SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ અપુનબંધકાત્રિશિકા/બ્લોક-૨૩ ત પર્વ આ રીતે અતિસાવધ પ્રકૃતિ હોવાને કારણે આ=વિષયશુદ્ધ અનુષ્ઠાન, અનિદર્શન વર્તે છે=મુક્તિને અનુરૂપ વર્તે છે.” (યોગબિંદુ શ્લોક-૨૧૬) કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા “ષા’ અહીં ‘મ થી ઇન્દ્રિયોનું ગ્રહણ કરવું. નીવાદિતત્ત્વ' અહીં ‘વિ' થી અજીવાદિ બાકીનાં તત્ત્વોનું ગ્રહણ કરવું. ‘યમાળેવ' અહીં “મરિ’ થી નિયમનું ગ્રહણ કરવું. ‘માત્મઘાતરિ' અહીં ‘વ’ થી અન્ય સાવઘ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. જ ળસ્તહેતુત્વેડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે જો કર્મનું-અનુષ્ઠાનનું, મોક્ષનું હેતુપણું હોય તો મોક્ષની ઇચ્છાનું સારૂપ્ય છે, પરંતુ અનુષ્ઠાનનું મોક્ષનું અહેતુપણું હોવા છતાં પણ મોક્ષની ઇચ્છાનું કથંચિત્ સારૂપ્ય છે. નોંધ:- પૂર્વે ગ્રંથકારશ્રીએ અન્ય આચાર્યોનો મત બતાવ્યો અને કહ્યું કે વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અત્યંત સાવદ્ય છે, માટે મોક્ષને અનુરૂપ નથી. તેની સાક્ષીરૂપે યોગબિંદુ શ્લોક-૨૧૬નો ‘તી: સમન્તપદ્રવીનિવર્શનમઃ ' સુધીનો અંશ છે; અને પછી કહ્યું કે મોક્ષની ઇચ્છાને મોક્ષ સાથે કંઈક સારૂપ્ય છે માટે ઉચિત જન્મ દ્વારા મોક્ષનો હેતુ છે. તેની સાક્ષીરૂપે “તદ્યોવનન્મસન્ધાનમત પ્રવક્ષતે' યો.બિ. શ્લોક૨૧૫ નો ઉત્તરાર્ધ અને મુક્તવિચ્છપ અછૂત્નાર્થી ત: ક્ષયેરી મતા' યો.બિ. શ્લોક૨૧૬ નો પૂર્વાર્ધ સુધીનો અંશ છે. ભાવાર્થ : અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ - જે યોગીઓ સંસારના પારમાર્થિક સ્વરૂપને જાણીને ભવથી વિરક્ત થયા છે, અને જેઓને “ભવના ઉચ્છેદનો ઉપાય સર્વજ્ઞનું વચન છે' તેવો નિર્ણય કરાવે તેવી માર્ગાનુસારી બુદ્ધિ છે, તેવા માર્ગાનુસારી બુદ્ધિવાળા યોગીઓના, તત્ત્વને જાણવામાં અને તત્ત્વની પ્રવૃત્તિ કરવામાં બાધ કરે તેવા કષાયાદિ વિકારો શાંત થયા છે; અને આવા કષાયો શાંત થયેલા હોવાને કારણે તેઓ ભગવાનના વચનાનુસાર જીવાદિ તત્ત્વના સમ્યક પરિજ્ઞાનથી યુક્ત યમાદિ અનુષ્ઠાનનું સેવન કરે છે; જે અનુષ્ઠાનના સેવનથી મોક્ષની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા દોષોની હાનિ થાય છે, અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે, માટે આ અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy