Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ધર્મસંસ્કારનું સિંચનઃ
જન્મોજનમના ભવભ્રમણમાં (પૂર્વભવોમાં) ધર્મસંસ્કારનું બીજારોપણ થયેલું હોઈ બાલ્યાવસ્થાથી જ તે બાળકની દરેક પ્રવૃત્તિ સંસ્કરણની સુવાસથી મહેંકી ઉઠતી હતી.. શૈશવકાળથી જ વડીલો દ્વારા પ્રભુદર્શન, પૂજન, સેવાભક્તિના સંસ્કારોનું સિંચન થવાથી ધર્મ આરાધનાનો છોડ ઠીક ઠીક પાંગર્યો હતો...હૈયામાં એક જ વાત ઘર કરી ગઈ હતી કે
धम्मो बंधु सुमित्तोय, धम्मो य परमो गुरु । મુવમળ-પયટ્ટાાં, ધમ્મો પરમસંતળો । -વૈરાગ્યશતક
11
(ધર્મ એ આપણો બંધુ છે, સારો મિત્ર છે, અરે ! શ્રેષ્ઠ ગુરુ છે અને મોક્ષમાર્ગ ઉપર ચાલનારાઓ માટે ઉત્તમ રથ છે.)
दुर्गतौ प्रपतत्प्राणिनं धारयति इति धर्मः ।
(દુર્ગતિમાં પડતાં જીવને જે પડવા ન દે અને ધારણ કરી રાખે અર્થાત્ પકડી રાખે તે ધર્મ.)
धारणाद् धर्ममित्याहु: धर्मेण विधृता प्रजा ।
ય: સ્થાત્ ધારાસંયુક્ત: સ ધર્મ કૃતિ નિશ્ર્વિતઃ ॥ (શાંતિપર્વમહાભારત)
(જે સૌને ધારણ કરે છે તે ધર્મ કહેવામાં આવે છે. ધર્મ વડે પ્રજા ધારણ કરાયેલ છે તેથી જ જે ધારણયુક્ત હોય તે જ ધર્મ છે.)
હીરાના પ્રારંભિક ધાર્મિક અભ્યાસના ઉછેરમાં ગામના મફતલાલભાઈનો પણ યત્કિંચિત્ ફાળો હતો.. માણેકપુર ગામમાં ચૌદશ આદિ પર્વતિથિના દિવસે જ્યારે કોઈ સાધુ ભગવંતનો યોગ ન મળે ત્યારે માત્ર સાત વર્ષની બાળવયે આ હીરાભાઈ પૌષધની આરાધના કરવા ચાલીને બાજુમાં સાત કિલોમીટર દૂર રહેલા લોદ્રા ગામમાં જતા હતા... પાંચમા ધોરણ સુધી માણેકપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ૧૧ વર્ષની
ઉંમરે લગભગ ૫ કી.મી. દૂર આવેલા માણસા ગામમાં નિત્ય પગપાળા ચાલીને પ્રથમ અંગ્રેજીનો અભ્યાસ કરવા સાથે ભાવિમાં કઠોર જીવન જીવવાનો પણ અભ્યાસ કરવા લાગ્યા...
બાળપણથી જ ધાર્મિક સંસ્કરણના સિંચનના કારણે પ્રતિક્રમણ કરવા ગામના ઉપાશ્રયમાં જતા.. તીવ્ર-ધારણા શક્તિના પ્રભાવે પ્રતિક્રમણ દરમ્યાન થયેલા સૂત્રના શ્રવણમાત્રથી તેર વર્ષની કુમારાવસ્થામાં વિશેષ અભ્યાસ કર્યા વગર જ બે પ્રતિક્રમણના સૂત્રો મુખપાઠ થઈ ગયા અને સાધુ ભગવંતની અનુપસ્થિતિમાં પોતે સ્વતંત્રપણે પ્રતિક્રમણ ભણાવતાં થઈ
ગયા...
दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, समानसे मे रमतामजस्रम् ॥
(ધર્મભાવના- શાંતસુધારસ) (સકળ વિશ્વના હિત અને કલ્યાણ માટે જિનેશ્વરભગવંતોએ દાન-શીલતપ અને ભાવ એ રીતે ચાર ધર્મ બતાવ્યા છે. એ ધર્મનું મારા મનમાં સદાને માટે નિરંતર સ્થાન રહો.)
भवजलहिम्मि अपारे दुलहं मणुयत्तणं पि जंतूणं । તત્વવિઞળત્યદરાં, વુદ્દે સમ્મવયાં ધર્મરત્નપ્રકરણ
(જેનો પાર નથી પામી શકાતો એવો અપાર આ ભવસાગર છે, જગતના જીવો માટે મનુષ્ય જન્મ પણ દુર્લભ છે, એમાં પણ અનર્થોનો નાશ કરનાર એવું સદ્ધર્મરૂપી શ્રેષ્ઠ રત્ન મળવું તો અતિ દુર્લભ છે.)
अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहिणो । વેદે નફ વિદપ્પડું ધમ્મો તા િનપત્નત વૈરાગ્યશતક
(અસ્થિર, મલિન અને પરાધીન એવા આ શરીર વડે સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવા ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે, તે શું ઓછું છે ? પર્યાપ્ત નથી?)