SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ : આ ત્રણે અનુષ્ઠાનોમાંથી પ્રથમ પ્રકારનું અનુષ્ઠાન મુક્તિ માટે કરાતું હોવાથી વિષયશુદ્ધ છે અર્થાત્ “આ અનુષ્ઠાનથી મને મોક્ષ પ્રાપ્ત થાઓ” એવા પ્રકારના આશયથી કરાય છે, અને સ્વરૂપથી સાવદ્ય એવી ભૃગુપાતાદિ પ્રવૃત્તિરૂપ છે, તેથી માત્ર વિષયશુદ્ધ છે. આ વિષયશુદ્ધ અનુષ્ઠાનવાળા જીવો પોતાના દેહનો નાશ કરે તેવી અનુચિત પ્રવૃત્તિ મોક્ષના આશયથી કરે છે. વળી કેટલાક જીવો પોતાના દેહના નાશનું કારણ બને તેવી સાવદ્ય પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ મોક્ષના આશયથી કોઈપણ પ્રકારની સાવઘ પ્રવૃત્તિ કરે છે, તે પણ માત્ર વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાન આચરણાથી મોક્ષનું કારણ નથી, તોપણ તે અનુષ્ઠાનનો ઉદ્દેશ મોક્ષ છે, તે અપેક્ષાએ આ અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. પરવા અવતરણિકા : શ્લોક-૨૧માં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યાં. તેમાં વિષયશુદ્ધ અનુષ્ઠાન આચરણાથી હિંસાત્મક હોવાને કારણે શુદ્ધ કઈ રીતે કહી શકાય ? એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : स्वरूपतोऽपि सावद्यमादेयाशयलेशतः । शुभमेतद् द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् ।।२२।। અન્વયાર્થ : સ્વરૂપત =સ્વરૂપથી સાવદામપત્રસાવદ્ય એવું પણ પતઆ મોક્ષ માટે પતનાદિની ક્રિયારૂપ અનુષ્ઠાન વેચાશયનેશત =આદેય આશયતા લેશને કારણે ગુમ—શુભ છે. સુત્રવળી નોટ્સ લોકદષ્ટિથી યમવિષ્યમાદિક દ્વિતીયં બીજું છે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. ll૧૨ શ્લોકાર્ચ - સ્વરૂપથી સાવધ એવું પણ આમોક્ષ માટે પતનાદિની ક્રિયારૂપ અનુષ્ઠાન, આદેય આશયના લેશને કારણે શુભ છે. વળી લોકષ્ટિથી યમાદિક બીજુ છે=સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy