SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૩ ક યોગ્યત્વેડ'િ અહીં ‘પ’ થી એ કહેવું છે કે સબંધકાદિ અયોગ્ય હોવાને કારણે અપુનબંધકથી વ્યવધાનવાળા છે, પરંતુ માર્ગપતિત અને માર્ગાભિમુખ ભગવદ્ આજ્ઞાના અવગમને યોગ્ય હોવા છતાં પણ અપુનબંધકની અપેક્ષાએ વ્યવધાનવાળા છે. ‘કન્યત્રપિ'=સર્વત્થાવાવ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અપુનબંધકમાં તો પૂર્વસેવા છે પણ સબંધકમાં પણ પૂર્વસેવાનો ઉપચાર છે, અને સર્વત્થાવાવા'માં “આદિ' થી દ્વિબંધકનું ગ્રહણ કરવું. ભાવાર્થ :અન્ય દષ્ટિકોણથી માર્ગપતિત અને માર્ગાભિમુખ એ અપુનબંધકની પૂર્વની અવસ્થાઓ - શ્લોક-રમાં માર્ગપતિત અને માર્ગાભિમુખને અપુનબંધકની અવસ્થાવિશેષરૂપે સ્વીકાર્યા અને તે કથન ‘પંચસૂત્ર'ના વૃત્તિકાર પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના વચનથી કરેલ. હવે કેટલાક મહાત્માઓ માર્ગપતિત અને માર્ગાભિમુખને ભગવદ્ આજ્ઞાના અવગમને યોગ્ય સ્વીકારે છે, પરંતુ અપુનબંધકની અવસ્થાવિશેષરૂપે સ્વીકારતા નથી, પણ કહે છે કે માર્ગપતિત અને માર્ગાભિમુખ અપુનબંધકની અપેક્ષાએ દૂર રહેલા જીવો છે. તેથી માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવો અપુનબંધકથી ભિન્ન છે, પરંતુ અપુનબંધકની અવસ્થાવિશેષરૂપ નથી. આ કથનથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના માર્ગને સમજવાને યોગ્ય આદ્ય ભૂમિકાવાળા માર્ગાભિમુખ જીવો છે, બીજી ભૂમિકાવાળા માર્ગપતિત જીવો છે અને ત્રીજી ભૂમિકાવાળાઅપુનબંધક જીવો છે. વળી સફબંધકાદિ જીવો જે પૂર્વસેવાનું આચરણ કરે છે તે પૂર્વસેવા મુખ્ય પૂર્વસેવા નથી, પરંતુ કારણમાં કાર્યનો ઉપચાર કરીને સફબંધકાદિની આચરણાને પૂર્વસેવા કહેવાઈ છે; કેમ કે અપુનબંધકની અતિ નજીકની અવસ્થા સફદ્ભધકાદિની છે, તેથી અપુનબંધકની અપેક્ષાએ સફદ્ભધકાદિનો અતિભેદ નથી. આનાથી એ ફલિત થાય કે સકૃબંધકાદિની પૂર્વસેવાની આચરણા સાક્ષાત્ યોગમાર્ગનું કારણ નથી, પરંતુ યોગમાર્ગના કારણભૂત એવી અપુનબંધકની પૂર્વસેવાનું કારણ છે, તેથી મુખ્ય પૂર્વસેવાનું કારણ સબંધકાદિની પૂર્વસેવા હોવાથી ઉપચારથી સબંધકાદિની પૂર્વસેવાને પણ પૂર્વસેવા કહેવાય.IIકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy