બનેલું ચિત્ત શમન પામે, અને પોતાની યોગમાર્ગની પ્રવૃત્તિ અતિશયપણાથી થાય, તેથી સમ્યગ્દષ્ટિની ભોગની ક્રિયા પણ ભોગની વ્યાકુળતાનું નિવારણ કરીને નિરાકુળ રીતે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાનું કારણ બને છે, તેથી ભોગકાળમાં પણ ભોગની વ્યાકુળતાના નિવારણનો શુભ અધ્યવસાય હોવાથી ભોગની ક્રિયા ચારિત્રમોહનીયકર્મના ક્ષયનું કારણ બને છે, પરંતુ કર્મબંધનું કારણ બનતી નથી, આથી સમ્યગ્દષ્ટિની ભોગની ક્રિયા ચિત્તની વ્યાકુળતાનું નિવારણ કરી નિરાકુળ ચેતનાને પ્રગટ કરવાને અનુકૂળ સત્ત્વના ઉત્કર્ષનું કારણ બને છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ભોગની ક્રિયા કરે છે કે અર્થોપાર્જનાદિ કરે છે, ત્યારે પણ પોતાના લક્ષ્યના વિસ્મરણ વગર ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેની ભોગાદિની પ્રવૃત્તિ પણ તેના લક્ષ્યભૂત એવા મોક્ષનો ઉપાય બને છે. તેને સામે રાખીને ગ્રંથકારશ્રીએ કહ્યું કે -- જે ભવના હેતુ છે તેને પણ સમ્યગ્દષ્ટિ જીવ પરિણામવિશેષથી મોક્ષના હેતુ બનાવે છે.” આનાથી એ પ્રાપ્ત થયું કે સમ્યગ્દષ્ટિ જીવની અર્થ-કામની ક્રિયા પણ પરિણામવિશેષને કારણે મોક્ષનું કારણ છે. આ કથનનો સંવાદિ યોગબિંદુનો શ્લોક-૨૪૬-૨૪૭ છે. અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે સમ્યગ્દષ્ટિના એકલા શુભ પરિણામથી શું થાય ? કેમ કે મોક્ષ પ્રત્યે શુભ પરિણામ અને ક્રિયા બંને કારણ છે. પૂર્વપક્ષીનો આશય એ છે કે મોક્ષમાં જવાનો બળવાન અભિલાષ સમ્યગ્દષ્ટિને છે, તે રૂપ શુભ પરિણામ તેનામાં સદા વર્તે છે, તોપણ મોક્ષને અનુકૂળ એવી સંયમની ક્રિયાને છોડીને સંસારની ક્રિયા કરે છે, તેથી મોક્ષની પ્રાપ્તિમાં એકલા શુભ પરિણામથી શું થાય ? Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ વસ્તુતઃ મોક્ષના અર્થી જીવો મોક્ષના ઉપાયભૂત સંયમમાં યત્ન કરે તો શીઘ મોક્ષની પ્રાપ્તિ થાય, તેથી એકલા શુભ પરિણામથી ઇષ્ટ એવા મોક્ષની પ્રાપ્તિ થતી નથી, પરંતુ મોક્ષની પ્રાપ્તિના અર્થીએ ક્રિયામાં પણ યત્ન કરવો જોઈએ. તેથી ગ્રંથકારશ્રી કહે છે -- અવિરત સમ્યગ્દષ્ટિની શુશ્રુષાદિ શુદ્ધ ક્રિયાઓનું સ્વરૂપ : સમ્યગ્દષ્ટિ જીવને જિનવચનના પ્રામાણ્યની પ્રતિપત્તિને અનુસરનારી શુશ્રુષાદિ ક્રિયાઓ પણ શુદ્ધ છે. આનાથી ગ્રંથકારશ્રીને એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ જીવ પોતાની ભૂમિકા પ્રમાણે મોક્ષને અનુકૂળ સલ્ફાસ્ત્રોનું શ્રવણ કરે છે, સુસાધુપણાનો બળવાન રાગ કરે છે અને શક્તિના પ્રકર્ષથી દેવ-ગુરુની ભક્તિમાં યત્ન કરે છે. આ બધી ક્રિયાઓ સમ્યગ્દષ્ટિમાં છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત ક્રિયાઓ પણ કરે છે અને મોક્ષ પ્રત્યે બદ્ધચિત્તવાળો પણ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવની મોક્ષમાર્ગની પ્રવૃત્તિ અસ્મલિત ચાલે છે. ફક્ત સર્વવિરતિની શક્તિ નહીં હોવાને કારણે તેની સર્વવિરતિમાં પ્રવૃત્તિ નથી, અને પોતાની જે શુશ્રુષાદિ ક્રિયામાં શક્તિ છે, તે શુશ્રુષાદિ ક્રિયામાં શક્તિના પ્રકર્ષથી યત્ન કરે છે, અને ઉપરના યોગમાર્ગમાં જવામાં વિજ્ઞભૂત એવી ભોગની ઇચ્છા પોતાને વર્તે છે ત્યારે તેના નિવારણ માટે ભોગમાં પ્રવૃત્તિ છે. તેથી “સમ્યગ્દષ્ટિમાં સાર્વદિક યોગ છે=ભોગકાળમાં પણ યોગ છે અને શુશ્રુષાદિ ક્રિયાકાળમાં પણ યોગ છે.” અહીં કહ્યું કે સમ્યગ્દષ્ટિની જિનવચનના પ્રામાણ્યની પ્રતિપત્તિને અનુસરનારી શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ શુશ્રુષાદિ ત્રણે ક્રિયાઓ ભગવાનના વચનાનુસાર કરે છે. તેથી એ ફલિત થાય કે જો સમ્યગ્દષ્ટિ જીવમાં સંયમના પાલનની શક્તિ હોય, છતાં સંયમ ગ્રહણ ન કરે અને માત્ર સંયમ પ્રત્યેનો રાગ રાખે તો શ્રદ્ધાનુસારી શુશ્રુષાદિ ક્રિયા શુદ્ધ થાય નહીં; કેમ કે જે સ્થાનમાં શક્તિ છે ત્યાં યત્ન કરવાનો અને જ્યાં શક્તિ નથી, ત્યાં રાગ રાખવાનો ભગવાનનો આદેશ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ પ૯ વળી અવિરત સમ્યગ્દષ્ટિની સંયમમાં શક્તિ નથી તેથી સંયમ ગ્રહણ કરતો નથી, પરંતુ સંયમ પ્રત્યે બળવાન રાગ છે, તેથી ભગવાનના વચનાનુસાર સન્શાસ્ત્રોને સાંભળે છે; અને શાસ્ત્રો સાંભળવાની ક્રિયાથી ચારિત્રની શક્તિનો સંચય કરે છે, અને ચારિત્ર પ્રત્યેના બદ્ધરાગથી પણ ચારિત્રની શક્તિનો સંચય કરે છે અને દેવ-ગુરુની વૈયાવચ્ચથી પણ ચારિત્રની શક્તિનો સંચય કરે છે. અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ જીવ શ્રદ્ધાનુસારી શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ કેમ કરી શકે છે ? તેથી ટીકામાં સ્પષ્ટતા કરી કે સમ્યગ્દષ્ટિ જીવ ઉપર પ્રકૃતિની અપ્રવૃત્તિ છે અને વિરોધી પ્રકૃતિનો યોગ છે, તેના કારણે પરિશુદ્ધ ઊહાપોહનો યોગ પ્રગટેલો છે, અને પરિશુદ્ધ ઊહાપોહનો યોગ સમ્યગુ અનુષ્ઠાનનું અવંધ્યકારણ છે, તેથી પરિશુદ્ધ ઊહાપોહના યોગ વડે શુશ્રુષાદિ ક્રિયાઓ આક્ષિપ્ત થાય છે. આશય એ છે કે કર્મપ્રકૃતિની અસર તળે જીવ પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી જીવમાં પરિશુદ્ધ ઊહાપોહ પ્રગટતો નથી, આથી જ અપુનબંધકમાં માર્ગાનુસારી ઊહાપોહ હોવા છતાં પરિશુદ્ધ ઊહાપોહ નથી. વળી કર્મપ્રકૃતિનો અધિકાર જીવ ઉપર વર્તતો નથી, અને કર્મની પ્રકૃતિના અધિકારથી જે પ્રવૃત્તિ જીવથી થતી હતી, તેનાથી વિરોધી પ્રકૃતિનો યોગ જીવમાં થાય છે ત્યારે તેનાથી તે જીવમાં પરિશુદ્ધ ઊહાપોહ પ્રગટે છે, તેના કારણે સમ્યગ્દષ્ટિ જીવને કર્મરહિત આત્માની અવસ્થા પરમ સારરૂપે દેખાય છે અને કર્મવાળી અવસ્થા વિકૃતિરૂપ દેખાય છે અને જીવની વિકૃતિને દૂર કરવા માટે ભગવાનનું વચન ઉપાયરૂપે દેખાય છે, તેથી સર્વત્ર ભગવાનના વચનનું સમાલોચન કરીને સમ્યગ્દષ્ટિ પ્રવૃત્તિ કરે છે, તેના કારણે સમ્યગ્દષ્ટિ જીવ પોતાની જે અનુષ્ઠાનમાં શક્તિ હોય તે અનુષ્ઠાનમાં શક્તિ ગોપવ્યા વગર અવશ્ય યત્ન કરે છે, કેમ કે પરિશુદ્ધ ઊહાપોહનો યોગ સ્વશક્તિ અનુસાર અનુષ્ઠાનમાં સમ્યગૂ યત્ન કરાવે તેવો નિયમ છે, અને સમ્યગું અનુષ્ઠાન શક્તિના પ્રકર્ષથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અસંગ અનુષ્ઠાનમાં પર્યવસાન પામે તેવું હોય છે. માટે સમ્યગ્દષ્ટિને સદા યોગ વર્તે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ Go અપુનબંધકદ્વાäિશિકા/શ્લોક-૧૮ ટીકા : ननु सम्यग्दृष्टिपर्यन्तमन्यत्र द्रव्ययोग एवोच्यते इति कथमत्र भावतोऽयमुक्त इति चेत् चारित्रप्रतिपन्थिनामनन्तानुबन्धिनामपगमे तद्गुणप्रादुर्भावनियम इति निश्चयाश्रयणाद्, अल्पतदविवक्षापरेण व्यवहारेण त्वत्रायं नेष्यत एव । "एतच्च योगहेतुत्वाद्योग इत्युचितं वचः । मुख्यायां पूर्वसेवायामवतारोऽस्य केवलम्" ।। (योगबिन्दु श्लोक-२०९) इत्यनेनापुनर्बन्धकातिशयाभिधानं तु सम्यग्दृशो नैगमनयशुद्धिप्रकर्षकाष्ठापेक्षमिति न कश्चिद्विरोध इति विभावनीयं सुधीभिः ।।१८।। ટીકાર્ય : નનુ.... સુમિ | અન્યત્ર=અન્ય ગ્રંથમાં, સમ્યગ્દષ્ટિ પર્યન્ત દ્રવ્યયોગ જ કહેવાય છે. એથી અહીં=શ્લોક-૧૬માં, કેમ ભાવથી આ કહેવાયો છે= સમ્યગ્દષ્ટિને કેમ ભાવથી યોગ કહેવાયો છે ? અર્થાત્ ભાવથી યોગ નથી, એમ જો ‘નનું' થી પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ચારિત્રના પ્રતિપંથી એવા અનંતાનુબંધી કષાયતા અપગમમાં તદ્ગણના પ્રાદુર્ભાવનો નિયમ છે=ચારિત્રગુણના પ્રાદુર્ભાવનો નિયમ છે, એ પ્રકારના નિશ્ચયનયનું આશ્રયણ હોવાથી, સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એ પ્રમાણે અવય છે. વળી અલ્પ એવા તેની અવિવફાપર એવા વ્યવહારથી અનંતાનુબંધી કષાયના વિગમનથી થયેલ અલ્પ એવા ચારિત્રની અવિવફાપર એવા વ્યવહારનયથી, અહીં=સમ્યગ્દષ્ટિમાં, આ=ભાવથી યોગ, ઈચ્છતો નથી જ. વળી આ=શુદ્ધ અનુષ્ઠાન અવિરત સમ્યગ્દષ્ટિનું શુદ્ધ અનુષ્ઠાન, યોગનો હેતુ હોવાથી યોગ છે, એ પ્રમાણેનું ઉચિત વચન છે. આનો=અવિરત સમ્યગ્દષ્ટિના શુદ્ધ અનુષ્ઠાનનો, મુખ્ય પૂર્વસેવામાં કેવળ અવતાર છે.” (યોગબિંદુ શ્લોક-૨૦૯) આ પ્રકારના યોગબિંદુ શ્લોક-૨૦૯ દ્વારા સમ્યગ્દષ્ટિને અપુતબંધકથી અતિશયનું અભિધાન તુ વળી તેગમાયતી શુદ્ધિના પ્રકર્ષની પરાકાષ્ઠાની અપેક્ષાએ છે, એથી કોઈ વિરોધ નથી=યોગબિંદુમાં સમ્યગ્દષ્ટિને અપુનબંધક Page #84 -------------------------------------------------------------------------- ________________ અપુનઃબંધક દ્વાત્રિંશિકા/બ્લોક-૧૮ કરતાં પરાકાષ્ઠાની પૂર્વસેવા કહીને દ્રવ્યયોગ સ્વીકાર્યો, અને ગ્રંથકારશ્રીએ નિશ્ચયનયનું આશ્રયણ કરીને અવિરત સમ્યગ્દષ્ટિમાં અનંતાનુબંધીના વિગમનથી ઉત્પન્ન થયેલું ચારિત્ર સ્વીકારીને ભાવથી યોગ કહ્યો, એથી કોઈ વિરોધ નથી. એ પ્રકારે બુદ્ધિશાળીઓએ વિભાવન કરવું. ૧૮૫ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૬માં સ્થાપન કર્યું કે અપુનર્બંધકને દ્રવ્યથી યોગ છે અને સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, અને તેની પુષ્ટિ શ્લોક-૧૭માં અને શ્લોક-૧૮માં કરી. ત્યાં ‘નનુ’ થી શંકા કરતાં કોઈ કહે કે અન્ય ગ્રંથમાં અવિરત સમ્યગ્દષ્ટિ સુધી દ્રવ્યયોગ કહેવાય છે, અને આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, તેમ કહ્યું, તે કઈ અપેક્ષાએ છે ? તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે અવિરત સમ્યગ્દષ્ટિને ચારિત્રના પ્રતિપંથી એવા અનંતાનુબંધી કષાયનો અપગમ છે, તેથી અવિરત સમ્યગ્દષ્ટિમાં અલ્પ ચારિત્ર પણ છે, એમ નિશ્ચયનય સ્વીકારે છે. તે નિશ્ચયનયની દૃષ્ટિનો આશ્રય કરીને અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એમ ગ્રંથકારશ્રીએ અહીં કહેલ છે. અન્ય ગ્રંથોમાં વ્યવહારનયથી દેશવિરતિ ગુણસ્થાનકમાં ચારિત્ર છે, તેની પૂર્વે ચારિત્ર નથી, તેને સામે રાખીને અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ નથી, તેમ સ્વીકારીને દ્રવ્યથી યોગ છે એમ કહેલ છે. ૩૧ તેથી એ ફલિત થાય કે પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ, અલ્પચારિત્રને ચારિત્રરૂપે નહીં સ્વીકારનાર એવા વ્યવહારનયનો આશ્રય કરીને અન્ય ગ્રંથમાં અવિરત સમ્યગ્દષ્ટિને દ્રવ્યયોગ કહેલ છે, તેમ દ્રવ્યયોગ કહેલ નથી; પરંતુ અનંતાનુબંધી કષાયના વિગમનથી પ્રગટ થયેલ અલ્પ પણ ચારિત્રને ચારિત્રરૂપે સ્વીકારનાર નિશ્ચયનયનો આશ્રય કરીને અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એમ કહેલ છે. આ રીતે શંકાકારનું સમાધાન ગ્રંથકારશ્રીએ કર્યું ત્યાં ‘યોગબિંદુ'ના વચન સાથે સ્થૂલથી વિરોધ દેખાય છે, છતાં પરમાર્થથી વિરોધ નથી, તે બતાવવા અર્થે કહે. છે -- Page #85 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ યોગબિંદુમાં કહ્યું છે કે અવિરત સમ્યગ્દષ્ટિની દેવ-ગુરુની પૂજાદિરૂપ ક્રિયા મુખ્ય પૂર્વસેવા છે, અને આ પૂર્વસેવા યોગ નથી પરંતુ યોગનો હેતુ છે, તેથી ઉપચારથી યોગ છે. “યોગબિંદુ'ના આ કથનમાં અપુનબંધકને મુખ્ય પૂર્વસેવા નથી, પરંતુ અવિરત સમ્યગ્દષ્ટિને મુખ્ય પૂર્વસેવા છે એમ કહેલ છે, અને ‘પૂર્વસેવા એટલે યોગ નહીં પણ યોગની પૂર્વ ભૂમિકા'; અને અપુનબંધક જીવને મુખ્ય પૂર્વસેવા નથી અને અવિરત સમ્યગ્દષ્ટિની મુખ્ય પૂર્વસેવા છે તેમ બતાવ્યું. એ કથન કઈ અપેક્ષાએ છે ? તે સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – નગમનયની શુદ્ધિના પ્રકર્ષની પરાકાષ્ઠાની અપેક્ષાએ અવિરત સમ્યગ્દષ્ટિની પૂર્વસેવાને મુખ્ય પૂર્વસેવા કહી છે, અને તે અપુનબંધક જીવ કરતાં અતિશયવાળી પૂર્વસેવા છે, તેમ બતાવેલ છે; અને તે અપેક્ષાએ અવિરત સમ્યગ્દષ્ટિને દ્રવ્યથી યોગ છે, અને દેશવિરતિધર આદિને ભાવથી યોગ છે. વળી, પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીએ નિશ્ચયનયનો આશ્રય કરેલ છે. તેથી અનંતાનુબંધી કષાયના વિગમનને આશ્રયીને અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ કહેલ છે. માટે યોગબિંદુ'ના કથન સાથે કોઈ વિરોધ નથી, એમ બુદ્ધિશાળી પુરુષોએ વિભાવન કરવું. અહીં વિશેષ એ છે કે વ્યવહારનયથી અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિને યોગ છે અને નિશ્ચયનયથી દેશવિરતિધર આદિને યોગ છે, આ પ્રકારનું યોગવિશિકાનું વચન છે. તે યોગવિશિકાના વચનમાં વ્યવહારનયને આશ્રયીને અપુનબંધક અને સમ્યગ્દષ્ટિને યોગ કહેલ છે; કેમ કે યોગના કારણમાં યોગનો ઉપચાર કરીને વ્યવહારનય યોગ કહે છે અને તે યોગવિંશિકાના વચનમાં નિશ્ચયનયને આશ્રયીને દેશવિરતિધરને યોગ કહેલ છે; કેમ કે નિશ્ચયનય ઉપચારને સ્વીકારતો નથી. વળી, વ્યવહારનય અલ્પવિરતિને વિરતિ સ્વીકારતો નથી, તેથી ચોથા ગુણસ્થાનકે અલ્પવિરતિ હોવા છતાં વ્યવહારનય વિરતિ સ્વીકારતો નથી. પરંતુ પાંચમા ગુણસ્થાનકે વિરતિને સ્વીકારે છે, તેથી પાંચમા ગુણસ્થાનકથી ભાવથી યોગ છે, તેમ યોગવિશિકામાં કહેલ છે. વળી, નિશ્ચયનય ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયના વિગમનથી થયેલ અલ્પવિરતિને પણ વિરતિ સ્વીકારે છે, તેથી નિશ્ચયનય ચોથા ગુણસ્થાનકે ભાવથી Page #86 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બધકદ્વાäિશિકા/શ્લોક-૧૮ ૬૩ યોગ સ્વીકારે છે, માટે અપેક્ષાએ ચોથા ગુણસ્થાનકથી ભાવથી યોગ છે અને અપેક્ષાએ પાંચમા ગુણસ્થાનકથી ભાવથી યોગ છે, તેમ સ્વીકારવામાં વિરોધ નથી. વળી નૈગમનય અનેક ભેદવાળો છે અને તેને પ્રસ્થકના દૃષ્ટાંતથી શાસ્ત્રમાં બતાવવામાં આવેલ છે. કોઈ પુરુષ પ્રસ્થક=ધાન્યનું માપ વિશેષ બનાવવા માટે જંગલમાં લાકડું લેવા જતો હોય ત્યારે કોઈ અન્ય પુરુષ તેને પૂછે કે “તું શું કરે છે ?” તો જંગલમાં જનાર પુરુષ કહે કે “હું પ્રસ્થક કરું છું' - આ અશુદ્ધ નૈગમનયના ભેદથી પ્રસ્થક બનાવવાની ક્રિયા છે. અને તે પુરુષ પ્રસ્થક બનાવવા બેઠો હોય અને પ્રસ્થક થવાની તૈયારીમાં હોય ત્યારે કોઈ પૂછે કે “તું શું કરે છે ?' તો તે કહે કે હું પ્રસ્થક કરું છું' - આ પરાકાષ્ઠાને પામેલ શુદ્ધ નૈગમનથી પ્રસ્થક બનાવવાની ક્રિયા છે; કેમ કે પ્રસ્થક બનવાની તૈયારી છે ત્યારે હું પ્રસ્થક કરું છું' એમ તે પુરુષ કહે છે. તેમ પ્રસ્થાના નિષ્પત્તિસ્થાનીય પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવકનો અધ્યાત્માદિ યોગ છે, જે ભાવથી યોગ છે, અને પ્રસ્થક બનવાની તૈયારી સ્થાનીય પ્રસ્થક બનાવવાની ક્રિયાતુલ્ય અવિરત સમ્યગ્દષ્ટિની ધર્મની ક્રિયા છે. જે ભાવથી યોગ નથી, પરંતુ ભાવથી યોગની નિષ્પત્તિની પૂર્વસેવા છે, જેને શુદ્ધ નૈગમનય પૂર્વસેવા રૂપે સ્વીકારે છે અને લાકડું કાપવા જનાર પુરુષ પ્રસ્થક કરું છું, એમ કહે છે. તેના તુલ્ય અપુનબંધકની ધર્મક્રિયા છે, જેને અશુદ્ધ નૈગમનય પૂર્વસેવારૂપે સ્વીકારે છે. આથી એ પ્રાપ્ત થાય કે પાંચમા ગુણસ્થાનકે ભાવથી યોગ છે, તેનું કારણ એવી પૂર્વસેવા અવિરતસમ્યગ્દષ્ટિને છે, તેથી શુદ્ધિની પરાકાષ્ઠાને પામેલ નૈગમનય તેને પૂર્વસેવા સ્વીકારે છે; અને અવિરત સમ્યગ્દષ્ટિની દેવ-ગુરુની પૂજાદિ ક્રિયાને મુખ્ય પૂર્વસેવા યોગબિંદુ શ્લોક-૨૦૯માં કહી, તે ભાવથી દેશવિરતિધર આદિમાં વર્તતા યોગની પ્રાપ્તિની અતિ આસન્ન હોવાને કારણે પરાકાષ્ઠાને પામેલ નૈગમનયની શુદ્ધિની અપેક્ષાએ છે. સંક્ષેપ - સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે અપુનબંધક જીવને યોગની પ્રાપ્તિના કારણભૂત એવી પૂર્વસેવા તે દ્રવ્યયોગ છે, અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવને પણ યોગની Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અપુનબંધકદ્વાબિંશિકા/શ્લોક-૧૮-૧૯ પ્રાપ્તિના કારણભૂત એવી પૂર્વસેવા તે દ્રવ્યયોગ છે. ફક્ત અપુનબંધક જીવની પૂર્વસેવા યોગની પ્રાપ્તિનું દૂરવર્તી કારણ છે, તેથી અપુનબંધક જીવની પૂર્વસેવાને અમુખ્ય પૂર્વસેવા અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવની પૂર્વસેવા યોગની પ્રાપ્તિનું નજીકનું કારણ છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિની પૂર્વસેવાને મુખ્ય પૂર્વસેવા યોગબિંદુ” શ્લોક-૨૦૯માં કહેલ છે. વળી, અપુનબંધક જીવ પૂર્વસેવાનું સેવન કરીને ક્રમસર સમ્યક્તની પ્રાપ્તિરૂપ ભાવથી યોગની પ્રાપ્તિ કરે છે. તેને સામે રાખીને અપુનબંધક જીવની પૂર્વસેવાને શ્લોક-૨માં મુખ્ય પૂર્વસેવા કહેલ છે. સફબંધકાદિ જીવો આલોચનાદરહિત પૂર્વસેવા કરે છે, તેથી તેઓની પૂર્વસેવાની આચરણા ભાવથી યોગની પ્રાપ્તિનું કારણ બનતી નથી, માત્ર પૂર્વસેવાના આચારોનું પાલન છે માટે અમુખ્ય પૂર્વસેવા કહેલ છે, તેથી અપેક્ષાભેદ હોવાને કારણે યોગબિંદુ શ્લોક-૨૦૯ના કથન સાથે પ્રસ્તુત ગ્રંથનાં શ્લોક-રનો પણ કોઈ વિરોધ નથી. II૧૮ અવતરાણિકા : શ્લોક-૧૬માં કહ્યું કે અપુનર્બલકને દ્રવ્યયોગ છે અને ભિન્નગ્રંથિ એવા સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે. ત્યાર પછી શ્લોક-૧૭-૧૮માં સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ કેમ છે? તે યુક્તિથી સ્પષ્ટ કર્યું, અને શ્લોક-૧૮ની ટીકાના અંતમાં શંકા કરી કે સમ્યગ્દષ્ટિને અન્ય ગ્રંથોમાં દ્રવ્યથી યોગ સ્વીકાર્યો છે, અને અહીં સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ કેમ સ્વીકાર્યો છે? અને તેનું સ્પષ્ટીકરણ કર્યું. ત્યાં કોઈકને પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને અવિરતિનો ઉદય છે, તેથી ઉપચારને સ્વીકારનાર વ્યવહારનયથી યોગ છે, તેમ કહી શકાય, પરંતુ પરમાર્થવૃત્તિથી નિશ્ચયનયથી, યોગ નથી એમ માનવું જોઈએ. એ પ્રકારની શંકાનું નિવારણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક - एतनिश्चयवृत्त्यैव यद्योगः शास्त्रसंज्ञिनः । त्रिधा शुद्धादनुष्ठानात् सम्यक्प्रत्ययवृत्तितः ।।१९।। Page #88 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૯ અન્વયાર્થ ઃ તત્=આ=ભિન્નગ્રંથિને ભાવથી યોગ છે એ પ્રમાણે શ્લોક-૧૬માં કહેવાયું એ, નિશ્ચયવૃત્ત્વવ=નિશ્ચયવૃત્તિથી જ છે=પરમાર્થવૃત્તિથી જ છે, ય=જે કારણથી શાસ્ત્રસંજ્ઞિનઃ=શાસ્ત્રસંન્નીને-શાસ્ત્રસંજ્ઞાવાળા એવા સમ્યગ્દષ્ટિને ત્રિધા=ત્રણ પ્રકારે શુદ્ધાવનુષ્ઠાના શુદ્ધ અનુષ્ઠાનથી સભ્ય પ્રત્યયવૃત્તિતઃ= સમ્યક્ પ્રત્યય દ્વારા વૃત્તિ અર્થાત્ પ્રવૃત્તિ હોવાથી યો=યોગ છે. ।।૧૯।। શ્લોકાર્થ : આ=ભિન્નગ્રંથિને ભાવથી યોગ છે એ પ્રમાણે શ્લોક-૧૬માં કહેવાયું એ, પરમાર્થવૃત્તિથી જ છે, જે કારણથી શાસ્ત્રસંજ્ઞાવાળા એવા સમ્યગ્દષ્ટિને ત્રણ પ્રકારે શુદ્ધ અનુષ્ઠાનથી સમ્યક્ પ્રત્યય દ્વારા પ્રવૃત્તિ હોવાથી યોગ છે. ।।૧૯। ૬૫ ટીકા : एतदिति एतद्यदुक्तं भिन्नग्रन्थेरेव भावतो योग इति निश्चयवृत्त्यैव= परमार्थवृत्त्यैव, न तु कल्पनया यद् = यस्माद्, शास्त्रेणैव संज्ञी तद्विना त्वसंज्ञिवत् क्वाप्यर्थेऽप्रवर्तमानो यस्तस्य, त्रिधा वक्ष्यमाणैस्त्रिभिः प्रकारैः शुद्धाद् - निरवद्यात्, = अनुष्ठानाद्=आचारात्, सम्यक् प्रत्ययेन = आत्मगुरुलिङ्गशुद्ध्या, वृत्तिः= स्वकृतिसाध्यताद्यभ्रान्तविश्वासेन प्रवृत्तिः, ततो [ योगो] भवतीति ।। १९ ।। ટીકાર્ય : एतद्यदुक्तं ભવતીતિ ।। આ=ભિન્નગ્રંથિને જ ભાવથી યોગ છે એ પ્રમાણે જે કહેવાયું એ=શ્લોક-૧૬માં કહેવાયું એ, નિશ્ચયવૃત્તિથી જ છે= પરમાર્થવૃત્તિથી જ છે, પરંતુ કલ્પનાથી નથી, ય=જે કારણથી, શાસ્ત્ર દ્વારા જ સંજ્ઞી, અને તેના વિના=શાસ્ત્ર વિના, અસંજ્ઞીની જેમ, કોઈપણ અર્થમાં અપ્રવર્તમાન એવા તેને, ત્રણ પ્રકારે શુદ્ધ=નિરવદ્ય, અનુષ્ઠાનથી= આચારથી, સમ્યક્ પ્રત્યય વડે=આત્મા, ગુરુ અને લિંગની શુદ્ધિ દ્વારા વૃત્તિ=સ્વકૃતિસાધ્યતાદિ અભ્રાન્ત વિશ્વાસ વડે પ્રવૃત્તિ છે, તે કારણથી યોગ છે. ‘રૂતિ' શબ્દ ટીકાની સમાપ્તિ સૂચક છે. ।।૧૯।। ..... Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અપુનબંધકદ્વાચિંશિકાશ્લોક-૧૯ “સ્વતસધ્યતાપ્રાન્તવશ્વાસૈન' અહીં ‘’ થી બળવાન અનિષ્ટનું અનનુબંધિત્વ અને ઇષ્ટની સાધનતાનું ગ્રહણ કરવું. નોંધ :- મૂળ શ્લોકમાં ‘યોગ:' શબ્દ છે. તેથી ટીકાના અંતે તતો ભવતત ના સ્થાને તતો યો મવતીતિ' એ પ્રમાણે પાઠ હોવો જોઈએ. ભાવાર્થ :(i) સમ્યગ્દષ્ટિને પરમાર્થથી ભાવયોગ સ્વીકારવામાં મુક્તિ - (i) સમ્યગ્દષ્ટિની અત્યંત વિવેકપૂર્વકની પ્રવૃત્તિનું સ્વરૂપ : અવિરત સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે એમ શ્લોક-૧૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું, ત્યાં કોઈકને શંકા થાય કે સમ્યગ્દષ્ટિ જીવને ભગવાનના વચનમાં સ્થિર રુચિ છે, પરંતુ ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરતા નથી, તેથી અવિરતિવાળા એવા સમ્યગ્દષ્ટિને ઉપચારથી યોગ કહી શકાય, પણ પરમાર્થથી યોગ કહી શકાય નહીં; કેમ કે મોક્ષની સાથે આત્માનું યોજન કરે તેવી ઉચિત પ્રવૃત્તિ તે યોગ કહેવાય, અને મોક્ષની સાથે આત્માનું યોજન કરે તેવી ઉચિત પ્રવૃત્તિ અવિરત સમ્યગ્દષ્ટિને હોઈ શકે નહિ, માટે અવિરત સમ્યગ્દષ્ટિને પરમાર્થથી યોગ નથી. આ શંકાના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે -- શ્લોક-૧૬માં કહ્યું કે સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એ નિશ્ચયવૃત્તિથી જ છે, પરંતુ કલ્પનાથી નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્ર દ્વારા જ સંજ્ઞી છે, અસંજ્ઞીની જેમ શાસ્ત્ર વિના કોઈપણ અર્થમાં પ્રવર્તતા નથી. આનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવ ધર્મની જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે શાસ્ત્રવચનના સ્મરણથી તો કરે છે જ, પરંતુ સંસારની અર્થ-કામની પણ જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે પણ શાસ્ત્રવચનના સ્મરણથી કરે છે. જેમ અસંજ્ઞી જીવો દીર્ઘકાલિકી સંજ્ઞા નહીં હોવાને કારણે દીર્ઘકાલિકી સંજ્ઞાથી કોઈ પણ પદાર્થમાં પ્રવૃત્તિ કરતા નથી, તેમ સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રસજ્ઞાને છોડીને અન્ય સંજ્ઞાવાળા નહીં હોવાના કારણે અન્ય સંજ્ઞાથી કોઈપણ પદાર્થમાં પ્રવૃત્તિ કરતા નથી. વળી સમ્યગ્દષ્ટિ જીવ જે કોઈ પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ શાસ્ત્રવચનનું સ્મરણ હોવાના કારણે શાસ્ત્રવચનથી નિયંત્રિત હોય છે, અને શાસ્ત્રવચનથી નિયંત્રિત પ્રવૃત્તિ હંમેશાં ત્રણે શુદ્ધિવાળી હોય છે તે : (૧) વિષયશુદ્ધ હોય છે, (ર) Page #90 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯ ५७ સ્વરૂપશુદ્ધ હોય છે અને (૩) અનુબંધશુદ્ધ હોય છે, અને આ ત્રણે શુદ્ધિવાળું અનુષ્ઠાન ઉત્તરોત્તરના શુદ્ધ અનુષ્ઠાનને પ્રાપ્ત કરાવીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે. વળી સમ્યગ્દષ્ટિ જીવ કોઈપણ પ્રવૃત્તિ કરવા માટે ત્રણ પ્રકારના સમ્યક્ પ્રત્યયથી પ્રવૃત્તિ કરે છે, તેથી તે અનુષ્ઠાનમાં સ્વકૃતિસાધ્યતાદિ ત્રણનો અભ્રાંત નિર્ણય થાય; અને જે અનુષ્ઠાન ત્રણ પ્રકારના સમ્યક્પ્રત્યયપૂર્વકનું અને ત્રણે શુદ્ધિવાળું હોય તે અનુષ્ઠાન ઉત્તરોત્તરના અનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે. માટે સમ્યગ્દષ્ટિને પારમાર્થિક યોગ છે, પરંતુ કલ્પનાથી નથી. અહીં વિશેષ એ છે કે વિચારક સમ્યગ્દષ્ટિ જીવ કોઈપણ અનુષ્ઠાન કરે ત્યારે સ્વકૃતિસાધ્યત્વાદિ ત્રણેનો નિર્ણય આત્મપ્રત્યયથી, ગુરુપ્રત્યયથી અને લિંગપ્રત્યયથી કરે : સ્વકૃતિસાધ્યત્વ આદિ ત્રણ : (૧) આ અનુષ્ઠાન સ્વકૃતિથી સાધ્ય છે કે નહીં તેનો નિર્ણય કરે. (૨) વળી આ અનુષ્ઠાન સ્વકૃતિસાધ્ય હોવા છતાં સ્વઇષ્ટનું સાધન છે કે નહીં, તેનો નિર્ણય કરે. (૩) વળી આ અનુષ્ઠાન સ્વકૃતિ સાધ્ય છે અને પોતાના ઇષ્ટનું સાધન છે, આમ છતાં બળવાન અનિષ્ટનું અનનુબંધી છે કે નહીં તેનો નિર્ણય કરે. વળી સ્વકૃતિસાધ્યત્વાદિ ત્રણેનો નિર્ણય : (૧) આત્મપ્રત્યયથી, (૨) ગુરુપ્રત્યયથી અને (૩) લિંગપ્રત્યયથી કરે છે, જેનું વર્ણન ગ્રંથકારશ્રી સ્વયં આગળ શ્લોક-૨૭માં કરશે. આ ત્રણ પ્રત્યયથી કરાયેલું ત્રણ શુદ્ધિવાળું અનુષ્ઠાન અવશ્ય ઇષ્ટફળની પ્રાપ્તિનું કારણ બને છે, અને સમ્યગ્દષ્ટિ જીવને મોક્ષ ઇષ્ટ છે અને મોક્ષના ઉપાયરૂપ શાસ્ત્રવચન ઇષ્ટ છે, તેથી સર્વત્ર પોતાની શક્તિનું સમાલોચન કરીને શાસ્ત્રવચનાનુસાર ત્રણે પ્રકારે શુદ્ધ અનુષ્ઠાનનું સેવન કરીને ઉત્તરોત્તર યોગમાર્ગની વૃદ્ધિ કરે છે. માટે સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે, એ નિશ્ચયવૃત્તિનું કથન છે, પરંતુ કલ્પનાથી નથી. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ -: સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ હોવાનાં કારણો ઃ શાસ્ત્રસંજ્ઞી હોવાથી વિચારે સ્વકૃતિસાધ્યતા સ્વઇષ્ટસાધનતા બળવાન અનિષ્ટનું અનનુબંધિત્વ અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯-૨૦ અન્વયાર્થ : ત્રણે પ્રકારે શુદ્ધ અનુષ્ઠાન કરનારા હોવાથી ત્રણ પ્રકારના સમ્યક્પ્રત્યય દ્વારા સ્વકૃતિસાધ્યતાદિત્રણનો નિર્ણય કરીને ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરનાર હોવાથી આત્મપ્રત્યયથી ગુરુપ્રત્યયથી લિંગપ્રત્યયથી સમ્યગ્દષ્ટિ જીવોને ત્રણે પ્રકારની શુદ્ધિથી યુક્ત અનુષ્ઠાન હોય છે. અવતરણિકા : શ્લોક-૧૯માં કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રસંજ્ઞાવાળા છે, માટે સમ્યગ્દષ્ટિને પરમાર્થથી યોગ છે. અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ પોતાની દરેક પ્રવૃત્તિ શાસ્ત્રથી કેમ કરે છે ? તેથી કહે છે - શ્લોક ઃ વિષયશુદ્ધ સ્વરૂપશુદ્ધ અનુબંધશુદ્ધ शास्त्रमासन्नभव्यस्य मानमामुष्मिके विधौ । सेव्यं यद्विचिकित्सायाः समाधेः प्रतिकूलता ।। २० ।। સત્રમવ્યસ્વ-આસન્નભવ્યને આધુખિ વિધા=પારલૌકિક પ્રવૃત્તિમાં શાસ્ત્ર માનં=શાસ્ત્ર પ્રમાણ છે, એથી સેવ્યં=સેવ્ય છે; ય—જે કારણથી વિધિજિત્સાવાઃ સમાયે: પ્રતિજ્ઞતા=વિચિકિત્સાનું સમાધિનું પ્રતિકૂળપણું છે=વિચિકિત્સા સમાધિને પ્રતિકૂળ છે. ।।૨૦।। ॥૧૯॥ શ્લોકાર્થ : આસન્નભવ્યને પારલૌકિક પ્રવૃત્તિમાં શાસ્ત્ર પ્રમાણ છે, એથી સેવ્ય Page #92 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦ છે; જે કારણથી વિચિકિત્સાનું સમાધિનું પ્રતિકૂળપણું છે વિચિકિત્સા समाधिने प्रतिकूल छ. I|२०॥ टी : शास्त्रमिति-आसन्नभव्यस्य अदूरवर्तिमोक्षलाभस्य प्राणिनः, आमुष्मिके विधौ= पारलौकिके कर्मणि, शास्त्रं मानं, धर्माधर्मयोरतीन्द्रियत्वेन तदुपायत्वबोधने प्रमाणान्तरासामर्थ्यात्, अत: सेव्यं सर्वत्र प्रवृत्तौ पुरस्करणीयं, न तु क्वचिदप्यंशेऽनादरणीयं, यद्-यस्माद्, विचिकित्साया युक्त्या समुपपनेऽपि मतिव्यामोहोत्पन्नचित्तविप्लुतिरूपाया: समाधेश्चित्तस्वास्थ्यरूपस्य ज्ञानदर्शनचारित्रात्मकस्य वा प्रतिकूलता=विरोधिताऽस्ति । अर्थो हि त्रिविधः सुखाधिगमो दुरधिगमोऽनधिगमश्चेति श्रोतारं प्रति भिद्यते, आद्यो यथा चक्षुष्मतश्चित्रकर्मनिपुणस्य रूपसिद्धिः, द्वितीयः सैवानिपुणस्य, तृतीयस्त्वन्धस्येति, तत्र प्रथम-चरमयो स्त्येव विचिकित्सा, निश्चयादसिद्धेश्च; द्वितीये तु देशकालस्वभावविप्रकृष्टे धर्माधर्मादौ भवन्ती सा महानर्थकारिणी । यदागमः - “वितिगिछं समावन्ने णं अप्पाणे णं णो लहति समाहिं"। (आचारांग-५/५/१६१) अतश्चित्तशुद्ध्यर्थं शास्त्रमेवादरणीयमिति भावः । यत उक्तं - “मलिनस्य यथात्यन्तं जलं वस्त्रस्य शोधनम् । अन्त:करणरत्नस्य तथा शास्त्रं विदुर्बुधाः" ।। (योगबिन्दु श्लोक-२२९) ।।२०।। टीमार्थ : आसन्नभव्यस्य ..... विदुर्बुधाः ।। मासतमायने भरवती मोक्षतामवाणा જીવને, આમુખિક વિધિમાં પારલૌકિક કૃત્યમાં, શાસ્ત્ર પ્રમાણ છે; કેમ કે ધર્મ અને અધર્મનું અતીન્દ્રિયપણું હોવાને કારણે તેના ઉપાયપણાના બોધનમાં=ધર્મ-અધર્મના ઉપાયપણાને જાણવામાં, પ્રમાણાંતરનું અસામર્થ્ય છે શાસ્ત્ર સિવાય પ્રમાણાંતરનું અસામર્થ્ય છે. આથી સેવ્ય છે=સર્વત્ર પ્રવૃત્તિમાં પુરસ્કરણીય છે=સર્વ પ્રવૃત્તિમાં શાસ્ત્ર આદર કરવા યોગ્ય છે, परंतु 51 शमां मनाएगीय नथी. यद्-यस्माद्= ॥२थी युतिथी સમુપપત્ત પણ અર્થમાં મતિના વ્યામોહથી ઉત્પન્ન થયેલ ચિત્તની વિસ્કુતિરૂપ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦ વિચિકિત્સાનું, ચિત્તસ્વાથ્થરૂપ સમાધિનું અથવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સમાધિનું પ્રતિકૂળપણું છે વિરોધીપણું છે. પૂર્વમાં કહ્યું કે યુક્તિથી સમુપપન્ન પણ અર્થમાં વિચિકિત્સા થાય તો સમાધિનો બાધ થાય છે, તેથી યુક્તિથી સમુપપત્ર અર્થમાં વિચિકિત્સા કેમ થાય છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જે કારણથી શ્રોતાને આશ્રયીને અર્થ (૧) સુખાધિગમ, (૨) દુરધિગમ અને (૩) અનધિગમ એ રૂપ ત્રણ પ્રકારે ભેદાય છે=ભેજવાળો થાય છે. જે પ્રમાણે ચિત્રકર્મમાં નિપુણ ચક્ષુવાળા એવા પુરુષને રૂપસિદ્ધિ આદ્ય છેઃ સુખાધિગમરૂપ અર્થ છે, તે જ અર્થ અતિપુણને=ચક્ષુવાળા એવા અતિપુણને બીજો છે-દુરધિગમરૂપ અર્થ છે. વળી અંધને ત્રીજો છે અનધિગમરૂપ અર્થ છે. “તિ' શબ્દ ત્રણ પ્રકારના અર્થના સ્વરૂપ કથનની સમાપ્તિમાં છે. ત્યાં સુખાધિગમાદિ ત્રણ ભેદમાં, પ્રથમ અને ચરમ પુરુષને સુખાધિગમવાળા અને અધિગમવાળા પુરુષને, વિચિકિત્સા નથી; કેમ કે પ્રથમ નિશ્ચય છે અને ચરમને અસિદ્ધિ છે. વળી બીજામાં દુરધિગમવાળા પુરુષમાં, દેશ, કાળ અને સ્વભાવથી વિપ્રકૃષ્ટ એવા ધર્મ-અધર્માદિમાં થતી તે=વિચિકિત્સા, મહાઅનર્થ કરનારી છે. જે કારણથી આગમ છે “વિચિકિત્સા સમાપઘ=વિચિકિત્સાને પ્રાપ્ત, આત્મા હોતે છતે સમાધિ પ્રાપ્ત કરતો નથી." (આચારાંગ-પ-૧૬૧) આથી વિચિકિત્સાને પ્રાપ્ત આત્મા સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી આથી, ચિત્તશુદ્ધિને માટે શાસ્ત્ર જ આદરણીય છે, એ પ્રમાણે ભાવ છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી ‘યોગબિંદુ’ શ્લોક-૨૨૯માં કહેવાયું છે – “જે પ્રમાણે જળ મલિન વસ્તુનું અત્યંત શોધન કરે છે, તે પ્રમાણે અંતઃકરણરૂપ રત્નનું ચિત્તરત્નનું, શાસ્ત્ર અત્યંત શોધન કરે છે, એ પ્રમાણે પંડિત પુરુષો કહે છે.” (યોગબિંદુ શ્લોક-૨૨૯) I૨૦ || ‘સમુquત્રેડપિં' અહીં ‘પ' થી એ કહેવું છે કે યુક્તિથી સમુપપન્ન ન હોય ત્યાં તો શંકા થાય, પરંતુ યુક્તિથી સમુપપત્રમાં પણ મતિના વ્યામોહથી ઉત્પન્ન થયેલી શંકા થાય છે. જ “ધર્માધવો' અહીં ‘ક’ થી આકાશાદિનું ગ્રહણ કરવું. Page #94 -------------------------------------------------------------------------- ________________ 9 અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦ ભાવાર્થ :(૧) પરલોકપ્રધાન આસન્નભવ્ય જીવોની સર્વ પ્રવૃત્તિમાં શાસ્ત્રપુર સરતા : જે જીવો નજીકમાં મોક્ષમાં જનારા છે તેમાં સહજ રીતે માર્ગાનુસારી બુદ્ધિ થયેલી હોય છે, તેથી પરલોકની પ્રવૃત્તિમાં શાસ્ત્રને પ્રમાણ કરે છે; અને સમ્યગ્દષ્ટિ જીવ નિર્મળ બુદ્ધિવાળા હોવાને કારણે તત્ત્વને જુએ છે, તેથી નજીકમાં મોક્ષમાં જનાર છે; અને આવા જીવો પરલોકની પ્રવૃત્તિ સ્વમતિ પ્રમાણે કરતા નથી, પરંતુ શાસ્ત્રઅનુસાર કરે છે; કેમ કે અતીન્દ્રિય એવા ધર્મઅધર્મના ઉપાયનો બોધ કરવા માટે તેઓની નિર્મળ બુદ્ધિમાં શાસ્ત્રથી અન્ય કોઈ પ્રમાણ જણાતું નથી, આથી આવા જીવો સર્વ પ્રવૃત્તિઓમાં શાસ્ત્રને આગળ કરતા હોય છે અર્થાત્ ધર્મ, અર્થ અને કામની કોઈપણ પ્રવૃત્તિ કરે તો તેઓ શાસ્ત્રને આગળ કરીને પ્રવૃત્તિ કરે છે. આશય એ છે કે આસન્નભવ્ય જીવ હંમેશાં પરલોકપ્રધાન હોય છે, તેથી પરલોકને વ્યાઘાત ન થાય એ રીતે જીવવાના અર્થી હોય છે. તેઓ પોતાની શક્તિનું સમાલોચન કરીને જે પ્રવૃત્તિ પોતે કરી શકે તેવું જણાય તે પ્રવૃત્તિમાં યત્ન કરે છે અને તે પ્રવૃત્તિ હંમેશાં તેઓના પરલોકના હિતનું કારણ બને તે રીતે કરે છે; અને પરલોકના હિતનું કારણ શાસ્ત્રવચનાનુસાર કરાયેલી પ્રવૃત્તિ હોય છે, તેથી આલોકમાં પણ સંયમ ગ્રહણ ન કરી શકે તો સંસારમાં અર્થકામનું જે સેવન કરે તે પણ શાસ્ત્રનું સ્મરણ કર્યા વગર કરતા નથી અને ધર્મની પ્રવૃત્તિ પણ શાસ્ત્રનું સ્મરણ કરીને કરે છે. આ રીતે આવા જીવો સર્વ પ્રવૃત્તિ શાસ્ત્રપુરઃસર કરે છે. અહીં પ્રશ્ન થાય કે આ ભવ્ય જીવ સર્વ પ્રવૃત્તિ શાસ્ત્રને આગળ કરીને કેમ કરે છે ? એથી કહે છે – યુક્તિથી પ્રાપ્ત પણ અર્થમાં મતિના વ્યામોહને કારણે ઉત્પન્ન થયેલી શંકા સમાધિને પ્રતિકૂળ છે=પરલોકની સાધક એવી ચિત્તની સ્વસ્થતાનો નાશ કરનાર છે. આશય એ છે કે યોગ્ય જીવો કોઈક રીતે પરલોકને પ્રધાન કરીને યોગમાર્ગમાં પ્રવૃત્ત હોય ત્યારે, આલોકના વિષયોથી પરામુખ થઈને આત્માની ગુણસંપત્તિને પ્રગટ કરવા માટે શાસ્ત્રવચનાનુસાર ઉચિત યોગોમાં પ્રવૃત્તિ કરે છે. આમ Page #95 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૨૦ છતાં, કોઈક સ્થાનમાં શાસ્ત્રવચનમાં શંકા થાય તો પરલોકપ્રધાન એવી ધર્મની પ્રવૃત્તિ પણ તેમના ચિત્તના સ્વાથ્યનો નાશ કરનાર બને છે; કેમ કે ચિત્તમાં ઉત્પન્ન થયેલી શંકાને કારણે પરલોકની પ્રવૃત્તિ શિથિલ મૂળવાળી થાય છે. તેથી મોક્ષને અનુકૂળ એવું ઉત્તમ ચિત્ત નષ્ટ થાય છે, માટે સંયમ ગ્રહણ કરેલ યોગી હોય અને રત્નત્રયીની પરિણતિ વર્તતી હોય એવા યોગીને પણ કોઈક નિમિત્તને પામીને પરલોકની પ્રવૃત્તિમાં સંશય થાય તો તેમની રત્નત્રયીની પરિણતિનો નાશ થાય છે, માટે પરલોકના અર્થી જીવે હંમેશાં શાસ્ત્રને પ્રધાન કરીને શંકાનો પરિહાર કરવો જોઈએ, જેથી ચિત્તની સમાધિ નાશ પામે નહીં અને પોતાનામાં પ્રગટ થયેલો યોગમાર્ગ સ્કૂલના વગર ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. વળી સમ્યગ્દષ્ટિ જીવને નિર્મળ દૃષ્ટિ મળેલી હોવાથી સર્વત્ર શાસ્ત્રને આગળ કરે છે, જેથી સમાધિની પ્રતિકૂળતા વર્તતી નથી, આથી આવા જીવો શીધ્ર સંસારનો અંત કરીને મોક્ષમાં જાય છે, માટે આસન્નભવ્ય છે. અતીન્દ્રિય પદાર્થો છમસ્થનો વિષય નથી, પરંતુ અતીન્દ્રિય પદાર્થને જોનાર સર્વજ્ઞ છે, માટે કયું વચન સર્વજ્ઞનું છે ? તેનો નિર્ણય કષાદિ પરીક્ષાથી કરીને તેમના વચન પ્રમાણે અતીન્દ્રિય પદાર્થોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણે યુક્તિથી પ્રાપ્ત થયેલા પદાર્થોમાં પણ આરાધક જીવને શંકા કેમ થાય છે ? તેથી કહે છે -- શ્રોતાના ક્ષયોપશમને આશ્રયીને અર્થ ત્રણ પ્રકારનો છે : (૧) સુખાધિગમ= સુખે બોધ થાય તેવો, (૨) દુરધિગમ દુઃખે બોધ થાય તેવો, (૩) અનધિગમ=બોધ ન થઈ શકે તેવો. તેમાં દૃષ્ટાંત બતાવે છે -- (૧) સુખાધિગમનું દૃષ્ટાંત :- જેમ કોઈ ચક્ષુવાળો પુરુષ હોય અને ચિત્રકર્મમાં નિપુણ હોય=ચિત્રકળાને પારખવામાં નિપુણ હોય, તો ચિત્રકળાની સુંદરતાને તે પારખી શકે છે, તેથી તેને ચિત્રના સૌંદર્યનો સુખે બોધ થાય છે. (૨) દુરધિગમનું દૃષ્ટાંત :- વળી કોઈ પુરુષ ચક્ષુવાળ હોય અને ચિત્રકળાને પારખવામાં અનિપુણ હોય તો ચિત્રના સૌંદર્યનો બોધ તેને દુઃખે થઈ શકે તેવો હોય છે. આમ છતાં કોઈ સમજાવનાર મળે તો તેને ચિત્રનો બોધ થાય છે, પરંતુ સુખે બોધ થતો નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦ (૩) અનધિગમનું દૃષ્ટાંત :- વળી કેટલાક પુરુષો ચક્ષુહીન હોય છે. તેઓને ચિત્રના સૌંદર્યનો બોધ જ થઈ શકતો નથી. આ ત્રણ પ્રકારના પુરુષોમાં પ્રથમ પ્રકારના પુરુષને કોઈ સુંદર ચિત્ર બતાવવામાં આવે ત્યારે તેને ચિત્રના સૌંદર્યમાં સંશય થતો નથી; કેમ કે તેને ચિત્રના સૌંદર્યની પરખ છે. ત્રીજા પ્રકારના પુરુષને પણ ચિત્રનું આ રૂપ શ્રેષ્ઠ છે કે નહીં ? એવો સંશય થતો નથી; કેમ કે અંધ હોવાથી તેને રૂપની જ અસિદ્ધિ છે=રૂપ દેખાવાનું જ નથી. પરંતુ બીજા પ્રકારના પુરુષને ચિત્રને જોઈને “આ ચિત્ર શ્રેષ્ઠ છે કે નહીં ?' તેવો સંશય થઈ શકે છે; કેમ કે તે ચિત્ર પારખવામાં નિપુણ નથી. આ રીતે અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં પણ જેમ પ્રથમ પુરુષને ચિત્રના સૌંદર્યમાં સંશય થતો નથી, તેમ માર્ગાનુસારી બુદ્ધિવાળા સમ્યગ્દષ્ટિને સંશય થતો નથી, પરંતુ પોતાની નિર્મળ પ્રજ્ઞાને કારણે કષ-છેદ-તાપથી શુદ્ધ એવા સર્વજ્ઞના વચનને ગ્રહણ કરીને તે પ્રમાણે પદાર્થનો યથાર્થ બોધ કરે છે, તેથી તેને અતીન્દ્રિય પદાર્થોનો સુખે બોધ થાય છે. વળી સૂક્ષ્મ પ્રજ્ઞા નહીં હોવાને કારણે કેટલાક માર્ગાનુસારી બુદ્ધિવાળા સમ્યગ્દષ્ટિ જીવને પણ ક્યારેક મિથ્યાત્વના ઉદયથી દેશ, કાળ અને સ્વભાવથી વિપ્રકૃષ્ટ એવા ધર્માધર્માદિમાં શંકા થાય છે, તે મહાઅનર્થને કરનારી છે; કેમ કે અતીન્દ્રિય પદાર્થોમાં થયેલી શંકાનું જો નિવર્તન ન થાય તો યોગમાર્ગની પ્રવૃત્તિ શિથિલ થાય છે, તેથી પરલોકનું હિત સાધી શકાતું નથી. વળી ત્રીજા પ્રકારના પુરુષો કે જેઓ પરલોકની વિચારણા કરવામાં અંધ જેવા છે, તેઓ માત્ર આલોકના સુખનો જ વિચાર કરે છે, ક્વચિત્ પરલોકની પ્રવૃત્તિ કરે તોપણ ભૌતિક સુખ માટે કરે છે, તેવા અંધ પુરુષને વિચિકિત્સા થતી નથી; કેમ કે તત્ત્વને જોનારી ચક્ષુથી રહિત હોવાને કારણે તેઓ તત્ત્વને લેશ પણ જોઈ શકતા નથી. જેમ ચક્ષુહીન પુરુષ રૂપને લેશ પણ જોતો નથી તેથી તેને રૂપમાં સંશય થતો નથી, તેમ અંધ પુરુષ જેવા ગાઢ મિથ્યાષ્ટિ જીવને તત્ત્વમાર્ગમાં સંશય થતો નથી, પરંતુ બોધનો જ અભાવ હોય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧ આથી બીજા પ્રકારના પુરુષને અતીન્દ્રિય પદાર્થમાં ક્યારેક સંશય થાય તો તે મહાઅનર્થન કરનાર છે, માટે તેના નિવારણ માટે શાસ્ત્ર જ આદરણીય છે; અને માર્ગાનુસારી બુદ્ધિ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવો સર્વત્ર શાસ્ત્રનો જ આદર કરે છે, પરંતુ સ્વબુદ્ધિ પ્રમાણે પ્રવૃત્તિ કરતા નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવો આસભવ્ય જીવો છે. -: શ્રોતાના ક્ષયોપશમને આશ્રયી અર્થગ્રહણના ત્રણ પ્રકાર : સુખાધિગમ દુધિગમ અનધિગમ ચક્ષુવાળા એવા ચક્ષુવાળા છતાં ચક્ષુહીન એવા ચિત્રકળામાં નિપુણ ચિત્રકળામાં અનિપુણ અંધ તુલ્ય પુરુષ તુલ્ય પુરુષ તુલ્ય -: અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં શ્રોતાને અર્થગ્રહણના ત્રણ પ્રકાર : સુખાધિગમ દુરધિગમ અનધિગમ માર્ગાનુસારી માર્ગાનુસારી પરલોકની બુદ્ધિવાળા બુદ્ધિવાળા વિચારણામાં સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન સૂક્ષ્મપ્રજ્ઞારહિત અંધ તુલ્ય ગાઢ સમ્યગ્દષ્ટિને સમ્યગ્દષ્ટિ જીવોને મિથ્યાદૃષ્ટિ જીવોને મિથ્યાત્વના ઉદયથી. ll૨ના અવતરણિકા : શ્લોક-૧૯માં કહ્યું કે સમ્યગ્દષ્ટિએ ભાવથી યોગ છે એ પરમાર્થવૃત્તિથી છે, તેમાં કારણ કહ્યું કે સમ્યગ્દષ્ટિ શાસ્ત્રસંજ્ઞાવાળા હોય છે, તેથી પ્રશ્ન થયો કે સમ્યગ્દષ્ટિ દરેક પ્રવૃત્તિ શાસ્ત્ર પ્રમાણે કેમ કરે છે ? તેથી શ્લોક૨૦માં તેનું સ્પષ્ટીકરણ કર્યું. વળી શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવો ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનથી પ્રવૃત્તિ કરે છે માટે તેમને ભાવથી યોગ છે, તેથી હવે તે ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ ગ્રંથકારશ્રી જણાવે છે – Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અપુનબંધકદ્વાäિશિકા/શ્લોક-૨૧ શ્લોક : विषयात्मानुबन्धैस्तु त्रिधा शुद्धं यथोत्तरं । प्रधानं कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ।।२१।। અન્વયાર્થ : - વિષયાત્માનુવન્થ =વિષય, સ્વરૂપ અને અનુબંધ વડે શુદ્ધ=શુદ્ધ ત્રિથા ફર્મ=ત્રિવિધ કર્મ ત્રણ પ્રકારનું અનુષ્ઠાન યથોત્તાં યથોત્તર પ્રઘાનંત્રપ્રધાન છે. તત્ર ત્યાં ત્રણ પ્રકારના અનુષ્ઠાનમાં ગદ્ય વિષયશુદ્ધ અનુષ્ઠાન મુવાર્થમુક્તિ માટે પતિનાપ પતનાદિ પણ છે. ll૧૧ાા શ્લોકાર્ચ - વિષય, સ્વરૂપ અને અનુબંધ વડે શુદ્ધ ત્રણ પ્રકારનું અનુષ્ઠાન યથોતર પ્રધાન છે. ત્યાં ત્રણ પ્રકારના અનુષ્ઠાનમાં, આધ=વિષયશુદ્ધ અનુષ્ઠાન, મુક્તિ માટે પતનાદિ પણ છે. ર૧TI ટીકા : विषयेति-विषयेण-गोचरेण, आत्मना-स्वरूपेण, अनुबन्धेन तु-उत्तरत्रानुवृत्तिलक्षणेन शुद्धं, त्रिधा त्रिविधं, कर्म=अनुष्ठानं, यथोत्तरं प्रधानं यद्यत् उत्तरं तत्तदपेक्षया प्रधानमित्यर्थः । आद्यं तत्र विषयशुद्धं कर्म मुक्त्यर्थं='मोक्षो मातो भूयादि'तीच्छया जनितं, पतनाद्यपि भृगुपाताद्यपि, आदिना शस्त्रपाटनगृध्रपृष्ठार्पणादिः स्वघातोपाय: परिगृह्यते किं पुनः शेषं स्वाहिंसकमित्यपिશક્વાર્થ પારા ટીકાર્ય : વિષUT . શબ્દાર્થ | વિષયથી=ગોચરથી=ઉદ્દેશથી, આત્માથીસ્વરૂપથી, વળી અતુબંધથી–ઉત્તરત્ર અનુવૃત્તિલક્ષણ પ્રવાહથી, શુદ્ધ એવું ત્રિધા ત્રણ પ્રકારનું કર્મ અનુષ્ઠાન, યથોત્તર પ્રધાન છે કે જેનાથી ઉત્તરમાં છે તે તેની અપેક્ષાએ અર્થાત્ પૂર્વની અપેક્ષાએ પ્રધાન છે, એ પ્રમાણે અર્થ છે. ત્યાં=આ ત્રણ પ્રકારના અનુષ્ઠાનમાં, મુક્તિ માટે મને આનાથી મોક્ષ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૨૧ થાઓ' એ પ્રકારની ઈચ્છાથી જનિત, પતનાદિ પણ=ભૃગુપાતાદિ પણ= પર્વત ઉપરથી પડતું મૂકવું આદિ પણ, આદ્ય વિષયશુદ્ધ અનુષ્ઠાન છે.' ‘સદ્ધિ' થી=પતિનાદ્યપિ' માં રહેલા “મરિ’ શબ્દથી, શસ્ત્રપાદન કરવત મુકાવવી, પૃથ્રવૃાાલિક ગીધડાને પીઠ અર્પણ કરવી આદિ, સ્વઘાતના ઉપાય ગ્રહણ કરાય છે. વળી શેષ સ્વઅહિંસક અનુષ્ઠાનનું શું કહેવું? એ ‘Yિ' શબ્દનો અર્થ છે. ઘરના ભાવાર્થ - ત્રણ પ્રકારનાં શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ : ત્રણ પ્રકારનાં શુદ્ધ અનુષ્ઠાન આ પ્રમાણે છે – (૧) વિષયશુદ્ધ અનુષ્ઠાન :- જન્મ, મૃત્યુ, રોગ, શોકથી આકુળ એવા સંસારના સ્વરૂપને જાણીને કેટલાક જીવો સંસારથી ઉદ્વિગ્ન થયેલા હોય છે અને તેનાથી છૂટવાના ઉપાયરૂપે જે સાવદ્ય અનુષ્ઠાન કરે છે તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે=તે અનુષ્ઠાનનો ઉદ્દેશ મોક્ષપ્રાપ્તિ છે, પરંતુ આચરણા મોક્ષને અનુકૂળ નથી, માટે તે અનુષ્ઠાન માત્ર ગોચરશુદ્ધ=માત્ર વિષયશુદ્ધ=લક્ષ્યશુદ્ધ છે. (૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન :- સંસારના સ્વરૂપને જાણીને સંસારથી છૂટવાના આશયવાળા લોકદૃષ્ટિથી યમાદિનું આચરણ કરે છે, તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે મોક્ષના ઉદ્દેશથી અનુષ્ઠાન સેવાય છે, અને સ્વરૂપથી નિરવઘ પ્રવૃત્તિ છે તેથી તે અનુષ્ઠાન વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. (૩) અનુબંધશુદ્ધ અનુષ્ઠાન - સર્વજ્ઞના વચનાનુસારે મોક્ષને અનુકૂળ ઉત્તરોત્તર અનુષ્ઠાનની પ્રાપ્તિનું અવંધ્યકારણ બને તેવું જે અનુષ્ઠાન તે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનનો ઉદ્દેશ મોક્ષ છે, તેથી વિષયશુદ્ધ છે, અને આ અનુષ્ઠાનની પ્રવૃત્તિ નિરવદ્ય છે માટે સ્વરૂપશુદ્ધ પણ છે, વળી આ અનુષ્ઠાન સર્વજ્ઞના વચનાનુસાર અને સ્વશક્તિના સમાલોચનપૂર્વકનું અને ઉત્તરોત્તરના અનુષ્ઠાનની પ્રાપ્તિનું અવંધ્યકારણ બને એવું છે, માટે અનુબંધશુદ્ધ પણ છે. આ ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનોમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરનું અનુષ્ઠાન પ્રધાન છે અર્થાત્ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે મુખ્ય કારણ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ : આ ત્રણે અનુષ્ઠાનોમાંથી પ્રથમ પ્રકારનું અનુષ્ઠાન મુક્તિ માટે કરાતું હોવાથી વિષયશુદ્ધ છે અર્થાત્ “આ અનુષ્ઠાનથી મને મોક્ષ પ્રાપ્ત થાઓ” એવા પ્રકારના આશયથી કરાય છે, અને સ્વરૂપથી સાવદ્ય એવી ભૃગુપાતાદિ પ્રવૃત્તિરૂપ છે, તેથી માત્ર વિષયશુદ્ધ છે. આ વિષયશુદ્ધ અનુષ્ઠાનવાળા જીવો પોતાના દેહનો નાશ કરે તેવી અનુચિત પ્રવૃત્તિ મોક્ષના આશયથી કરે છે. વળી કેટલાક જીવો પોતાના દેહના નાશનું કારણ બને તેવી સાવદ્ય પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ મોક્ષના આશયથી કોઈપણ પ્રકારની સાવઘ પ્રવૃત્તિ કરે છે, તે પણ માત્ર વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાન આચરણાથી મોક્ષનું કારણ નથી, તોપણ તે અનુષ્ઠાનનો ઉદ્દેશ મોક્ષ છે, તે અપેક્ષાએ આ અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. પરવા અવતરણિકા : શ્લોક-૨૧માં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યાં. તેમાં વિષયશુદ્ધ અનુષ્ઠાન આચરણાથી હિંસાત્મક હોવાને કારણે શુદ્ધ કઈ રીતે કહી શકાય ? એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : स्वरूपतोऽपि सावद्यमादेयाशयलेशतः । शुभमेतद् द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् ।।२२।। અન્વયાર્થ : સ્વરૂપત =સ્વરૂપથી સાવદામપત્રસાવદ્ય એવું પણ પતઆ મોક્ષ માટે પતનાદિની ક્રિયારૂપ અનુષ્ઠાન વેચાશયનેશત =આદેય આશયતા લેશને કારણે ગુમ—શુભ છે. સુત્રવળી નોટ્સ લોકદષ્ટિથી યમવિષ્યમાદિક દ્વિતીયં બીજું છે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. ll૧૨ શ્લોકાર્ચ - સ્વરૂપથી સાવધ એવું પણ આમોક્ષ માટે પતનાદિની ક્રિયારૂપ અનુષ્ઠાન, આદેય આશયના લેશને કારણે શુભ છે. વળી લોકષ્ટિથી યમાદિક બીજુ છે=સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. રિયા Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૨૨ ક “સ્વરૂપતો પિ' શ્લોકમાં ‘વિરૂપતોપ' ના ‘પ' શબ્દનો અન્વય “સવિદ્યમ્' સાથે છે= સવિદા' ના પ' શબ્દથી એ કહેવું છે કે સ્વરૂપથી સાવદ્ય ન હોય તો તો શુભ છે, પરંતુ સ્વરૂપથી સાવધ હોવા છતાં આજેય આશયના લેશને કારણે શુભ છે. ટીકા : स्वरूपत इति-स्वरूपतः आत्मना, सावद्यमपि-पापबहुलमपि, आदेयाशयस्य= उपादेयमुक्तिभावस्य, लेशत: सूक्ष्ममात्रालक्षणात्, शुभं शोभनमेतत् । यदाह - “તતયુપાયજોશમાવાચ્છુમં મતમ્” I (યો વિવું જ્ઞો. ર૨૨) द्वितीयं तु-स्वरूपशुद्धं तु, लोकदृष्ट्या स्थूलव्यवहारिणो लोकस्य मतेन, यमादिकं यमनियमादिरूपं, यथा जीवादितत्त्वमजानानां पूरणादीनां प्रथमगुणDાનવર્તિનામ્ પારા ટીકાર્ય : સ્વરૂપત યાત્મના ... પ્રથમમુજસ્થાનવર્તિના સ્વરૂપથી સાવદ્ય પણ= પાપબહુલ પણ, આદેય આશયના ઉપાદેય એવી મુક્તિની ઈચ્છાતા, લેશથી સૂક્ષ્મમાત્રારૂપ લેશથી આ ભૂગુપાતાદિ અનુષ્ઠાન, શુભ છે શોભન છે. જે કારણથી કહે છે=જે કારણથી યોગબિંદુ શ્લોક-૨૧૨ માં કહે છે – તે આ પણ=મોક્ષ અર્થે ભૃગુપાતાદિ અનુષ્ઠાન પણ, ઉપાદેયલેશ ભાવને કારણે શુભ કહેવાયું છે.” (યોગબિંદુ શ્લોક-૨૧૨) વળી લોકષ્ટિથી=સ્થૂલ વ્યવહાર કરનારા લોકના મતથી, યમાદિકયમનિયમાદિરૂપ બીજું છે= સ્વરૂપશુદ્ધ છે, જે પ્રમાણે પ્રથમ ગુણસ્થાનકવર્તી જીવાદિ તત્વો નહીં જાણનારા પૂરણાદિ તાપસનું અનુષ્ઠાન બીજું છે, એ પ્રમાણે અવય છે. પારા ભાવાર્થ :વિષયશુદ્ધ અનુષ્ઠાન અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનની શુદ્ધતા શેનાથી ? : પૂર્વશ્લોકમાં ત્રણ પ્રકારનું અનુષ્ઠાન બતાવ્યા પછી વિષયશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે મોક્ષ માટે ભૃગુપાતાદિની ક્રિયા વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધક દ્વાત્રિંશિકા|શ્લોક-૨૨ ૭૯ ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષ માટે કરાતી ભૃગુપાતાદિ ક્રિયા સાવઘ પ્રવૃત્તિ છે, તેથી તે અનુષ્ઠાનને વિષયશુદ્ધ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે મોક્ષ માટે કરાતી ભૃગુપાતાદિ ક્રિયાની સ્વરૂપથી સાવઘતાને આશ્રયીને અનુષ્ઠાન શુદ્ધ કહેલ નથી, પરંતુ તે અનુષ્ઠાનથી ઉપાદેય એવી મુક્તિને મેળવવાનો આશય છે, અને તે આશય થોડોક વિવેકવાળો છે, તેથી તે અનુષ્ઠાનને શુભ કહેલ છે. ‘આ વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ તત્ત્વ તરફ વળે એવા કદાગ્રહ વગરના અપુનર્બંધક જીવોને હોય છે.’ તેઓને હજુ વિવેકચક્ષુ ખૂલી નથી, તેથી મોક્ષના ઉપાય માટે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, તેનો કંઈ બોધ નથી; આમ છતાં સંસારનું સ્વરૂપ જન્મ, જરા આદિરૂપ જોઈને સંસારથી પર એવા મોક્ષને મેળવવાનો અભિલાષ થયો એટલો અંશ શુભ છે. તેને આશ્રયીને મોક્ષ માટે કરાતા પતનાદિ અનુષ્ઠાનને વિષયશુદ્ધ અનુષ્ઠાન કહેલ છે. વળી જે જીવો સ્કૂલ આચારવાળા લોકોની દૃષ્ટિથી મોક્ષના અર્થે યમનિયમાદિ આચારો પાળે છે, તે જીવોનું અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. જેમ ભગવાનના વચનાનુસાર જીવાદિ તત્ત્વોને નહીં જાણનારા, પ્રથમ ગુણસ્થાનકમાં રહેલા પૂરણાદિ તાપસોનું અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ હતું; અને ઉપલક્ષણથી જૈનદર્શનના આચારોને પાળનારા પણ જે જીવોને હજુ શાસ્ત્રનો ૫૨માર્થ જોઈ શકે તેવો ઉઘાડ થયો નથી, આમ છતાં મોક્ષને માટે શ્રાવકાચાર પાળે છે અથવા સાધ્વાચાર પાળે છે તે સર્વ જીવોનું અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ છે. - અહીં વિશેષ એ છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં મોક્ષના આશય સિવાય ક્રિયાનો અંશ લેશ પણ શુભ નથી તેથી મોક્ષના ઉદ્દેશમાત્રને આશ્રયીને તે અનુષ્ઠાન શુદ્ધ છે, તેથી તે વિષયશુદ્ધ છે. સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં મોક્ષનો ઉદ્દેશ છે હિંસાદિના ત્યાગનો પરિણામ પણ છે અને યમાદિનું આચરણ પણ છે; આમ છતાં વિવેક અલ્પ હોવાના કા૨ણે હિંસાદિનો પરિહાર સ્થૂલથી છે, તેથી બીજા પ્રકારના અનુષ્ઠાનમાં સ્કૂલથી હિંસાનો પરિહાર હોવા છતાં સૂક્ષ્મ હિંસાદિનું સેવન પણ છે. આમ હોવાથી સૂક્ષ્મ હિંસાદિના સેવનને આશ્રયીને તે અનુષ્ઠાનને સ્વરૂપશુદ્ધ કહેલ નથી, પરંતુ સ્થૂલથી હિંસાદિનો પરિહાર છે, તેને આશ્રયીને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કહેલ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩ વિષયશુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપ ને મોક્ષ માટે ભૃગુપાતાદિરૂપ મોક્ષ માટે સ્કૂલ વ્યવહારથી સાવધ પ્રવૃત્તિ છે. યમ-નિયમાદિ આચરણા છે. શુદ્ધતા સંસારથી પર મોક્ષને સૂક્ષ્મ હિંસાદિનું સેવન નહીં શેનાથી? > મેળવવાના અભિલાષાંશથી હોવા છતાં મોક્ષના વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. ઉદ્દે શપૂર્વક સ્કૂલથી હિંસાદિનો પરિવાર હોવાને કારણે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. કયા તત્ત્વ તરફ વળે તેવા કદાગ્રહ તત્ત્વ તરફ વળે તેવા કદાગ્રહ જીવોને? — વગરના અજ્ઞાનને કારણે વગરના, સ્થૂલથી ઉચિત અનુચિત પ્રવૃત્તિને મોક્ષનું આચરણ કરનારા એવા કારણ માનનારા એવા અન્યદર્શનવાળા અપનબંધક અપુનબંધક જીવોને. જીવોને, અથવા પરમાર્થના ઉઘાડ વિનાના શ્રાવકાચાર કે સાધ્વાચાર પાળનારા એવા અપુનબંધક જીવોને. શા અવતરણિકા : પૂર્વે વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ બે પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યાં. હવે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવે છે, અને વિષયશુદ્ધ અનુષ્ઠાન કેવા ફળવાળું છે? તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક - तृतीयं शान्तवृत्त्यादस्तत्त्वसंवेदनानुगम् । दोषहानिस्तमोभूम्ना नाद्याज्जन्मोचितं परे ।।२३।। Page #104 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકઢાત્રિશિકા/બ્લોક-૨૩ मन्वयार्थ : शान्तवृत्त्या शांतवृत्ति आरए) तत्त्वसंवेदनानुगम् तत्पसंथी सानुगत अदा-मा=यमा, तृतीयंत्रीदु छ=अनुबंधशुद्ध मनुष्ठान छे. तमोभूम्ना= અંધકારની બહુલતા હોવાને કારણે સાદ્ય—આધથી=વિષયશુદ્ધ અનુષ્ઠાનથી दोषहानि:=पनी नि नथी, परे=ी उचितं जन्म-Gथत महे છે=બીજા આ અનુષ્ઠાનથી ઉચિત જન્મ કહે છે. રક્ષા दोडार्थ : શાંતવૃત્તિને કારણે તત્ત્વસંવેદનથી અનુગત આEયમાદિ ત્રીજું છેઃ અનુબંધ શુદ્ધ ત્રીજું અનુષ્ઠાન છે. અંધકારની બહુલતા હોવાને કારણે આધથી વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, દોષની હાનિ નથી, બીજા ઉચિત म हे छे. ||२३|| टीका : तृतीयमिति-शान्तवृत्त्या कषायादिविकारनिरोधरूपया, तत्त्वसंवेदनानुगं= जीवादितत्त्वसम्यक्परिज्ञानानुगतं , अदो=यमाद्येव, तृतीयम्=अनुबन्धशुद्धं कर्म । आद्याद्-विषयशुद्धानुष्ठानात्, तमोभूम्ना=आत्मघातादिनिबन्धनाज्ञानबाहुल्येन, दोषहानिा-मोक्षलाभबाधकपरिहाणिर्न भवति । यत आह - “आद्यान्न दोषविगमस्तमोबाहुल्ययोगतः” (यो. बि. श्लो. २१५) इति । परे पुनराचार्याः प्रचक्षते - उचितं दोषविगमानुकूलजात्यादिकुलादिगुणयुक्तं, जन्म ततो भवति, एकान्तनिरवद्ये मोक्षे स्वरूपतोऽतीव सावद्यस्य कर्मणस्तस्याहेतुत्वेऽपि मुक्तीच्छाया: कथञ्चित् सारूप्येण तद्धेतुत्वात्तद्वारतया प्रकृतोपयोगादिति ह्यमीषामाशयः । तदाह - “तद्योग्यजन्मसन्धानमत एके प्रचक्षते" । (योगबिन्दु श्लोक-२१५ उत्तरार्ध) मुक्ताविच्छापि यच्छ्लाघ्या तमः क्षयकरी मता । तस्याः समन्तभद्रत्वादनिदर्शनमित्यदः" ।। (योगबिन्दु श्लोक-२१६) इति ।।२३।। Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૩ ટીકાર્ય : શાન્તવૃા .... મિર” (યો. વુિં. સ્નો. ર૬) રુતિ | કષાયાદિતા વિકારના વિરોધરૂપ શાંતવૃત્તિથી, તત્વસંવેદન અનુગ જીવાદિ તત્ત્વના સમ્યફ પરિજ્ઞાતથી અજુગત, આ=યમાદિ જ, ત્રીજું છે=અનુબંધશુદ્ધ કર્મ છેઅનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. અંધકારની બહુલતા હોવાને કારણે= આત્મઘાતાદિનું કારણ એવા અજ્ઞાનનું બહુલપણું હોવાને કારણે, આદ્યથી= વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, દોષહાનિ=મોક્ષપ્રાપ્તિના બાધક એવા દોષોની હાનિ, થતી નથી. જે કારણથી કહે છે જે કારણથી યોગબિંદુ શ્લોક-૨૧પના પૂર્વાર્ધમાં કહે છે – “અંધકારના બહુલપણાનો યોગ હોવાને કારણે આઘથી=વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, દોષનો વિગમ નથી.” (યોગબિંદુ શ્લોક-૨૧૫) રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. વળી અન્ય આચાર્યો કહે છે તેનાથી વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, ઉચિત જન્મ=દોષવિગમને અનુકૂળ જાત્યાદિ, કુલાદિ ગુણયુક્ત જન્મ, થાય છે; કેમ કે એકાંત નિરવઘ એવો મોક્ષ હોતે છતે સ્વરૂપથી અતીવ સાવધકર્મનું તેનું મોક્ષનું, અહેતુપણું હોવા છતાં પણ મુક્તિની ઈચ્છાનું કથંચિત્ સારૂપ્ય હોવાના કારણે તેનું હેતુપણું હોવાથી=મોક્ષનું હેતુપણું હોવાથી, તેના દ્વારપણારૂપે=મુક્તિની ઇચ્છારૂપ હેતુના દ્વારપણારૂપે, પ્રકૃતિનો ઉપયોગ છે=ઉચિત જન્મનો મોક્ષમાં ઉપયોગ છે, અર્થાત્ મુક્તિની ઈચ્છા ઉચિત જન્મની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ છે, એ પ્રમાણે આમતોત્રપર આચાર્યનો, આશય છે. તેને કહે છેઃબીજાઓએ વિષયશુદ્ધ અનુષ્ઠાનને ઉચિત જન્મનું કારણ કહ્યું તેને, યોગબિંદુ શ્લોક-૨૧૫ના ઉત્તરાર્ધમાં અને ૨૧૬માં કહે છે – “અત: આનાથી–વિષયશુદ્ધ અનુષ્ઠાનથી, તેને યોગ્ય એવા જન્મનું સંધાન=દોષનાશને યોગ્ય એવા જન્મની પ્રાપ્તિ, એક=કોઈક આચાર્યો કહે છે.” (યોગબિંદુ શ્લોક-૨૧૫) જે કારણથી સ્લાધ્ય એવી મુક્તિની ઇચ્છા પણ અંધકારના ક્ષયને કરનારી મનાય છે, પરંતુ તેનું મુક્તિનું, સમતભદ્રપણું હોવાથી સમગ્રતાથી કલ્યાણરૂપપણું હોવાથી, Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અપુનબંધકાત્રિશિકા/બ્લોક-૨૩ ત પર્વ આ રીતે અતિસાવધ પ્રકૃતિ હોવાને કારણે આ=વિષયશુદ્ધ અનુષ્ઠાન, અનિદર્શન વર્તે છે=મુક્તિને અનુરૂપ વર્તે છે.” (યોગબિંદુ શ્લોક-૨૧૬) કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા “ષા’ અહીં ‘મ થી ઇન્દ્રિયોનું ગ્રહણ કરવું. નીવાદિતત્ત્વ' અહીં ‘વિ' થી અજીવાદિ બાકીનાં તત્ત્વોનું ગ્રહણ કરવું. ‘યમાળેવ' અહીં “મરિ’ થી નિયમનું ગ્રહણ કરવું. ‘માત્મઘાતરિ' અહીં ‘વ’ થી અન્ય સાવઘ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. જ ળસ્તહેતુત્વેડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે જો કર્મનું-અનુષ્ઠાનનું, મોક્ષનું હેતુપણું હોય તો મોક્ષની ઇચ્છાનું સારૂપ્ય છે, પરંતુ અનુષ્ઠાનનું મોક્ષનું અહેતુપણું હોવા છતાં પણ મોક્ષની ઇચ્છાનું કથંચિત્ સારૂપ્ય છે. નોંધ:- પૂર્વે ગ્રંથકારશ્રીએ અન્ય આચાર્યોનો મત બતાવ્યો અને કહ્યું કે વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અત્યંત સાવદ્ય છે, માટે મોક્ષને અનુરૂપ નથી. તેની સાક્ષીરૂપે યોગબિંદુ શ્લોક-૨૧૬નો ‘તી: સમન્તપદ્રવીનિવર્શનમઃ ' સુધીનો અંશ છે; અને પછી કહ્યું કે મોક્ષની ઇચ્છાને મોક્ષ સાથે કંઈક સારૂપ્ય છે માટે ઉચિત જન્મ દ્વારા મોક્ષનો હેતુ છે. તેની સાક્ષીરૂપે “તદ્યોવનન્મસન્ધાનમત પ્રવક્ષતે' યો.બિ. શ્લોક૨૧૫ નો ઉત્તરાર્ધ અને મુક્તવિચ્છપ અછૂત્નાર્થી ત: ક્ષયેરી મતા' યો.બિ. શ્લોક૨૧૬ નો પૂર્વાર્ધ સુધીનો અંશ છે. ભાવાર્થ : અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ - જે યોગીઓ સંસારના પારમાર્થિક સ્વરૂપને જાણીને ભવથી વિરક્ત થયા છે, અને જેઓને “ભવના ઉચ્છેદનો ઉપાય સર્વજ્ઞનું વચન છે' તેવો નિર્ણય કરાવે તેવી માર્ગાનુસારી બુદ્ધિ છે, તેવા માર્ગાનુસારી બુદ્ધિવાળા યોગીઓના, તત્ત્વને જાણવામાં અને તત્ત્વની પ્રવૃત્તિ કરવામાં બાધ કરે તેવા કષાયાદિ વિકારો શાંત થયા છે; અને આવા કષાયો શાંત થયેલા હોવાને કારણે તેઓ ભગવાનના વચનાનુસાર જીવાદિ તત્ત્વના સમ્યક પરિજ્ઞાનથી યુક્ત યમાદિ અનુષ્ઠાનનું સેવન કરે છે; જે અનુષ્ઠાનના સેવનથી મોક્ષની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા દોષોની હાનિ થાય છે, અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે, માટે આ અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૩ અહીં વિશેષ એ છે કે જે યોગીઓના કષાયો અને ઇન્દ્રિયોના વિકારો શાંત થયા છે, તેથી તત્ત્વને જાણવા માટે અને જાણીને જીવનમાં ઉતારવા માટે જેઓને બાધ કરે તેવા વિકારો નથી, તેઓ પોતાની શક્તિને અનુરૂપ ભગવાનના વચનના પરમાર્થને જાણીને, જે રીતે સર્વજ્ઞભગવંતે જીવને પોતાની ભૂમિકા પ્રમાણે ઉચિત અનુષ્ઠાનનું સેવન કરવાનું કહ્યું છે, તે પ્રકારે યથાર્થ નિર્ણય કરીને, સર્વજ્ઞના વચનાનુસાર તે અનુષ્ઠાન સેવે છે; તેથી તે અનુષ્ઠાન દ્વારા ઉત્તરોત્તર રાગાદિ દોષોની હાનિ થાય છે અને યોગી અસંગભાવ તરફ જાય છે, અને અસંગભાવ પ્રાપ્ત કરીને ક્રમે કરીને વીતરાગ સર્વજ્ઞ બને છે, તે અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. વિષયશુદ્ધ અનુષ્ઠાનનું ફળ – આ રીતે શ્લોકના પૂર્વાર્ધથી ત્રીજા અનુબંધશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યા પછી વિષયશુદ્ધ અનુષ્ઠાનથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં અત્યંત સાવદ્ય પ્રવૃત્તિ હોવાથી કર્મબંધને અનુકૂળ પ્રવૃત્તિ છે, પરંતુ કર્મનાશને અનુકૂળ પ્રવૃત્તિ નથી, તેથી વિષયશુદ્ધ અનુષ્ઠાનથી રાગાદિ દોષોની હાનિ થતી નથી, એ પ્રમાણે ગ્રંથકારશ્રીએ કહેલ છે; અને મોક્ષના અર્થે પણ કરાતું આ અનુષ્ઠાન આત્મઘાતાદિનિબંધન અજ્ઞાનબાહુલ્યવાળું હોવાને કારણે મોક્ષનું કારણ નથી, માટે આ અનુષ્ઠાનથી મોક્ષપ્રાપ્તિનું કારણ બને એવા કોઈ દોષોનો નાશ થતો નથી. આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ અનુષ્ઠાનના કૃત્યને સામે રાખીને તેને મોક્ષનું કારણ નથી એમ કહ્યા પછી કહે છે, તે અનુષ્ઠાનના કાળમાં વર્તતી મોક્ષની ઇચ્છાને સામે રાખીને બીજા આચાર્યો વિષયશુદ્ધ અનુષ્ઠાનથી ઉચિત જન્મ પ્રાપ્ત થાય છે, એમ કહે છે. બીજા આચાર્યોનો આશય એ છે કે આ અનુષ્ઠાનનું કૃત્ય દોષહાનિને અનુકૂળ નથી, તોપણ મોક્ષની ઇચ્છા વર્તે છે, તેથી દોષવિગમને અનુકૂળ જાતિ આદિ અને કુલાદિથી યુક્ત જન્મ પ્રાપ્ત થશે, તેથી વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ પરંપરાએ મોક્ષનું કારણ બનશે. Page #108 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૩ ૮૫ આ પ્રકારનું કથન કરવા પાછળ તેઓનો આશય એ છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં સ્વરૂપથી અત્યંત સાવધ પ્રવૃત્તિ હોય છે, તેથી તે પ્રવૃત્તિ મોક્ષનો હેતુ નથી, તોપણ તે અનુષ્ઠાનકાળમાં વર્તતી મોક્ષની ઇચ્છાને મોક્ષ સાથે કંઈક સારૂપ્ય છે, તેથી તે અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા મોક્ષનો હેતુ છે; અને તે મોક્ષની ઇચ્છા સાક્ષાત્ કષાયોના નાશનું કારણ નહીં હોવાથી મોક્ષનું કારણ બનતી નથી, છતાં જેમ દંડ ભૂમિ દ્વારા ઘટનું કારણ છે, તેમ તે અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા ઉચિત જન્મ દ્વારા મોક્ષનું કારણ છે. તેથી જેમ ભ્રમિનો દ્વારરૂપે ઘટનિષ્પત્તિમાં ઉપયોગ છે, તેમ ઉચિત જન્મનો દ્વારરૂપે મોક્ષમાં ઉપયોગ છે. અહીં વિશેષ એ છે કે પ્રથમ કહ્યું કે વિષયશુદ્ધ અનુષ્ઠાનથી દોષહાનિ થતી નથી, માટે આ અનુષ્ઠાન મોક્ષનું કારણ નથી; અને ત્યારપછી બીજા આચાર્યોના મત પ્રમાણે કહ્યું કે આ અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા ઉચિત જન્મ દ્વારા મોક્ષનું કારણ છે, તે કથન મતાંતરરૂપ નથી, પરંતુ નયભેદથી છે. તે આ રીતે – પ્રથમ મતમાં અનુષ્ઠાનને જોનારી નદૃષ્ટિ હતી, તેથી સાવદ્ય પ્રવૃત્તિરૂપ અનુષ્ઠાન હોવાને કારણે વિષયશુદ્ધ અનુષ્ઠાન મોક્ષનું કારણ નથી તેમ બતાવ્યું. બીજા મતમાં અનુષ્ઠાનને જોનારી નદૃષ્ટિ નથી, પરંતુ અનુષ્ઠાનકાળમાં વર્તતી મોક્ષની ઇચ્છાને જોનારી નદૃષ્ટિ છે; અને સામાન્યથી મોક્ષની ઇચ્છા ઉચિત પ્રવૃત્તિ કરાવીને મોક્ષનું કારણ થાય છે; આમ છતાં આદ્યભૂમિકાવાળા જીવોને મોક્ષની ઇચ્છા થયેલ હોવા છતાં મોક્ષના ઉપાયભૂત ઉચિત પ્રવૃત્તિવિષયક અત્યંત અજ્ઞાન વર્તે છે, તેથી મોક્ષના અર્થે ઉચિત પ્રવૃત્તિ કરતા નથી, તોપણ તેઓમાં વર્તતી મોક્ષની ઇચ્છાના બળથી ભવિષ્યમાં દોષનું વિગમન કરી શકે તેવા અનુકૂળ જાતિ આદિ અને કુલાદિ ગુણથી યુક્ત જન્મની પ્રાપ્તિ થાય છે. તેના દ્વારા તેઓની મોક્ષની ઇચ્છા મોક્ષનું કારણ બને છે. સામાન્ય રીતે કાર્યને અનુરૂપ કારણ હોય છે, સર્વથા કાર્યથી વિસદશ કારણ હોતું નથી, અને જે સર્વથા કાર્યથી વિસદશ હોય તે કારણ બનતું નથી. અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન મોક્ષરૂપ કાર્યની સાથે સર્વથા સદશ અનુષ્ઠાન છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે. સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સર્વથા મોક્ષરૂપ કાર્યને અનુરૂપ નથી, તોપણ કંઈક મોક્ષરૂપ કાર્યને અનુરૂપ છે; Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ કેમ કે સ્થૂલથી યાદિની આચરણા પણ મોક્ષને અનુકૂળ છે અને મોક્ષની ઇચ્છા પણ મોક્ષને અનુકૂળ છે, તેથી બીજા પ્રકારના સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં મોક્ષરૂપ કાર્યને અનુકૂળ કંઈક સારૂપ્ય છે; અને પ્રથમ પ્રકારના વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં ક્રિયા સર્વથા મોક્ષને અનુરૂપ નથી, તોપણ મોક્ષની ઇચ્છાને મોક્ષરૂપ કાર્ય સાથે કંઈક સારૂપ્ય છે; કેમ કે જે કોઈ જીવો મોક્ષમાં ગયા છે, તેઓને પ્રથમ મોક્ષની ઇચ્છા પ્રાપ્ત થઈ હતી અને તે મોક્ષની ઇચ્છા જ સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરાવીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામી હતી, આથી અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવી વિવેકવાળી ઇચ્છા વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં નહીં હોવા છતાં તેનું કારણ બને તેવી મોક્ષની ઇચ્છા આ અનુષ્ઠાનમાં છે, અને તે ઇચ્છા જ ક્રમસર ઉચિત જન્માદિની પ્રાપ્તિ દ્વારા મોક્ષના ઉપાયોમાં પ્રવૃત્તિ કરાવીને મોક્ષનું કારણ બને છે. ૨૩ અવતરણિકા - उक्ताशयमेवाह - અવતરણિતાર્થ - ઉક્ત આશયને જ કહે છે – ભાવાર્થ : શ્લોક-૨૩માં કહ્યું કે બીજાઓ વિષયશુદ્ધ અનુષ્ઠાનથી ઉચિત જન્મ કહે છે અને તેનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કર્યું. તે આશયને ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં કહે છે -- શ્લોક : मुक्तीच्छापि सतां श्लाघ्या न मुक्तिसदृशं त्वदः । द्वितीयात्सानुवृत्तिश्च सा स्याद्द१रचूर्णवत् ।।२४।। અન્વયાર્થ: મુવર્તી છાપ મુક્તિની ઇચ્છા પણ સત=સપુરુષોને ધ્યા=પ્રશંસનીય છે. તુ વળી =આ વિષયશુદ્ધ અનુષ્ઠાન, વિત્તશ =મુક્તિસદશ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૭ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૪ નથી અને દ્વિતીયા=બીજાથી=સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી, સાકતેત્રદોષની હાનિ વર્તુણૂવ=દેડકાના ચૂર્ણની જેમ સાનુવૃત્તિઃ ચા=સાનુવૃત્તિ થાય છે=ઉત્તરમાં દોષની અનુવૃત્તિવાળી થાય છે. રા. શ્લોકાર્ચ - મુક્તિની ઈચ્છા પણ સપુરુષોને પ્રશંસનીય છે. વળી આ વિષયશુદ્ધ અનુષ્ઠાન, મુક્તિસદશ નથી, અને બીજાથી સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી તેત્રદોષની હાનિ, દેડકાના ચૂર્ણની જેમ સાનુવૃત્તિ થાય છે= ઉત્તરમાં દોષની અનુવૃત્તિવાળી થાય છે. રા. મુવતી છાપ' અહીં ‘’ થી એ કહેવું છે કે મુક્તિની પ્રવૃત્તિ તો ગ્લાધ્ય છે, પરંતુ મુક્તિની ઇચ્છા પણ ગ્લાધ્ય છે. ટીકા - ___ मुक्तीच्छापीति-द्वितीयात् स्वरूपशुद्धानुष्ठात्, सानुवृत्तिश्च उत्तरत्राप्यनुवृत्तिमती च, सा=दोषहानिः स्यात्, दर्दुरचूर्णवत्-मण्डूकक्षोदवत्, निरनुवृत्तिदोषविगमे हि गुरुलाघवचिन्तादृढप्रवृत्त्यादिकं हेतुस्तदभावाच्चात्र सानुवृत्तिरेव दोषविगम इति भावः । तदुक्तं - “द्वितीयाद्दोषविगमो न त्वेकान्तानुबन्धवान् । ગુરુત્તાધવન્તવિ ન થાત્ર નિયોતિ:” II (વિનું સ્નો-૨૨૭) ૨૪ ટીકાર્ચ - દ્વિતીયાત્ ..... નિયતઃ” I અને બીજાથી=સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી, સા-તે-દોષની હાનિ, દદ્રચૂર્ણની જેમ=દેડકાના ચૂર્ણની જેમ, સાતુવૃત્તિ થાય અનુવૃત્તિવાળી થાય ઉત્તરમાં પણ દોષતી અનુવૃત્તિવાળી થાય, જે કારણથી નિરનુવૃત્તિ દોષના પિગમમાં ઉત્તરમાં દોષની અનુવૃત્તિ ન થાય એવા દોષના વિગમમાં, ગુરુલાઘવચિંતાથી દઢ પ્રવૃત્તિ આદિવાળું અનુષ્ઠાન હેતુ છે, અને તેના અભાવથી–ગુરુલાઘવચિંતાથી દઢ પ્રવૃત્તિ આદિ અનુષ્ઠાનના અભાવથી, અહીં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં, સાનુવૃત્તિ જ દોષનો વિગમ છે=દોષની અનુવૃત્તિ સહિત જ દોષનો વિષમ છે, એ પ્રકારનો ભાવ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૪ તે કહેવાયું છે=શ્લોકના ઉત્તરાર્ધમાં જે કહ્યું તે યોગબિંદુ શ્લોક-૨૧૭માં કહેવાયું છે – “બીજાથી સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી, દોષનું વિગમન એકાંત અનુબંધવાળું નથી, જે કારણથી ત્યાં=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં, નિયોગથી નિચ્ચે, ગુરુલાઘવચિતા આદિ નથી” (યો.બિ. ૨૧૭) રજા ગુરુતાન્તિાદૃઢપ્રવૃવં' અહીં ‘ગરિ થી દૃઢ નિવૃત્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં મુક્તિની ઇચ્છા વર્તે છે, તે મુક્તિની ઇચ્છા પણ ઉત્તમ પુરુષોને પ્રશંસનીય છે. આનાથી એ ફલિત થાય કે વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા ઉચિત જન્મની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે. જો વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષની ઇચ્છા મોક્ષનું કારણ ન હોય તો ઉત્તમ પુરુષો ક્યારેય શ્લાઘા કરે નહીં. તેથી અર્થથી એ ફલિત થાય કે વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ પરંપરાએ મોક્ષનું કારણ છે, આમ છતાં વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં કરાતી ક્રિયા સર્વથા મોક્ષસશ નથી; કેમ કે તે ક્રિયાથી લેશ પણ દોષહાનિ થતી નથી. માટે તે ક્રિયાની સપુરુષો ગ્લાઘા કરતા નથી, પરંતુ તે ક્રિયાકાળમાં વર્તતી માત્ર મોક્ષની ઇચ્છાની શ્લાઘા કરે છે. આટલો શ્લોકના પૂર્વાર્ધનો અર્થ ટીકામાં લીધેલ નથી. ત્યાર પછી શ્લોકના ઉત્તરાર્ધમાં, બીજા અનુષ્ઠાનમાં દોષની હાનિ થાય છે, તે કેવી છે ? તે બતાવેલ છે. તેનું સ્પષ્ટીકરણ ટીકામાં કરેલ છે, તે આ રીતે – બીજા સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં દોષની હાનિ થાય છે, જે દોષની હાનિ કંઈક મોક્ષને અનુકૂળ છે; તોપણ તે પૂર્ણ વિવેકવાળી પ્રવૃત્તિ નહીં હોવાથી તે દોષહાનિ ઉત્તરમાં દોષની અનુવૃત્તિવાળી છે. આશય એ છે કે જીવમાં રહેલો વિપર્યાસ દોષના પ્રવાહને ચલાવનાર છે, અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કરનારા જીવો યોગમાર્ગમાં આવેલા છે અને પ્રથમની ચાર દૃષ્ટિમાંથી કોઈ દૃષ્ટિમાં રહેલા છે, તેથી તેઓને મોક્ષની ઇચ્છા છે અને મોક્ષને અનુકૂળ કંઈક પ્રવૃત્તિ પણ છે; આમ છતાં તેમને મિથ્યાત્વનો ઉચ્છેદ Page #112 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪-૨૫ ૯૯ નહીં થયેલો હોવાથી કંઈક વિપર્યાસ પણ છે, અને તે વિપર્યાસને કારણે અનુષ્ઠાન સેવીને તેઓ જે દોષનું વિગમન કરે છે, તે દોષો ઉત્તરમાં ફરી પાછા પ્રગટ થાય છે; કેમ કે દોષની નિષ્પત્તિના બીજરૂપ વિપર્યાસ તેઓનો ગયેલ નથી. તેથી તે યોગની ક્રિયાથી જે દોષનો નાશ થાય છે, તે દેડકાના ચૂર્ણ જેવો છે. જેમ દેડકાનું ચૂર્ણ પડ્યું હોય ત્યારે દેડકાઓનો કલકલાટ સંભળાતો નથી, પરંતુ વરસાદના નિમિત્તને પામીને તે ચૂર્ણમાંથી ફરી દેડકાઓ ઉત્પન્ન થાય ત્યારે દેડકાઓનો કલકલાટ સંભળાય છે. તેમ બીજા પ્રકારનું અનુષ્ઠાન સેવનારા જીવો પણ જ્યારે યમ-નિયમાદિનું સેવન કરે છે ત્યારે તેમના દોષો શાંત થયેલા દેખાય છે, પરંતુ આ અનુષ્ઠાનના સેવનના બળથી જન્માંત૨માં જ્યારે ભોગસામગ્રી પ્રાપ્ત કરશે ત્યારે ફરી દોષોનો ઉદ્ભવ થશે; કેમ કે દોષની ઉત્પત્તિના બીજ એવા મિથ્યાત્વનો આ જીવોએ વિવેકથી નાશ કર્યો નથી, માટે બીજા પ્રકારનું અનુષ્ઠાન સેવનારા યોગીઓનું અનુષ્ઠાન દોષની અનુવૃત્તિવાળું છે, પરંતુ નિરનુવૃત્તિ દોષના વિગમવાળું નથી. અહીં પ્રશ્ન થાય કે નિરનુવૃત્તિ દોષનું વિગમન શેનાથી થાય ? તેથી કહે છે – ગુરુલાઘવની ચિંતાપૂર્વક ઉચિત પ્રવૃત્તિ આદિનો નિર્ણય કરીને દૃઢ યત્નથી ઉચિત પ્રવૃત્તિ આદિ કરવામાં આવે તો દોષોનો નાશ ફ૨ી અનુવૃત્તિ ન પામે તે પ્રકારનો થાય છે, પરંતુ બીજા પ્રકારના અનુષ્ઠાનવાળા યોગીઓમાં મિથ્યાત્વ વર્તે છે, તેથી શાસ્ત્રચક્ષુથી ગુરુલાઘવની ચિંતા કરી શકતા નથી, માટે તેઓના અનુષ્ઠાનથી દોષોનું વિગમન સાનુવૃત્તિ છે અર્થાત્ તેઓમાં અનુષ્ઠાનથી થયેલા દોષોનો નાશ ઉત્તરમાં અનુવૃત્તિ પામે તેવો છે. I॥૨૪॥ અવતરણિકા : શ્લોક-૨૪માં કહ્યું કે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી ઉત્તરમાં દોષની અનુવૃત્તિ છે, તેથી તે અનુષ્ઠાન કેવું છે ? તેનું વિશેષ સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે કહે છે - શ્લોક : कुराजवप्रप्रायं तन्निर्विवेकमदः स्मृतम् । तृतीयात्सानुबन्धा सा गुरुलाघवचिन्तया ।। २५ ।। Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અપુનબંધકદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫ અન્વયાર્થ: તત્–તે કારણથી=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં દોષનું વિગમન અનુવૃત્તિવાળું હોય છે તે કારણથી, રાખવપ્રાથં=કુરાજ્યના કિલ્લા જેવું =આ=બીજું અનુષ્ઠાન, નિવિવે નિર્વિવેકવાળું, સ્મૃતમ્ કહેવાયેલું છે. તૃતીયા=ત્રીજા અનુષ્ઠાનથી ગુરુતાયચિન્તયા=ગુરુલાઘવની ચિંતા હોવાને કારણે સા=તે=દોષની હાનિ સાનુવન્યા=અનુબંધવાળી છે. ।।૨૫।। શ્લોકાર્થ : તે કારણથી=બીજા પ્રકારના અનુષ્ઠાનમાં દોષનું વિગમન અનુવૃત્તિવાળું હોય છે, તે કારણથી, કુરાજ્યના કિલ્લા જેવું આ=બીજું અનુષ્ઠાન, નિર્વિવેકવાળું કહેવાયેલું છે. ત્રીજા અનુષ્ઠાનથી ગુરુલાઘવની ચિંતા હોવાને કારણે તે-દોષની હાનિ, અનુબંધવાળી છે. II૨૫ા ટીકા ઃ कुराजेति-तत्-तस्मात्सानुवृत्तिदोषविगमात्, अदो = द्वितीयमनुष्ठानं, निर्विवेकं= विवेकरहितं, कुराजवप्रप्रायं = कुत्सितराजाधिष्ठितनगरप्राकारतुल्यं, तत्र लुण्टाकोपद्रवस्येवात्राज्ञानदोषोपघातस्य दुर्निवारत्वादिति भावः । तृतीयाद् = अनुबन्धशुद्धानुष्ठानात्, सा=दोषहानि:, सानुबन्धा - उत्तरोत्तरदोषापगमावहा, अत एव दोषाननुવૃત્તિમતી । તવું – “તૃતીયાદોર્ષાવામ: સાનુવો નિયોત: ।” (યો.વિં. શ્લો-૨૨૧ પૂર્વાર્ધ) गुरुलाघवचिन्तयेति, उपलक्षणमेषा दृढप्रवृत्त्यादेः ।। २५ ।। ટીકાર્ય : तत्तस्मात् . કૃતપ્રવૃત્ત્વાવેઃ ।। તત્ર તસ્માત્ તે કારણથી=બીજા અનુષ્ઠાનમાં સાતુવૃત્તિ દોષનું વિગમન છે તે કારણથી, આ=બીજું અનુષ્ઠાન, નિર્વિવેક છે=વિવેકરહિત છે. તે અનુષ્ઠાન કેવું છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે - Page #114 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૫ ૯૧ કુરાજવપ્રપ્રાય છે-કુત્સિત રાજાથી અધિષ્ઠિત નગરના કિલ્લા જેવું છે. ત્યાં કુત્સિત રાજાથી અધિષ્ઠિત નગરમાં, લુંટારાના ઉપદ્રવની જેમ અહીં બીજા અનુષ્ઠાનમાં, અજ્ઞાત દોષના ઉપઘાતનું દુર્નિવારપણું છે=અજ્ઞાન દોષના કારણે જીવને અર્થની પ્રાપ્તિરૂપ ઉપઘાતનું દુર્તિવારપણું છે, એ પ્રકારનો ભાવ છે. ત્રીજાથી અલુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી, તેત્રદોષની હાનિ, સાનુબંધ છે ઉત્તરોત્તર દોષના અપગમને લાવનારી છે. આથી જ દોષની અનુવૃત્તિવાળી છે. તે કહેવાયું છે ત્રીજા અનુષ્ઠાનથી સાનુબંધ દોષની હાનિ છે તે યોગબિંદુ શ્લોક-૨૧૯તા પૂર્વાર્ધમાં કહેવાયું છે – “ત્રીજાથી=અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી, નક્કી સાનુબંધ દોષનો વિગમ છે.” (યો.બિ. શ્લોક-૨૧૯) વળી આ ત્રીજા અનુષ્ઠાનમાં દોષની હાનિ સાનુબંધ શેના કારણે થાય છે, તે બતાવે છે – ગુરુલાઘવ ચિંતાથી સાનુબંધ દોષહાનિ થાય છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. તિ શબ્દ શ્લોકની ટીકા સમાપ્ત થઈ તે બતાવે છે. ઘણા શ્લોકમાં ગુરુનાથવત્તિયા શબ્દ છે એમાં રહેલ “ગુરુતારવવન્તા' એ, દઢ પ્રવૃત્તિ આદિનું ઉપલક્ષણ છે. 1રપા ભાવાર્થ :બીજા અનુષ્ઠાન અને ત્રીજા અનુષ્ઠાનમાં દોષવિગમન - (i) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અપેક્ષાએ નિંદનીય :(ii) અનુબંધશુદ્ધ અનુષ્ઠાન એકાંતે પ્રશંસનીય : બીજા પ્રકારનું અનુષ્ઠાન પણ મુક્તિની ઇચ્છાવાળું અને મોક્ષને પ્રતિકૂળ એવા દોષોનું નાશ કરનારું છે, તેથી સ્વરૂપશુદ્ધ છે; આમ છતાં પૂર્ણ વિવેકથી યુક્ત નથી, અને વિવેકયુક્ત નથી' એ અંશને પ્રધાન કરીને તે અનુષ્ઠાન કેવું છે ? તે અહીં બતાવે છે – Page #115 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ આ બીજું અનુષ્ઠાન વિવેકરહિત છે. જેમ લૂંટારાઓથી નગરનું રક્ષણ કરવા માટે નગરને ફરતો કિલ્લો કરવામાં આવ્યો હોય, પરંતુ તે નગર કુત્સિત=ખરાબ, રાજાથી અધિષ્ઠિત હોય તો તે નગરમાં લૂંટારાઓનો ઉપદ્રવ સદા રહે છે; કેમ કે કુત્સિત રાજા હોવાથી રાજા સ્વયં લૂંટારો છે, અને રાજાના આશ્રિતો પણ લૂંટારા છે, તેથી અન્ય લૂંટારાઓથી રક્ષણ માટે તે કિલ્લો ઉપયોગી હોવા છતાં નગર લૂંટારાથી ભરેલું જ હોવાથી તે નગરમાં રક્ષણ મળતું નથી, તેમ બીજા પ્રકારનું અનુષ્ઠાન કરનાર જીવો મોક્ષના ઉદ્દેશથી લોકદષ્ટિ અનુસાર યમનિયમનું સેવન કરે છે ત્યારે હિંસાદિ આરંભોથી તેમનું રક્ષણ થાય છે, તોપણ અંતવૃત્તિમાં મિથ્યાત્વનો નાશ નહીં થયેલો હોવાથી વિપર્યાસ વર્તે છે, તેથી અજ્ઞાનદોષથી થતા ઉપઘાતનું નિવારણ થતું નથી. જેમ કિલ્લાથી સુરક્ષિત એવા નગરમાં અન્ય લૂંટારાઓના ઉપદ્રવથી રક્ષણ થાય છે, આમ છતાં નગર કુરાજાથી અધિષ્ઠિત હોવાને કારણે નગરમાં ઉપદ્રવ વર્તે છે; તેમ બીજા પ્રકારનું અનુષ્ઠાન સેવનારા યોગીઓનું હિંસાદિ પાપોથી રક્ષણ થાય છે, આમ છતાં તેમનામાં અજ્ઞાન વર્તે છે, તેથી તેમનામાં વર્તતા અજ્ઞાનના ઉપદ્રવથી તેઓ ઉપઘાત પામે છે, તેથી જેમ કુરાજાથી અધિષ્ઠિત હોવાને કારણે કિલ્લાથી સુરક્ષિત રાજ્ય પણ જેવું હિતનું કારણ થવું જોઈએ તેવું હિતનું કારણ થતું નથી, તેમ બીજા પ્રકારનું અનુષ્ઠાન સેવનારા યોગીઓનું અનુષ્ઠાન તેમનામાં વર્તતા અજ્ઞાનને કારણે તે અનુષ્ઠાન જેવું હિતનું કારણ થવું જોઈએ તેવું હિતનું કારણ થતું નથી. ૯૨ ત્રીજા પ્રકારના અનુષ્ઠાનથી દોષની હાનિ સાનુબંધ થાય છે, તેથી તે અનુષ્ઠાનના સેવનથી જે દોષો નાશ પામ્યા છે, તે દોષોની ફરી અનુવૃત્તિ થતી નથી, અને આ અનુષ્ઠાન ગુરુલાઘવચિંતાથી યુક્ત હોય છે અને દૃઢ પ્રવૃત્તિ અને નિવૃત્તિથી યુક્ત હોય છે. આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવો શાસ્ત્રચક્ષુવાળા હોય છે અને શાસ્ત્રવચનાનુસાર ગુરુલાઘવચિંતા કરીને જે અનુષ્ઠાનથી પોતાને મોટો લાભ દેખાય તે અનુષ્ઠાન સેવે છે. શાસ્ત્રવચનાનુસાર યથાર્થ બોધ કરીને જે અનુષ્ઠાન સેવવાની પોતાની શક્તિ છે, તેમાં દૃઢ પ્રવૃત્તિ કરે છે, અને જે પાપોથી પોતે નિવૃત્ત થઈ શકે તેવી શક્તિ છે, તે પાપોથી દૃઢ પ્રયત્નપૂર્વક નિવૃત્ત થાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨પ-૨૬ તેથી તેઓના વડે સેવાયેલું અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષની હાનિ દ્વારા વીતરાગતાનું કારણ છે, અને અનુષ્ઠાનના સેવનથી તેઓ જે દોષોનો નાશ કરે છે તે દોષો ઉત્તરમાં ફરી અનુવૃત્તિરૂપે આવતા નથી, તેથી ત્રીજું અનુષ્ઠાન એકાંતે કલ્યાણનું કારણ છે. ||રપા. અવતરણિકા : શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવ ત્રણ પ્રકારની શુદ્ધિવાળા અનુષ્ઠાનથી પ્રવૃત્તિ કરે છે, માટે તેમને ભાવથી યોગ છે, તેથી એ પ્રાપ્ત થયું કે સમ્યગ્દષ્ટિ જીવો વિષયશુદ્ધાદિ ત્રણે અનુષ્ઠાન કરતા નથી, પરંતુ ત્રીજા પ્રકારનું અનુષ્ઠાન કરે છે, જેમાં ત્રણ પ્રકારની શુદ્ધિ રહેલી છે; અને ત્રીજા પ્રકારનું અનુષ્ઠાન કેવું છે ? તે શ્લોક-૨પના ઉત્તરાર્ધમાં બતાવ્યું. હવે તે ત્રીજા પ્રકારના અનુષ્ઠાનની સુંદરતા બતાવનાર અચદર્શનવાદીઓનાં વચનો શું છે ? અને તે પોતાને કેમ સંમત છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : गृहाद्यभूमिकाकल्पमतस्तत् कैश्चिदुच्यते । उदग्रफलदत्वेन मतमस्माकमप्यदः ।।२६।। અન્વયાર્થ : ગત: આથી=સાનુબંધ દોષની હાનિ હોવાને કારણે ત—તેeત્રીજું અનુષ્ઠાન, ગૃભૂમિવાવ૫ત્રુઘરની આવભૂમિકા-પાયા, જેવું વૈશ્વિત્ર કેટલાક વડે ઉચ્ચતે કહેવાય છે. પ્રવિત્વેન=ઉદગ્ર ફળ આપવાપણું હોવાને કારણે સ્મામપિ=અમને પણ આઅવ્યદર્શનવાદીઓનું વચન મત= સંમત છે. ૨૬ શ્લોકાર્ચ - આથી સાનુબંધ દોષની હાનિ કરનાર હોવાથી તેeત્રીજું અનુષ્ઠાન, ઘરની આધભૂમિકા પાયા, જેવું કેટલાક વડે કહેવાય છે. ઉદગ્ર ફળ આપવાપણું હોવાને કારણે અમને પણ આ અન્યદર્શનવાદીઓનું વચન, સંમત છે. સારા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અપુનર્ભધકદ્વાચિંશિકા/શ્લોક-૨૬ ક ૧૩ સ્મામપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અન્યદર્શનવાળા તો કહે છે, પરંતુ અમને પણ સંમત છે. ટીકા - गृहेति-अत: सानुबन्धदोषहानिकरत्वात्, तत्-तृतीयमनुष्ठानं, कैश्चित्तीर्थान्तरीयैः गृहस्याद्यभूमिका दृढपीठबन्धरूपा, तत्कल्पं तत्तुल्यं (उच्यते), उदग्रफलदत्वेन उदारफलदायित्वेन तस्य, अद-एतदुक्तम्, अस्माकमपि मतं । यथा हि गृहाद्यभूमिकाप्रारम्भदायँ नोपरितनगृहभङ्गफलं सम्पद्यते, किं तु तदनुबन्धप्रधानं, एवं तत्त्वसंवेदना-नुगतमनुष्ठानमुत्तरोत्तरदोषविगमावहमेव भवति, न तु कदाचनाप्यन्यथारूपमिति ।।२६।। ટીકાર્ય : ગત: ... અન્યથારૂતિ | આથી=સાનુબંધ દોષનું હાનિકરપણું હોવાથી, તેeત્રીજું અનુષ્ઠાન, કેટલાક તીર્થોત્તરીયો વડે ગૃહની દઢ પીઠબંધરૂ૫ આદ્ય ભૂમિકા જેવું મજબૂત પાયા જેવું, કહેવાયું છે. તેનું ત્રીજા અનુષ્ઠાનનું, ઉદાર ફળદાયીપણું હોવાને કારણે આ અવ્યતીથિંકો વડે કહેવાયેલું, અમને પણ સંમત છે. જે પ્રમાણે જગૃહની આવભૂમિકાના પ્રારંભની દઢતા પાયાની દઢતા, ઉપરના ઘરના ભંગના=લાશના, ફળવાળી થતી નથી, પરંતુ તેને અનુબંધપ્રધાન થાય છે=ઘરના ઉપરના ભાગને દીર્ધકાળ ટકાવવાનું કારણ બને છે, એ રીતે જેમ ઘરનો પાયો મજબૂત હોય તો ઘરનો ભંગ થતો નથી, પરંતુ ઘર દીર્ઘકાળ ટકે છે એ રીતે, તત્ત્વસંવેદનથી અનુગત અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષનિગમ લાવનારું જ થાય છે, પરંતુ ક્યારેય અન્યથારૂપ નથી. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૨૬ ભાવાર્થ :અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન ઘરની આધભૂમિકામજબૂત પાયા, તુલ્ય : શ્લોક-૧૯માં કહ્યું કે સમ્યગ્દષ્ટિ આત્મા સર્વ પ્રવૃત્તિ શાસ્ત્રસંજ્ઞાથી કરે છે, માટે ત્રણ પ્રકારની શુદ્ધિવાળા અનુષ્ઠાનથી તેની પ્રવૃત્તિ હોય છે. આ ત્રણે પ્રકારની શુદ્ધિવાળું અનુષ્ઠાન ત્રીજું અનુષ્ઠાન છે અને તેમાં સાનુબંધ દોષની Page #118 -------------------------------------------------------------------------- ________________ • ૫ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૬ હાનિ થાય છે, તેથી અન્યદર્શનવાળા તેને ઘરની દઢ પીઠબંધરૂપ આઘભૂમિકા તુલ્ય કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ ઘરનો પાયો મજબૂત હોય તો ઘર દીર્ઘકાળ સુધી સુરક્ષિત રહે છે, તેમ આ ત્રીજા પ્રકારનું અનુષ્ઠાન યોગમાર્ગના દૃઢ પાયાને કરનારું છે. જેમ ઘરના દૃઢ પાયા ઉપર કરાયેલું ચણતર સુરક્ષિત રહે છે, તેમ ત્રીજું અનુષ્ઠાન સેવનારા યોગીઓ જેમ જેમ ઉપરની ભૂમિકામાં જાય છે, તેમ તેમ તે સર્વ ઉપરની ભૂમિકાઓ સુરક્ષિત રહે છે. જો પાયો મજબૂત ન હોય અને ઉપર ચણતર કરવામાં આવે તો ઉપરનું ઘર સુરક્ષિત રહેતું નથી, તેમ જ જીવો યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા પછી ગુરુલાઘવનું આલોચન કર્યા વગર પોતાની શક્તિથી ઉચિત અનુષ્ઠાનને સેવવાનું છોડીને ઉપરના અનુષ્ઠાનને સેવવા માટે યત્ન કરે, તો ઉપર ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનને ‘હું એવું છું” એવો સંતોષ માને, પરંતુ પાયો શિથિલ હોવાને કારણે તે ભૂમિકાઓ સ્થિર હોતી નથી; જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ તો પોતે જે ભૂમિકામાં છે તેનું સમ્યક્ સમાલોચન કરીને જે ઉત્તરની ભૂમિકા પોતાના પ્રયત્નથી સાધ્ય છે, તેનું શાસ્ત્રચક્ષુથી સમાલોચન કરીને ઉત્તરની ભૂમિકામાં તે રીતે દૃઢ યત્ન કરે છે કે જેનાથી તે દોષોનો એવો નાશ થાય કે જેથી ઉત્તરોત્તરમાં તે દોષોની અનુવૃત્તિ ન થાય. તેથી ઉત્તરના અનુષ્ઠાનકાળમાં પૂર્વના દોષોની અનુવૃત્તિ નહીં હોવાથી તે દોષોનો નાશ કમસર વૃદ્ધિ પામીને અસંગભાવની પ્રાપ્તિનું કારણ બને છે. આનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રવચનથી નિર્ણય કરીને પોતાની ભૂમિકાને અનુરૂપ ધર્માનુષ્ઠાન સેવે છે અને તે ધર્માનુષ્ઠાનમાં તત્ત્વનું સંવેદન થાય તે રીતે સેવન કરે છે, તેથી તત્ત્વસંવેદનથી અનુગત એવું તે અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષના વિગમનને લાવનારું છે, પરંતુ ક્યારેય પૂર્વના દોષોની અનુવૃત્તિ ઉત્તરના અનુષ્ઠાનમાં આવતી નથી. અહીં વિશેષ એ છે કે ત્રણ પ્રકારના જ્ઞાનમાં તત્ત્વસંવેદન નામનું જ્ઞાન મુનિને હોય છે, તેમ સાધુ સામર્થ્યદ્વાત્રિશિકામાં જે કહેલ છે, તે તત્ત્વસંવેદન નામનું જ્ઞાન અહીં લીધું નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ જીવ પોતાની શક્તિનું સમાલોચન કરીને જે ધર્માનુષ્ઠાન પોતાના પ્રયત્નથી સાધ્ય હોય તે ધર્માનુષ્ઠાનને શાસ્ત્રવચનાનુસાર સેવે છે, ત્યારે અનુષ્ઠાનના સેવનકાળમાં તે અનુષ્ઠાનના પારમાર્થિક ભાવોનું સંવેદન કરે છે, અને તે અનુષ્ઠાનના પારમાર્થિક ભાવોનું સંવેદન થવાને કારણે તે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૬ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ અનુષ્ઠાનના સેવનથી ઉત્તરના યોગની ભૂમિકાની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોનું તે રીતે વિગમન થાય છે કે જેથી ફરી દોષની અનુવૃત્તિ થાય નહીં. સમ્યગ્દષ્ટિ જીવ તે રીતે તે અનુષ્ઠાન સેવીને સંપન્ન થાય ત્યારે ઉત્તરના અનુષ્ઠાનને સેવે છે, તેથી ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનની પ્રાપ્તિ દ્વારા સમ્યગ્દષ્ટિને યોગની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી સમ્યગ્દષ્ટિના ધર્માનુષ્ઠાનનું સેવન ધર્માનુષ્ઠાનમાં વર્તતા પારમાર્થિક ભાવોનું સંવેદન કરાવનાર હોવાથી તેનું ધર્માનુષ્ઠાનનું સેવન તત્ત્વસંવેદનરૂપ છે, પરંતુ તે વિરતિયુક્ત નથી; જ્યારે ત્રણ પ્રકારના જ્ઞાનમાં વિરતિથી યુક્ત એવા જ્ઞાનના સંવેદનને તત્ત્વસંવેદનરૂપે ગ્રહણ કરેલ છે, તેથી તત્ત્વસંવેદનનો અર્થ સ્થાન પ્રમાણે યથાયોગ્ય કરવો ઉચિત છે. રા. અવતરણિકા : શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રસંજ્ઞાવાળા હોય છે, તેથી ત્રણે પ્રકારની શુદ્ધિવાળું અનુષ્ઠાન કરે છે, અને સમ્યફ પ્રત્યય દ્વારા સ્વકૃતિસાધ્યતાદિનો અભ્રાંત નિર્ણય કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે. આ કથનમાં સમ્યગ્દષ્ટિ શાસ્ત્રસંજ્ઞાવાળા કેમ છે? તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૨૦માં કર્યું અને સમ્યગ્દષ્ટિ જીવ ત્રણે શુદ્ધિવાળું અનુષ્ઠાન કેવું કરે છે ? તે બતાવવા અર્થે શ્લોક-૨૧ થી ૨૬ સુધી ત્રણ પ્રકારની શુદ્ધિવાળાં અનુષ્ઠાનોનું પારમાર્થિક સ્વરૂપ બતાવ્યું. હવે સમ્યગ્દષ્ટિ જીવ જે અનુષ્ઠાન સેવે છે, તે સમ્યફ પ્રત્યય દ્વારા સ્વકૃતિસાધ્યત્વાદિનો યથાર્થ નિર્ણય કરીને સેવે છે, માટે તેમનું અનુષ્ઠાન યોગ બને છે, તે બતાવવા માટે સમ્યફ પ્રત્યયપૂર્વકની વૃત્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : आत्मनेष्टं गुरुर्ब्रत लिङ्गान्यपि वदन्ति तत् । त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः सम्पूर्णं सिद्धिसाधनम् ।।२७।। અન્વયાર્થ :માત્મનેખું-પોતાના વડે ઈષ્ટ છે, ગુર્જંતે ગુરુ કહે છે, નિપિ =લિંગો પણ ત—તે અનુષ્ઠાનને વનિ કહે છે. ત્રિઘાત્રણ પ્રકારવાળો હેં આ WWW.jainelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૭ પ્રત્યય =વિશ્વાસ સંપૂf=અવ્યભિચારી સિદ્ધિસાગનષ્ણસિદ્ધિનું સાધન પ્રોવત્તા કહેવાયેલો છે. પુરા શ્લોકાર્ચ - સદનુષ્ઠાન પોતાના વડે ઈષ્ટ છે, ગુરુ કહે છે, લિંગો પણ તે અનુષ્ઠાનને કહે છે. ત્રણ પ્રકારવાળો આ વિશ્વાસ અવ્યભિચારી સિદ્ધિનું સાધન કહેવાયેલો છે. ર૭ી. નિપિ ' અહીં ‘' થી એ કહેવું છે કે ગુરુ તો કહે છે, પરંતુ લિંગો પણ કહે છે. ટીકા - आत्मनेति-आत्मनेष्टं सदनुष्ठानं, गुरु: धर्मोपदेष्टा, ब्रूते कर्तव्यत्वेन, लिङ्गान्यपि सिद्धिसूचकानि नन्दीतूरादीनि सूत्रसिद्धानि, तत् गुरूक्तमेव वदन्ति, अयं त्रिधा त्रिप्रकारः प्रत्ययो विश्वासः, प्रोक्तः, सम्पूर्णम् अव्यभिचारि, सिद्धिसाधनम् इष्टकारणं । यत उक्तं - "आत्मा तदभिलाषी स्याद् गुरुराह तदेव तु । तल्लिङ्गोपनिपातश्च सम्पूर्ण सिद्धिसाधनम्" ।। (योगबिन्दु श्लोक-२३२) ।।२७।। ટીકાર્ચ - માત્મનેરું ... સાથનપોતાના વડે ઈષ્ટ એવું સદનુષ્ઠાન છે, ગુરુ ધર્મોપદેશને આપનારા, કર્તવ્યપણારૂપે કહે છે, લિંગો પણ=સૂત્રમાં સિદ્ધ, સિદ્ધિનાં સૂચક, નંદી-તૂર આદિ લિંગો પણ, ગુરુએ કહેલ જ તેને અનુષ્ઠાનને, કહે છે આ ત્રિધા=આ ત્રણ પ્રકારવાળો, પ્રત્યયઃવિશ્વાસ, સંપૂર્ણ= અવ્યભિચારી, સિદ્ધિનું સાધન ઈષ્ટ એવા ગુણસ્થાનકની નિષ્પત્તિનું કારણ, કહેવાયો છે. જે કારણથી કહેવાયું છે=જે કારણથી ‘યોગબિંદુ શ્લોક-૨૩૨માં કહેવાયું છે – “આત્મા તેનો અભિલાષી થાય તે અનુષ્ઠાન સેવવાના અભિલાષવાળો થાય, વળી ગુરુ તેને જ કહે છેeતે અનુષ્ઠાનને જ સેવવાનું કહે છે, અને તેના લિંગનો ઉપનિપાત= Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અપુનબંધકદ્વાર્જિશિકા/શ્લોક-૨૭ સિદ્ધિના સૂચક એવા લિગની પ્રાપ્તિ, સંપૂર્ણ-અવ્યભિચારી, સિદ્ધિનું સાધન છે=ઈષ્ટ એવા ગુણસ્થાનકની નિષ્પત્તિનું કારણ છે.” (યોગબિંદુ શ્લોક-૨૩૨) પરા ભાવાર્થ :સંપૂર્ણ સિદ્ધિના ઉપાયભૂત ત્રણ પ્રત્યયોનું સ્વરૂપ : ગુણસ્થાનકની વૃદ્ધિના ક્રમથી જીવ અસંગભાવવાળો થાય છે અને વીતરાગ સર્વજ્ઞ બને છે, એ પ્રમાણે જે યોગીઓ જાણે છે, તેવા યોગીઓ પોતે કઈ ભૂમિકામાં છે ? અને તેના ઉત્તરની ભૂમિકા પોતે સાધી શકે તેમ છે કે નહીં ? તેનો નિર્ણય સ્વપ્રજ્ઞાથી પ્રામાણિકપણે કરે છે. અને આવા યોગીઓન (૧) આત્મપ્રત્યયથી : ‘આ અનુષ્ઠાન હું શાસ્ત્રવિધિ અનુસાર સેવી શકીશ' એ પ્રકારનો વિશ્વાસ પ્રગટે છે, ત્યારે તે યોગીઓને તે સદનુષ્ઠાન સ્વકૃતિસાધ્યતાદિરૂપે ઇષ્ટ બને છે, (૨) ગુરુપ્રત્યયથી : ગુરુ પણ તેને તે સદનુષ્ઠાન કર્તવ્યરૂપે કહે છે અને (૩) લિંગપ્રત્યયથી : ગુરુના વચનથી ઉત્સાહિત થઈને આવા યોગીઓ તે અનુષ્ઠાન સ્વીકારવા માટે તત્પર થાય ત્યારે શાસ્ત્રમાં સિદ્ધ એવાં સિદ્ધિસૂચક નંદી-તૂરાદિ લિંગો પણ તેમને સહજ પ્રાપ્ત થાય છે. આ ત્રણના બળથી તે યોગીને સ્થિર વિશ્વાસ પ્રગટે છે કે “આ અનુષ્ઠાન સેવીને હું ઇષ્ટ એવા ઉત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકીશ', અને આ વિશ્વાસ તે ગુણસ્થાનકની નિષ્પત્તિમાં અવ્યભિચારી કારણ છે. તે પ્રમાણે (૧) સમ્યગ્દષ્ટિ જીવ પોતે જે ભૂમિકામાં છે તે ભૂમિકાનો નિર્ણય કરીને કર્યું અનુષ્ઠાન મારા કૃત્યથી સાધ્ય છે' તેનો ઊહ કરે છે, અને પોતાને તે અનુષ્ઠાન સ્વકૃતિસાધ્યતાદિરૂપે ઇષ્ટ દેખાય ત્યારે (૨) પોતાને ધર્મોપદેશ આપનારા ગુરુને હવે મારે શું કરવું ઉચિત છે ?' એવી પૃચ્છા કરે, અને તેના ધર્મોપદેશક ગુરુ, જીવની પ્રકૃતિને, તેના સંયોગોને અને તેની શારીરિકાદિ સ્થિતિને સારી રીતે જાણતા હોય છે, તેથી તેનો વિચાર કરીને તેના માટે કર્યું અનુષ્ઠાન કર્તવ્ય છે, તે શાસ્ત્રમતિથી આલોચન કરીને તેને સેવવાનું કહે છે. આવા સમ્યગ્દષ્ટિ જીવને સ્વકૃતિસાધ્યત્વાદિથી પોતાને જે સેવવા યોગ્ય લાગતું હતું, તે અનુષ્ઠાનને જો ગુરુ બતાવે તો તેને સ્થિર વિશ્વાસ થાય છે કે “આ અનુષ્ઠાન સેવીને હું અવશ્ય ઉત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરીશ.” તે અનુષ્ઠાન Page #122 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૭ માટે તેની યોગ્યતા ન જણાય તો ગુરુ તે અનુષ્ઠાન સ્વીકારવાની ના પાડે તો વિવેકી એવો તે કાળક્ષેપ કરે. (૩) આવા જીવો ઉત્સાહિત થઈને ગુરુને પૂછીને ગુણસ્થાનક સ્વીકારવાને અભિમુખ પરિણામવાળા થાય ત્યારે કુદરતી રીતે તેમના પુણ્યના ઉદયથી નંદી-તૂરાદિ સાંભળવા મળે છે, જેથી તેમને વિશ્વાસ થાય છે કે “આ નંદી-તૂરાદિ લિંગો પણ મારા સાધ્યની સિદ્ધિનાં સૂચક છે.' માટે ઉત્સાહિત થઈને અપ્રમાદભાવથી ગુણસ્થાનક સ્વીકારે છે. વળી માર્ગાનુસારી બોધ અને ઉચિત પ્રવૃત્તિપૂર્વક આવા યોગીઓ જે ગુણસ્થાનક સ્વીકારે તે ગુણસ્થાનક તત્કાળ પરિણમન પામે છે, અને સ્વીકારાયેલું ગુણસ્થાનક પુનઃ પુનઃ સેવીને સુઅભ્યસ્ત થાય ત્યારે આવા યોગીઓ ઉત્તરની ભૂમિકાના અનુષ્ઠાનને સેવવાના અભિલાષવાળા બને છે; અને તે અનુષ્ઠાન પણ ગુરુ આદિ ત્રણ પ્રત્યયપૂર્વક સ્વીકારે છે, જેથી ક્રમે કરીને ઉત્તર ઉત્તરની ભૂમિકાને પામીને અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ કરે છે, યાવત્ વીતરાગ સર્વજ્ઞ બને છે. સામાન્ય રીતે જીવો ધર્મવૃત્તિવાળા બને અને સંસારનું સ્વરૂપ જાણે ત્યારે આત્મકલ્યાણ માટે સર્વવિરતિ ગ્રહણ કરવી જોઈએ તેવી બુદ્ધિવાળા બને છે; પરંતુ પોતાની ભૂમિકા પ્રમાણે કર્યું અનુષ્ઠાન ઉચિત છે અને “મારી કૃતિથી સાધ્ય આ અનુષ્ઠાન છે કે નહીં ?' તેનો વિચાર કરતા નથી. તેવા જીવોને હું સર્વવિરતિ સેવી શકીશ' તેવો વિશ્વાસ પણ થાય, અને ગુરુ પણ મુગ્ધ હોય તો છકાયના પાપમાંથી બચવા માટે સર્વવિરતિ તારે ગ્રહણ કરવી જોઈએ' તેમ ઉપદેશ આપે, અને વ્રત ગ્રહણ કરતી વખતે ઉચિત વાજિંત્રો વગાડીને આવા જીવો વ્રત પણ ગ્રહણ કરે; આમ છતાં વ્રત સ્વીકાર્યા પછી આવા જીવોને ઘણી વાર ઉત્સાહનો ભંગ અને સ્વીકારાયેલા ગુણસ્થાનકની ભાવથી અપ્રાપ્તિ પણ થાય, અને પૂર્વમાં સેવાતા અનુષ્ઠાનનો ત્યાગ થતો હોવાથી તે ભૂમિકાનો પણ નાશ થાય છે, તેથી વિચાર્યા વિના માત્ર પોતાને સર્વવિરતિ ગ્રહણ કરવાનો અભિલાષ થાય, મુગ્ધ ગુરુ તેને ગ્રહણ કરવાનું કહે અને સંયોગથી ઊભાં કરાયેલાં સિદ્ધિસૂચક લિંગો પણ પ્રાપ્ત થાય, તોપણ સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ સમ્યગ્દષ્ટિ જીવો આમ કરતા નથી, તેઓ શાસ્ત્રસજ્ઞાવાળા હોય છે અને શાસ્ત્રમતિ પ્રમાણે સ્વશક્તિ આદિનું સમાલોચન કરીને સદનુષ્ઠાન સ્વીકારે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવોને સર્વવિરતિ પ્રત્યે બળવાન ઇચ્છા હોવા છતાં પોતાનું સર્વવિરતિ સ્વીકારવાનું સામર્થ્ય ન દેખાય તો દેશવિરતિ પણ સ્વીકારે, દેશવિરતિ સ્વીકારવાનું પણ સામર્થ્ય ન દેખાય તો અવિરતિકાળમાં પોતાની શક્તિ પ્રમાણે જે શક્ય હોય તેવા ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનને પણ દૃઢ યત્નપૂર્વક સેવે, અને તેના દ્વારા ઉત્તરના ગુણસ્થાનકની શક્તિનો સંચય કરે છે. કદાચ ઉત્તરના ગુણસ્થાનકનાં પ્રતિબંધક કર્મો નિકાચિત હોય તો આ ભવમાં ઉત્તરનું ગુણસ્થાનક ન પણ સ્વીકારે, તોપણ તેઓની સ્વભૂમિકા અનુસાર કરાતી ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ ઉત્તરના ધર્માનુષ્ઠાનનાં પ્રતિબંધક કર્મોના નાશ દ્વારા ઉત્તરના ધર્માનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ બનશે, અને વિવેકપૂર્વકની તેઓની ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ હોવાથી અવંધ્ય મોક્ષનું બીજ બને છે. ll૨૭ અવતરણિકા - શ્લોક-૧૯ અને શ્લોક-૨૭થી બતાવ્યું કે સમ્યગ્દષ્ટિ જીવો પોતાની ભૂમિકાનું પર્યાલોચન કરીને ત્રણ પ્રકારના પ્રત્યયથી ઉત્તરની ભૂમિકા સ્વીકારે છે, તેથી શ્લોક-૧૯માં બતાવ્યું તે પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવોને ભાવથી યોગ છે. હવે જેઓ ત્રણ પ્રકારના પ્રત્યય વગર ગુણસ્થાનકને સ્વીકારે છે, તેઓનું સ્વીકારાયેલ ગુણસ્થાનક ગુણવૃદ્ધિનું કારણ નથી, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : सिद्धिः सिद्धयनुबद्धैव न पातमनुबध्नती । हाठिकानामपि ह्येषा नात्मादिप्रत्ययं विना ।।२८।। અન્વયાર્ચ - સિદ્ધયનુવવ=સિદ્ધિના અનુબંધવાળી જ સિદ્ધિ સિદ્ધિ છે, પાત—પાતના ૩નુવનતી ન–અનુબંધવાળી નહીં. માત્માદ્દિપ્રયં વિના આત્માદિ પ્રત્યય વિના =આ સિદ્ધિ, વિવાનામપિ હાઠિકોને પણ=પ્રયત્નથી અસાધ્ય શું છે ? તેવી મતિવાળા અને દુષ્કર અનુષ્ઠાન ગ્રહણ કરવા માટે તત્પર થયેલા એવા હાઠિકોને પણ ન=નથી હિજ ૨૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૨૮ શ્લોકાર્થ : સિદ્ધિના અનુબંધવાળી જ સિદ્ધિ છે, પાતના અનુબંધવાળી નહીં. હાઠિકોને પણ આત્માદિપ્રત્યય વિના આ=સિદ્ધિ, નથી જ. ।।૨૮। * ‘ર્ડાડાનાપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે અવિચારક જીવોની પ્રવૃત્તિથી તો કાર્યની સિદ્ધિ નથી, પરંતુ હાઠિકોને પ્રવૃત્તિથી પણ કાર્યની સિદ્ધિ નથી. ૧૦૧ ટીકા : सिद्धिरिति - सिद्ध्यनुबद्धैव-उत्तरसिद्ध्यवन्ध्यबीजमेव, सिद्धिर्भवति तात्त्विकी, न पुनः पातं = भ्रंशं, अनुबघ्नती= प्राक्कालव्याप्त्यावष्टंभन्ती; शल्योपहतप्रासादादिरचनाया इवान्यस्या मिथ्याभिनिवेशादिपातशक्त्यनुवेधेनासिद्धित्वात् । तदुक्तं - "सिद्ध्यन्तरं न सन्धत्ते या सावश्यं पतत्यतः । તઘ્નવસ્ત્યાવ્યનુવિદ્ધવ પાતોડસો તત્ત્વતો મત” ।। (યોવિંદુ-૨૨૪) કૃત્તિ ।। इत्थं च सिद्ध्यन्तरङ्गसंयोगादात्मादिप्रत्ययवतामेव सिद्धिः सिद्धा भवति । हाठिकानामपि बलात्कारचारिणामपि एषा हि सिद्धि:, आत्मादिप्रत्ययं विना न भवति, न हि मृत्पिण्डाद्युपायान्तरकार्यं घटादि बलात्कारसहस्रेणाप्युपायान्तरतः साधयितुं शक्यत इति ।। २८ ।। ટીકાર્ય : सिद्ध्यनुबद्धेव ગવત કૃતિ ।। સિદ્ધિની સાથે અનુબદ્ધ જ=ઉત્તરસિદ્ધિનું અવંઘ્ય બીજ એવી જ, સિદ્ધિ તાત્ત્વિકી થાય છે, પરંતુ પાતના=ભ્રંશના, અનુબંધવાળી નહીં=પ્રાટ્કાલ વ્યાપ્તિથી અવખંભવાળી નહીં=ભ્રંશની સાથે પ્રાકાલ વ્યાપ્તિથી જોડાયેલી સિદ્ધિ તાત્ત્વિકી સિદ્ધિ નથી; કેમ કે શલ્યથી ઉપહત=હણાયેલા, પ્રાસાદાદિની રચનાની જેમ, અન્યનું=અનુબંધ વિનાની સિદ્ધિનું, મિથ્યાભિનિવેશાદિ પાતશક્તિના અનુવેધને કારણે અસિદ્ધિપણું છે. ..... તે કહેવાયું છે=પાતના અનુબંધવાળી સિદ્ધિ તે તાત્ત્વિકી સિદ્ધિ નથી, તે ‘યોગબિંદુ શ્લોક-૨૩૪'માં કહેવાયું છે. “જે અન્ય=ઉત્તરની સિદ્ધિનું સંધાન ન કરે તે અવશ્ય પડે છે, આથી=અવશ્ય પાત હોવાથી, તત્સક્તિથી પણ=પાતશક્તિથી પણ, અનુવિદ્ધ છે=વ્યાપ્ત છે. સૌ= આ=સિદ્ધિ તત્ત્વથી, પાત જ કહેવાઈ છે.” Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૮ રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. એ રીતે=પૂર્વમાં બતાવ્યું કે અનુબંધવાળી સિદ્ધિ જ તાત્વિકી સિદ્ધિ છે એ રીતે, સિદ્ધિના અંતરંગ અંગોના સંયોગથી ઉત્તરોત્તર સિદ્ધિનું અવંધ્ય કારણ બને એવા સિદ્ધિના અંતરંગ અંગોના સંયોગથી, આત્માદિ પ્રત્યયવાળાને જસિદ્ધિ સિદ્ધ થાય છે. હાઠિકોને પણ=બળાત્કારચારીઓને પણ, આ સિદ્ધિ આત્માદિ પ્રત્યય વિતા થતી નથી. અહીં પ્રશ્ન થાય કે “આત્માદિ પ્રત્યય વિના મારે સાધ્યને સિદ્ધ કરવું છે' એવા દૃઢ યત્નપૂર્વક લક્ષ્યને સાધવા માટે પ્રયત્ન કરે તેવા હાઠિકોને પણ સિદ્ધિ કેમ ન થાય ? તેથી કહે છે -- મૃપિંડારિરૂપ ઉપાયાતરથી સાધ્ય એવું ઘટાદિ કાર્ય, હજારો બળાત્કારથી પણ ઉપાયાંતરથી=મૃતિંડારિરૂપ ઉપાયોને છોડીને અન્ય ઉપાયોથી, સાધવા માટે શક્ય નથી જ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ll૨૮. પ્રાસારનાયા' અહીં ‘’ થી જિનાલય, ઘર વગેરેનું ગ્રહણ કરવું. “ fÅનર્વાદ' અહીં ‘વ’ થી મિથ્યા પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. માત્માદિત્ય' અહીં ‘દિ’ થી ગુરુ પ્રત્યય અને લિંગ પ્રત્યયનું ગ્રહણ કરવું. કૃત્પિાદિ’ અહીં ‘દ થી તન્તુ આદિનું ગ્રહણ કરવું. ‘ઘટવ' અહીં ‘વ’ થી પટાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :ત્રણ પ્રત્યયોનો વિચાર કર્યા વિના સ્વીકારેલા અનુષ્ઠાનથી કાર્યસિદ્ધિનો અભાવ : શ્લોક-ર૭માં કહ્યું કે આત્માદિ ત્રણ પ્રત્યય દ્વારા કરાયેલી પ્રવૃત્તિ ઇષ્ટની નિષ્પત્તિનું અવ્યભિચારી કારણ બને છે, તેને દૃઢ કરવા માટે કહે છે. જે સિદ્ધિ ઉત્તરની સિદ્ધિનું અવંધ્ય બીજ હોય તે સિદ્ધિ તાત્વિકી છે. તેથી એ ફલિત થાય કે કોઈ સાધક આત્મા કોઈ ધર્માનુષ્ઠાન સ્વીકાર કરવાની ઇચ્છા કરે, પણ તે ધર્માનુષ્ઠાન વિચાર્યા વગર સ્વીકારે, અને બાહ્ય રીતે તે આત્મા તે ધર્માનુષ્ઠાનનું સેવન કરે, તોપણ તે ધર્માનુષ્ઠાન ઉત્તરના Page #126 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાäિશિકા/શ્લોક-૨૮ ૧૦૩ ધર્માનુષ્ઠાનનું કારણ બનતું નથી, તેથી તે ધર્માનુષ્ઠાનથી કંઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી; પરંતુ જે જીવો પોતાની શક્તિ આદિનું સમાલોચન કરીને આત્માદિ ત્રણ પ્રત્યયો પૂર્વક ઉચિત ધર્માનુષ્ઠાન સ્વીકારે, અને તે સ્વીકારાયેલું ધર્માનુષ્ઠાન પ્રકૃતિરૂપે બને, ત્યારે તેના ઉત્તરના ધર્માનુષ્ઠાનની શક્તિનો સંચય થયો કહેવાય; અને ઉત્તરના ધર્માનુષ્ઠાનની શક્તિ સંચય થઈ જાય ત્યારે, તે ઉત્તરના ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ પણ પૂર્વની જેમ જ ત્રણ પ્રત્યયથી કરે, તો અંતે લક્ષ્યની પણ પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ રીતે ઉત્તર ઉત્તરના અનુષ્ઠાનની પ્રાપ્તિના કારણભૂત પૂર્વ પૂર્વના ધર્માનુષ્ઠાનનું સેવન તે પારમાર્થિક સિદ્ધિ છે; પરંતુ જેઓ ત્રણ પ્રત્યયનો વિચાર કર્યા વગર ધર્માનુષ્ઠાન સ્વીકારે છે, તેઓનું તે ધર્માનુષ્ઠાન ઉત્તરના ધર્માનુષ્ઠાનનું કારણ તો નથી, પરંતુ પાતશક્તિના અનુવેધવાળું છે અર્થાત્ વર્તમાનમાં જે ધર્માનુષ્ઠાન સેવે છે, તે ધર્માનુષ્ઠાનથી યોગની વૃદ્ધિ થવાને બદલે યોગમાર્ગથી પાત થાય તેવું છે, માટે કલ્યાણનું કારણ નથી. જેમ કોઈ હાડકાદિ શલ્યથી ઉપહત થયેલા સ્થાનમાં પ્રાસાદાદિની રચના કરે=ચણાવે, તો તે પ્રાસાદાદિ પાતશક્તિના અનુવેધવાળા હોવાથી પ્રાસાદાદિની સિદ્ધિ નથી; તેમ આત્માદિ ત્રણ પ્રત્યયોના સમાલોચન વિના સ્વીકારાયેલા અનુષ્ઠાનમાં, મિથ્યાભિનિવેશ અને મિથ્યાપ્રવૃત્તિરૂપ પાતશક્તિનો અનુવેધ હોવાને કારણે, તે અનુષ્ઠાનથી કોઈ ગુણની પ્રાપ્તિ નથી, તેથી પરમાર્થથી તે અનુષ્ઠાનની તેને સિદ્ધિ નથી. આનાથી શું ફલિત થાય ? તે બતાવતાં કહે છે – આત્માદિ ત્રણ પ્રત્યયવાળાને જ ઉત્તરની સિદ્ધિનાં સંયોગથી સિદ્ધિ સિદ્ધ થાય છે. માટે મિથ્યાભિનિવેશથી રહિત અને સ્વીકારવા યોગ્ય અનુષ્ઠાનવિષયક શાસ્ત્રાનુસારી સ્વશક્તિ આદિના પર્યાલોચનથી થતું સમ્યજ્ઞાન, અને તે સમ્યજ્ઞાનથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ જે સાધક યોગી કરે છે, તે યોગીઓને આત્માદિ ત્રણ પ્રત્યયો હોય છે, અને આત્માદિ ત્રણ પ્રત્યયવાળાઓને સેવાતા અનુષ્ઠાનથી ઉત્તરોત્તરના સંયમની વૃદ્ધિ થાય તેવી સિદ્ધિ થાય છે. વળી કેટલાક જીવો એવું માને છે કે સ્વપરાક્રમથી અશક્ય કાંઈ નથી. એવા સાધકો આત્માદિ પ્રત્યયપૂર્વક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે તો તેઓને સિદ્ધિ પ્રાપ્ત Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અપુનઃબંધક દ્વાત્રિંશિકા|શ્લોક-૨૮ થાય છે, પરંતુ જે હાઠિકો=હઠીલા જીવો, પોતાના પ્રયત્નથી અસાધ્ય કંઈ નથી તેવો નિર્ણય કરીને આત્માદિ પ્રત્યય વિના સ્વશક્તિ કરતાં ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનને ગ્રહણ કરે, અને એવા સાધક યોગીઓ શક્તિના પ્રકર્ષથી તે અનુષ્ઠાન દ્વારા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે યત્ન કરતા હોય, તોપણ ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી નથી. જેમ ઘટરૂપ કાર્યનો અર્થ ઘટની પ્રાપ્તિના ઉપાયભૂત મૃપિંડાદિને છોડીને, જલાદિ ગ્રહણ કરીને, અત્યંત દૃઢ યત્નપૂર્વક ઘટ બનાવવા માટે યત્ન કરે તોપણ તેના યત્નથી ઘટરૂપ કાર્ય થાય નહીં; તેમ પોતાની શક્તિનું સમાલોચન કર્યા વિના સ્વીકારાયેલા ગુણસ્થાનકની ક્રિયાથી તે ગુણસ્થાનકના ભાવો પ્રગટ થાય નહીં, માટે મોક્ષના અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવો પોતાની ભૂમિકા માટે જે શક્ય હોય તે ધર્માનુષ્ઠાન આત્માદિ પ્રત્યયપૂર્વક સ્વીકારે છે, પરંતુ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ઉત્તરના અનુષ્ઠાનને સ્વીકારતા નથી, તેથી અવિરતિના ઉદયવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવો પોતાની શક્તિથી વિરતિની ક્રિયા અસાધ્ય દેખાય તો ભગવદ્ભક્તિ આદિ ઉચિત ક્રિયાઓમાં યત્ન કરે છે, અને તે યત્ન દ્વારા ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની શક્તિને પ્રાપ્ત કરે છે, માટે તેઓના અનુષ્ઠાનનું સેવન તાત્ત્વિકી સિદ્ધિનું કારણ છે, તેથી ‘સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે', એમ શ્લોક-૧૯માં કહેલ, અને ભાવથી યોગ હોવાને કારણે સમ્યગ્દષ્ટિને સાર્વદિક યોગ છે, તેમ શ્લોક૧૬માં કહેલ તે કથન સંગત છે. અહીં વિશેષ એ છે કે કોઈ સાધકને સર્વવિરતિ ગ્રહણ કરવાનો ઉત્સાહ થયો અને આત્માદિ ત્રણ પ્રત્યય વિના સર્વવિરતિમાં પ્રવૃત્તિ કરે, અને ‘જગતમાં પ્રયત્નથી અસાધ્ય કંઈ નથી' એવા હાઠિક પરિણામવાળા હોય, અને શક્તિના પ્રકર્ષથી સર્વવિરતિમાં ઉદ્યમ કરતા હોય, તોપણ તેમના પ્રયત્નથી સર્વવિરતિનો પરિણામ થાય નહીં. જેમ પાણીમાંથી ઘણા યત્નથી પણ ઘટ થાય નહીં તેમ કહ્યું, ત્યાં પાણી તો ઘટનું કારણ નથી, જ્યારે સંયમની ક્રિયાઓ તો સંયમની નિષ્પત્તિનું કારણ છે. તેથી હાઠિકો સંયમની ક્રિયામાં દૃઢ યત્નથી પ્રવૃત્તિ કરે તો સંયમ કેમ ન ઉત્પન્ન થાય ? આ પ્રકારની વિચારકને શંકા થાય, તેનું સમાધાન એ છે કે ‘અધિકારી સાધક ઉપાયમાં પ્રવૃત્તિ કરે તો ઉપેયની સિદ્ધિ થાય' આવો નિયમ છે, પરંતુ Page #128 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૮-૨૯ ૧૦૫ અનધિકારી સાધક ઉપાયમાં પ્રવૃત્તિ કરે તો ઉપેયની સિદ્ધિ થાય નહીં; અને જે હાઠિકો સ્વશક્તિ આદિના સમાલોચન વિના સર્વવિરતિ ગુણસ્થાનક સ્વીકારે, અને તેમાં તે ગુણસ્થાનકને અનુરૂપ શક્તિનો સંચય નહીં થયેલો હોવાથી દૃઢ યત્નપૂર્વક પણ સંયમની ક્રિયા કરે તો પણ ગુણસ્થાનકની નિષ્પત્તિ થાય નહીં. જેમ વર્તમાનમાં અલ્પ સંઘયણ બળવાળા સાધુ દૃઢ યત્નપૂર્વક પણ જિનકલ્પના આચારોને પાળે, તોપણ જિનકલ્પીઓની જેમ અસંગભાવવાળા થઈ શકે નહીં, તેના બદલે પોતાની ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન સેવે તો ઉત્તર ઉત્તરના ગુણની પ્રાપ્તિ દ્વારા અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિની પૂર્વભૂમિકાવાળા સંયમને પ્રાપ્ત કરી શકે; પરંતુ હઠથી જિનકલ્પીના આચારમાં યત્ન કરે તોપણ કાર્યસિદ્ધિ થાય નહીં, તેમ જેઓની ચિત્તવૃત્તિ સર્વવિરતિને અનુકૂળ ભૂમિકાવાળી નથી, તેવા સાધકો હઠથી પણ સર્વવિરતિમાં યત્ન કરે તો પણ પાણીમાંથી જેમ ઘડો ન થાય, તેમ તેમની ક્રિયાથી વિરતિની પરિણતિ પ્રાપ્ત થાય નહીં. ll૨૮I અવતરણિકા : શ્લોક-૨૭માં કહ્યું કે આત્માદિ ત્રણ પ્રત્યયો સાધ્યની નિષ્પત્તિનાં અવ્યભિચારી કારણ છે. હવે આવા ત્રણ પ્રત્યયોપૂર્વક કયા સાધકો પ્રવૃત્તિ કરે છે ? અને તે સાધકો અન્ય સાધકો કરતાં કેમ જુદા છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક : सद्योगारम्भकस्त्वेनं शास्त्रसिद्धमपेक्षते । सदा भेदः परेभ्यो हि तस्य जात्यमयूरवत् ।।२९।। અન્વયાર્થ : સોરHવસ્તુ=સદ્યોગારંભક જ=સાનુબંધ યોગના આરંભક જ શાસ્ત્રસિદ્ધમ્ નં=શાસ્ત્રસિદ્ધ એવા આને=આત્માદિ પ્રત્યયને, પક્ષd=અવલંબે છે; દિ જે કારણથી રામપૂરવજાતિવંત મોરની જેમ તસ્ય તેનોસદ્યોગારંભકતો, પચ્યો પરથી=અસોગારંભકથી સવા=સદા મે=ભેદ છે. ૨૯. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અપુનર્ભધકાર્નાિશિકા/શ્લોક-૨૯ શ્લોકાર્ચ - સદ્યોગારંભક જ શાસ્ત્રસિદ્ધ એવા આને આત્માદિ પ્રત્યયને, અવલંબે છે; જે કારણથી જાતિવંત મોરની જેમ તેનો સદ્યોગારંભકનો, પરથી=અસદ્યોગારંભકથી, સદા ભેદ છે. ૨૯]I. ટીકા : सदिति-सद्योगारम्भकस्तु-सानुबन्धयोगारम्भक एव, एनम् आत्मादिप्रत्ययं, शास्त्रसिद्धम् अतीन्द्रियार्थसार्थसमर्थनसमर्थागमप्रतिष्ठितम्, अपेक्षते अवलम्बते, परेभ्यो हि-असद्योगारम्भकेभ्यो हि, तस्य सद्योगारम्भकस्य, सदा भेदा-वैलक्षण्यं, जात्यमयूरवत् सर्वोपाधिविशुद्धमयूरवत् । यथा हि जात्यमयूरोऽजात्यमयूरात् सदैव भिन्नस्तथा सद्योगारम्भकोऽप्यन्यस्मादिति भावना । तदुक्तं - "न च सद्योगभव्यस्य वृत्तिरेवंविधापि हि । ન નીત્વના–ધ યજ્ઞાત્ય સન્ મનને શિવી" || (ચોવિ-૨૪૨) પારા ટીકાર્ચ - સોપારમ્ભવસ્તુ ... શિલ્લી” | શાસ્ત્રસિદ્ધ એવા આને=અતીન્દ્રિય અર્થોના સમૂહના સમર્થનમાં સમર્થ આગમમાં પ્રતિષ્ઠિત એવા આને અતીન્દ્રિય અર્થોના સમૂહમાં ‘આ રીતે પ્રવૃત્તિ કરશો તો કાર્ય સિદ્ધ થશે' એ પ્રકારના સમર્થનમાં સમર્થ આગમમાં પ્રતિષ્ઠિત એવા આત્માદિ પ્રત્યયને, સદ્યોગારંભક જ=સાનુબંધ યોગારંભક જ, અપેક્ષા રાખે છે=અવલંબન કરે છે; જે કારણથી પરથી અસહ્યોગારંભકથી, તેનો સદ્યોગારંભકતો, જાત્યમોરની જેમ=સર્વ ઉપાધિથી વિશુદ્ધ મોરની જેમ પ્રકૃતિ, આકાર, ચેષ્ટા આદિ સર્વ ઉપાધિથી વિશુદ્ધ મોરની જેમ, સદા ભેદ છે વિલક્ષણપણું છે. જેમ જાત્યમોર અજાત્ય મોરથી સદા ભિન્ન છે, તેમ સદ્યોગારંભક પણ અન્યથી અસહ્યોગારંભકથી, સદા ભિન્ન છે, એ પ્રમાણે ભાવના છે. તે કહેવાયું છે પૂર્વમાં કહ્યું કે અજાત્યમોર કરતાં જાત્યમોર સદા જુદા હોય છે, તે પ્રમાણે સદ્યોગારંભક અન્ય કરતાં સદા જુદા હોય છે, તે ‘યોગબિંદુ' શ્લોક-૨૪૧માં કહેવાયું છે – Page #130 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ ૧૦૭ “સદ્યોગભવની=પરિશુદ્ધયોગયોગ્યની, આવા પ્રકારની પણ તત્કારીતષીત્વ પ્રકારની પણ વૃત્તિ=પ્રવૃત્તિ, નથી, જે કારણથી જાય એવો મોર પણ અજાત્ય ધર્મોને-કુજાત્ય મોરની ચેષ્ટાઓને, ક્યારેય સેવતો નથી.” (યોગબિંદુ શ્લોક-૨૪૧) ૨૯. ભાવાર્થ - સાનુબંધ યોગના આરંભક જીવો હંમેશાં આત્માદિ પ્રત્યયપૂર્વક જ પ્રવૃત્તિ કરે તેમાં યુક્તિ : સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રચક્ષુવાળા હોય છે, તેથી શાસ્ત્રસિદ્ધ એવા આત્માદિ પ્રત્યયોનું અવલંબન લે છે, અને આત્માદિ પ્રત્યયોનું અવલંબન લઈને પોતે જે ભૂમિકામાં છે તે ભૂમિકાને ઉચિત જે અનુષ્ઠાન હોય તેનું સેવન કરે છે, તેથી જે સમ્યગ્દષ્ટિ જીવોની સર્વવિરતિને અનુકૂળ પોતાની શક્તિ ન હોય તેઓ શાસ્ત્રસિદ્ધ એવા આત્માદિ પ્રત્યય દ્વારા પોતાની શક્તિને અનુરૂપ દેશવિરતિ આદિ અનુષ્ઠાન પણ સ્વીકારે, જેના બળથી સાનુબંધયોગની પ્રાપ્તિ થાય. વળી આ સદ્યોગારંભક એવા સમ્યગ્દષ્ટિ જીવો જાતિવંત મોર જેવા હોય છે, તેથી જેમ જાત્યમયૂર હંમેશાં અજાત્યમયૂરની જેમ ચેષ્ટા કરે નહીં, તેમ સદ્યોગારંભક એવા સમ્યગ્દષ્ટિ જીવો અવિચારકની જેમ આત્માદિ પ્રત્યય વિના કર્તવ્ય એવા પણ ધર્માનુષ્ઠાનનો સ્વીકાર કરે નહીં. જ્યારે અજાત્ય મોર જેવા અવિચારક જીવો પોતાની શક્તિનું સમાલોચન કર્યા વગર અનુષ્ઠાનને સ્વીકારે છે અને શાસ્ત્રવિધિથી નિરપેક્ષ તે અનુષ્ઠાન કરીને ‘તત્કારી તદુદ્વેષી બને છે અર્થાત્ ભગવાનનું બતાવેલ અનુષ્ઠાન કરે છે, અને ભગવાને બતાવેલ અનુષ્ઠાનની વિધિ પ્રત્યે ઉપેક્ષા કરીને કે દ્વેષ કરીને સ્વમતિ પ્રમાણે વર્તે છે. ૨૯ અવતરણિકા : જેમ અજાત્યમયૂર કરતાં જાત્યમયૂર જુદા હોય છે, તેમ અસદ્યોગારંભક કરતાં સદ્યોગારંભક સમ્યગ્દષ્ટિ સદા જુદા હોય છે, તેથી તેઓ હંમેશાં શાસ્ત્રસિદ્ધ એવા આત્માદિ પ્રત્યયનું અવલંબન લે છે, એમ પૂર્વશ્લોકમાં કહ્યું. ત્યાં જાત્યમયૂરનો જેમ અજાત્યમયૂર કરતાં ભેદ છે, તેમ સોગારંભકતો અસહ્યોગારંભક કરતાં શું ભેદ છે ? તે હવે બતાવે છે - Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ अपुनर्णधदाशिsI/PRT5-30 टोs : यथा शक्तिस्तदण्डादौ विचित्रा तद्वदस्य हि । गर्भयोगेऽपि मातृणां श्रूयतेऽत्युचिता क्रिया ।।३०।। मन्वयार्थ : यथा-व्हे म तदण्डादौत्यमयूरनामा विचित्रा शक्तिः सत्यमयूरना blesedi विलक्षL शति छ, तद्वद्=तनी ठेम मातृणाम्= माताना गर्भयोगेऽपियोगमा ५९ अस्य-मानीसहयोगामी अत्युचिता क्रिया-सत्यंत Gथत जिया श्रूयते संमणाय छे. ॥३०॥ लोार्थ : જેમ તેના અંડાદિમાં જાત્યમયૂરના ઈંડાદિમાં, અજાત્યમયૂરના અંડાદિ કરતાં વિલક્ષણ શક્તિ છે, તેની જેમ માતાના ગર્ભયોગમાં પણ આની= सध्योगामनी, मत्यंत लयित या माय छे. ||30|| * 'गर्भयोगेऽपि' ही 'अपि' थी मे डेछ । सहयोगारमनी उत्त२.म तो ઉચિત પ્રવૃત્તિ હોય છે, પરંતુ માતાના ગર્ભયોગમાં પણ અત્યંત ઉચિત ક્રિયા હોય છે. नोध :- सोम टीनुसार ‘अत एव सद्योगारम्भकस्य' में अध्या२ छ. टीमा : यथेति-यथा तदण्डादौ-जात्यमयूराण्डचञ्चुचरणाद्यवयवेषु, शक्तिः विचित्रा अजात्यमयूरावयवशक्तिविलक्षणा, तद्वदस्य हि-सद्योगारम्भकस्य, आदित एवारभ्येतरेभ्यो विलक्षणा शक्तिरित्यर्थः । यत उक्तं - “यश्चात्र शिखिदृष्टान्तः शास्त्रे प्रोक्तो महात्मभिः । स तदण्डरसादीनां सच्छक्त्यादिप्रसाधनः" ।। (योगबिन्दु श्लोक-२४५) इति ।। अत एव सद्योगारम्भकस्येति गम्यं, मातृणां जननीनां, गर्भयोगेऽपि, किं पुनरुत्तरकाल इत्यपिशब्दार्थः, श्रूयते-निशम्यते, शास्त्रेषु अत्युचिता लोकानामतिश्लाघनीया, क्रिया प्रशस्तमाहात्म्यलाभलक्षणा । यत एवं पठ्यते - Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૩૦ “जणणी सव्वत्थ वि णिच्छएसु सुमइ त्ति तेण सुमई जिणो" (आ.नि. १०९३) તથા - “TCH TV નં ન ની નાય સુધખે તે ધHઈન” (મ.નિ. ૨૦૨૨) તથા - “નાયા નાની ગં સુત્રય ત્તિ મુનિસુવ્રમો તપ્ત" (ા.નિ. ૨૨૦૩) રૂલ્યા ! इदं गर्भावस्थायामुक्तम्, उत्तरकालेऽप्यत्युचितैव तेषां क्रिया । यत उक्तं - “औचित्यारम्भिणोऽक्षुद्राः प्रेक्षावन्तः शुभाशयाः । વચ્ચષ્ટા: તિજ્ઞા યોમifધવારિળ:” I (ગોવિન્દુ સ્નો-૨૪૪) તિ तदेवं सिद्धः सद्योगारम्भक इतरेभ्यो विलक्षणः, स चात्मादिप्रत्ययमपेक्षत વેતિ રૂપા ટીકાર્ય : યથા તવાફો ..... પતિ | જેમ તેના અંડાદિમાં=જાત્યમયૂરનાં ઇંડા, ચાંચ, ચરણ આદિ અવયવોમાં, વિચિત્ર અજાત્યમયૂરના અવયવની શક્તિથી વિલક્ષણ, શક્તિ છે, તેની જેમ આની=સદ્યોગારંભકની, આદિથી જ આરંભીને, ઈતરથી=અસદ્યોગારંભકથી, વિલક્ષણ શક્તિ છે, એ પ્રમાણે અર્થ છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી ‘યોગબિંદુ શ્લોક-૨૪૫માં કહેવાયું છે – “અહીંયોગધર્મના અધિકારીની વિચારણામાં, મહાત્માઓ વડે શાસ્ત્રમાં જે મયૂરનું દૃષ્ટાંત કહેવાયું છે, તે-તે મયૂરનું દૃષ્ટાંત, તરસવનાં=જાત્યમયૂરના ઈંડામાં રસાદિની, સત્સંક્તિ આદિનું પ્રસાધન છે સુસામર્થ્યનું અને સુસામર્થ્યના ફળનું પ્રકાશક છે.” (યોગબિંદુ શ્લોક-૨૪૫) તિ' શબ્દ યોગબિંદુના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. આથી જ માતાના ગર્ભના યોગમાં પણ સદ્યોગારંભકની અતિ ઉચિતક્રિયા=લોકોમાં શ્લાઘનીય ક્રિયા=પ્રશસ્ત માહાભ્યલાભલક્ષણ ક્રિયા, શાસ્ત્રમાં સંભળાય છે; Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૦ જે કારણથી આ પ્રમાણે કહેવાય છે જે કારણથી આવશ્યકતિર્થંક્તિમાં આ પ્રમાણે કહેવાય છે – માતા સર્વત્ર પણ નિશ્ચયોમાં–કર્તવ્યના નિર્ણયોમાં, સુમતિવાળાં થયાં તે કારણથી સુમતિજિન' નામ રાખ્યું.” (આ.નિ. શ્લોક-૧૦૯૩) અને “જે કારણથી ભગવાન ગર્ભમાં રહ્યું છતે માતા સુધર્મવાળાં થયાં તે કારણથી ‘ધર્મજિન' એ પ્રમાણે નામ રાખ્યું" (આ.નિ. શ્લોક-૧૦૯૯) અને “જે કારણથી માતા સુવ્રતવાળાં થયાં તે કારણથી “મુનિસુવ્રત એ પ્રમાણે નામ રાખ્યું.” (આ.નિ. શ્લોક-૧૧૦૩) ઇત્યાદિ=આવા અન્ય સાક્ષીપાઠનો સંગ્રહ કરવો - ગર્ભાવસ્થામાં આ કહેવાયુંeગર્ભાવસ્થામાં રહેલા સદ્યોગારંભકની અતિઉચિત પ્રવૃત્તિ હોય છે, એ કહેવાયું. ઉત્તરકાળમાં પણ તેઓની=સદ્યોગારંભકની, અતિ ઉચિત જ ક્રિયા હોય છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી યોગબિંદુ શ્લોક-૨૪૪માં કહેવાયું છે – ઔચિત્યનો આરંભ કરનારા=સર્વ પ્રવૃત્તિઓમાં યોગ્ય આરંભ કરનારા, અશુદ્ર= ગંભીર આશયવાળા, અતિનિપુણ બુદ્ધિવાળા, શુભાશયવાળા, અવંધ્ય ચેષ્ટાવાળા, કાળને જાણનારા જીવો યોગમાર્ગના અધિકારી છે.” (યોગબિંદુ શ્લોક-૨૪૪). ‘રૂતિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ‘તાવ સોપાઇડરમવસ્ય' એ શ્લોકમાં અધ્યાહાર છે, તે બતાવવા માટે ટીકામાં ‘ગત સદ્યોડિડમતિ અર્થ એમ કહેલ છે. જર્મયોનોડજિ' માં વળી ઉત્તરકાળમાં શું કહેવું ? એ “પ” શબ્દનો અર્થ છે. સંપૂર્ણ શ્લોકના કથનનું નિગમન કરતાં કહે છે -- આ રીતે સદ્યોગારંભક, ઈતરથી અસહ્યોગારંભકથી, વિલક્ષણ સિદ્ધ થાય છે, અને તે આત્માદિ પ્રત્યયનું અવલંબન કરે જ છે. “તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૩૦. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ભાવાર્થ - સાનુબંધ યોગના આરંભક જીવોની માતાના ગર્ભયોગમાં પણ ઉચિત ક્રિયા:સદ્યોગારંભક અને અસદ્યોગારંભકનો તફાવત : શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્રપ્રત્યયપૂર્વક પ્રવૃત્તિ કરે છે, માટે તેમને ભાવથી યોગ છે. હવે અજાત્યમયૂર કરતાં જાત્યમયૂરનો જેમ સદા ભેદ છે, તેમ અસોગારંભક જીવો કરતાં સદ્યોગારંભક એવા સમ્યગ્દષ્ટિ જીવોનો સદા ભેદ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવો આત્માદિ પ્રત્યાયની અપેક્ષા રાખે છે, તે બતાવવા અર્થે કહે છે – જેમ જાત્યમયૂરની ઈંડાવાળી અવસ્થા હોય ત્યારે પણ તેના રસ, ચાંચ, ચરણ આદિ અવયવોમાં અજાત્યમયૂરના અવયવો કરતાં વિલક્ષણ શક્તિ હોય છે, તેમ સદ્યોગારંભકની આદિથી જ=ગર્ભાવસ્થાથી જ, અસદ્યોગારંભક કરતાં વિલક્ષણ શક્તિ હોય છે. આથી જ સદ્યોગારંભક એવા તીર્થકરોની માતાના ગર્ભકાળમાં પણ અત્યંત ઉચિત પ્રવૃત્તિ શાસ્ત્રમાં સંભળાય છે. આનાથી એ ફલિત થાય કે સદ્યોગારંભકમાં શ્રેષ્ઠ કોટીના સદ્યોગારંભક તીર્થકરો છે, અને તેઓ ગર્ભમાં આવે છે ત્યારે પણ સમ્યકત્વને ધારણ કરનારા હોય છે, અને તેઓની અત્યંત ઉચિત પ્રવૃત્તિના ફળસ્વરૂપ માતાની પણ તેમના ગર્ભકાળમાં અત્યંત ઉચિત પ્રવૃત્તિ થાય છે. આ કથનથી માત્ર તીર્થકરો જ સદ્યોગારંભક છે તેમ કહેવું નથી, પરંતુ જે જીવો સમ્યક્ત્વને પામેલા છે, તેઓ શાસ્ત્રસંજ્ઞાવાળા હોય છે, અને તેઓ શાસ્ત્રવચનનું અવલંબન લઈને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, તેવા સમ્યગ્દષ્ટિ જીવો સદ્યોગના આરંભક હોય છે, માટે પોતાને જે ગુણસ્થાનક સ્વીકારવું હોય તે ગુણસ્થાનક સ્વીકારવા માટે તેઓ આત્માદિ પ્રત્યાયની અપેક્ષા રાખે છે; પરંતુ હાઠિકોની જેમ, કે અવિચારક જીવોની જેમ, આત્માદિ પ્રત્યય વિના પ્રવૃત્તિ કરતા નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવોની સદ્યોગારંભવાળી પ્રવૃત્તિ ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને પૂર્ણ યોગમાર્ગના સેવનમાં પર્યવસાન પામે છે, તેથી તેઓ અવિરતિના ઉદયથી સંયમ ગ્રહણ ન કરે તો પણ પોતાની ભૂમિકા પ્રમાણે શાસ્ત્રવચનાનુસાર ધર્મ, અર્થ અને કામનું તે રીતે સેવન કરે કે જેથી યોગમાર્ગની Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ પ્રવૃત્તિ લેશ પણ રુંધાય નહીં, પરંતુ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સાનુબંધ યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને. ll૩૦ના અવતરણિકા : अथ विषयस्वरूपानुबन्धशुद्धिप्रधानेषु किं कस्य सम्भवतीत्याह - અવતરણિતાર્થ - વિષયશુદ્ધિપ્રધાન સ્વરૂપશુદ્ધિપ્રધાન અને અનુબંધ શુદ્ધિપ્રધાન એવા અનુષ્ઠાનમાં કોને=કયા જીવને, કયું અનુષ્ઠાન સંભવે ? એને કહે છે – ભાવાર્થ : શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવ ત્રણ પ્રકારની શુદ્ધિવાળા અનુષ્ઠાનથી= અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી, સમ્યપ્રત્યયપૂર્વક પ્રવૃત્તિ કરનાર હોવાના કારણે ભાવથી યોગવાળા છે, તેથી શ્લોક-૨૧ થી ૨૬ સુધી ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું અને ત્યારપછી ત્રીજા પ્રકારના અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનની નિષ્પત્તિમાં કારણભૂત આત્માદિ પ્રત્યયનું સ્વરૂપ શ્લોક-૨૭ થી ૩૦ સુધી બતાવ્યું. હવે તે ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનમાંથી કયા જીવોને કયું અનુષ્ઠાન થાય છે ? તે બતાવવા માટે શ્લોક-૩૧માં ત્રણ પ્રકારની શુદ્ધિવાળું એવું ત્રીજું અનુષ્ઠાન સમ્યગ્દષ્ટિને હોય છે, તેમ બતાવે છે, અને વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અપુનબંધકને હોય છે, તેમ શ્લોક-૩૨માં બતાવે છે – શ્લોક : सर्वोत्तमं यदेतेषु भिन्नग्रन्थेस्तदिष्यते । फलवद्रुमसद्बीजप्ररोहोद्भेदसन्निभम् ।।३१।। અન્વયાર્થ: તેપુ=આમાં વિષયશુદ્ધાદિ ત્રણ અનુષ્ઠાનોમાં, સર્વોત્તમં=અવ્યભિચારી ફળવાળું પર્તવમસલ્વીનuોદોમેક્સિમગ્ગફળવાળા વૃક્ષના સબીજના અંકુરાના ઊગવા જેવું, ચ=જે જે અનુષ્ઠાન છે, તeતે તે અનુષ્ઠાન, fમળે: ભિન્નગ્રંથિને રૂતે ઈચ્છાય છે. [૩૧]. Page #136 -------------------------------------------------------------------------- ________________ અપુનર્ભધકદ્વાત્રિશિકા/શ્લોક-૩૧ ૧૧૩ શ્લોકાર્ચ - આમાં=વિષયશુદ્ધાદિ ત્રણ અનુષ્ઠાનોમાં, સર્વોત્તમ-અવ્યભિચારી ફળવાળું, ફળવાળા વૃક્ષના સબ્રીજના અંકુરાના ઊગવા જેવું જે જે અનુષ્ઠાન, છે, તે તે અનુષ્ઠાન, ભિન્નગ્રંથિને ઈચ્છાય છે. ll૩૧TI ટીકા :___ सर्वोत्तममिति-यद् एतेषु-उक्तानुष्ठानेषु, सर्वोत्तमम् अव्यभिचारिफलं, तद्भिन्नग्रन्थेरिष्यते, फलवत: फलप्राग्भारभाजो, द्रुमस्य-न्यग्रोधादेः, सदवन्ध्यं यद् बीजं तस्य प्ररोहोभेद: अङ्कुरोद्गमः, तत्सन्निभं, शुभानुबन्धसारવત્ પારા ટીકાર્ય : યદું તેવું ... જુમાનુવન્યસારત્વાન્ આમાં=વિષયશુદ્ધાદિ ત્રણ અનુષ્ઠાનોમાં, સર્વોત્તમ=અવ્યભિચારી ફળવાળું, ફળવાળા ફળના સમૂહવાળા, વ્યગ્રોધાદિ વૃક્ષનું સ–અવંધ્ય, જે બીજ, તેના પ્રરોહનો ઉભેદ-અંકુરાનો ઉદ્ગમ, તેના જેવું==જે=જે અનુષ્ઠાન છે, તઋતેeતે અનુષ્ઠાન, ભિન્નગ્રંથિને સમ્યગ્દષ્ટિને, ઈચ્છાય છે. અહીં પ્રશ્ન થાય કે ફળના સમૂહવાળા ન્યગ્રોધાદિ વૃક્ષના અવંધ્ય સદ્ગીજના અંકુરાના ઉદ્ગમ જેવું અનુષ્ઠાન સમ્યગ્દષ્ટિને કેમ ઇચ્છાય છે ? તેમાં હતુ કહે છે – શુભઅનુબંધપ્રધાનપણું છે. ૩૧ ભાવાર્થ - સમ્યગ્દષ્ટિના સાનુબંધ યોગના આરંભનું સ્વરૂપ : પૂર્વમાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો બતાવ્યાં, તેમાં ત્રીજા પ્રકારનું અનુબંધશુદ્ધ અનુષ્ઠાન વિષયની, સ્વરૂપની અને અનુબંધની શુદ્ધિવાળું છે, માટે તે અનુષ્ઠાન પૂર્ણ શુદ્ધ છે, તેથી ત્રણે અનુષ્ઠાનોમાં સર્વોત્તમ છે; અને પૂર્ણ શુદ્ધ હોવાને કારણે તે અનુષ્ઠાનથી સાધ્ય એવા ફળની પ્રાપ્તિ પ્રત્યે તે અનુષ્ઠાન અવ્યભિચારી કારણ છે. જોકે વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ એ ત્રણે અનુષ્ઠાનોનો Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ ઉદ્દેશ મોક્ષ છે, આમ છતાં પ્રથમનાં બે અનુષ્ઠાનો મોક્ષને પરિપૂર્ણ અનુકૂળ નથી, જ્યારે ત્રીજું અનુબંધશુદ્ધ અનુષ્ઠાન મોક્ષને પરિપૂર્ણ અનુકૂળ છે, માટે અવ્યભિચારી ફળવાળું છે, તેથી ત્રણે અનુષ્ઠાનોમાં તે સર્વોત્તમ છે. આ અનુબંધશુદ્ધ અનુષ્ઠાન સમ્યગ્દષ્ટિને હોય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રષ્ટિથી સર્વ પ્રવૃત્તિ કરનારા હોય છે, તેથી જે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ છે, તેનો નિર્ણય કરીને અને આત્માદિ પ્રત્યય દ્વારા સ્વકૃતિસાધ્યત્વાદિનો નિર્ણય કરીને, પોતાની કૃતિથી જે અનુષ્ઠાન થઈ શકે તે અનુષ્ઠાનનો સ્વીકાર ક૨ીને, શાસ્ત્રવચનાનુસાર તે અનુષ્ઠાન સેવે છે. સમ્યગ્દષ્ટિના આ અનુષ્ઠાનનું વાસ્તવિક સ્વરૂપ દૃષ્ટાંતથી બતાવે છે - જેમ કોઈ ફળથી ભરચક એવા ન્યગ્રોધાદિ વૃક્ષનું બીજ જમીનમાં વાવવામાં આવે, પછી તેનાં અંકુરાનો ઉદ્ગમ થાય, અને તે જ અંકુરો ક્રમસર વૃદ્ધિ પામીને ફળથી લચી પડેલા ન્યગ્રોધાદિ વૃક્ષનું રૂપ બને છે, તેના જેવું સમ્યગ્દષ્ટિનું અનુષ્ઠાન છે. અહીં દૃષ્ટાન્ત-દાન્તિકભાવ આ પ્રમાણે છે ફળસ્થાનીય → વૃક્ષસ્થાનીય → અંકુરાના ઉદ્ગમસ્થાનીય → સર્વથા સર્વત્ર સંગરહિત એવો અસંગભાવ શાસ્ત્રાનુસારી સંયમની પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ જીવ દ્વારા સ્વભૂમિકાનું આલોચન કરીને ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ અર્થે કરાતું અનુષ્ઠાન બીજસ્થાનીય જે યોગીઓએ અસંગભાવના સંયમને પ્રાપ્ત કર્યું છે તે યોગીઓનું સંયમ ફળવાળા ન્યગ્રોધ વૃક્ષ જેવું છે, અને આ અસંગભાવના અનુષ્ઠાનનું બીજ સમ્યક્ત્વ છે; કેમ કે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે મોક્ષના એક ઉપાયભૂત=કર્મનાશના એક ઉપાયભૂત, અસંગભાવવાળી અવસ્થા જ સારભૂત દેખાય છે, તેથી સમ્યક્ત્વરૂપી બીજ ક્રમે કરીને ફળવાળા ન્યગ્રોધ વૃક્ષ જેવા સંયમની પરિણિતનું કારણ બને છે. વળી સમ્યગ્દષ્ટિ જીવો જ્યારે સ્વશક્તિ આદિનું સમાલોચન કરીને ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરે છે, ત્યારે તેમનામાં → સમ્યક્ત્વ Page #138 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૧-૩૨ ૧૧૫ રહેલું સમ્યત્વરૂપી બીજ અંકુરાના ઉભેદ જેવું છે, તેથી તે સમ્યગ્દષ્ટિ જીવો ઉચિત અનુષ્ઠાન કરીને ક્રમસર સંયમની પ્રાપ્તિ કરે છે, અને અંતે અસંગભાવવાળા અનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે, જે ફળથી લચી પડેલા ન્યગ્રોધ વૃક્ષ જેવા સંયમની પ્રાપ્તિરૂપ છે, તેથી સમ્યગ્દષ્ટિનું આ અનુષ્ઠાન શુભ અનુબંધપ્રધાન છે અર્થાત્ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અસંગભાવમાં વિશ્રાંત પામે છે, જેનાથી મહાત્મા એવા યોગીઓ શીધ્ર મોહનું ઉમૂલન કરીને વીતરાગ સર્વજ્ઞ બનશે, તેથી સમ્યગ્દષ્ટિને ઈષ્ટ એવા અસંગભાવનું પ્રબળ કારણ વિવેકમૂલક એવું તેનું અનુષ્ઠાન બને છે, માટે સમ્યગ્દષ્ટિ આત્માઓનું આ અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન સર્વોત્તમ અનુષ્ઠાન છે. ૩૧ાા અવતરણિકા : શ્લોક-૩૧ની અવતરણિકામાં કહેલ કે વિષયશુદ્ધ આદિ ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનોમાં કોને કયું અનુષ્ઠાન હોય છે? તેથી શ્લોક-૩૧માં સમ્યગ્દષ્ટિને અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન હોય છે તે બતાવ્યું. હવે વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કોને હોય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : तत्तत्तन्त्रोक्तमखिलमपुनर्बन्धकस्य च । अवस्थाभेदतो न्याय्यं परमानन्दकारणम् ।।३२।। અન્વયાર્થ - વ=તુ વળી તત્તત્તન્નોવાં તે તે શાસ્ત્રમાં કહેવાયેલું ઉત્ન—સમસ્ત અનુષ્ઠાન અવસ્થામેત =અવસ્થાના ભેદથી પુનર્વસ્વ અપુનબંધકને પરમાનન્દવારા—પરમાનંદનું કારણ=પ્રશમ સુખનું કારણ ચાવ્યંયુક્ત છે. ૩૨ા. શ્લોકાર્ચ - વળી તે તે શાસ્ત્રમાં કહેવાયેલું સમસ્ત અનુષ્ઠાન અવસ્થાના ભેદથી અપુનબંધકને પરમાનંદનું કારણ યુક્ત છે. ll૩૨ાા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અપુનાબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ટીકા : तत्तदिति-तत्तत्तन्त्रोक्तं कापिलसौगतादिशास्त्रप्रणीतं, मुमुक्षुजनयोग्यमनुष्ठानं, अखिलं समस्तं, अपुनर्बन्धकस्य तु, अवस्थाभेदतो-दशावैचित्र्यात्, न्याय्यं= युक्तं, निवृत्तासद्ग्रहत्वेन सद्ग्रहप्रवृत्तत्वेन च परमानन्दस्य प्रशमसुखस्य, कारणं, अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बन्धकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायां प्रशान्तवाहितां सम्पादयतीति । तदुक्तं - “अपुनर्बन्धकस्यैवं सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तमखिलमवस्थाभेदसंश्रयात्" ।। (योगबिंदु श्लोक-२५१) इति ।।३२।। ટીકાર્ચ - તત્તત્તન્નોવત્ત ....... મેશ્રય” | તિ | તે તે તંત્રમાં કહેવાયેલું કપિલ-સોગાદિ શાસ્ત્રમાં કહેવાયેલું, અખિલ સમસ્ત, મુમુક્ષુજનયોગ્ય અનુષ્ઠાન, અવસ્થાભેદ હોવાથી દશાર્વચિત્ર હોવાથી, અપુનબંધકને નિવૃત્ત અસગ્રહ હોવાથી અને સદ્ગત પ્રવૃત્ત હોવાથી પરમાનંદનું પ્રથમ સુખનું, કારણ વ્યાપ્ય છે-યુક્ત છે. અહીં પ્રશ્ન થાય કે તે તે દર્શનનાં અનુષ્ઠાનો વિવેકમૂલક નહીં હોવા છતાં પ્રશમ સુખનાં કારણ કેમ છે ? તેથી કહે છે -- અપુનબંધકના અનેક સ્વરૂપનો સ્વીકાર હોવાને કારણે કોઈપણ અનુષ્ઠાન કોઈપણ અવસ્થામાં પ્રશાત્તવાહિતાને સંપાદન કરે છે, એથી અપુનબંધકનું અનુષ્ઠાન પ્રશમસુખનું કારણ છે, એમ અત્રય છે. તે કહેવાયું છે=શ્લોકમાં કહ્યું તે “યોગબિંદુ શ્લોક-૨૫૧માં કહેવાયું છે – આ રીતે=યોગબિંદુના પૂર્વના શ્લોક-૨૫૦માં કહ્યું કે વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ યુક્ત ઈચ્છાય છે એ રીતે, શુદ્ધયુક્તિરૂપ સમ્યમ્ નીતિથી તે તે દર્શનમાં કહેવાયેલું અખિલ અનુષ્ઠાન અપુનબંધકને ઘટે છે=મોક્ષના ઉપાયરૂપે ઘટે છે, કેમ કે અવસ્થાભેદનો આશ્રય છે=અપુનબંધકના અનેક સ્વરૂપનો સ્વીકાર છે."(યોગબિંદુ શ્લોક-૨૫૧) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. li૩૨ા. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અપુનબંધકદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ - અપુનબંધક જીવોનાં વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનો પણ પ્રશાંતવાહિતાનું કારણ : અપુનબંધકની અનેક અવસ્થાઓ છે, તેથી આઘભૂમિકાવાળા મુગ્ધ અપુનબંધકો તે તે શાસ્ત્રમાં કહેલ મુમુક્ષુજનયોગ્ય ભૃગુપાતાદિ અનુષ્ઠાનને મોક્ષના ઉપાયરૂપે જાણીને મોક્ષ અર્થે ભૃગુપાતાદિમાં યત્ન કરે છે, અને તે અનુષ્ઠાન સાવદ્ય હોવા છતાં તે ભૂમિકામાં મોક્ષના અભિલાષપૂર્વક કરાતું હોવાથી કંઈક પ્રશાંતવાહિતાને ઉત્પન્ન કરે છે. વળી કેટલાક અપુનબંધક જીવો કંઈક વિવેકવાળા હોય છે, તેઓ તે તે દર્શનમાં કહેવાયેલા યમ, નિયમ આદિ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનને સેવે છે, અને તેઓની તે ભૂમિકામાં સેવાયેલું તે અનુષ્ઠાન પ્રશાંતવાહિતાને ઉત્પન્ન કરે છે, કેમ કે વિષયશુદ્ધ અનુષ્ઠાન કરનારા અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કરનારા બન્ને પ્રકારના અપુનબંધક જીવોનો અસથ્રહ નિવૃત્ત થયેલો છે, અને સદ્ગત પ્રવૃત્ત છે. તેથી તત્ત્વનો પક્ષપાત વર્તે છે, માટે તેઓનું અનુષ્ઠાન તત્ત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા કષાયો શાંત થવાનું કારણ બને છે, આથી તેઓ સ્વભૂમિકાને અનુરૂપ મોક્ષ અર્થે જે કંઈ પણ અનુષ્ઠાન સેવે છે, તે પ્રશમ સુખનું કારણ છે. આશય એ છે કે અપુનબંધક જીવો પોતાના ક્ષયોપશમ પ્રમાણે સંસારના સ્વરૂપનું આલોચન કરે છે, વળી સ્વબોધ અનુસાર અતત્ત્વ પ્રત્યેનું વલણ નિવૃત્ત થયેલું છે અને તત્ત્વ પ્રત્યેનું વલણ થયેલું છે, તેથી તેવા જીવો મોક્ષના અર્થી બન્યા છે. તેઓને જેમ જેમ મોક્ષના ઉપાયમાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રજ્ઞા ખૂલે છે, તેમ તેમ પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક વિવેકપૂર્વક મોક્ષની પ્રવૃત્તિ કરે છે, અને સ્વબોધ અનુસાર મોક્ષને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સેવીને મોક્ષ પ્રત્યેના અધિક અધિક પક્ષપાતવાળા થાય છે, તેથી તેઓ જે અનુષ્ઠાન સેવે છે, તેનાથી મોક્ષ પ્રત્યેનો વિશેષ પક્ષપાત ઉત્પન્ન કરવામાં પ્રતિબંધક એવાં કર્મોનો ઉપશમ થાય છે, તેથી તેઓનું મોક્ષ અર્થે કરાતું અનુષ્ઠાન પ્રશાંતવાહિતાનું કારણ છે, જે પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક મોક્ષ પ્રત્યેનો પક્ષપાત કરાવે છે, અને મોક્ષના ઉપાયોને જાણીને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરાવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩૨ અહીં વિશેષ એ છે કે શ્લોક-૩૧ની અવતરણિકામાં કહેલ કે વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન કોને હોય છે ? તેથી પ્રસ્તુત શ્લોકથી વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ બંને અનુષ્ઠાનોનું ગ્રહણ છે, પરંતુ માત્ર તે તે દર્શનમાં કહેવાયેલા યમ, નિયમાદિ અનુષ્ઠાનનું ગ્રહણ નથી. વળી યોગબિંદુના જે શ્લોક-૨૫૧નો સાક્ષીપાઠ આપ્યો, તેની પૂર્વના શ્લોક-૨૫૦માં પણ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું કથન છે અને તેનો પરામર્શ યોગબિંદુ શ્લોક-૨૫૧માં 'પર્વ' થી કરેલ છે. તેનાથી એ ફલિત થાય કે અપુનર્બધકનું વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ તે ભૂમિકામાં પ્રશાંતવાહિતા ઉત્પન્ન કરે છે, આથી જ યોગમાર્ગને ઉચિત એવા જન્મની તે અનુષ્ઠાનથી પ્રાપ્તિ થાય છે. આશા इति अपुनर्बन्धकद्वात्रिंशिका ।।१४।। Page #142 -------------------------------------------------------------------------- ________________ "शुक्लपक्षेन्दुवत्प्रायो, वर्धमान गुणः स्मृतः। પ્રવામિનાવુ લોડાગા, પુનર્જુવો શુ L" “ભવાભિનદીના (શુદ્ધત્વાદિ) દોષોનો વ્યય થયે છતે શુક્લપક્ષના ચંદ્રમાની જેમ બાહુલ્યથી વર્ધમાના ગુણવાળો અપુનર્નાક કહેવાયો છે.” : પ્રકાશક : માતા ગા.” DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 'E-mail : gitarthganga@yahoo.co.in 9824048680