Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
એક મુનિરાજ વાસણા મુકામે બિરાજમાન પૂજ્યશ્રીના વંદનાર્થે આવ્યા... પૂજ્યશ્રીને રાઈય મુહપત્તિ કરી... અને નીચે આસન પાથરી બેસી ગયા.... પૂજ્યશ્રીની દૃષ્ટિ ચકોર હતી... તેમણે આ મુનિના ચહેરા ઉપર થાક જણાતાં પૂછ્યું કેમ ! શાતા છે ને ? કાંઈ તકલીફ છે ? મુનિ કહે ‘ના’... પૂજ્યશ્રી કહે ‘ના, પણ તમારા શરીરમાં થાકે દેખાય છે, કંઈ તકલીફ હોય તો જણાવો.” મુનિ કહે ‘કાંઈ નહિં, આ તો આજે અટ્ટમનું પારણું થયું છે... વાપરીને તરત આપના દર્શને આવ્યો છું... ચક્કર જેવું લાગે છે'... મુનિવરની હા-ના સાંભળ્યા વિના જ પૂજ્યશ્રીએ એજ વખતે વૈયાવચ્ચી મુનિરાજ હેમવલ્લભ વિ.મ.સા.ને કહ્યું “કેમ! હમણા દાળ-ભાત જેવું કાંઈ મળશે ? તો આ મહાત્માને વપરાવો” “હાજી' કહીને વૈયાવચ્ચી મુનિ તો ગોચરી માટે ઉપડી ગયા... ગોચરી આવે ત્યાં સુધી પૂજ્યશ્રીએ મુનિને આરામ કરાવ્યો.... ગોચરી આવી ગઈ એટલે વપરાવી દીધી...
માત્ર વંદનાર્થે આવેલા મહાત્મા પ્રત્યે પણ પૂજ્યશ્રીની કેવી કાળજી ! કેવો વાત્સલ્યભાવ !
પૂજ્યશ્રીની નિશ્રામાં વાસણા-અમદાવાદ મુકામે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ હતો... ઉપાશ્રયથી લગભગ ૪00 ડગલાં દૂર સ્ટેજ પ્રોગ્રામનો મંડપ હતો.... વૈશાખનો મહિનો હતો... ગરમીએ પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરી દીધેલું... બપોરે બાર વાગ્યાની આસપાસ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રી ઉપાશ્રય તરફ જવા
માંડ્યા... ડામરનો રસ્તો ધગધગ તપતો હતો...તેના ઉપર રીતસર દોડતાં દોડતાં જવું ચોથા આરાની વાનગી, જીવતુ જાગતું આગમ, મહાવિદેહ- પડે તેવી પરિસ્થિતિ... ત્યારે પૂજયશ્રીતો મુનિરાજ હેમવલ્લભ મ.સા.નો હાથ પકડીને ક્ષેત્રથી આપણા સૌના પુત્યે વિખુટી પડેલી વિભૂતિ એવા પૂજ્યશ્રીના તે રોડ ઉપર પોતાની નિત્ય ચાલ મુજબ ઉપાશ્રયમાં જતાં... આ દૃશ્ય જોઈને કાલધર્મથી સમગ્ર જૈનસંઘને, તેમના વિશેષ અનુરાગીઓને પૂરી ન ભલભલાના મસ્તક પૂજ્યશ્રીના ચરણોમાં ઝુકી જાય ! “અરે! રોડ કેવો તપી ગયો છે, શકાય તેવી ખોટ પડી છે, એટલું જ નહીં, પરંતુ સૂક્ષ્મની શક્તિના જલ્દી ચાલો !” એવા કોઈ શબ્દો ઉચ્ચાર્યા વિના કર્મરાજાના યુદ્ધ સામે બાથ ભીડતા... આરાધકની વિદાયથી સમગ્ર વિશ્વને પણ આંચ પહોંચી છે.
| ધન્ય છે તે સહનશીલતાની પરાકાષ્ઠાપૂર્વક સંયમપાલન કરતાં સૂરિવરને ! તે જે કાલમાં તપ, ત્યાગ, સંયમ, દિન-પ્રતિદિન ઘટી રહ્યા હોય સુરિવરના ચરણોમાં પંચાગ ભાવે સૌ નમે... તેવા કાલમાં પૂજ્યશ્રી આપણા સૌના માટે તેમના ઉગ્ર, તપ, સંયમ,
મુનિ કુલભાનુવિજયજી દ્વારા આલંબનરૂપ હતાં.
મુનિ મનોભૂષણવિજય - તપોવન - અમદાવાદ