SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧ આથી બીજા પ્રકારના પુરુષને અતીન્દ્રિય પદાર્થમાં ક્યારેક સંશય થાય તો તે મહાઅનર્થન કરનાર છે, માટે તેના નિવારણ માટે શાસ્ત્ર જ આદરણીય છે; અને માર્ગાનુસારી બુદ્ધિ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવો સર્વત્ર શાસ્ત્રનો જ આદર કરે છે, પરંતુ સ્વબુદ્ધિ પ્રમાણે પ્રવૃત્તિ કરતા નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવો આસભવ્ય જીવો છે. -: શ્રોતાના ક્ષયોપશમને આશ્રયી અર્થગ્રહણના ત્રણ પ્રકાર : સુખાધિગમ દુધિગમ અનધિગમ ચક્ષુવાળા એવા ચક્ષુવાળા છતાં ચક્ષુહીન એવા ચિત્રકળામાં નિપુણ ચિત્રકળામાં અનિપુણ અંધ તુલ્ય પુરુષ તુલ્ય પુરુષ તુલ્ય -: અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં શ્રોતાને અર્થગ્રહણના ત્રણ પ્રકાર : સુખાધિગમ દુરધિગમ અનધિગમ માર્ગાનુસારી માર્ગાનુસારી પરલોકની બુદ્ધિવાળા બુદ્ધિવાળા વિચારણામાં સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન સૂક્ષ્મપ્રજ્ઞારહિત અંધ તુલ્ય ગાઢ સમ્યગ્દષ્ટિને સમ્યગ્દષ્ટિ જીવોને મિથ્યાદૃષ્ટિ જીવોને મિથ્યાત્વના ઉદયથી. ll૨ના અવતરણિકા : શ્લોક-૧૯માં કહ્યું કે સમ્યગ્દષ્ટિએ ભાવથી યોગ છે એ પરમાર્થવૃત્તિથી છે, તેમાં કારણ કહ્યું કે સમ્યગ્દષ્ટિ શાસ્ત્રસંજ્ઞાવાળા હોય છે, તેથી પ્રશ્ન થયો કે સમ્યગ્દષ્ટિ દરેક પ્રવૃત્તિ શાસ્ત્ર પ્રમાણે કેમ કરે છે ? તેથી શ્લોક૨૦માં તેનું સ્પષ્ટીકરણ કર્યું. વળી શ્લોક-૧૯માં કહેલ કે સમ્યગ્દષ્ટિ જીવો ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનથી પ્રવૃત્તિ કરે છે માટે તેમને ભાવથી યોગ છે, તેથી હવે તે ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ ગ્રંથકારશ્રી જણાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy